Thursday, March 19, 2009

રોટી મિલે તો બાંટ કે ખાના


સ્વામી રામકૃષ્ટ પરમહંસ પાસે એક યુવાન ગયો. તેણે પરમહંસજીને સીધો પ્રશ્ન કર્યો-''બાપજી એક પ્રશ્ન કા પ્રત્યુત્તર દીજિએ-બતાઈએ સાધુ કી વ્યાખ્યા ક્યા?'' પરમહંસજી સમજી ગયા કે આ કેટલાયને પૂછીને મારી પાસે આવ્યો છે। આની પ્રવૃત્તિ જ પૂછવાની છે. પરમહંસ ઓળખી ગયા. આ માણસે મગજમાં સાધુની વ્યાખ્યા નક્કી કરી નાખી છે. હવે એણે જે નક્કી કરી છે એવો જો કોઈ જવાબ આપે તો જ એ બોલતો બંધ થશે; નહીંતર એ પૂછ્યા જ કરશે.

પરમહંસજીએ જવાબ આપતાં પહેલાં યુવાનને એમ કહ્યું કે, પહેલે આપ બતાઈએ આપકે દિમાગમેં ક્યા વ્યાખ્યા હૈ? તું જે નક્કી કરીને આવ્યો છે એની પહેલાં વાત કર। હું પછી મારો વિચાર રજૂ કરું. પેલો સમજી ગયો કે બાપજી મારા મનની વાત જાણી ગયા. એટલે તેણે કહ્યું, ''બાપજી, મને તો એમ લાગે છે કે, સાધુની વ્યાખ્યા એટલે રોટી મિલે તો ખા લેના; ન મિલે તો અફસોસ ન કરના.'' પેલા યુવાને વ્યાખ્યા કરી કે રોટલો મળે તો ખાઈ લેવો, ન મળે તો ખેર-એનો અફસોસ ન કરવો.

પરમહંસજી ગુસ્સે થઈ ગયા કે યહ તો સાધુ કા અપમાન હૈ; યહ કોઈ સાધુ કી વ્યાખ્યા હૈ? યહ તો કુત્તે કી વ્યાખ્યા હૈ. આ તો કુતરાનો સ્વાભાવ છે કે રોટલો નાંખો તો ખાઈ લે અને ન નાંખો તો જતો રહે. સાધુ કા તો સ્વભાવ રોટી મિલે તો બાંટ કે ખાના - યે ન ત્યક્તેન ભુંજીથાઃ રોટલો મળે તો ટુકડામાંથી ટુકડો બીજાને આપીને ખાવો. અને જો ન મળે તો ભગવાનને કહેવાનું કે હું ઉપવાસ ન કરત, પણ તેં મને ઉપવાસ કરાવ્યો-પ્રભુ તેં મને તપ કરાવ્યું-તેં મારી આંતરશુદ્ધિ કરાવી એટલું હું તારો ઋણી છું. આ સંતનો સ્વભાવ છે.

No comments: