Sunday, February 28, 2010

આશાવલ્લી, કર્ણાવતી, અહમદાબાદ અને અમદાવાદ.....

(અમદાવાદના પ્રસિદ્ધ ત્રણ દરવાજા)

આશા ભીલના ટીંબો આશાવલ્લી, સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ સોલંકીનું કર્ણાવતી, ગુજરાતના પહેલા મુસ્લિમ સુલતાન મુઝફ્ફરશાહના પૌત્ર અહમદશાહનું અહમદાબાદ અને નરેન્દ્ર મોદીના રબર સ્ટેમ્પ કાનજી ઠાકોરનું અમદાવાદ....ભીલરાજાઓનું આશાવલ્લી, રાજપૂત કે સોલંકી યુગનું કર્ણાવતી, નગરશેઠો અને મહાજન યુગનું અહમદાબાદ, ગાંધીયુગનું માન્ચેસ્ટર અને આઝાદી પછી વિક્રમ સારાભાઈનું અમદાવાદ....બે કિલ્લા, પાંચ રાંગ, 12 દરવાજા, 143 પરાં, 13 ગામ, 300થી વધુ પોળ, 148 ખાંચા, 200 ખડકી, નવ બારી, છ ઢાળ, 1,500થી વધુ ચાલી, 15 કૂવા, 61 વાવ, 13 હવેલી, 44 વાડી, 30 ચકલાં, 171 ડહેલાં, ચાર નાળાં, છ પીઠ અને 24 ટેકરાનું અતૂટ બંધન એટલે વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કર્ણાવતી, કોંગ્રેસનું અહમદઆબાદ અને નરેન્દ્ર મોદી અને સાડા પાંચ કરોડ ગુજરાતીઓનું આપણું અમદાવાદ.....

ઉમાશંકર જોશીએ કહ્યું છે કે ''માણસની પેઠે નગરને પણ વ્યક્તિત્વ હોય છે. જુદા જુદા મહાપુરુષોનાં નામ ઉચ્ચારતાની સાથે એમના નોખાનોખા પ્રભાવનો ખ્યાલ મનમાં જાગે છે, તેમ મુંબઈ, કલકત્તા, દિલ્હી, મદ્રાસ એવાં મહાનગરોના નામોચ્ચારથી પણ શહેરની તસવીર મનમાં ખડી થાય છે. અમદાવાદ બોલતાં પણ એવી એક ભાવનામૂર્તિ આપણી આગળ પ્રત્યક્ષ થાય છે.'' માણસ સતત બદલાતું પ્રાણી છે, તેના વ્યક્તિત્વમાં સતત પરિવર્તન આવતું હોય છે. સમય, સંજોગો અને અનુભવના આધારે તેના વ્યક્તિત્વનો ઘાટ ઘડાય છે. તે જ રીતે બદલાય યુગ સાથે શહેર, નગર કે મહાનગરની તાસીર અને તસવીર પરિવર્તનનો પવન અનુભવે છે.

એકાદ હજાર વર્ષ પહેલાં અમદાવાદ આશાવલ્લી હતું, ખાંટ રાજા આશા ભીલનો ટીંબો હતું, તેની જાગીર હતું. ખાંટ એ રજપૂત અને કોળી એ કોમની વચલી જ્ઞાતિ છે તેવું ભગવદ્ગોમંડલમાંથી જાણવા મળે છે. આશાવલ્લી કે આશાવલ સોંલકી રાજા કર્ણદેવના સમયમાં કર્ણાવતી બન્યું. હાલના જમાલપુરના દરવાજાની બહાર કેલિકો મિલની આસપાસના વિસ્તારમાં કર્ણાવતી વસ્યું-વિકસ્યું હશે તેવા ઐતિહાસિક પુરાવાં મળ્યાં છે. સિદ્ધરાજ સોલંકીના સમયમાં કર્ણાવતીના નગરપાળ તરીકે ઉદયન એટલે ઉદા મહેતાની નિમણૂંક થઈ. તેણે કર્ણાવતીને દિલ દઈને વિકસાવ્યું. કર્ણાવતીને વિકસાવવામાં જૈન અને બ્રાહ્મણોનું પણ બહુ મોટું પ્રદાન. સોલંકી યુગમાં આજના અમદાવાદનો વિકાસનો પાયો નંખાયો, ધાર્મિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિના બીજ રોપાયાં. અહીંના અરિષ્ટનેમિપ્રાસાદ નામના મંદિરમાં જ સુપ્રસિદ્ધ સાધુ અને વિદ્વાન મુનિ દેવચંદ્રસૂરિનો નિવાસ હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ અહીં જ અભ્યાસ કરેલો. ઉદા મહેતા અને જૈન અગ્રણી શાંતુ મંત્રીએ 72 જિનાલયવાળું ઉદયવિહાર નામનું મંદિર બંધાવેલું. ધર્મપરાયણ અને વેપારી મથક તરીકે વિકસેલું કર્ણાવતી નગર 14મી સદીની શરૂઆતમાં અહમદ અહમદાબાદ થયું. રજપૂત સત્તાનો અંત આવ્યો અને મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ...

ગુજરાતનો પહેલો મુસ્લિમ સુલતાન મુઝફ્ફરશાહ....તેના પૌત્ર અહમદશાહે રાજધાની પાટણથી કર્ણાવતી નજીક સ્થળાંતરિત કરી. કર્ણાવતીને અડીને સાબરમતીને કિનારે સપાટ ભૂમિ પર નગર વસાવવાની યોજના ઘડી. તેણે સરખેજના સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષની મારફત પયગંબર અલખીઝર ખ્વાજાની પરવાનગી માગી. ખુદાઈ સત્તાની શરત મુજબ, જે જીવનમાં દરરોજ પાંચ નમાઝમાંથી એક પણ ચૂક્યા ન હોય અને પવિત્ર જીવન ગાળતાં હોય તેવી ચાર અહમદ નામની વ્યક્તિઓ ખાતમુહૂર્ત વખતે દોરીના ચાર છેડો પકડે તો શહેર વસે અને આબાદ થાય. બાદશાહ અહમદશાહ, સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ, મલિક અહમદ જેમની કબર કાલુપુરના પઠાણવાડા છે અને પાટણના કાજી અહમદ એમ ચાર અહમદે પાયો નાંખ્યો. કાજી અહમદની કબર પાટણમાં છે.

આ ચાર પવિત્ર પુરુષોએ પાયાની પ્રથમ ઇંટ મૂકી અહમદાબાદ શહેરનું નિર્માણ શરૂ કર્યું. સૌ પ્રથમ ભદ્રનો કિલ્લાની શરૂઆત થઈ. આ કિલ્લાને 14 બુરજ છે. 43 એકરનો તેનો વિસ્તાર છે. આ કિલ્લો કાબુલ અને કંદહારના કિલ્લા પછી સૌથી વધુ મજબૂત ગણાતો હતો. તેના રક્ષણ માટે 18 તોપ રહેતી. ભદ્રના કિલ્લાની દક્ષિણે ગુજરાત ક્લબના મકાનની સામે અહમદશાહની મસ્જિદ છે, જે અમદાવાદમાં બંધાયેલી પ્રથમ મસ્જિદ છે. અહમદશાહના શહેરનો વિસ્તાર મહંમદ બેગડાએ કર્યો અને નગર ફરતો કોટ ચણાવ્યો. તેના બાદ દરવાજા આજે પણ અડીખમ છે. 16મી સદીમાં દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ પાદશાહના સૂબાનું શાસન ગુજરાત પર સ્થાપિત થયું. જહાંગીરે અમદાવાદને 'ગર્દાબાદ' કહ્યું. અહીં જ સર ટોમસ રોને મુલાકાત આપી અને બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના માટેના દ્વાર ખોલી આપ્યાં. ઔરંગઝેબ પછી મુઘલ સત્તા નબળી પડી અને મરાઠાઓએ અમદાવાદ પર 63 વર્ષ રાજ કર્યુ પણ અમદાવાદ ખેદાનમેદાન કરી નાંખ્યું...

મરાઠાઓએ ભદ્રકાળીનું મંદિર અને સાબરમતી પર શાહીબાગનું, ભીમનાથનું દેરું થયું. મરાઠાઓએ લોકો પર અત્યાર કર્યો અને વસતી આઠ લાખમાંથી 80,000 થઈ ગઈ. એક જીવતું, ધબકતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું. પછી અંગ્રેજોએ 1818માં યુનિયન જેક ફરકાવ્યો. 1849માં ભદ્ર પર મોટું ઘડિયાળ મુકાયું. 1859માં રણછોડલાલ છોટાલાલે કાપડની પહેલી મિલ સ્થાપી. 1864માં કાળુપુર દરવાજા બહાર બી બી એન્ડ સી આઈનું રેલવે સ્ટેશન બન્યું. 1870માં શહેરના પ્રથમ પુલ એલિસબ્રીજનું નિર્માણ થયું. 1872માં શહેરનો પહેલો રસ્તો બન્યો જે અત્યારે ગાંધીરોડ તરીકે ઓળખાય છે. 1877માં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજી મહારાજે રથયાત્રાનો આરંભ કરાવ્યો. 1879માં ગુજરાત કોલેજની સ્થાપના થઈ. 1885માં મ્યુનિસિપાલિટીની પહેલી વખત ચૂંટણી થઈ અને રણછોડલાલ છોટાલાલની પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ. 1894માં અમદાવાદમાં શેરબજાર શરૂ થયું. 1897માં 34 ગ્રાહકો સાથે ટેલીફોન સેવા શરૂ થઈ. 1909માં બહેરા મૂંગા શાળાની સ્થાપના થઈ. 1915માં કોચરબ ગામમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ. 1920 ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. 1928માં શહેરની પહેલી હાઉસિંગ સોસાયટી પ્રીતમનગર અસ્તિત્વમાં આવી. 1950માં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ફેરવાઈ. 1952માં પહેલી એર કન્ડિશન્ડ થિયેટર રિલીફની સ્થાપના થઈ. 1956માં મહાગુજરાત આંદોલન શરૂ થયું અને પહેલી મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપના સાથે અમદાવાદ પાટનગર બન્યું. 1974માં નવનિર્માણ આંદોલન શરૂ થયું. 1991માં અમદાવાદને કર્ણાવતી નામ આપવાનો ઠરાવ મ્યુનિસિપલ કોર્પોરેશને પસાર કર્યો જેને આજ સુધી મંજૂરી મળી નથી અને 2002 ગોધરકાંડ પછી હિંદુત્વની લહેર પર સવાર થઈને ગુજરાતના નાથ બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની 600મી વર્ષગાંઠ ઉજવે છે....

આશા ભીલથી નરેન્દ્ર મોદીના રબર સ્ટેમ્પ કાનાજી ઠાકોર સુધી આ નગર સતત પરિવર્તન પામતું રહ્યું છે. લોકોને આકર્ષતું રહ્યું છે. ભીલોનું આશાવલ, જૈનો અને બ્રાહ્મણોનું કર્ણાવતી, નગરશેઠોનું અહમદાબાદ, વેપારીઓનું માંચેસ્ટર અને જીવરાજ મહેતાથી લઈને નરેન્દ્ર મોદીનું અમદાવાદ દરેક વિકાસવાંછુઓ માટે મોટી શાળા સમાન છે............

ચલતે-ચલતેઃ ગામડું ફુલીફાલીને મોટું થયું હોય એવું આ શહેર છે - ઉમાશંકર જોશી

Thursday, February 25, 2010

Sachin, World Record & Media....


I get nice picture...and happy to share with my friends.....Enjoy Sachinmania.....

Wednesday, February 24, 2010

સચિન, વિશ્વવિક્રમ અને અખબારી આલમ...

IMMORTAL AT 200

















કોઈ પણ મનોરંજક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની મજા અનેરી હોય છે....ઇતિહાસ સર્જાતો હોય ત્યારે રોમાંચ, વિસ્મય, લાગણીની ચડ-ઊતર અનુભવાય છે...ઇતિહાસ સર્જાયા પછી દિલ ફાડીને બહાર આવતો આનંદનો મહાસાગર...આવી જ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી હું, તમે અને જગતભરના ક્રિકેટપ્રેમીઓ બન્યાં...વન-ડે ક્રિકેટના ચાર દાયકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ ક્રિકેટરે 200 રન ફટકારવાનું એવરેસ્ટ સર કર્યું......અખબારી આલમના માણસ તરીકે ઇંતેજારી હતી કે આજે અખબારો આ વિક્રમને કઈ રીતે વધાવશે....ઊઠીને તરત જ મનપસંદ અખબારોની સાઇટ પર સર્ફિંગ કર્યું અને તેમના ઇ-પેપર પરથી આ વિક્રમી સમાચારની જાણકારી મેળવી....જે તમારી સમક્ષ રજૂ કરું છું...
પહેલી તસવીર જાણીતા અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની છે, જેનું હેડિંગ હતું- IMMORTAL AT 200....પંજાબના જાણીતા હિંદી અખબાર 'પંજાબ કેસરી'ની છે....બીજી તસવીર કોલકત્તાના જાણીતા અંગ્રેજી અખબાર 'ધ ટેલીગ્રાફ' અને પાંચમી તસવીર દેશના જાણીતા અંગ્રેજી દૈનિક 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની છે.....

ગુજરાતના જાણીતા અખબારોની હેડલાઇન્સ-
ગુજરાત સમાચારઃ વન-ડેમાં વર્લ્ડ રેકોર્ડઃ સચિનના 200 રન
સંદેશઃ સચિન સુપિરિયર, વન-ડેમાં 200 રનનો વર્લ્ડ રેકર્ડ
દિવ્ય ભાસ્કરઃ ક્રિકેટનો બાદશાહ, સચિનનો એક વધુ વિક્રમ
અકિલાઃ વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સચિન તેંડુલકરનો ડંકો, પ્રથમ બેવડી સદી
સચિન ટેસ્ટ ક્રિકેટમાં 450 રનનો અને વન-ડે ક્રિકેટમાં 250 રનનો વિશ્વવિક્રમ સ્થાપિત કરે તેવી ઇચ્છા ભારતના મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરે વ્યક્ત કરી છે. અનેક લોકોએ સચિનને શુભેચ્છા વ્યક્ત કરી છે, પણ સૌથી સારી ટીપ્પણી જાણીતા ક્રિકેટ વિવેચક પીટર રોબોકે વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, ''સચિન બેટિંગ કરતો હોય ત્યારે તમારો કોઈ પણ ગુનો ઇશ્વર માફ કરી દે છે, કારણ કે તે પોતે પણ સચિનની બેટિંગની મજા માણતો હોય છે..''

Tuesday, February 23, 2010

ગુલિસ્તાં


મેં એક બાદશાહ વિશે સાંભળ્યું છે. તેણે એક કેદીને મૃત્યુદંડની સજા કરી. તે સાંભળીને નિરાશ અને હતાશ થયેલો કેદી ગુસ્સે થઈ ગયો. તેણે બાદશાહ પર અપશબ્દોનો મારો કર્યો. ખરેખર જે માણસ મૃત્યુની નજીક પહોંચી જાય છે, તે કંઈ પણ કહેવા-સાંભળવાથી ડરતો નથી. દુશ્મન ફસાઈ જાય છે અને બચવાનો કોઈ માર્ગ દેખાતો નથી ત્યારે તે મરણિયો થઈને તલવાર ઉઠાવે છે. મનુષ્ય જીવનથી નિરાશ થઈ જાય છે ત્યારે તે ગુસ્સામાં આવીને બકવાસ કરવા લાગે છે. જ્યારે બિલાડી કૂતરાંના મોંમાં ફસાઈ જાય છે ત્યારે તેની પકડમાંથી છૂટવા એકદમ ઝપટ મારે છે.

બાદશાહે પૂછ્યું, ''આ કેદી શું કહી રહ્યો છે?''

એક શાણા વજીરે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ''હુજૂર, કેદી કહે છે કે-આ લોકો કેટલા સારા છે. તેઓ ક્રોધને સંયમમાં રાખે છે અને બીજાની ભૂલોને માફ કરી દે છે.'' આ સાંભળીને બાદશાહને કેદી પર દયા આવી ગઈ. તેણે મૃત્યુદંડ આપવાનો ઇરાદો બદલી નાંખ્યો. પણ એક બીજો વજીર બહુ ઇર્ષાળુ હતો. તેને પહેલો વજીર આંખમાં કણાની માફક ખૂંચતો હતો.

તેણે તરત જ ઊભા થઈને બાદશાહને કહ્યું, ''હુજૂર, તમને યોગ્ય સલાહ આપવાની અને સાચી વાત સ્પષ્ટપણે કહેવાની અમારી ફરજ છે. આ કેદીએ જહાંપનાહને ગાળો દીધી છે અને ન કહેવા જેવું કહ્યું છે, એટલે તેને માફ ન કરી શકાય.''

બાદશાહને બીજા વજીરની વાત ગમી નહીં. તેને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, ''મને તે વજીરની વાત જ યોગ્ય લાગે છે. તેનું જૂઠ તારા આ સત્ય કરતાં પણ વધારે સારું છે, કારણ કે તેના હ્રદયમાં ભલું કરવાની ભાવના છે.''

કોઈ વિદ્વાને સાચું જ કહ્યું છે કે બીજાનું અહિત કરનાર સત્ય કરતાં કોઈના પ્રાણ બચી જાય તેવું અસત્ય અનેકગણું સારું છે. બાદશાહ તેના વજીરની સલાહ પ્રમાણે શાસન કરે તો વજીરે પણ પ્રજાના હિતમાં હોય તેવી સલાહ જ આપવી જોઈએ.

(દોસ્તો, ગૉડફાધરનો અનુવાદ ચાલુ રાખવાની ઇચ્છા હતી. પણ એક પ્રકાશક મહોદયના કહેવા મુજબ તેઓ આ પુસ્તકનો અનુવાદ એક સિદ્ધહસ્ત અનુવાદક પાસે કરાવી રહ્યાં છે. તેમની વિનંતીને માન આપીને આ અનુવાદને આપણે અટકાવી રહ્યાં છીએ. પણ કોપીરાઇટના મુદ્દે કોઈ તકરાર ન થાય તે માટે શેખ સાદીની વિશ્વપ્રસિદ્ધ કૃતિ 'ગુલિસ્તાં'નો અનુવાદ શરૂ કરી રહ્યો છું. આ કૃતિના કોપીરાઈટ પૂર્ણ થઈ ગયા છે અને તેનો અનુવાદ કરતાં કોઈ અટકાવી નહીં શકે...ગૉડફાધરના અનુવાદને પ્રોત્સાહન આપનાર તમામ મિત્રો અને બ્લોગના મુલાકાતીઓનો ઋણી છું.......)

નાપાક પાકિસ્તાન સાથે વાટાઘાટનો શું ફાયદો!


અમારા સુરેન્દ્રનગરમાં કોઈ ગ્રાહક ઘર ખરીદવા જાય તો વેચનારને તરત જ પૂછે છે કે, ભઈલા, પડોશી પાકિસ્તાન જેવા તો નથી ને? પડોશીના ત્રાસને કારણે તો ઘર વેચતો નથી ને? પડોશી નફરતની ભાષા જ સમજતો હોય તો? પહેલા તો આ પ્રકારના લોકોને પડોશી જ ન બનાવવા, પણ એવા પડોશી ભટકાઈ જાય તો...લાતો કે બૂત બાતો સે નહીં માનતે...પાકિસ્તાન પ્રેમ અને સહિષ્ણુતાની ભાષાને વેવલાપણું સમજે છે. તેની સામે ખરેખર લાલ આંખ કરવાની જરૂર છે ત્યારે ભારત સરકાર તેની સામે વારંવાર શાંતિના સંદેશા આપતાં કબૂતરો છોડી રહ્યું છે. અત્યારે પાકિસ્તાન સાથે વિદેશ સચિવ સ્તરીય વાતચીત કરવા માટે ભારત ફરી ઉત્સાહ અને ઉદારતા દેખાડી રહ્યું છે, પણ તેનાથી કોઈ ફાયદો થશે? આ વાટાઘાટના સમર્થકોનું કહેવું છે કે બંને દેશ વચ્ચે વૈમનસ્ય ઓછું થાય તે માટે વાતચીત ચાલુ રહેવી જોઈએ. આવા શાંતિકાકાઓને પૂછવું જોઈએ કે જે વાતચીતનું કોઈ પરિણામ જ મળવાનું ન હોય તેની પાછળ સમય બગાડીને શું ફાયદો?

પાકિસ્તાનની નાપાક નજર કાશ્મીર પર છે. તે આતંકવાદી સંગઠનો મારફતે ભારતને નુકસાન પહોંચાડવાની નીતિ છોડવા તૈયાર નથી. પૂણે વિસ્ફોટ તેનું તાજું ઉદાહરણ છે. આ સ્થિતિમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી તેની સાથે વાતચીત ન કરવી વધુ સારો વિકલ્પ છે. પાકિસ્તાન આતંકવાદ ન છોડે ત્યાં સુધી તેની સાથે ભારતે વાતચીત ન કરવી જોઈએ. પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબા અને જમાત-ઉદ્-દાવા જેવા જંગલી આતંકવાદી સંગઠનો સક્રિય છે અને તેમને પાકિસ્તાનનું સૈન્ય જ બધી સુવિધાઓ તથા સાધનસામગ્રી પૂરી પાડે છે. જ્યારે પાકિસ્તાનના આ ભારતવિરોધી વલણમાં કોઈ પરિવર્તન નથી તો પછી ભારતને વાટાઘાટ કરવાની શું જરૂર છે? ખાસ કરીને પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરૈશી છાતી ઠોકીને એવું કહે છે કે અમે વાતચીત માટે ઝૂક્યાં નથી, ભારતને નમવું પડ્યું છે ત્યારે ભારત સરકાર ખરેખર કોને ખુશ કરવા માગે છે? અમેરિકાને રાજી કરવા માગે છે કે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આ રાજ્યોમાં વસતાં મુસ્લિમોના દિલ જીતવા માગે છે?

કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે રાષ્ટ્ર વચ્ચે સદભાવના, પ્રામાણિકતા અને નિખાલસતા સાથે વાતચીત થાય તો જ તે સાર્થક સાબિત થાય. વાટાઘાટ સફળ થાય તે માટે બંને પક્ષમાં એકબીજાના તર્ક અને દલીલનો સ્વીકાર કરવાની ઉદારતા હોવી જોઈએ. ભારત, પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવા માગે છે તો ભારત સાથે મીઠા સંબંધ રાખવાની જરૂરિયાત પાકિસ્તાનને નથી? વાટાઘાટોમાં સમય બગાડવામાં અને પાકિસ્તાન જેનું પાલન કરવાનું નથી તેવી સમજૂતીઓ કરવાથી શું મળશે?

પાકિસ્તાને વર્ષ 2004માં સ્વીકાર્યું હતું કે આતંકવાદ અને વાટાઘાટ એકસાથે શક્ય નથી. તેણે 2005માં પણ આતંકવાદને નિયંત્રણમાં લેવાનું વચન આપ્યું હતું. આજે પાંચ વર્ષ પછી આ દિશામાં તેણે શું કરી દેખાડ્યું? હા, મુંબઈ પર આતંકવાદી હુમલો જરૂર કરાવ્યો છે અને ભારતે પુરાવા આપ્યાં હોવા છતાં કોઈ અપરાધીને સજા કરી નથી. ભારત, અમેરિકાને ખુશ કરવા માટે વાતચીત કરવા માગતું હોય તો પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ તેનો કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે પાકિસ્તાનને દોસ્તી નહીં, કાશ્મીરમાં રસ છે. તેણે ભારત સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માગતુ નથી, પણ ભારતની અધોગતિ ઇચ્છે છે. ભારત સાથે સમજૂતી કરીને પણ તેના નાપાક સરમુખત્યારો કારગિલ કાંડ કરે છે. આ પ્રકારની સ્થિતિમાં પાકિસ્તાન જેવા નિર્લજ્જ પડોશી સાથે વાત કરીને ભારત શું સાબિત કરવા માગે છે?

પાકિસ્તાન સાથે વાટાઘાટ ન કરી ભારતને વધુમાં વધુ નુકસાન શું થશે? બંને દેશ વચ્ચે ચાલતી રેલવે અને બસ સેવા બંધ થઈ જશે. હકીકતમાં આપણને તેનો ફાયદો પણ શું થાય છે? ખરેખર તો નુકસાન થઈ રહ્યું છે. પાકિસ્તાનથી આવતા અનેક લોકો ભારત પહોંચીને ગાયબ થઈ જાય છે અને આતંકવાદ ફેલાવે છે. ઘણી વાર પાકિસ્તાનથી આવતા લોકો નકલી ભારતીય નોટ સાથે પણ પકડાયા છે. પાકિસ્તાનમાં ચાર નાપાક તત્વો અત્યંત મજબૂત છે-સેના, આઇએસઆઈ, કટ્ટરપંથી મુલ્લા-મૌલવીઓ અને જંગલી આતંકવાદીઓ. આ ચાર તત્વો ગમે ત્યારે લોકશાહી પર હાવી થઈ જાય છે. એટલે આ ચારે નાપાક તત્વો ભારતવિરોધી પ્રવૃત્તિઓ બંધ ન કરે ત્યાં સુધી નાપાક પાકિસ્તાન પાસેથી સારા પડોશી જેવા વલણની આશા રાખવી બેકાર છે અને તેની સાથે વાટાઘાટ કરવાનો તો કોઈ અર્થ જ નથી.....

Sunday, February 21, 2010

જનહિતની અરજીનો પહેલો કિસ્સોઃ હુસૈન આરા ખાતૂનનો ઐતિહાસિક કેસ


વાત વર્ષ 1979ની છે. તે વર્ષે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારમાં બિહારની જેલોમાં બંદ કાચા કામના કેદીઓ એટલે કે જેમની સામે કેસ ચાલી રહ્યો હોય તેવા કેદીઓના સમાચારો પ્રકાશિત થઈ રહ્યાં હતાં. આ કેદીઓ ઘણાં વર્ષોથી અમાનવીય પરિસ્થિતિઓમાં જેલના સળિયા ગણી રહ્યાં હતાં. તેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતાં. આ કેદીઓ પર જે આરોપો હતા તે અનુસાર કાયદેસર તેમને જે સજા મળે તેના કરતાં પણ વધારે સમય તે લોકોએ જેલમાં પસાર કર્યો હતો. આ જાણકારી પ્રાપ્ત થતાં એક અનુભવી વકીલ પુષ્પા કમલ હિંગોરાનીનું લોહી ઊકળી ઊઠ્યું.

તેમણે એક સ્ત્રી હુસૈન આરા ખાતૂન વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેમણે દલીલ કરી કે કેદી પર લગાવવામાં આવેલો આરોપ પુરવાર થયો નથી છતાં તેણે તે અપરાધની મહત્તમ સજા ભોગવી લીધી છે. પણ આ ગરીબ કેદી વકીલને ફી ચૂકવી શકે તેમ ન હોવાથી તેના વતી કોઈ રજૂઆત થઈ શકી નથી અને હજુ તે જેલના સળિયા પાછળ સડી રહી છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ પી એન ભગવતીની ખંડપીઠ આ કિસ્સો સાંભળી ચોંકી ઊઠી. તેણે આ મામલો ગંભીરતાથી લીધો અને પુરાવાની ચકાસણી કર્યાં પછી બિહારની હુસૈન આરા સહિત વર્ષોથી જેલમાં બંધ કાચા કામના કેદીઓને છોડી દેવાનો આદેશ આપ્યો.

આ ચુકાદો માત્ર બિહાર રાજ્ય પૂરતો મર્યાદિત નહોતો, પણ તેના પગલે સમગ્ર ભારતમાં વર્ષોથી બંધ અંદાજે 40,000 કેદીઓને છૂટકારો મળ્યો. આ આદેશ દેશના ન્યાયિક ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયો અને ભારતમાં જનહિત અરજી એટલે કે પીઆઇએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)ની સફર શરૂ થઈ. હિંગોરાની દ્વારા દાખલ થયેલા આ અરજી દેશમાં પહેલી જનહિતની અરજી હતી. જનહિતની અરજીની જોગવાઈ ભારતીય બંધારણ કે કાયદામાં સામેલ નથી, પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાખ્યાયિત બંધારણીય વ્યાખ્યાનું પરિણામ છે. જનહિતની અરજીમાં જરૂરી નથી કે પીડિત પક્ષ પોતે ફરિયાદ કરે. આ અરજી સામાન્ય નાગરિક કે અદાલત પોતે પણ પીડિત પક્ષને ન્યાય મળે તે માટે દાખલ કરી શકે છે.

હુસૈન આરા કેસ બીજા કારણસર પણ ઐતિહાસિક છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતી વેળાએ જણાવ્યું છે કે તમામ કદીઓને કાયદાકીય સહાયતા પૂરી પાડવી સરકારની ફરજ છે (તેનું પ્રસિદ્ધ ઉદાહરણ આતંકવાદી કસાબનો કેસ છે, જેમાં ભારત સરકારે તેને વકીલ પૂરો પાડ્યો છે) અને અપરાધિક કેસોમાં કેદી પોતાના કેસની તરત જ સુનાવણી કરવાની અપીલ કરી શકે છે. આ કેસ પછી જનહિત અરજીઓનું મહત્વ સમજી સુપ્રીમ કોર્ટે 1980માં તેની સાથે સંબંધિત એક અલગ વિભાગ બનાવ્યો....

હિંદુસ્તાન તળિયે મજબૂત છે...


સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇંદ્રિયોને વશમાં રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ 'સુ' એટલે સારો ધારો છે. તેથી જે વિરૂદ્ધ તે કુધારો છે.

હિંદુસ્તાને જે માર્ગ દેખાડ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. જે બીજ આપણા વડવાઓએ રોપ્યાં છે તેની બરોબરી કોઈ કરી શકે તેવું કંઈ જોવામાં આવ્યું નથી. રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરયાની (ઇજિપ્તની) બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું, ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.

જે રોમ અને ગ્રીસ પડ્યાં છે તેનાં પુસ્તકોમાંથી યુરોપના લોકો શીખે છે. તેઓની ભૂલો પોતે નહીં કરે એવું ગુમાન કરે છે. આવી તેઓની કંગાલ સ્થિતિ છે, ત્યારે હિંદુ અચલિત છે. એ જ તેનું ભૂષણ છે. હિંદની સામે આરોપ છે તે એવું જંગલી, એવું અજ્ઞાન છે કે તેની પાસે કંઈ ફેરફાર કરાવી શકાતા જ નથી. આ આરોપ એ આપણો ગુણ છે, દોષ નથી. ઘણા અક્કલ દેનારા આવજા કર્યા કરે છે, ત્યારે હિંદ અડગ રહે છે. આ તેની ખૂબી છે, આ તેનું લંગર છે.

હજારો વરસ પહેલાં જે હળ હતું તેથી આપણે ચલાવ્યું. હજારો વરસ પહેલાં જેવાં આપણાં ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં. હજારો વરસ પહેલાં જેવી આપણી કેળવણી હતી તે ચાલતી આવી. આપણને કંઈ સંચા શોધતાં ન આવડે તેમ ન હતું. પણ આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.

તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો. તેઓએ જોયું કે રાજાઓ અને તેઓની તલવાર કરતાં નીતિબળ વધારે બળવાન છે. તેથી તેઓએ રાજાને નીતિવાન પુરુષો-ઋષિઓ અને ફકીરો-કરતાં ઊતરતા ગણ્યા.

આવું જ પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવા લાયક નથી.

ગાંધીગંગાઃ પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિંદુનો સુધારો સેશ્વરી છે

Wednesday, February 17, 2010

ઇસ્પિતાલો એ પાપની જડ છે......


પશ્ચિમના સુધારકોએ વકીલ-દાક્તતરોને બહુ વખોડ્યા છે. તેમાંના એક લેખકે એક ઝેરી ઝાડ બનાવ્યું છે. તેની ડાળ વકીલ-દાક્તર વગેરે નકામા ધંધાદારીઓની કરી છે અને તે ઝાડના થડની ઉપર નીતિધર્મ રૂપ કુહાડી ઉગામી છે. અનીતિ તે બધા ધંધાનું મૂળ રૂપ છે. એટલે તમે સમજશો કે, હું તમારી આગળ મારી ખીસામાંથી કાઢેલા નવા વિચાર નથી મૂકતો, પણ બીજાનો તેમ જ મારો અનુભવ રજૂ કરું છું.

એક વખત મેં પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલો અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. પણ આપણામાં વૈદ્યનો ધંધો સારા ધંધામાં ગણાયો જ નથી, એનું મને ભાન થયું છે, ને હું તે વિચારની કિંમતને પારખી શકું છું.

દાક્તરોના દંભનો પણ કોઈ પાર નથી. મોગલ બાદશાહને ભમાવનાર તે અંગ્રેજી તબીબ હતો. તેણે તેના ઘરમાં કંઈ માંદગી મટાડી એટલે તેને સિરપાવ મળ્યો. ખરેખર દાક્તરે આપણને હલમલાવી નાખ્યા છે. દાક્તરો કરતાં ઊંટવૈદ્ય ભલા એમ કહેવાનું મન થઈ જાય છે. આપણી વિચારીએ.

દાક્તરોનું કામ માત્ર શરીર સંભાળવાનું છે. તેઓનું કામ શરીરમાં રોગ થાય તે દૂર કરવાનું છે. રોગ કેમ થાય છે?

આપણી જ ગફલતથી. હું બહુ જમું, મને અજીર્ણ થાય, હું દાક્તર પાસે જાઉં, તે ગોળી આપે. હું સાજો થાઉં, પાછો ખૂબ ખાઉં ને પાછો ગોળી લઉં. જો હું ગોળી ન લેત, તો અજીર્ણની સજા ભોગવત અને ફરી પાછો હદ ઉપરાંત ન જમત. દાક્તર વચમાં આવ્યો ને તેણે મને હદ ઉપરાંત ખાવામાં મદદ કરી. તેથી મને શરીરે તો આરામ તો થયો, પણ મારું મન નબળું થયું. આમ ચાલતાં છેવટે મારી સ્થિતિ એવી થાય કે મારા મનની ઉપર હું જરાય કાબૂ ન રાખી શકું. જો દાક્તર વચ્ચે ન આવત તો કુદરત પોતાનું કામ કરત, મારું મન દ્રઢ થાત અને હું અંતે નિર્વિષયી થઈ સુખી થાત.

ઇસ્પિતાલો એ પાપની જડ છે. તેનાથી માણસો શરીરનું જતન ઓછું કરે છે અને અનીતિ વધારે કરે છે. દાક્તરો આપણને ધર્મભ્રષ્ટ કરે છે. તેઓની ઘણીખરી દવામાં ચરબી અથવા દારૂ હોય છે. આ બંનેમાંથી એક પણ વસ્તુ હિંદુ-મુસલમાનને ખપે તેવી નથી. આપણે સુધારાનો ડોળ કરી, બધાઓને વહેમી ગણી સ્વચ્છંદે ગમે તેમ કર્યા કરીએ તે જુદી વાત છે. પણ દાક્તરો ઉપર પ્રમાણે કરે છે એ ચોખ્ખી ને સીધા વાત છે.

આનું પરિણામ એ આવ્યું કે આપણે નમાલા અને નામર્દ બનીએ છીએ. આપણે શરીરહીન અને બુદ્ધિહીન થતા જઈએ છીએ. અંગ્રેજી કે યુરોપી દાક્તરી શીખવી તે માત્ર ગુલામીની ગાંઠ મજબૂત કરવાને ખાતર છે.

આપણે દાક્તર કેમ થઈએ છીએ એ પણ વિચારવાનું છે, તેનું ખરું કારણ તો આબરૂદાર અને પૈસો કમાવવાનો ધંધો કરવાનું છે. તેમાં લોકોને ફાયદા કરતાં કરતાં નુકસાન વધારે છે. દાક્તરો માત્ર આડંબરથી લોકોની પાસેથી મોટી ફી લે છે અને તેઓની દવા જે એક પાઈની કિંમતની હોય છે તેના તેઓ રૂપિયા લે છે.

ગાંધીગંગાઃ ભલાઈનો ડોળ ઘાલનાર દાક્તરો કરતાં દેખીતા ઠગવૈદ્ય સારા ગણાય...

ગૉડફાધર (3)......


પ્રકરણ ત્રણ

બગીચામાં સેંકડો મહેમાન હાજર હતા. કેટલાંક મહેમાનો બેઠાં હતાં તો કેટલાંક નાચી-ઝૂમી રહ્યાં હતાં. ટેબલ પર ગરમાગરમ મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાતી હતી, ઠેરઠેર મદિરાની છોળો ઉડતી હતી. નવવધુ કોની કારલિયોન સ્ટેજ પર તેના પતિ અને સહેલીઓ સાથે બેઠી હતી. ઇટાલિયન રીતરિવાજ પ્રમાણે કાર્યક્રમો એક પછી આગળ વધતાં હતાં, પણ તે કોનીને પસંદ નહોતું. જોકે તેના પિતાને રાજી કરવા ચૂપ રહેવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, કારણ કે પોતાની રીતે જીવનસાથીની પસંદગી કરીને તેને તેના પિતાને નારાજ કર્યાં હતાં.

કોનીનો જીવનસાથી કારલો રીજી, સિસલિયન અને ઇટાલિયન માતા-પિતાનું વર્ણસંકર સંતાન હતું. તેના માતા-પિતા નેવાડામાં રહેતા હતા. તે ત્યાંથી પોલીસના ચક્કરમાંથી બચવા ન્યૂયોર્ક ભાગી આવ્યો હતો. તે પહેલાં સોની કારલિયોન અને પછી તેની બહેનને મળ્યો હતો. ડૉન કારલિયોને પોતાના માણસો નેવાડા મોકલી જાણી લીધું હતું કે કારલો પર એવો કોઈ ગંભીર આરોપ નહોતો જેને ઠેકાણે ન પાડી શકાય. સાથેસાથે નેવાડામાં જુગારને કાયદેસર મંજૂરી છે તે વાત પણ તેને જાણવા મળી હતી. ડૉનને તે વાતમાં બહુ રસ હતો. દરેક બાબતમાંથી ફાયદો કેવી રીતે ઉઠાવવો તેની સૂઝ તેનો સૌથી વિશેષ્ટ અને સૌથી મોટો ગુણ હતો.

કોની કારલિયોન બહુ સુંદર યુવતી નહોતી, પણ આજે તે નવવધુના ભપકાદાર પોશાકમાં સુંદર દેખાતી હતી. તેનો હાથ ટેબલની નીચે તેના વરની જાંઘ પર હતો. તેની નજરે તેનો પતિ અત્યંત સુંદર હતો. પણ કારલોની નજર તેની પત્નીના ચહેરાને બદલે તેના ખભા પર લટકતાં મોટા પર્સ પર હતી, જે મહેમાનોએ ભેટ સ્વરૂપે આપેલી નોટોથી ઠસોઠસ ભરાયેલુ્ં હતું.

કેટલો માલ હશે?

દસ હજાર! વીસ હજાર!

કારલો રીજી હસ્યો.

આ તો શરૂઆત હતી. છેવટે તેણે શાહી પરિવારમાં લગ્ન કર્યા હતાં. તેમને તેનો ખ્યાલ તો રાખવો જ પડશે.

મહેમાનોની ભીડમાં એક નવયુવાન હાજર હતો, જેનું ધ્યાન તે પર્સ પર હતું અને તેના પર કેવી રીતે હાથ મારવો તે વિચારી રહ્યો હતો. તેનું નામ પાલી ગેટો હતો. પણ તે સારી રીતે જાણતો હતો કે આવો પ્રયાસ તો શું, એવું વિચારવું પણ બેકાર હતું. પછી તેણે તેના બૉસ પીટર ક્લીમેન્જા તરફ જોયું. ક્લીમેન્ડા આધેડ હતો, પણ હજુ તે રંગીન અને શોખીન હતો. તે યુવતીઓ સાથે નાચી-ઝૂમી રહ્યો હતો. પીટર એટલો લાંબો પહોળો હતો કે તેની સાથે નાચતી યુવતીઓની છાતીઓ તેના પેટને સ્પર્શતી હતી. તેની આજુબાજુ થોડા લોકો એકઠા થયા હતા, જે સંગીત અને નૃત્યના તાલ પર તાળીઓ વગાડતાં હતાં. અંતે ક્લીમેન્જા થાકીને એક ખુરશી પર બેસી ગયો તો પાલી ગેટોએ ઠંડી મદિરાનો એક ગ્લાસ લાવીને તેના હાથમાં પકડાવી દીધો. પણ તેનો આભાર માનવાને બદલે ક્લીમેન્જા તેના પર ગુસ્સો થયો.

''આ કામ છોડ,'' તે બોલ્યો, ''આજુબાજુ આંટો માર અને જો કે બધું બરોબર છે કે નહીં!''

''સારું,'' પાલી બોલ્યો અને ભીડમાં ઓગળી ગયો.

બેન્ડ બંધ થઈ ગયું. નીનો વોલેન્તી નામના એક યુવાને મૈંડોલિન વગાડ્યું અને તેની ધૂન પર ગીત ગાવાનું શરૂ કર્યુ. નીનો નશામાં હતો. સ્ત્રીઓ આનંદથી ઝૂમતી હતી અને પુરુષો ગીતના ગાયક સાથે ગાવાનો પ્રયાસ કરતાં હતાં.

તે સમયે ડૉન કારલિયોન ચૂપચાપ ત્યાંથી ઘરમાં સરકી ગયો. સોનીએ તેના જતાં જોયો એટલે તે નવવધુના ટેબલ પાસે પહોંચી ગયો અને લૂસી પાસે બેસી ગયો. તે સમયે સોનીની પત્ની રસોડામાં હતી. તેણે લૂસીના કાનમાં કંઈક કહ્યું અને તે ઊભી થઈ ગઈ. તે આગળ વધી. થોડા સમય પછી સોની પણ તેની પાછળ ઉતાવળપૂર્વક ચાલવા લાગ્યો......

(પ્રકરણ-3 ચાલુ)

Saturday, February 13, 2010

ગૉડફાધર (2).....


પ્રકરણ 2

ઓગસ્ટ, 1945ના છેલ્લા અઠવાડિયામાં મિસ કોન્સટેન્જિયા કારલિયોનના લગ્નનું આમંત્રણ તે લોકો અને અન્ય અનેક લોકોને મળી ગયું હતું. નવવધુનો પિતા ડૉન વીટો કારલિયોન પોતાના મિત્રો અને પડોશીઓને ભૂલ્યો નહોતો. જોકે તે પોતે અત્યારે લોંગ આઇલેન્ડ પર એક આલીશાન ઘરમાં રહેતો હતો. તેમાં જ રિસેપ્શન યોજાયું હતું અને તે આખો દિવસ ચાલવાનું હતું. જાપાન સાથેની લડાઈ પૂરી થઈ ગઈ હતી એટલે આનંદ-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવા માટે વધુ મોજીલું વાતાવરણ હતું.

તે શનિવારે ડૉન કારલિયોનના દરબારમાં હાજરી પુરાવા તેના મિત્રો ન્યૂયોર્ક શહેરથી આવવા લાગ્યા. દરેક મહેમાન નવવધુ માટે એક યા બીજી ભેટ લાવ્યા હતા, જે એ વાતનું પ્રતિક હતી કે તે લોકો ગૉડફાધર પ્રત્યે કેટલું માન ધરાવે છે, તેઓ ડૉન પ્રત્યે કેટલા સમર્પિત છે.

ડૉન વીટો કારલિયોનની મદદ મેળવવા તમામ પ્રકારના લોકો આવતાં હતાં અને કોઈને ક્યારેય નિરાશા થવું પડતું નહોતું. તે પોકળ વચનો આપતો નહોતો કે પોતે બહુ વ્યસ્ત હોવાનો ડોળ કરતો નહોતો. તમારે તેની મદદ લેવી હોય તો તે તમારો મિત્ર છે કે નહીં તે જરૂરી નહોતું કે તમે તેના અહેસાનોનો બદલો ચૂકવી શકો તેવી સ્થિતિમાં છો કે નહીં તે વાત પણ મહત્વપૂર્ણ નહોતી. બસ, તમે તેના પ્રત્યે અતૂટ મિત્રતાની જાહેરાત કરો, તેને સંપૂર્ણ વફાદાર થઈ જાવ. પછી મહેમાન ગમે તેટલો ગરીબ અને નિઃસહાય કેમ ન હોય, ડૉન કારલિયોન તેની મુસીબત પોતાના માથે લઈ લેતો. તે એ માણસની સમસ્યાના સમાધાન આડે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવા દેતો નહોતો.

તે દિવસે, પોતાની પુત્રીના લગ્નના દિવસે, ડૉન કારલિયોન લોંગ આઇલેન્ડ પર સ્થિત મકાનના દરવાજે મહેમાનોનું સ્વાગત કરવા ઊભો હતો. તેમાંથી અનેક મહેમાનો પોતાની વર્તમાન સુખસાહેબી માટે ડૉન વીટો કારલિયોનના અહેસાનમંદ હતા અને તે પ્રસંગે ડૉનને 'ગૉડફાધર' કહેવાની છૂટ લઈ રહ્યાં હતાં. બારટેન્ડર તેનો જૂનો સાથીદાર હતો, જેની મદિરા અને સેવાઓ દરેક મહેમાનો માટે ઉપલબ્ધ હતી અને આ જ તેની નવવધુને ભેટ હતી.

ડૉન કારલિયોન દરેક મહેમાનોનું સ્વાગત કરતો હતો. પૈસાદાર કે ગરીબ, શક્તિશાળી કે સામાન્ય માણસ, તેના મનમાં દરેક મહેમાન માટે એકસમાન પ્રેમ હતો. તે કોઈને નાનપ અનુભવવા દેતો નહોતો અને તે જ તેની વિશેષતા હતા.

તેના ત્રણ પુત્રોમાં બે પુત્ર તેની સાથે દરવાજા પર ઊભા હતા. મોટા પુત્રનું નામ સાનતીનો હતું, પણ તેના પિતા સિવાય બધા તેને સોનીના હુલામણા નામે બોલાવતા હતા. સોની ઘાટા વાળવાળો છ ફૂટ લાંબો નવયુવાન હતો. તેનો ચહેરો કામદેવ જેવો સુંદર હતો. તે બળદ જેવો શક્તિશાળી હતો અને કુદરતે તેને બળદ જેવા એક અંગની ભેટ પણ ધરી હતી તે વાત બધા જાણતા હતા. તેના કારણે જ તેની પત્નીને તેની સાથે સહશયન કરવામાં ડર લાગતો હતો. એવું કહેવાતું હતું કે કિશોરાવસ્થામાં તે કોઈ વેશ્યાલયમાં જતો ત્યારે ત્યાંની સૌથી વધારે અનુભવી વેશ્યા પણ તેનું અંગ-ઉપાંગ જોયા પછી તરત જ બમણો ભાવ માગતી હતી.

આજે પણ અનેક સ્ત્રીઓ આશાસ્પદ અરમાનો સાથે સોનીને જોઈ રહી હતી. પણ તે વિશિષ્ટ દિવસે તે તેમનો સમય જ વેડફતી હતી. સોની કારલિયોન પોતાની પત્ની અને ત્રણ બાળકોની હાજરીમાં પણ નવવધુની સહેલી લ્યુસી મેનસિનીને શિકાર બનાવવા એક યા બીજી રીતે તેની આગળપાછળ ફરતો હતો. લ્યુસી પણ સોનીના ઇરાદા સારી રીતે જાણી ગઈ હતી. તે જાણીતી હતી કે સોનીનું હ્રદય પણ તેના જગપ્રસિદ્ધ અંગ-ઉપાંગ જેટલું જ મોટું છે. પણ તેનું હ્રદય તેના પિતા જેટલું નરમ નહોતું. તેનો સ્વભાવ ઉગ્ર હતો અને આ અવગુણને કારણે જ અનેક વખત ઉતાવળિયા નિર્ણય કરતો હતો. તે તેના પિતાના કામકાજમાં રસ દાખવતો હતો, પણ તેનામાં તેના પિતાના વારસદાર બનવાની ક્ષમતા છે કે નહીં તે વિશે અનેક લોકોને શંકા હતી.

બીજો પુત્ર ફ્રેડરિકો, જેનું હુલામણું નામ ફ્રેડ કે ફ્રેડો હતું, કહ્યાગરો અને પ્રામાણિક યુવાન હતો. દરેક ઇટાલિયન પોતાને ત્યાં ફ્રેડો જેવા પુત્ર માટે ઇશ્વરને પ્રાર્થના કરતાં હતાં. તે તેના મોટા ભાઈ જેટલો સુંદર અને આકર્ષક નહોતો, પણ તેનામાં અન્ય તમામ પારિવારિક ગુણ હતા. તે તેના પિતાનો જમણો હાથ હતો, ક્યારેય તેમની સાથે વાદવિવાદ કરતો નહોતો, ક્યારેય કૌભાંડનું સ્વરૂપ ધારણ થઈ શકે તેવા કોઈ કામ કરતો નહોતો. આ તમામ ગુણો હોવા છતાં અંડરવર્લ્ડની દુનિયાને ચલાવવા જરૂરી હ્રદય તેની પાસે નહોતું, જે ઠંડા કલેજે ક્રૂર નિર્ણયો લઈ શકે. તેની પાસે નેતૃત્વ માટે જરૂરી માટે જરૂરી ગુણો નહોતા એટલે તેના પિતાના વારસદાર બની શકે તેવી અપેક્ષા તેની પાસે પણ કોઈ રાખતું નહોતું.

ત્રીજો પુત્ર માઇકલ કારલિયોન પિતા અને ભાઈઓ સાથે ઊભો નહોતો. તે બગીચાના એક ખૂણામાં એક અલાયદી બેન્ચ પર બેઠો હતો. પણ ત્યાં પણ તેના પારિવારિક મિત્રોએ તેનો પીછો છોડ્યો નહોતો.

માઇકલ ડૉનનો સૌથી નાનો પુત્ર હતો અને એકમાત્ર વ્યક્તિ હતો જેણે ડૉનના પ્રસ્થાપિત માર્ગે ચાલવાનો ઇનકાર કરવાની હિમ્મત દાખવી હતી. તે સુંદર હતો, પણ તેની સુંદરતામાં યુવતીઓ જેવી કોમળતા હતી. એક વખત તો ડૉનને પોતાના આ નાના પુત્રની મર્દાનગી પર જ શંકા જાગી હતી. જોકે માઇકલ 17 વર્ષનો થતાં જ તે શંકા ખોટી સાબિત થઈ હતી.

હવે તે સૌથી નાનો પુત્ર પોતાના પરિવારથી અજાણ બનવા એક અલાયદી બેન્ચ પર બેઠો હતો. તેની પાસે તે અમેરિકન યુવતી બેઠી હતી, જેના વિશે બધાએ સાંભળ્યું હતું પણ આજે પહેલી વખત જોઈ હતી. આજે માઇકલે તેની ઓળખાણ બધા સાથે કરાવી હતી. કોઈ તેનાથી પ્રભાવિત થયું નહોતું. લોકોની નજરોમાં તે છોકરી બહુ પાતળી, વધારે પડતી રૂપાળી, યુવતીઓમાં જેટલી સમજણ હોવી જોઈએ તેના કરતાં વધારે સમજદાર અને તેના હાવભાવ કોઈ કુંવારી કન્યા કરતાં વધારે પડતાં સ્વતંત્ર હતા. તેનું નામ પણ લોકોના કાનને ખૂંચે તેવું હતું-કે એડમ્સ.

દરેક મહેમાને જોયું હતું કે ડૉન પોતાના ત્રીજા પુત્ર પ્રત્યે કોઈ વિશેષ ધ્યાન આપતો નહોતો. લડાઈ પહેલા માઇકલ તેમનો સૌથી પ્રિય પુત્ર હતો અને ડૉનના વારસદાર તરીકે તેની પસંદગી થઈ ગઈ હતી. ડૉને તેના દાદામાં જોયા હતા તે તમામ ગુણ માઇકલમાં હતા. પણ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તે તેના પિતાના આદેશની અવગણના કરી લશ્કરમાં ભરતી થઈ ગયો.

એક પારકી સરકાર માટે પોતાનો પુત્ર યુદ્ધમાં શહીદ થઈ જાય તેવું ડૉન ઇચ્છતો નહોતો. માઇકલ લશ્કરમાં ન જોડાઈ શકે તે માટે તેણે પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો, પણ તે પરિપક્વ હોવાથી પિતાની ઇચ્છા વિરૂદ્ધ લશ્કરમાં જોડાઈ જતાં તેને કોઈ રોકી ન શક્યું. તે યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડ્યો અને ઘણા મેડલ મેળવ્યાં. લશ્કરમાં કેપ્ટન પદ સુધી પહોંચ્યો. તેની બહાદુરીના કિસ્સા લાઈફ સામાયિકમાં પણ પ્રકાશિત થયા. મિત્રોએ તેને ડૉનને દેખાડ્યાં, જેણે જવાબમાં માત્ર એટલું જ કહ્યું, ''આટલી બધી બહાદુરી તેણે પારકી સરકાર અને પારકા લોકો માટે કર્યા.''

માઇકલ કારલિયોન 1945માં લશ્કરમાંથી નિવૃત્ત થયો ત્યારે તેને તો જાણ જ નહોતી કે તેને વહેલી નિવૃત્તિ અપાવવામાં પણ તેના પિતાનો હાથ છે. તે થોડા અઠવાડિયા ઘરમાં રહ્યો અને પછી કોઈને પૂછ્યાં વિના હનોવર, હૈમ્પશાયરની ડાર્ટમાઉથ કોલેજમાં ભરતી થઈ ગયો. આ રીતે તેણે એક વખત ફરી તેના પિતાનું ઘર છોડી દીધું. હવે તે તેની બહેનના લગ્નમાં અને તેની ભાવિ પત્નીની ઓળખાણ લોકો સાથે કરાવવા ત્યાં આવ્યો હતો.

માઇકલ મહેમાનો વિશે કે એડમ્સને જણાવી રહ્યો હતો. તે પણ રસપૂર્વક તેને સાંભળતી હતી. છેલ્લે તેની નજર એક નાના જૂથ પર પડી જે ઘરના એક ખૂણે ઊભું હતું. તે હતા અમેરિગો બોનાસેરા, બેકર નાજોરિન, એન્થોની કપોલા અને લ્યુકા બ્રાસી. એડમ્સે જોયું કે તે ચારેય વ્યક્તિ બહુ ખાસ આનંદમાં હોય તેવું લાગતું નહોતું. તેણે આ વાત માઇકલને કરી.

માઇકલ હસતાં-હસતાં બોલ્યો, ''તે ચારેય મારા પિતાને અલાયદાં મળવાની રાહ જોઈ રહ્યાં છે. તેઓ મારા પિતાની મહેરબાની મેળવવા માગે છે.''

તે ચારેયની નજર સતત ડૉન કારલિયોનનો પીછો કરતી હતી.

ત્યારે એક કાળી શેવરોલ સેદાન ત્યાં આવી. તેમાંથી બે માણસ બહાર નીકળ્યાં અને ત્યાં ઊભેલી ગાડીના નંબર નોંધવા લાગ્યા. ડૉને તેમના પર ધ્યાન ન આપ્યું, પણ સોની ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.

તે પોતાના પિતા તરફ ફર્યો અને બોલ્યો, ''તે લોકો ચોક્કસ પોલીસવાળા છે.''

''મને ખબર નથી,'' ડૉન કારલિયોને ઉડાઉ જવાબ આપ્યો અને બોલ્યા, ''આ વિસ્તાર મારા પરમ પૂજ્ય પિતાજીનો નથી. તે લોકો ગમે તે કરી શકે છે.''

સોનીનો કામદેવ જેવા પર ચહેરા પર ક્રોધ ફરી વળ્યો.

''સાલ્લો હરામી!'', તે ગણગણાટ કરતો હોય તેમ ધીમેથી બોલ્યો, ''આને કોઈ વાતનું ભાન જ નથી.''

તે ત્યાંથી નીકળ્યો અને ઘરના દાદરા ઉતરી કાળા રંગની સેદાન ઊભી હતી ત્યાં પહોચી ગયો. તે ગુસ્સામાં ડ્રાઇવરના મોં પાસે મોં લઈ ગયો, પણ ડ્રાઇવર પર તેની કોઈ અસર ન થઈ. તેણે પોતાનું પાકીટ કાઢ્યું અને તેને ખોલી તેમાં લીલા રંગનું આઇડેન્ટિટી કાર્ડ સોનીને દેખાડ્યું.

સોની એક પણ શબ્દ બોલ્યા વિના પાછળ હટ્યો, તે જોરથી સેદાન પર થૂંક્યો અને પાછો ફર્યો. તેને આશા હતી કે ડ્રાઇવર ભડકીને તેની પાછળ પડશે, પણ એવું કંઈ ન થયું. સોની તેના પિતા પાસે પાછો આવ્યો.

''એફબીઆઈના અધિકારીઓ છે,'' તેણે પિતાને જણાવ્યું. ડૉન કારલિયોન તે વાત અગાઉથી જાણતા હતા, પણ સોનીને તેની ખબર નહોતી. આ કારણે જ ડૉને તેના ખાસ અને અંગત મિત્રોને અગાઉથી સાવચેત કરી દીધા હતા અને તેમને પોતાની માલિકીની ન હોય તેવી કારમાં આવવાની સૂચના આપી હતી.

આ કારણે સોનીનું ભડકવું ગેરવાજબી હતું. ત્યાં એફબીઆઈના અધિકારીઓની હાજરીથી તેના કોઈ પણ મહેમાન પર મુસીબત આવવાની નહોતી કે કોઈને નુકસાન થવાનું નહોતું.

ત્યારે ઘરની પાછળ બગીચામાં બેન્ડ વાગ્યો. બધા મહેમાનોનું આગમન થઈ ગયું હતું. ડૉન કારલિયોને ઘૂસણખોરોની વાતની કોઈ પરવા ન કરી અને પોતાના બંને પુત્ર સાથે રિસેપ્શનમાં ગયા.

(પ્રકરણ ત્રણ ગુરુવારે)

(મિત્રો, આ અનુવાદનો કોઈ વ્યાવસાયિક ઉદ્દેશ નથી. બ્લોગના મિત્રો અને મુલાકાતીઓ માટે અને તેનાથી પણ વિશેષ મારા શોખને સંતોષવા આ અનુવાદ શરૂ કરવામાં આવ્યો છે. તમને ગમે તો સાહિત્યપ્રેમી મિત્રોને આ અંગે જણાવવા અને શક્ય હોય તો ઇ-મેઇલ કરવા વિનંતી. નીચે ઇ-મેઇલનું સંકેત આપ્યો છે, જેના પર ક્લીક કરીને તમે અહીંથી જ તમારા મિત્રોને આ પોસ્ટ ઇ-મેઇલ કરી શકો છો. )

Friday, February 12, 2010

ગૉડફાધર....



પ્રકરણ-1

અમેરિગો બોનાસેરા ન્યૂયોર્કની ત્રણ નંબરની ક્રિમિનલ કોર્ટમાં બેસીને ન્યાય મળવાની રાહ જોતો હતો. તે તેની પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરનાર યુવાનોને જેલના સળિયા પાછળ ધકેલવા માગતો હતો. તેના હ્રદયમાં બદલાની આગ ભભૂકી રહી હતી.

બંને યુવાનો બેન્ચની સામે ઊભા હતા. ન્યાયાધીશ તેમની સામે ધૃણાસ્પદ આંખો સાથે જોઈ રહ્યાં હતાં, પણ બોનાસેનાને તેમની આંખોમાં સચ્ચાઈ ઓછી ને દંભ વધારે દેખાતો હતો.

''તમે બંનેએ જંગલી જાનવર જેવું કૃત્ય કર્યું છે,'' ન્યાયાધીશ બોલ્યો.

હા, હા. બોનાસેનાએ વિચાર્યું-તે બંને જાનવર છે, જાનવર!

બંને યુવાનોનું માથું શરમથી ઝૂકી ગયું.

ન્યાયાધીશ આગળ બોલ્યો, ''ઈશ્વરનો પાડ માનો કે તમે યુવતી પર બળાત્કાર કર્યો નથી, નહીં તો હું તમને બંનેને વીસ-વીસ વર્ષ જેલના સળિયા પાછળ ધકેલી દેત.'' તેણે ખચકાટ સાથે બોનાસેર સામે જોયું અને પછી આગળ બોલ્યો, ''પણ આ તમારો પહેલો ગુનો છે, હજુ તમારા બંનેની ઉંમર નાની છે, તમે બંને સારા પરિવારના સંતાનો છો અને કાયદાનું કામ બદલો લેવાનું નથી, એટલે હું તમને બંનેને ત્રણ વર્ષની સજા ફટકારું છું. પણ આ સજા તમે બીજો કોઈ ગુનો કરશો અને તમને પકડીને ફરી અદાલતમાં હાજર કરવામાં આવશે ત્યારે લાગૂ પડશે.''

બોનાસેરાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેની સુંદર યુવાન પુત્રી તૂટેલા જડબા સાથે હજુ હોસ્પિટલમાં હતી અને આ બંને જાનવરોને છોડી મૂકાયાં હતાં. આ તો કેવો ન્યાય? તેણે યુવાનોના માતાપિતાઓને બહુ પ્રેમથી પોતાના લાડકા પુત્રોને ભેટતાં જોયાં. તેઓ હસી રહ્યાં હતાં.

બોનાસેરા પોતાની કમનસીબી પર કપાળ કૂટતો અદાલતમાં ઊભો હતો. બંને યુવાનો અટ્ટહાસ્ય કરતાં તેની પાસેથી પસાર થયા. પછી તેમના માતાપિતા-બે પુરુષ, બે સ્ત્રી-તેની સામેથી પસાર થઈ ગયા. તેમના ચહેરા પર શરમનો ભાવ હતો, પણ આંખો વિજયના ઉલ્લાસથી ચમકી રહી હતી.

બોનાસેરા પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો. તે તેમની સામે ફરીને રુંધાયેલા અવાજ સાથે જોરથી બોલ્યો, ''જે રીતે હું રડ્યો છું, તે જ રીતે તમે રડશો. તમારા બાળકોએ મને રડાવ્યો છે તેવી જ રીતે હું તમને રડાવીશ.''

તે લોકો તેમના વકીલો સાથે આગળ વધી ગયા. ખબર નહીં, તેમણે બોનાસેરાનો વિલાપ સાંભળ્યો હતો કે નહીં...

અમેરિગો બોનાસેરા ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતો હતો. કાયદા અને વ્યવસ્થામાં તેને અપાર શ્રદ્ધા હતી. પણ હવે તેનું રોમેરોમ બદલાની આગ ભભૂકી ઊઠી હતી. તેને રિવૉલ્વર ખરીદવાનું અને તે બંને જંગલી યુવાનોને શૂટ કરી દેવાનું તેને મન થતું હતું. તે તેની પત્ની તરફ ફર્યો અને બોલ્યો, ''આ લોકોએ તો આપણને મૂર્ખ બનાવ્યા.''

તેણે તરત જ એક નિર્ણય લીધો અને બોલ્યો, ''હવે આપણે ન્યાય મેળવવા ડૉન કારલિયોનની અદાલતમાં ધા નાખવી પડશે.''

* * * * *

જોની ફોન્ટેન લોસ એન્જિલસમાં પોતાની હોટલના એક ઓરડામાં હતાશ પતિની જેમ નશામાં ધૂત થઈને પડ્યો હતો. સવારના ચાર વાગ્યા હતા અને તે તેની દગાબાજ પત્નીનું ખૂન કરવાના ખતરનાક મનસૂબા ઘડવાનો વિચાર કરવા પ્રયાસ કરી રહ્યો હતો. પણ તે પહેલા ઘરે તો આવે. આટલી વહેલી સવારે તે તેની પ્રથમ પત્નીને ફોન કરીને બાળકો વિશે પૂછપરછ કરવા માગતો નહોતો અને તેનું ભવિષ્ય અંધકારમય બનવાની દિશામાં આગળ વધી રહ્યું હતું ત્યારે તે તેના મિત્રોને પણ ફોન કરવા માગતો નહોતો. એક સમયે તે કોઈને સવારે ચાર વાગે ફોન કરતો ત્યારે તેઓ ખુશ થતા હતા, પણ હવે તેઓ જોનીથી કંટાળી ગયા હતા.

તેણે સ્કૉચનો એક વધુ ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો.

તેની પત્ની આવી ગઈ અને તેની સામે આવીને ઊભી રહી. તે અપ્સરા જેવું સુંદર શરીર ધરાવતી હતી. ફિલ્મના પડદે તે વધારે માદક લાગતી હતી. ફિલ્મીરસિકો મારગોટ એશ્ટનને પડદા પર જોવા આતુર રહેતા હતા.

''ક્યાં ગઈ હતી?'' જોનીએ પૂછ્યું.

''કોઈની સાથે રાત રંગીન બનાવવા,'' એશ્ટને જવાબ આપ્યો.

પણ તેણે જોનીના નશાનો ખોટો અંદાજ લગાવ્યો હતો. જોનીએ કોકટેલ ટેબલને એક બાજુ ધક્કો માર્યો અને જોરથી તેનું ગળું પકડી લીધું. પછી મારગોટે હસવાની બીજી ભૂલ કરી. જોનીએ તેના ચહેરા પર જોરથી મુક્કો માર્યો તો તેણે જોરથી રાડ પાડીને કહ્યું, ''જોની, ચહેરા પર નહીં. ફિલ્મની શૂટિંગ ચાલુ છે.''

તે હસતી હતી. જોનીએ તેના પેટમાં મુક્કો માર્યો અને તે ફર્શ પર ઢળી પડી. તે તેની ઉપર પડ્યો. પછી તેણે મારગોટની ધોલાઈ શરૂ કરી. પણ તેના પ્રહારમાં કોઈ દમ નહોતો. તે હસતી હતી. તેના બંને પગ પહોળા થઈ ગયા હતા અને તેનો પોશાક જાંઘની બહુ ઉપર સરકી ગયો હતો. તે હસીને જોનીને ઉશ્કેરતી હોય તેમ બોલી, ''આવ, આવ. તારી તાકાત અજમાવ. તું તે જ ઇચ્છે છે ને!''

જોની ઊભો થઈ ગયો. તેને ફર્શ પર પડેલી સ્ત્રી પ્રત્યે નફરત હતી, પણ તેની અપાર સુંદરતા એક જાદુઈ ઢાલનું કામ કરતી હતી. પછી મારગોટ પણ ઊભી થઈ ગઈ અને બાળકની જેમ નાચવા લાગી. તે બોલી, ''જોની, તું બાળક છે, અક્કલનો કાચો છે. તું એમ માને છે કે જે કઢંગી ગીતો તું ગાય છે તેમાં કોઈ સ્ત્રી સાથે રાત રંગીન કરવા જેવો જ આનંદ મળે. બિચારો જોની. બાય બાય જોની.''

તે તેના બેડરૂમમાં જતી રહી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

જોની ફર્શ પર બેસી ગયો. તેણે તેના બંને હાથમાં તેનો ચહેરો છુપાવી દીધો. પછી તેણે ન્યૂયોર્ક તે માણસ પાસે પાછાં જવાનો નિર્ણય કર્યો, જેની પાસે તેને જરૂર હતી તેવી શક્તિ અને સમજણ બંને હતા.

તે માણસ હતો તેનો ગૉડફાધર કારલિયોન....

* * * * *

બેકર નાજોરિનના શરીર પર લોટ ચોટી ગયો હતો. તેણે તેની પત્ની, તેની પુત્રી કેથરિન અને તેના નોકર એન્જો સામે જોયું. એન્જોએ યુદ્ધબંદીઓનો ડ્રેસ પહેર્યો હતો અને ત્યાંનું વાતાવરણ ભારે હતું. બેકર તેને ગર્વનરના ટાપુ પર પાછું રવાના કરાવી ન દે તેવા ડરથી તે ધ્રુજતો હતો. તે એ હજારો ઇટાલિયન કેદીઓમાંનો એક હતો, જેને દિવસે કોઈ કામધંધો કરવાની મંજૂરી મળી હતી. આ છૂટછાટ તેની પાસેથી છીનવાઈ ન જાય તેવો ડર સતત તેને સતાવતો હતો. તે સમયે ત્યાં એક ગંભીર બાબતે ચર્ચા થઈ રહી હતી.

નાજોરિને ક્રોધિત સ્વરે પૂછ્યું, ''તે મારા ખાનદાનની આબરુ પર કલંક લગાડી દીધું છે? તું મારી છોકરીના પેટમાં કોઈ યાદગાર નિશાની છોડવા માગતો નથી ને? તને ખબર છે ને કે હવે લડાઈ પૂરી થઈ ગઈ છે એટલે અમેરિકાની સરકાર તને લાત મારીને ફરી સિસલી ભેગો કરી દેશે?''

એન્જાએ તેના હ્રદય પર હાથ રાખ્યો અને રડમસ ચહેરે બોલ્યો, ''હું સોગંધ ખાઈને કહું છું કે મેં તમારા ઉપકારોને ગેરલાભ ક્યારેય લીધો નથી. હું તમારી દિકરીને પ્રેમ કરું છું. હું તેની સાથે લગ્ન કરવા માગું છું. હું જાણું છું કે આવો કોઈ હક મારી પાસે નથી. મને ઇટાલી ભેગો કરી દેવામાં આવશે તો હું ક્યારેય અમેરિકા પાછો નહીં ફરી શકું અને હું કેથરિન સાથે ક્યારેય લગ્ન નહીં કરી શકું.''

નાજોરિનની પત્ની ફિલામેનાએ સીધી વાત કરી, ''આ મૂર્ખતા છોડ.'' તેણે પોતાના પતિને કહ્યું, ''એન્જોને અહીં જ રાખો. આને આપણા ભાઈઓ સાથે લોંગ આઇલેન્ડમાં ભેગી કરી દો.''

કેથરિન રડતી હતી. તે સામાન્ય રંગરૂપ ધરાવતી જાડી છોકરી હતી અને નાની મૂંછો પણ તેને ફૂટી હતી. એન્જો જેવો સુંદર પતિ તેને ક્યારેય મળવાનો નહોતો.

''હું ઇટાલીમાં રહીશ,'' તે જોરથી બોલી, ''તમે લોકોએ એન્જોને અહીં ન રાખ્યો તો હું નાસી જઈશ.''

નાજોરિને પોતાની છોકરી સામે જોયું. તેણે કામ દરમિયાન ઘણી વખત પોતાની છોકરીને તેના નિતંબ એન્જોના પાટલૂનના આગળના ભાગે ઘસતી જોઈ હતી. નાજોરિને વિચાર્યું, કોઈ યોગ્ય કદમ ઉઠાવવામાં નહીં આવે તો એન્જો તેની નિશાની છોડી જશે. એન્જોને અમેરિકામાં રાખવો અને તેને અમેરિકાની નાગરિકતા અપાવવી જરૂરી હતું.

અને આવી વ્યવસ્થા કરી શકે તેવો એક જ માણસ હતો.

ગૉડફાધર. ડૉન કારલિયોન.

(મિત્રો, મારિયો પુઝોની પ્રસિદ્ધ નવલકથા ગૉડફાધરનો અનુવાદ મૂકવાની શરૂઆત કરી છે. તેને ચાલુ રાખવો કે નહીં તેના વિશે જરા પણ ખચકાટ વિના અભિપ્રાય આપવા વિનંતી....)

Thursday, February 11, 2010

'माय नेम इज खान' के प्रचारप्रपंच का अंतिम अभियान.....


देखिये, खबरिया चैनलो पर क्या आ रहा है? 'कोंग्रेस के कार्यकर्ता देखेंगे माय नेम इज खान.' और जरा देखिये ये कार्यकर्ता कौन है? कोंग्रेस के मु्स्लिम कार्यकर्ता. वैसे ये प्रपंच भी अपेक्षित था. इस में मुझे तो कोई आश्चर्य नहीं है. ये तो होना ही था. मुस्लिमो को लुभाने के आशय से बनाई गई ये फिल्म कोंग्रेसी कार्यकर्ता अने मुस्लिम बिरादर नहीं देखेंगे तो और कौन देखेगा! हा दोस्तो, 'माय नेम इज खान' फिल्म के निर्माण का आशय सिर्फ और सिर्फ एक ही आशय के साथ हुआ है. कोंग्रेस मुस्लिम मतबैंक को फिर से जीतना चाहती है और शाहरुख और उसकी फिल्म उसका सबसे बडा मोहरा है. क्या आपको याद है इस फिल्म को मुस्लिमो को आकर्षित करने का पहेला प्रपंच कब शरु हुआ था...वो दिन था 15 अगस्त, 2009...

उस दिन शाहरुख ने 'कोंग्रेस का मुस्लिम चहेरा बनने का एक ओर अध्याय' शरु किया था. छह्म धर्मनिरपेक्ष खबरिया चैनल पर एक ब्रेकिंग न्यूज आये थे- 'शाहरुख की अमेरिका एरपोर्ट पर अटकायत', 'खान सरनेम होने की वजह से शाहरुख की तलाशी.' दोस्तो, दरस्सल वो रुटिन चैकिंग था, लेकिन बेचारे अमेरिकन पोलीस अधिकारी शाहरुख के प्रपंच को जानते नहीं थे. 'माय नेम इज खान' के प्रचार प्रपंच की नींव अमेरिका के एरपोर्ट से शरु हुई थी. तब इस फिल्म की पब्लिसिटी का ठेका लेनेवाले मीडिया फिल्म के प्रचार की नींव भारत में डालने के लिये क्या कह रह था? क्या शाहरुख आतंकवादी है? क्या हर मुसलमान आतंकवादी है?

दरस्सल अमेरिका के एरपोर्ट पर किसी अधिकारी ने शाहरुख को आतंकवादी नहीं कहा था, लेकिन एक सोचे-समझे प्रपंच के तहत शाहरुख ने इसे भारत में बडा मुद्दा बनाया था और मुस्लिमो की भावना के साथ खिलवाड शुरु किया था. तब कोंग्रेसीजनो ने अमेरिका को शाहरुख की माफी मागने तक कह दिया था, लेकिन अमेरिकावाले थोडे पागल है. उन्हों ने माफी मागने से इन्कार कर दिया था और साफ शब्दो में कह दिया गया था कि रुटिन चैकिंग होता रहेगा. ये बात अखबारो ने और खबरिया चैनलो ने बहुत दबी जुबान में कही थी. उसके बात इस फिल्म के प्रचारप्रपंच का अंतिम अभियान इन्डियन प्रीमियर लीग की हराजी प्रक्रिया के साथ शरू हुआ.

इस हराजी प्रक्रिया में शाहरुख ने अपनी टीम में पाकिस्तानी क्रिकेटरो को तो लिया नहीं, लेकिन जान बुझकर उनको लेना चाहिये थे ये कहकर विवाद खडा किया. उन्हें पता था शिवसेना अपने अस्तित्व के लिये कोई ना कोई मुद्दा तलाशने के लिये बावरी हो गई है और अपेक्षानुसार, सेना ने इस बयान का विरोध किया और 'कोंग्रेसीजनो के युवराज' राहुल गांधी को भी लपेट में ले लिया. पूरा प्रपंच कामयाब रहा....पहेले राहुल गांधी ने लोखंडी सुरक्षा व्यवस्था में मुंबई का दौरा किया और फिर शाहरुख ने सेना की माफी मागने का इनकार किया. खबरिया चैनल एक बार फिर अपने एडवर्टाइजर के लिये मेदान में आ गई. सिर्फ एकपक्षीय रिपोर्टिंग. एक ही बात, शाहरुख खान का बचाव और पाकिस्तानी क्रिकेटरो को आईपीएल में लेना चाहिये था.

जरा सोचिये तो सही..कोंग्रेस और शाहरुख अपने फायदे के लिये इस देश की जनता की भावना के साथे कैसा खिलवाड कर रहे है...दरस्सल मुस्लिम बिरादरो को आगे आकर कह देना चाहिये...हम हिंदुस्तानी है...हम अल्पसमुदायक नहीं है....कब तक हमें मतबैंक मानोगे...कब तक इस देश को बांटोगे और अपना स्वार्थ साधने कि लिये निर्दोष भाई-बहेनो के खून से होलिया खेलतें रहोगे....समय आ गया है दोस्तो जागो....
चलते-चलतेः प्रचार करना बुरी बात नहीं है, लेकिन अपने फायदे लिये जनता की आंखो में धूल झोंकना देशद्रोह है.....

Wednesday, February 10, 2010

जरा सोचिये...'माय नेम इज खान' के विवाद में फायदो किस को और नुकसान किस को?


हिंदुस्तान के अखबारो में 'माय नेम इज खान' का जलवा है. क्या शिवसेना शाहरूख कि फिल्म का विरोध करके सही कर रही है? 'क्रिकेट के महाफारस' इन्डियन प्रीमियर लीग में पाकिस्तानी क्रिकेटरो को जगह मिलनी चाहिये थी, ऐसी प्रतिक्रिया व्यक्त करने का शाहरुख को अधिकार नहीं है? क्या शाहरुख गद्दार है? शिवसेना को ठिकाने लगाने का समय नहीं आ गया है? क्या 12 फरवरी को फिल्म प्रदर्शित हो पायेगी? क्या शिवसैनिक सिनेमा होल में होहल्ला मचा पायेंगे? क्या है लडाई लोकतंत्र बनाम गुंडागर्दी की है? उफ! मीडिया को जैसे 'खानमेनिया' हो गया है. ऐसा नहीं लगता कि मीडियावालो ने जैसे 'माय नेम इज खान' को जनता के सिर पर मारने का ठेका ले रखा हो? ऐसा नहीं लगता कि महाराष्ट्र सरकार 'माय नेम इज खान' को प्रदर्शित कराने पर अपनी पूरी ताकात लगा रही है? जरा सोचो...इस बहज में फायदा किसका है और नुकसान किसका? पहेले फायदा जान लीजिये जिससे नुकसान की समज पाना आसान हो जाये.

'माय नेम इज खान' पर हो रहे इस पूरे बवाल में शिवसेना और कोंग्रेस दोनो को फायदा है. आप मानो या ना मानो, शिवसेना को इस विवाद से संजीवनी जरुर मिल गयी है. महाराष्ट्र विधानसभा चुनाव के बाद शिवसेना मृतप्रायः सी हो गयी थी, पर उस में 'माय नेम इज खान' की बवालने संजीवनी प्रदान कर दी है. अब इस विवाद से शिवसेना को थोडा फायदा होगा ज्यादा, इसका पता तो अगले साल होने वाले बृहदमुंबई म्युनिसिपल कोर्पोरेशन के चुनाव में चल जायेगा. यहां शिवसेना का शासन है. ये चुनाव शिवसेना के अस्तित्व के लिये प्रतिष्ठा का प्रश्न है और इसके लिये है बाल ठाकरे ने एक बार फिर सेना की कमान संभाली है. इन्डियन प्रीमियर लीग और 'माय नेम इज खान' से शरु हुई आग में मायानगरी मुंबई अगले साल बृहदमुंबई म्युनिसिपल कोर्पोरेशन के चुनाव तक जलती रहे तो इस में कोई आश्चर्य नहीं होना चाहिये. सेना के साथ साथ कोंग्रेस को भी इस से फायदा हो रहा है.

कोंग्रेस इसे लोकतंत्र बनाम गुंडागर्दी की लडाई कह रही है. पर क्या ये बात सही है? अब जरा सोचिये, जो बात कोंग्रेस कर रही है वहीं बात अखबार और खबरिया चैनल नहीं कर रहे है? सभी अखबार और खबरिया चैनल आप को शिवसेना के जंगलराज का अंत करने की बात कर रहे है. लोकतंत्र में जंगलराज को कोई स्थान नहीं होना चाहिये ये बात को कोई नकार नहीं सकता, लेकिन, महाराष्ट्र सरकार ने लोकतंत्र की रक्षा के नाम पर 'माय नेम इज खान' को प्रदर्शित करने के लिये हजारो कि संख्या में सिनेमा होल के बहार हजारों सुरक्षा कर्मचारी तैनात कर दिये है. तो क्या यहीं सरकार मुंबई में दो साल पहेले आयोजित रेलवे बोर्ड के इम्तहान के वक्त उत्तर प्रदेश और बिहार के जवानो की सुरक्षा लिये ऐसे सुरक्षा बंदोबस्त नहीं कर सकती थी? क्या वो बंदोबस्त लोकतंत्र के दायरे में नहीं आता था? दरस्सल कोंग्रेस और मीडिया ये लडाई लोकतंत्र के है ऐसा हमारे मन में ठांसना चाहते है. लोकतंत्र के नाम पर दोनो अपना-अपना उल्लु साध रहे हैं.

कोंग्रेस अपनी खोई हुई मुस्लिम मतबेंक वापस पाना चाहती है. वो देश के सबसे बडे राज्य उत्तरप्रदेश में मु्स्लिम समुदाय को अपने साथे जोडना चाहती है. इसी उद्देश्य के साथे वो धीरे धीरे शाहरूख को अपना 'मुस्लिम चहेरा' बनाने की और आगे बढ रही है और कोंग्रेस हाई कमान्ड ने अशोकराव चव्वाण को किसी भी सूरत में 'माय नेम इज खान' को प्रदर्शित कराने का फरमान जारी किया है. वो इस फिल्म को प्रदर्शित करवा के मुस्लिम बिरादरो का दिल जीतना चाहती है. आप टीवी पर देखे तो कोंग्रेस का हर बडा नेता शाहरूख की फिल्म को प्रदर्शित करवाने की कसम खाता दिखाई देगा. अभी फिल्म प्रदर्शित होने दो. उसके बाद शायद आप को ये देखनो को भी मिले तो आश्चर्य नहीं कि राहुल गांधी कोई सिनेमा होल में जायेंगे और 'माय नेम इज खान' के कसीदे पढेंगे. और मीडिया?

मीडिया को तो हम सभी जानते है. आजकल मीडिया का धर्म किसी व्यक्ति, कोई राजकीय पक्ष, कोई फिल्म या फिर इन्डियन प्रीमियर लीग जैसे फारस का प्रचार करने का हो गया है. उसी के समाचार प्रकाशित होते है तो बडे-बडे कथित दिग्गज लेखर ऐसे ही प्रंपच या फिर राहुल गांधी की मुंबई मुलाकात के फारस को बडी फतह होने का ब्युगल फूंकते है. लेकिन इस में सबसे ज्यादा नुकसान किसको है? मुझे, आपको, मुंबईकर को और इस देश की जनता को.

आज हम सब सामान्य जन राजकीय पक्ष के लिये मतबेंक, अखबारो के मालिको के लिये उनका लक्षित वर्ग यानी कि टार्गेट ओडियन्स और फिल्मवालो के लिए हम पहेले या दूसरे सप्ताह में कमाई करने का जरिया बन गये है. हम सब एक या दूसरे राजकीय पक्ष, शाहरुख और राहुल जैसे फारसबाज, सेना जैसे संकुचित दिमागवाले राजकीय पक्ष, क्रिकेट को महाफारस में तबदिल करनेवाले ललित मोदी और इन सभी के हाथो बिक गये मीडिया के संगठित छल की चपेट में आ गये है. इन सभी लोगो ने मिलकर गोबल्स को अपना आदर्श मान लिया है और अपने स्वार्थ को पूरा करने के लिये जनता के मनमस्तिष्क से खेल रहे है....क्या जरुरत नहीं है सच को देखने के लिये स्वतंत्र सोच विकसीत करने की? क्या जरुरुत नहीं है 'रण' की? जरा सोचिये....दोस्तो...

Tuesday, February 9, 2010

मुस्लिम समुदाय जागे तो सत्ता के दलाल भागे..


दोस्तो, छह्म धर्मनिरपेक्षता की मौसम फिर से जवां हो गई है. पश्चिम बंगाल की दंभी धर्मनिरपेक्ष साम्यवादी सरकारने सरकारी तंत्र में पिछडे मुस्लिमो के लिये 10 प्रतिशत बैठक अनामत रखवने का फेंसला लिया है. देखने की बात ये है कि जिस दिन बुद्धदेब भट्टाचार्य की सरकारने देश की एकता और अखंडता पर प्रहार करनेवाला ये फेंसला लिया, उसी दिन आंध्र प्रदेश की उच्च न्यायालयने वहां की राज्य सरकार के ऐसे ही एक फेंसले को कूडेदान में डाल दिया.

दरस्सल आंध्र प्रदेश के भूतपूर्व मुख्यमंत्री स्व. वाय एस रेड्डी के कार्यकाल में 2007 में राज्य में सरकारी तंत्र और शैक्षणिक संस्थानो में मुस्लिम समुदाय को चार प्रतिशत आरक्षण देने का फेंसला किया था. दूसरी ओर अपने आप को सबसे बडे धर्मनिरपेक्ष राजकीय पक्ष के रुप में प्रस्थापित करने की एक भी तक न छोडने की आदि कोंग्रेस के महासचिव दिग्गी राज उर्फ दिग्विजय सिंह ने आजमगढ का दौरा किया है और बाटलाहाउस एनकाउन्टर में गडबडी की आशंका व्यक्त करके मुस्लिमो को लुभाने का प्रयास किया है. वैसे कोंग्रेस के युवराज राहुल गांधी आज आजमगढ के दौरे पर है.....सबसे ज्यादा विकृत धर्मनिरपेक्षता का प्रदर्शन महाराष्ट्र सरकार 'माय नेम इज खान' फिल्म के प्रदर्शन के लिये मुंबई के कई सिनेमा होल के बहार हजारो सुरक्षा कर्मचारी तैनात कर रही है... सोचिये, जब राज ठाकरे ने महानायक अमिताभ बच्चन को निशान बनाया था तब यहीं चव्वाण सरकार ने चूपकीदी साध लीधी थी..मुझे लगता है मुस्लिम समुदाय को अब आगे आकर मतबेंक के इन दलालो को रास्ता दिखा देना चाहिये....

मुस्लिम समुदाय से खेलने की शरुआत अंग्रेजो ने की थी. उसके बाद मोहम्मद अली जिन्ना ने अपनी राजकीय महत्वाकांक्षा पूर्ण करने के लिये मुस्लिम समुदाय को अपना शस्त्र बनाया और हिंदुस्तान को बांट दिया. और अब आजाद भारत में अब 'काले अंग्रेज' बन बैठे राजकीय पक्ष दिल्ली पर कब्जा करने के लिये मुस्लिम समुदाय का खिलौने की तरह इस्तमाल कर रही है. मुस्लिम समुदाय क्यो इन सत्ता के दलालो को कहेता नहीं कि हमें मुख्य धारा से क्यो दूर रखना चाहते हो? बार बार उन्हें हिंदुस्ताननी जनता होने की बजाय अल्पसंख्यक होने का अहेसास क्यों करा रहो हो?

इन्डोनेशिया के बाद दुनिया में सबसे ज्यादा मुस्लिम हिंदुस्तान में बसते है. हिंदुस्तान में हिंदु और मुसलमानो को एकसाथ ही रहना होगा ये एक वास्तविकता है. अगर हम जुदा होना चाहेंगे तो भी जुदा नहीं हो सकते. तो फिर साथ साथ रहना क्यो शीखते नहीं? क्या हम फिर से हिंदुस्तान के टुकडे कर देना चाहते है? क्या हम आपस-आपस में लडके कट जाना चाहते है? क्या सत्ता के इन दलालो के लिये हम अपने हीं भाईओ की जिंदगी दोजख बना देंगे? मुस्लिम समुदाय जागे तो सत्ता के दलाल भागे...

Friday, February 5, 2010

राहुल बाबा, हमे नेता चाहिये, अभिनेता नहीं....


'राहुल गांधी ने शिवसेना का भ्रम तोडा दिया', 'मुंबई में बैखोफ घूमे राहुल', 'मुंबईकर बनकर घूमे राहुल गांधी', 'शिव सेना के गढ में घूमे राहुल'..राहुल गांधी..राहुल गांधी..राहुल गांधी...सभी खबरिया चैनलो पर, खबरिया वेबसाईट पर और अखबारो में सिर्फ राहुल राहुल राहुल....सचमुच आप युवराज हैं. आप के पांव मुंबई की जमीं पर पडे तो आपकी सुरक्षा के लिये कई विस्तारो में कर्फ्यु जैसा माहोल पैदा हो गया. जनता को भगवान के हवाले छोडकर सेंकडो पुलिस कर्मचारीओ को आपकी सुरक्षा के लिये तैनात कर दिया गया. जहांपनाह जहां से गुजरे वहा दुकाने बंध करा दी गई. आप के इंतजार में अशोक शंकरराव चव्वाण ने दो-दो घंटे तक इंतजार किया और एक लोकतांत्रिक देश के मुख्यमंत्री पद की जो गरिमा होती उसे ताक पर रख दिया. एक मंत्री महोदय ने तो आप के चप्पल भी उठा लिये. मुझे बहुत आश्चर्य है कि सिर पर चप्पल रख के उन्हों ने मुझरा क्यों नहीं किया. आखिर आप युवराज है और भविष्य में 'हिंदुस्तान के पादशाह' बनने की दिशा में आगे बढ रहे हैं.

आप सोचते होंगे कि मैं राहुल गांधी की प्रशंसा कर रहा हूं या उनकी खिंचाई कर रहा हूं. नहीं, न तो मैं राहुल गांधी का प्रशंसक हुं और न मेरी उनके साथे कोई दुश्मनी. मैं शिवसैनिक भी नहीं हुं और भाजपा का कार्यकर्ता भी नहीं हुं. में तो 'सरदार और गांधी के गुजरात' का एक सामान्य इन्सान हुं, जो अपने लोकतांत्रिक देश और उसकी भोलीभाली, मजबूर अने मजदूर जनता की बदकिस्मती देख के सन्न रह गया हुं. मैं जानता हुं कि आज 'कोमनमेन' की नजरों में आप नायक बन गये है. आप ने शिवसेना और महाराष्ट्र नवनिर्माण सेना की दादागिरी से त्रस्त उत्तर भारतीय दोस्तो के दिलो को भी जीत लिया है. लेकिन एक सोची-समझी स्क्रिप्ट के तहत आपने उनकी आंखो में जमकर धूल झोंकी है. धीरे धीरे आप नेता के साथसाथे अभिनेता भी बन रह है. आप के अभिनय में निखार भी आ रहा है. आखिर आप के दोस्तो में शाह रुक रुक खान नाम का पाकिस्तानपरस्त स्टार जो है, लेकिन भला हो उस युवा छात्र का जिसने आप को आयना दिखा दिया.

दोस्तो, विले पार्ले के भाईकाका होल में युवा छात्रो सें विचार-विर्मश कर रहे कोंग्रेस के युवराज राहुल गांधी को एक छात्र ने बहुत विनम्रता से उनकी राजकीय हैसियत का परिचय करा दिया. लोगो के दिलो पर आज भी राज कर रहैं भूतपूर्व राष्ट्रपति कलामसाहब की तर्ज पर युवा छात्रा से विचार-विर्मश कर रहे राहुल भैयाने पूछा कि, 'क्या आप जानते है कि राजनीति में किस तरह प्रवेश मिलता है?' तब एक छात्र ने तपाक से जबाव दिया, 'हा, अगर आप के घर का कोई सदस्य राजनीति में हो तो आप राजनीति में आसानी से घूस मार शकते हो.' इस युवा छात्र को आप नादान और नासमझ कह कर आप अपनी नपुंसकता पर परदा जरुर डाल शकते है. लेकिन सच ये है कि उसने राहुल गांधी को वीवीआईपी दरज्जा क्यों मिल रहा है उसका सही-सही बयान किया है. इस युवा छात्र ने तो सच्ची बात बताने का साहस किया, लेकिन राहुल गांधी ने देश के भविष्य कहे जाने वाले इन युवा छात्रो को सामने अच्छी-अच्छी बाते करने के सिवा कुछ नहीं किया.

राहुल गांधी ने इन छात्रो को कहां कि, 'इस देश में दो प्रकार के नेता है. एक वो है जो लोगो के बांटते है और राज करते है और दुसरे वो नेता है जो लोगो को जोडते है. कोंग्रेस अखंड भारत का समर्थन करती है.' इस देश की सामान्य जनता को अखंड भारत का ही समर्थन करती है. लेकिन जरा सोचिये तो सही स्वतंत्र्ता मिलने के बाद देश पर सबसे ज्यादा शासन किस पक्ष की सरकारने किया है? देश में अनामत के नाम पर दलितो को मुख्य समुदाय से अलग किस ने किया है? भिंडरानवाले को खडा करके शीख समुदाय में विभाजन करने का प्रयास किसने किया था? इन्दिरा गांधी की हत्या के बाद मासूम शीख भाई-बहेनो को किसने जिंदा जलाया था? राहुल गांधी 2004 में सांसद बने है. उसके बाद दिल्ही की गद्दी पर कोंग्रेस की ही सरकार है. तब से लेकर आज तक मुस्लिमो के वोट जितने के लिये कोंग्रेस के नेतृत्व में युपीए की सरकारने कितने पंच बनाये है? मुस्लिम समुदाय को मुख्य प्रवाह में लाने की बजाय उनको हंमेशा लघुमती समुदाय बनाये रखने का प्रयास कौन कर रहा है? मुंबई को आतंकवादी हमले से बचानेवाले बिहारी थे ऐसा बिहार में जाकर खुद राहुल गांधी ने कहा था. क्या वो सुरक्षा दलो में प्रांतवाद का झहर नहीं घोल रहे है? इस देश की जनता तो अखंड भारत का समर्थन करती है, लेकिन जम्मु-काश्मीर में धारा 370 को हटाने के लिये राहुल गांधी और उनकी सरकारने क्या किया? राष्ष्ट्रप्रेम की भावना जगानेवाले संवाद बोलना आसान है, लेकिन राष्ट्रप्रेम निभाना बहुत मुश्किल है. और राहुल गांधी ने राष्ट्रीयता की बाते करने के सिवा अभी तक कुछ नहीं किया है. वो करेंगे तो हमें बहुत खुशी होंगी, लेकिन अभी तक ड्रामेबाजी के सिवा कुछ देखने को नहीं मिला. वो चाहते को बहुत कुछ कर सकते थे.

वो पत्रकारो और फोटोग्राफरो को लेकर दलित गरीबो के घर भोजन लेने पहोंच जाते है, लेकिन उसके घर का चूला कैसे जलता है उसे पूछने का साहस है उन में? पिछले छ सालो में महेंगाई को नियंत्रण में लाने के लिये क्या कर दिखाया? और जब वो संसद में उत्तरप्रदेश के गन्ने के किसान के बारे में बोलते है तो देश के जनता का प्रतिनिधित्व करनेवाले कोंग्रेसी सांसद और मीडिया पूरा देश सर पर ले लेता है. 'राहुल बाबा ने गन्ने किसानो का दर्द संसद में बांटा.' सबसे बडा मजाक तो 'कोंग्रेस के अमरसिंह' के रूप में प्रसिद्ध राजीव शुक्ला ने किया है. राहुल गांधी की मुंबई सैर को 'अदम्य साहस' करार दिया है. अब जरा राहुल गांधी के अदम्य साहस से भी परिचित हो ले.

राहुल भैया मुंबई पहोंचे उससे पहेले कई शिवसैनिको को हिरासत में लिया गया. पादशाह राहुल जहां से भी गुजरनेवाले थे वहा कर्फयू लगा दिया गया. वो लोकल रेलवे में सैर करेंगे उसकी भनक मुख्यमंत्री अशोक चव्वाण को भी नहीं थी तो शिवसैनिको को तो कैसे हो. इसलिये बेचारे विरोध करने के लिये राहुल बाबा को ढुंढते रहे गये. रेलवे में भी उनके साथे बोडीगार्ड्स और पत्रकारो का काफिला था. दरस्सल बिहार में उनके दौरें में ललित नारायण विश्वविद्यालय में गुजरात के बारे में एक टिप्पणी पर युवा छात्रो ने राहुल गांधी को आडे हाथो लिया और राहुल भैया को वहां से खिसकना पडा था. उस पर से कोंग्रेस ने शीख लेकर युवराज को कोई विरोध प्रदर्शन का सामना हीं न करना पडे ऐसा बंदोबस्त कर दिया. लेकिन मजा तो इस बात का आया कि राहुल गांधी कैसा साहस कर सकते है उसका परिचय आज पूरे देश को मिल गया.

दोस्तो, मुंबई को लेकर हुए इस पूरे ड्रामे से किसको फायदा होगा इस से अपन को कोई लेनादेना नहीं है, लेकिन सबसे ज्यादा नुकसान लोकतांत्रिक प्रक्रिया को हुआ है, इस देश को हुआ है. हम धीरे धीरे लोकशाही से ड्रामाशाही की और बढ रहे है. डर लगता है कि कहीं अभिनयसम्राट अमिताभ बच्चन को महानायक बनानेवाला एक स्क्रीप्ट राइटर तो कोग्रेस की स्क्रीप्ट नहीं लिख रहा. याद करो गुजरात के विधानसभा चुनाव. जिस में एक फिल्मी स्क्रीप्ट राइटर ने मेडम सोनिया के भाषण लिखे थे और उसका खामियाजा किसको भुगतना पड रहा है. देश की राजनीति कोई हिंदी फिल्म नहीं है. देश की जनता मनोरंजन पाने के लिये मतदान नहीं करती. हमे नेता चाहिये, अभिनेता नहीं....

Thursday, February 4, 2010

મહેલોમાં રહેતાં લોકોને ગરીબોના દુઃખદર્દનો અહેસાસ ન હોય...


એક જૂની વાત છે. ફ્રાંસની પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગઈ હતી. એક ટંકનો રોટલો મળવો મુશ્કેલ હતો. રાજા લૂઈ સોળમા અને તેની પ્રિય રાણી મેરી એન્ટોઇનેટને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન કરાવવા ભૂખ્યા લોકો પેરિસની શેરીઓમાં અને માર્ગો પર પ્રદર્શનો કરી રહ્યાં હતાં. તેને જોઈને સેંકડો નોકરચાકરો વચ્ચે શાહી મહેલમાં રહેતી રાણીને નવાઈ લાગી. તેણે કહ્યું હતું કે, ''આ લોકોને બ્રેડ (રોટલો)ન મળે તો તેઓ કેક કેમ ખાતાં નથી...'' આ વાત સાંભળીને પ્રજાનો ગુસ્સો ભડકી ઊઠ્યો હતો અને રાજાશાહીનું સત્યનાશ વળી ગયું હતું.

ઇતિહાસમાં અંકિત આ ક્રાંતિકારી પ્રકરણથી સ્પષ્ટ છે કે શાસકોને સામાન્ય જનતાના દુઃખ-દર્દનો અહેસાસ નથી હોતો અને ભૂખ્યાંજનોનો જઠારાગ્નિ ભભૂકી ઊઠે છે ત્યારે ક્રાંતિની મશાલ પ્રગટે છે. શાસકો સત્તાના કેફમાં આવી જાય છે ત્યારે વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે. તેઓ એ જ ભ્રમમાં મસ્ત હોય છે કે તેમને દરેક ચીજવસ્તુઓ સરળતાથી મળી જાય છે તો શું જનતાને નહીં મળતી હોય, પણ એક ગરીબનો ચૂલો કેવી રીતે પ્રગટે છે તેની તેમને ખબર હોતી નથી.

હિંદુસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ઘર ચલાવવા માણસને મશીન બનવાની ફરજ પડી છે. 'કોંગ્રેસ કા હાથ ગરીબો કે સાથ'નું વચન આપીને દિલ્હીની ગાદી પર વર્ષ 2004માં કોંગ્રેસનું શાસન આવ્યું તે પછી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારા પર એક નજર કરો. મે, 2004માં ચોખા 13 રૂપિયે કિલો હતા, ઘઉં આઠ રૂપિયે કિલો હતા, ખાંડ 17 રૂપિયાની કિલો મળતી હતી, તેલ 86 રૂપિયે લિટર હતું, દાળ 31 રૂપિયે કિલો મળતી હતી. અને અત્યારે શું ભાવ છે? કિલો ચોખાના 23 રૂપિયા, ઘઉંના 14થી 15 રૂપિયા, ખાંડના 45થી 47 રૂપિયા, તેલના 110થી 113 રૂપિયા અને દાળના 85થી 88 રૂપિયા.

આટલું ઓછું હોય તેમ કિરીટ પારેખ સમિતિએ પેટ્રોલમાં પાંચ અને ડીઝલમાં રૂ. ત્રણનો વધારો કરવાની ભલામણ કરી છે. રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ. 100ના વધારો કરવાની સલાહ આપી છે. આ સમાચાર સાંભળી જનતા ધ્રુજી ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની સમસ્યા માટે શરદ પવારની બેફિકરાઈ અને સંવેદનહિનતા જવાબદાર છે. પણ શરદ પવાર દિવસેને દિવસે મનમોહન સિંઘ સરકાર માટે એક કોયડો બનતાં જાય છે. જેમ પાકિસ્તાનને લાઇન પર કેવી રીતે લાવવું તેનો કોઈ માર્ગ સરકારને સૂઝતો નથી તેમ પવારની શાન કેમ ઠેકાણે લાવવાની ચાવી ન તો નખશીખ સજ્જન મનમોહન સિંઘ પાસે છે ન મેડમ સોનિયા ગાંધી પાસે. સૌથી મોટી વાત તો એ છે કે પવાર સાહેબને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યાં છે તે વાત ગંભીરતાપૂર્વક સમજાતી નથી. ઇંગ્લેન્ડની રાણીની જેમ તેમને મોંઘાવારીનો અહેસાસ કેમ થતો નથી તે જોઈએ..

સંસદની કેન્ટીનમાં શાકાહારી ભોજનની થાળી સાડા બાર રૂપિયામાં મળે છે. નોનવેજ એટલે માંસ-મચ્છીવાળી થાળી 22 રૂપિયામાં મળે છે. ભાત-દહીંની પ્લેટના ભાવ 11 રૂપિયા છે, રાજમા-ભાતની પ્લેટના ભાવ સાત રૂપિયા છે. ફિશ ફ્રાઈની પ્લેટની મજા 17 રૂપિયામાં માણી શકાય છે. બટરચિકન 27 રૂપિયામાં, દાળનો વાટકો માત્ર દોઢ રૂપિયામાં, ખીરની કટોરી ફક્ત સાડા પાંચ રૂપિયામાં, ફ્રૂડ સલાડ સાત રૂપિયામાં, સૂપ સાડા પાંચ રૂપિયામાં, ભાતની પ્લેટ બે રૂપિયામાં અને રોટલી એક રૂપિયામાં મળે છે. આ તમામ ભોજન સારામાં સારી ગુણવત્તાનું....દોસ્તો, જે લોકો આ કેન્ટીનમાં ભરપેટ ભોજન કરતાં હોય તેમને મોંઘવારી જેવું લાગે?સામાન્ય પ્રજાના દર્દનો અહેસાસ થાય?

ચલતે-ચલતેઃ મારો વાંક એ છે કે હું ખેડૂતો અને ગરીબોનો હિતેચ્છું છું-શરદ પવાર

અદાલતો આવી ત્યારે બાયલા બન્યા...


વકીલોનો ધંધો તેમને અનીતિ શીખવાનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે. તેમાંથી ઊગરનાર અને સાચા રસ્તે ચાલનાર બહુ થોડા છે. ઘણાખરા દાખલા વકીલોની સારમાણસાઈના જોવામાં આવે છે. પણ મોટે ભાગે તે એક કમાણીનો રસ્તો છે.

વકીલોનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે. મારી જાણની વાત છે કે વકીલો પોતે જ્યારે કજિયા થાય ત્યારે રાજી થાય છે. નહીં હોય ત્યાંથી તેઓ કજિયા ઊભા કરશે. તેઓના દલાલો હોય છે તે જળોની માફક ગરીબ માણસોને વળગે છે ને તેઓનું લોહી ચૂસી લે છે. એ ધંધો જ એવા પ્રકારનો છે કે તેમાં માણસોને કંકાસનું ઉત્તેજન મળે જ.

વકીલો એ નવરા માણસો છે. આળસુ માણસો એ એશઆરામ ભોગવવાને ખાતર વકીલ બને છે. આ ખરી હકીકત છે. વકીલાત એ ભારે આબરૂદાર ધંધો છે એમ શોધી કાઢનાર વકીલ જ છે. કાયદા તેઓ ઘડે છે, તેનાં વખાણ પણ તેઓ જ કરે છે. માણસોની પાસેથી શું દામ લેવું એ પણ તેઓ જ મુકરર કરે છે, ને માણસોની ઉપર દાબ બેસાડવા આડંબર એવો કરે છે કે જાણે તેઓ કોઈ આકાશમાંથી ઊતરી આવેલા દેવતાઈ પુરુષ ન હોય!

કેટલાંક રજવાડાં વકીલોની જાળમાં ફસાઈ જઈ કરજદાર થઈ પડ્યાં છે. ઘણા ગરાસિયા તે વકીલોના કારસ્તાનથી લૂંટાઈ ગયા છે. અદાલતો એ કંઈ લોકોનું ભલું કરવા માટે નથી. જેને પોતાની સત્તા નિભાવવી છે તે અદાલતની વાટે લોકોને વશ કરે છે. લોકો પોતે લડી લે તેમાં ત્રીજો માણસ પોતાની સત્તા બેસાડી શકતો નથી. ખરેખર જ્યારે માણસો પોતાના હાથે મારામારી કરીને અથવા સગાંને પંચ તરીકે નીમીને લડી લેતા ત્યારે મરદ રહેતા. અદાલતો આવી ત્યારે બાયલા બન્યા. એકીબીજાએ લડી મરવું તે જંગલી ગણાતું. હવે ત્રીજો માણસ મારો કજિયો પતાવે ત્યારે ઓછું જંગલીપણું છે? કોઈ કહી શકશે કે જ્યારે ત્રીજો માણસ ઠરાવ આપે ત્યારે તે ખરો જ હોય છે? કોણ ખરું છું એ બંને પક્ષકાર જાણે છે. આપણે ભોળપણમાં માની લઈએ છીએ કે ત્રીજો માણસ આપણા પૈસા લઈ જઈ આપણો ઈન્સાફ કરે છે.

ગાંધીગંગાઃ આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઈ જઈશું.

Tuesday, February 2, 2010

जनाब राहुल गांधी, गुजरात को नहीं कोंग्रेस को बदलो...


दोस्तो, मुझे पता है कि यह समाचार आप तक पहोंचाने का कष्ट लोकतंत्रात्मक देश के चौथे स्तंभ में शुमार अखबारो और समाचार चैनलोने नहीं उठाया होगा. कोंग्रेस के युवराज जनाब राहुल गांधी पिछले दो दिनो से बिहार के दौरे पर थे और ये बात आप अच्छी तरह जानते है. आपने सभी अखबारो और खबरिया चैनलो पर राहुल गांधी को बिहार की राजधानी पटना की महिला कोलेज की युवतीओ बीच देखा होगा. आपने युवराज को बिहार में शिवसेना और राज ठाकरे की द्वितीय शिवसेना अर्थात् महाराष्ट्र नवनिर्माण सेना की खिंचाई करते भी सुना. पर अब जो में बात आपको बताने जा रहा हुं वो आपने शायद किसी अखबार में न तो पढी होगी और न किसी खबरिया चैनल पर देखीसुनी होगी. क्या आपको पता है कोंग्रेस के इस 'प्रतिक्षारत प्रधानमंत्री' (अंग्रेजी में उसे प्राइम मिनिस्टर इन वेटिंग कहेते है) को बिहार में ही एक स्थान पर छात्रो के विरोध और रोष का सामना करना पडा? क्या आप जानते है कि बिहार के इसी दौरे में राहुल को अपने एक बयान पर छात्रो की माफी मागनी पडी? इतना ही नहीं छात्रो के रोष से बचने के लिये युवराज को आखिरकार मैदान छोडकर भागना पडा?

बात ये है कि, बिहार में इस साल होनेवाले विधानसभा चुनाव से पहेले कोंग्रेस के लिये जमीन तैयार करने गये राहुल गांधी को दरभंगा जिल्ले में स्थित ललित नारायण विश्वविद्यालय में मुंह की खानी पडी. जनाब का मकसद स्पष्ट था-युवा छात्रो को अपनी और आकर्षित करना, लेकिन मंच पर पहुंच कर उनकी दंभी धर्मनिरपेक्षता जागी उठी. राहलु जी को गुजरात के दंगे याद आ गये. अपने भाषण पर विद्यार्थी को संबोधित करते समये वो बोले कि, ''हिंदुस्तान को बदलाव की आवश्यकता है और गुजरात को सबसे ज्यादा.''

उनके कहेने का आशय था कि हिंदुस्तान को परिवर्तन की आवश्यकता है और इसकी शरूआत गुजरात से होनी चाहिये. उनके ये विधान के बाद अनपेक्षित रूप से छात्र भडक उठें और होहल्ला मचा गया. छात्रोने राहुल गांधी को स्पष्ट रूप से कह दिया कि, यह एक शैक्षणिक संस्थान है, राजकीय रंगमंच नहीं. इतना हीं नहीं छात्रोने कहा कि महाराष्ट्र में कोंग्रेस सरकार है और वहां उत्तर भारतीयो को, खास करके बिहारीओ को निशाना बनाया जा रहा हैं तो क्या बदलाव की आवश्यकता महाराष्ट्र में नहीं है? फिर तो राहुल बाबाने माफी मागी, पर छात्रोने उन्हें माफ नहीं किया और युवराज को विश्वविद्यालय में अपने सभी कार्यक्रम रद्द करके दुमदमाके भागना पडा.

ये बात किसी अखबारने क्यों नहीं प्रकाशित की और खबरिया चैनलने क्यों नहीं दिखाई? दोस्तो, आप समझदार है.....ये बात मुझे कहां से जानने को मिली उसकी लिंक आपको दे रहा हूं....http://blog.taragana.com/politics/2010/02/02/rahul-gandhi-apologizes-to-students-in-lalit-narayan-mithila-university-16480/....मैं हिंदुस्तान के हिंदी भाषी प्रांतो के भाई-बहेनो, खास करके बिहारी दोस्तो को यह बताना चाहता हुं कि कृपया, किसी भी राजनेता कि कोई भी बात से सीधे प्रभावित न हो जाये. राजनेता कि हर बात के पीछे का मकसद समझना होगा. राहुल गांधी को दरस्सल चिंता विधानसभा चुनाव की है. वहां कोंग्रेस की मनसा इस बार अकेले अपने दम पर चुनाव लडने की है.

दुसरी बात, राहुल गांधी गुजरात में बदलाव की फिक्र हम गुजराती भाई-बहेनो पर छोड दे तो ज्यादा बहतर होगा. उन्हें दरस्सल किन-किन बातो में बदलाव लाने की आवश्यकता है वो बताने का कष्ट कर रहा हुं...

- अगर राहुल गांधी के बस में हो तो कोंग्रेस में से गांधी-नेहरु परिवार के चाटुकरो को बहार का रास्ता दिखला दे.

- इस लोकतंत्रात्मक देश के सबसे वयोवृद्ध राजकीय पक्ष कोंग्रेस में से पहेले वंशवाद दूर करे और लोकतंत्रात्मक प्रणाली अपनाये.

- देश की जनता महंगाई के बोज तले दब गई है. वो अपना गुस्सा इलेकट्रोनिक वोटिंग मशीन के बटन दबाकर पंजे को उखाड फेंके इससे पहले शरद पवार को ठिकाने लगाये.

- मुस्लिम इस देश के अभिन्न अंग है. गुजरात के दंगो पर राजनीति करके उनमें अलगाव की भावना और पेदा न करे.

- राजीव गांधी के प्रसिद्ध बयानो से मिलतेजुलते, जैसे की गरीबो का पैसा गरीबो तक नहीं पहुंचता, संवाद बोलकर मतदातों में राजीव गांधी जैसा नेता होने का भ्रम पैदा न करे. अगर आप में मौलिकता है तो जनता को थोडा उसका परिचय भी कराये.

- इस देश के हर नागरिक को देश के किसी भी कोने में स्थायी होने की और रोजगारी पाने का बुनियादी अधिकार है तो कृपया जम्मु-काश्मीर में से धारा 370 हटाने का नेतृत्व भी लें. मगर इसके लिये आप में मुस्लिम मतबेंक को नाराज करने की और सच्ची राष्ट्रीयता दिखाने की ताकात होनी चाहिये.

- महाराष्ट्र के मुख्यमंत्री अशोक चव्वाण को मुंबई में हिंदी भाषी भाई-बहेनो की सुरक्षा के लिये थोडा चुस्त-दुरस्त होने का उपदेश भी दे.

अगर राहुल गांधी इन सब पर बातो पर अमल न कर सके तो एक और रास्ता है, जो खुद उनके आदर्श महात्मा गांधी ने आझादी मिलने के बाद दिखाया है. बापूने आझादी मिलने बाद कहा था, ''कोंग्रेस का विसर्जन करो दो और उसके सभी कार्यकर्ता को समाजसेवा में लगा दो.'' बारबार बापू का हवाला देने वाले राहुल गांधी क्या राष्ट्रपिता की बात मानेंगे?

શાસ્ત્રી-મુલ્લાંને વચમાં ન પડવા દઈએ તો......


હિંદુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે. તેથી કંઈ તે એક-પ્રજા મટનાર નથી. નવા માણસો દાખલ થાય તે પ્રજાભંગ નથી કરી શકતા, તેઓ પ્રજામાં ભળી જાય છે. એમ થાય ત્યારે જ અમુક મુલક એક-પ્રજા ગણાય. દરેક મુલકમાં બીજા માણસોનો સમાસ કરવાનો ગુણ હોવો જોઈએ. તેવું હિંદુસ્તાનમાં હતું અને છે. ખરું જોતાં, જેટલા માણસ તેટલા ધર્મ છે એમ ગણી શકાય. એક-પ્રજા થઈ રહેનાર માણસો એકબીજાના ધર્મની વચમાં પડતા જ નથી. જો પડે તો સમજવું કે તેઓ એક-પ્રજા થવાને લાયક નથી.

હિંદુ એમ માને કે આખું હિંદુસ્તાન હિંદુથી જ ભરેલું હોય તો તે સ્વપ્નું છે. મુસલમાન એમ માને કે તેમાં માત્ર મુસલમાન જ વસે તો તે પણ સ્વપ્ન સમજવું. છતાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, જેઓ તે દેશને મુલક કરી વસ્યા છે તેઓ એકદેશી, એકમુલકી છે, તે મુલકી ભાઈ છે અને તેમણે એકબીજાના સ્વાર્થને ખાતર પણ એક થઈ રહેવું પડશે. દુનિયાના કોઈ પણ ભાગમાં એક-પ્રજાનો અર્થ એમ થયો નથી અને હિંદુસ્તાનમાં હતો નહીં.

હિંદુ-મુસલમાન વચ્ચે હાડવેર છે એ બંનેના દુશ્મને શોધેલું વચન છે. હિંદુ-મુસલમાન લડતા હતા ત્યારે તેવી વાતો પણ કરતા. લડતા તો ક્યારના બંધ થયા છીએ. પછી હાડવેર શાનાં? હિંદુઓ મુસલમાન રાજાઓની નીચે અને મુસલમાનો હિંદુ રાજાઓ નીચે રહેતા આવ્યા છે. બંને કોમને પાછળથી માલૂમ પડ્યું કે લડાઈ કરવાથી કોઈને ફાયદો નથી. તેથી બંનેએ સંપીને રહેવાનો ઠરાવ કર્યો. કજિયા તો પાછા અંગ્રેજે શરૂ કરાવ્યા.

ઘણા હિંદુ અને મુસલમાનના બાપદાદા એક જ હતા. આપણામાં એક જ લોહી છે. શું ધર્મ બદલ્યો એટલે દુશ્મન થઈ ગયા? શું બંનેનો ખુદા તે જુદો છે? ધર્મ તો એક જ જગ્યાએ પહોંચવાના જુદા જુદા રસ્તા છે. આપણે બંને નોખા માર્ગ લઈએ તો શું થયું? તેમાં દુઃખ શું? જેમ જેમ ખરું જ્ઞાન વધતું જશે તેમ તેમ આપણે સમજીશું કે, આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તોપણ આપણે તેની સામે વેરભાવ ન રાખવો ઘટે. આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ. સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે છે ને શાસ્ત્રી-મુલ્લાંને વચમાં ન પડવા દે તો કજિયાનું મોં કાળું રહેવાનું.

ગાંધીગંગાઃ આપણે હાથે કરીને દુઃખ ઓઢી લઈએ છીએ. માણસની હદ ખુદાએ તેના શરીરના ઘાટથી જ બાંધી, તો માણસે તે ઘાટની હદ ઓળંગવાના ઉપાયો શોધી કાઢ્યા. માણસને અક્કલ એવા કારણસર આપી કે, તેથી તે ખુદાને પિછાને, માણસે અક્કલનો ઉપયોગ ખુદાને ભૂલવામાં કર્યો.

ઈશ્વરદર્શનના ઉપાય....


શું ઇશ્વરનાં દર્શન થઈ શકે? હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ.
ખૂબ વ્યાકુળ થઈને રુદન કરીએ તો ઈશ્વરનાં દર્શન થાય. સ્ત્રી, પુત્રાદિ માટે માણસો ઘડો ભરીના આંસુ પાડે, પૈસા માટે માણસો આંસુની નદીઓ વહાવે; પણ ઈશ્વર સારું કોણ રડે છે? જેમ તેમ નહીં પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ.

'બોલાવ ને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના !
કેમ મા શ્યામા આવે ના, કેમ મા કાલી આવે ના !
મને ખરેખર આતુર હો, તો જાસુદ - બિલ્વપત્ર લો !
ભક્તિ-ચંદન લાગવીને, માને પગે પુષ્પાંજલિ દો !'

ઈશ્વરને માટે વ્યાકુળતા આવી એટલે અરુણોદય થયો સમજો; ત્યાર પછી સૂર્ય દેખાશે. વ્યાકુળતા પછી જ ઈશ્વરદર્શન.

ત્રણ પ્રકારનું આકર્ષણ થાય તો ઈશ્વર દર્શન દે. વિષયીનું વિષય તરફનું ખેંચાણ, માનું સંતાન ઉપરનું અને સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું ખેંચાણ. આ ત્રેવડું આકર્ષણ એકી સાથે કોઈનામાં ઈશ્વર માટે જાગે, તો તેનો જોરથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

વાત એટલી કે ઈશ્વરને ચાહવો જોઈએ. મા જેમ છોકરાંને ચાહે, સતી જેમ પતિને ચાહે, વિષયી જેમ વિષયને ચાહે, તેમ એ ત્રણેનો પ્રેમ, એ ત્રણ આકર્ષણ એકઠાં કરવાથી જેટલું થાય તેટલું ઈશ્વરને માટે થાય તો તેનાં દર્શન અવશ્ય થશે.

'પર્યાવરણના પા' પચૌરીના પડીકાનું મૂળ ક્યાં છે?


થોડા દિવસ અગાઉ ગ્લોબલ વોર્મિંગના નામે ચાલતો એક પરપોટો ફૂટી ગયો. અમેરિકાના ઇશારે તા..તા.. થૈયા કરતી સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક સંસ્થા ઇન્ટરગર્વમેન્ટ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ અર્થાત્ આઇપીસીસી અને તેના વડા હિંદુસ્તાનના પ્રસિદ્ધ વિજ્ઞાની આર કે પચૌરીની આબરૂના ધજાગરાં ઊડી ગયા. પચૌરીની ગણના પર્યાવરણના પહેરેદાર તરીકે થાય છે...જહાં પર્યાવરણ વહાં પચૌરી...વન્ય જીવોની સુરક્ષાની વાત આવે ત્યારે તરત મેનકા સંજય ગાંધીનો ચહેરો નજર સામે આવી જાય તેમ પર્યાવરણની ચર્ચા ચાલતી હોય ત્યારે પચૌરી મહોદયની યાદ આવ્યાં વિના ન રહે. પણ અત્યારે તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે અને હિમાલયના ગ્લેશિયર પર પર્યાવરણની અસરની આગાહી કરવા બાબતે તેમણે 'હિમાલય જેવડી મોટી ભૂલ' કરી છે તેવું જાહેર થયું છે. તમને ખબર છે કે પચૌરી સાહેબના આ પડીકાનું મૂળ ક્યાં છે? તેમણે હિમાલય જેવડી મોટી ભૂલ કરી તે માટે કોણ જવાબદાર છે?

જાણીને તમને નવાઈ લાગશે અને સાથેસાથે હસવું પણ આવશે. પચૌરી સાહેબના પડીકાનું મૂળ એક પત્રકાર અને સ્ટોરીને સેન્સેશનલ બનાવવાની લ્હાય છે. આ જનાબ ભારતીય નથી, પણ વિદેશી છે! આ વિદેશી પત્રકારના મૂળમાં પહોંચવા માટેની સફર પચૌરી મહોદયથી શરૂ કરીએ. વાત એમ છે કે, હિમાલયના મોટા ભાગના ગ્લેશિયર વર્ષ 2035 સુધીમાં પીગળીને ભારતના અનેક શહેરોમાં ફરી વળશે એવી ખતરનાક આગાહી પચૌરી અને આઇપીસીસીએ વર્ષ 2007માં તેમના એક અહેવાલમાં કરી હતી તે વાત આપણે સહુ જાણીએ છીએ. પણ આવી ભયાનક આગાહી કરવા માટે પચૌરી અને આઇપીસીસીના વિજ્ઞાનીઓએ કોઈ વ્યવહારિક સંશોધન કર્યું હતું? ના. તેમણે આ આગાહી સીધેસીધે વર્લ્ડવાઇલ્ડ લાઇફ ફંડ (ડબલ્યુડબલ્યુએફ)ના એક અહેવાલમાં ઉઠાવી હતી. તમને થશે કે ડબલ્યુડબલ્યુએફના નિષ્ણાતોએ હિમાલયના ગ્લેશિયર પર સંશોધન કર્યું હશે. ના, પચૌરી સાહેબ જેમ તેમનો અહેવાલ ઉઠાવ્યો તેમ આ નિષ્ણાતોએ પણ ઉઠાંતરી જ કરી હતી.

ડબલ્યુડબલ્યુએફએ આ વાત વર્ષ 1999માં 'ન્યૂ સાઇન્ટિસ્ટ' નામની એક લોકપ્રિય સામયિકમાંથી લીધી હતી. આ સામયિકમાં હિમાલયના ગ્લેશિયર પીગળી જવા સંબંધિત લેખ એક વિદેશી પત્રકાર ફ્રેડ પીયર્સે લખ્યો હતો અને પીયર્સ સાહેબના ગોટાળો એક દાયકા પછી પચૌરી સાહેબને ભારે પડ્યો છે. પીયર્સ મહોદય પત્રકાર છે, ગ્લેશિયોલોજિસ્ટ નથી. તેમને વર્ષ 2035માં હિમાલયના ગ્લેશિયર પીગળશે તેવી માહિતી ક્યાંથી મળી?

પીયર્સ મહોદયનું કહેવું છે કે, ''હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યાં છે તેવી જાણકારી હિંદુસ્તાનના એક સામયિકમાં વર્ષ 1999ના શરૂઆતના મહિનામાં જાણવા મળી હતી. તેમાં 'દલાલનગર' નવી દિલ્હીમાં સ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રસિદ્ધ ગ્લેશિયોલોજિસ્ટ અને સૈયદ ઇકબાલ હસનૈને દાવો કર્યો હતો કે 2035 સુધીમાં હિમાલયના મોટા ભાગના ગ્લેશિયર પીગળી જશે. તે પછી મારો રસ તે વિષયમાં વધ્યો. મેં ઇકબાલને ફોન કર્યો અને તેમનો નાનો ઇન્ટરવ્યૂ લીધો. પછી તે સ્ટોરી ન્યૂ સાઇન્ટિસ્ટને આપી. મેં આધાર રૂપે ઇકબાલ પાસે તેમના સંશોધનની એક નકલ માગી હતી, જે ઘણા સમય પછી મને મળી. પણ તેમાં વર્ષ 2035 સુધી ગ્લેશિયર પીગળી જશે તેવો કોઈ ઉલ્લેખ નહોતો. તેની અગાઉ અહેવાલ તો પ્રકાશિત થઈ ગયો હતો.'' હા, અહેવાલ પ્રકાશિત થઈ ગયો હતો. તે પછી સામયિકે આ અહેવાલ તથ્ય આધારિત નથી તેવો ખુલાસો કરવાની દરકાર લીધો નહોતી. પીયર્સ, સામયિક અને ઇકબાલ હસનૈન બધા આ ગોટાળાને ભૂલી ગયા. પણ તેમને ખબર નહોતી કે આ છબરડો એક દાયકા પછી છાપે અને બ્લોગે ચડશે.

'ન્યૂ સાઇન્ટિસ્ટ'માં વર્ષ 1999માં પ્રકાશિત એક લેખ પર વર્ષ 2005 સુધી કોઈની નજર ન પડી. તેના છ વર્ષ પછી ડબલ્યુડબલ્યુએફએ કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના ઉઠાંતરી કરી અને તેના બે વર્ષ પછી 2007માં પચૌરી એન્ડ આઇપીસીસીએ 'પર્યાવરણના પા' થવાની ઉતાવળમાં ડબલ્યુડબલ્યુએફએ ઉઠાંતરી કરેલા લેખની ઉઠાંતરી કરી.

પીયર્સ આ ગોટાળા માટે હસનૈનને જવાબદાર ઠેરવે છે, પણ હસનૈનની વાત જાણીએ તો તેઓ વધુ સાચા લાગે છે. હસનૈનનું આ વિવાદ વિશે કહેવું છે કે, ''મેં ફ્રેડ પીયર્સને હિમાલયના ગ્લેશિયર 2035માં પીગળી જશે તેવી વાત કરી જ નહોતી. અમારી વચ્ચે હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યાં છે અને આગામી 30થી 35 વર્ષમાં તેમાંથી ઘણા બધા પીગળી જશે તેવી વાતચીત થઈ હતી. તેમણે તેમની રીતે ગણતરી મારીને વર્ષ 2035ની સમયમર્યાદા લખી નાંખી. એટલું જ નહીં મોટા ભાગના ગ્લેશિયર પીગળી જશે તેવું પણ ઉમેરી દીધું. હકીકતમાં મોટા ભાગના ગ્લેશિયર અને ઘણા ગ્લેશિયર આ બંનેના અર્થમાં ઘણો ફરક છે.''

સૌથી મોટું આશ્ચર્ય કઈ બાબતનું છે જાણો છો? હસૈનન જે 'ધ એનર્જી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (ટેરી)ના ફેલો છે તેના પ્રમુખ પચૌરી મહોદય છે....!