Tuesday, March 31, 2009

વરુણ ગાંધી એટલે...


વાહ વાહ! મેનકા ગાંધીનો રાજકુમાર વરુણ છેવટે જેલમાં જઇને ચર્ચાના ચકડોળે ચડીને જ રહ્યો। છેલ્લાં પાંચેક વર્ષથી રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની નોંધ લેવાય તેવું વરુણબાબા ઇચ્છતાં હતાં. પણ નકારાત્મક અભિગમોની જ નોંધ લેવા ટેવાયેલા મીડિયાએ પાંચ વર્ષ વરુણબાબુની કવિતાઓ પર પણ ધ્યાન આપ્યું નહોતું એટલે કવિહ્રદયે પોતાનો બધી નિરાશા પીલીભીતમાં ઠાલવી દીધી હતી. પીલીભીતની ભીંતોમાં ભડાકા કરતાં વરુણ અંકલનો ભૂત થઈ ગયેલો થોડો કાળ જાણીએ.

ભાજપના સંજય ગાંધી બનવા થનગની રહેલાં વરુણ બાબાનો જન્મ વર્ષ 1980માં થયો છે। તેમણે ત્રણ મહિનાની ઉંમરે જ આક્રમક અને નસબંધી સ્પેશ્યાલિસ્ટ પિતા સંજય ગાંધીને એક વિમાન અકસ્માતમાં ગુમાવ્યાં હતા. તે પછી તેમની જીવદયાપ્રેમી માતા મેનેકા ગાંધીના સંવદેનશીલ હ્રદયને તે સમયના શક્તિશાળી મહિલા ઇન્દિરા બા સમજી શક્યાં નહીં કે પછી બાની વેદના મેનેકાજીને સ્પર્શી શકી નહીં. એ જે થયું હોય તે પણ ઇન્દુ બાના મગજનો પારો એટલો બધો ઊંચો ચડ્યો કે મેનેકાજીને ગાંધી પરિવારમાંથી સંન્યાસ લેવો પડ્યો. તે સમયે બાળવરુણની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી.

તે પછી વરુણ મેનેકા મૈયાની છત્રછાયામાં ઉછેર્યા. ઇંગ્લેન્ડમાં હેરો ઉપરાંત વરુણે થોડો સમય ઋષિ વેલીમાં અને દિલ્હીની બ્રિટિશ સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો. તેમની મોટાભાગની જવાની દિવાની દેશની બહાર જ પસાર થઈ છે. તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં અભ્યાસ કરવા ગયા હતા, જ્યાં તેમણે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન અને પબ્લિક પોલિસીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. પણ તેમના મૂળ વેદના-સંવેદનામાં રહ્યાં છે.
માતાની પશુ-પંખીઓ અને પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાના સંસ્કાર પુત્રહ્રદયમાં પણ ઉતર્યા। વરુણ કવિવર અટલબિહારી વાજપેયીની જેમ કવિતા કરવા લાગ્યાં. તે પરથી જ તેઓ ભાજપમાં પ્રવેશશે તેવા સંકેત મળ્યાં હતા.

રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલાં વરુણે એક પોર્ટોફોલિયો મેનેજમેન્ટ કંપની શરૂ કરી હતી। આ કંપની લોકોને રોકાણ કરવાની સલાહ આપતી હતી. પાછળથી વરુણે આ કંપની વેચી દીધી હતી. તેના મિત્રોનું કહેવું છે કે, વરુણનો જીવ મૂળે કવિનો છે એટલે જે લોકો રોકાણની સલાહ લેવા આવતાં તેમને વરુણની કવિતાનો મારો વધારે સહન કરવો પડતો હતો. આ વાત ધીમેધીમે ફેલાઈ ગઈ અને વરુણની મેનેજમેન્ટ કંપનીનું નામ સાંભળતા લોકો સમક્ષ કવિ અને કવિતાનું દ્રશ્ય ખડું થઈ જતું હતું. તે પછી તેમણે રાજકારણના મેદાનમાં ઝંપલાવ્યું હતું. તેમને કાદવની વચ્ચે ખીલેલા કમળમાં ખેંચી લાવ્યાં આનંદ-પ્રમોદ મહાજન.

ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારે વરુણે જેન્ટલમેનેની જેમ સોનિયા ગાંધી અને પિતરાઈ ભાઈ-બહેન રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીની ટીકા નહીં કરવાનું વચન આપ્યું હતું. પણ કહેવાતા હિંદુવાદી પક્ષ ભાજપમાં પ્રવેશની જાહેરાત કરવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જ વરુણબાબાએ વચનભંગ કરી રાજકારણી બનવાની યોગ્યતાનો પરિચય કરાવી દીધો હતો. તેમણે સોનું આન્ટી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ''મારી પાસે લેખિત ભાષણ તૈયાર છે, પણ હું તેને વાચીશ નહીં. નહીં તો તમે વિચારશો કે હું રીડર છું, લીડર નહીં.''
લોકસભાની ચૂંટણીમાં ભાજપનું સૂરસુરિયું થયું પછી વરુણનું કવિહ્રદયમાં વેદનાના વમણ સર્જાયા હતા અને તેમાંથી એક પુસ્તક પ્રકાશિત થયું હતું। હવે તેમણે કવિતાઓનું બીજું પુસ્તક પૂરું કરવા માટે સમય કાઢ્યો છે અને જેલમાં આ પુસ્તક પૂર્ણ કરવા સમય મળી જશે. આ સારું. જેલમાં જાવાનું, કવિતાઓ કરવાની અને પાછું ચૂંટણી પણ જીતી જવાની. (અત્યારે તેમની ચૂંટણી જીતવાની શક્યતા વધી ગઈ છે) ખરેખર પાક્કો ગાંધી!

વરુણબાબાને ચર્ચાના ચકડોળે ચડવા ઉપરાંત ચર્ચા-વિચારણા કરવાનો શોખ પણ છે। તે જાપાની લેખક હારુકી મુરાકામીની કૃતિઓ પર ચર્ચા કરવાનું પસંદ છે અને પોતાના મિત્રોને ચિમામંદા ન્ગોજી આદિશીના નવા પુસ્તક હોફ ઓફ યેલો સન વાંચવાની સલાહ આપે છે.

તમને થશે કે આટલું ભણેલો યુવાન અને કવિનું હ્રદય ધરાવતાં વરુણે તેના ભાષણમાં તેઝાબી શબ્દોનો ઉપયોગ કેમ કર્યો? શું તેને હિંદુઓ અને હિંદુત્વ પર ખરેખર પ્રેમ છે? આ વરુણબાબાના રાજકારણના પ્રયોગોની શરૂઆત છે। તેમને ન તો હિંદુઓ પર પ્રેમ છે ન હિંદુત્વ પર. તેઓ તો સંસદમાં પ્રવેશવા મારગ મોકળો કરી રહ્યાં છે.

પીલીભીત લોકસભા બેઠકનાં વિસ્તારમાં વિધાનસભાની પાંચ બેઠક આવે છે જેમાંથી ત્રણ બેઠક પર મુસ્લિમ ધારાસભ્યો છે. આ સંસદીય વિસ્તારમાં કુલ 15 લાખ મતદાતા છે જેમાં લગભગ 33 ટકા મુસ્લિમ મતદાતા છે. વરુણ સારી રીતે જાણે છે કે લોકસભાની છેલ્લી ચૂંટણીમાં વાજપેયી અને અડવાણી સહિત અનેક નેતાઓએ લીલી પાઘડી બાંધીને ફોટા પડાવ્યાં હતા તો પણ પક્ષને મુસ્લિમોને મત મળ્યાં નહોતા. એટલે તેણે પીલીભીતનાં મતદારોમાં કોમી ભાગલા જ પાડી દીધા. તેમાં પણ મુસ્લિમ મતદારોના મત બીએસપી, સમાજવાદી પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જશે. આ પ્રકારની ગણતરી વરુણબાબા અને ભાજપના આંકડાશાસ્ત્રીઓની છે.

Monday, March 30, 2009

માનવહ્રદયમાં સચ્ચાઈ કેમ પ્રગટાવવી ?


પ્રશાંત નિલયમમાં એક સુંદર ગીત ગવાય છે જે સચ્ચાઈ દ્વારા વૈશ્વિક શાંતિ વિકસાવી શકાય છે તેની વાત કરે છે:

જ્યારે હ્રદયમાં સચ્ચાઈ હોય છે,
ત્યારે ચારિત્ર્યમાં સૌંદર્ય પ્રગટે છે.
જ્યારે ચારિત્ર્યમાં સૌંદર્ય હોય છે,
ત્યારે ઘરમાં સંવાદિતા પ્રગટે છે.

જ્યારે ઘરમાં સંવાદિતા હોય છે,
ત્યારે રાષ્ટ્રમાં વ્યવસ્થા પ્રગટે છે.

જ્યારે રાષ્ટ્રમાં વ્યવસ્થા સ્થપાય છે,
ત્યારે વિશ્વમાં શાંતિ આવે છે.

અહીં આપણને હ્રદય, ચારિત્ર્ય, રાષ્ટ્ર અને વિશ્વ વચ્ચે અદભૂત સંવાદિતાનાં દર્શન થાય છે। માનવહ્રદયમાં સચ્ચાઈ કેમ પ્રગટાવવી ? આ જ માનવસર્જનનો હેતુ છે.

આપણામાંના મોટા ભાગના સ્વ સાથે, સમાજ સાથે અને વિશ્વ સાથે સંઘર્ષમય જીવતા હોવાના કારણે એક ભારે વિચિત્ર અને સંકુલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ। દરેક ક્ષણે આપણા મનમાં કઈ દિશામાં જવું તે બાબતે સંઘર્ષ જન્મે છે. જ્યારે દ્વંદ્વ જન્મે ત્યારે આપણે પરમ શક્તિ પાસેથી સચ્ચાઈના માર્ગે જવાનું ડહાપણ માગવું જોઇએ.

આપણે સમાજનાં બધાં પાસાંઓમાં સચ્ચાઈ ઊભી કરવાની છે। સમગ્ર સમાજ સચ્ચાઈવાળો બને તે માટે આપણે કુટુંબમાં, શિક્ષણમાં, વ્યવસાયમાં, કારકિર્દીમાં, ધંધા અને ઉદ્યોગમાં, જાહેર વહીવટમાં, રાજનીતિમાં, સરકારમાં, કાયદો અને વ્યવસ્થામાં તથા ન્યાયમાં, સચ્ચાઈ ઊભી કરવાની છે.

અગનપંખઃ નૈતિક મૂલ્યોનું યોગ્ય શિક્ષણ સમાજ અને દેશને પ્રગતિને પંથે લઈ જશે

લોભને જીતે તે સાચો શત્રુઘ્ન



કામ અને ક્રોધને ભારતીય શાસ્ત્રોમાં બાહ્ય દુશ્મનો ગણવામાં આવ્યાં છે. આપણને ન ગમે એવું કાંઇક આપણે જોઇએ, આપણને ન રુચે એવું કાંઇક સાંભળીએ, આપણા મગજથી વિરૂદ્ધ હોય એવું કાંઇક વર્તન જોઇએ તો તુરત જ આપણને ક્રોધ આવશે. ક્રોધ એ બહારનો દુર્ગુણ છે. એવી જ રીતે કામ. આપણે કોઇની સુંદરતાને જોઇએ, કોઈ પદાર્થને જોઇએ એટલે આકર્ષણ જાગશે અને આ આકર્ષણ એટલે કામ. કામ અને ક્રોધ બહારના દુશ્મન છે. પણ લોભ અંદરનો દુશ્મન છે.

કામ અને ક્રોધને મારે તે શૂરવીર જરૂર છે, પણ સાચો સાચો શૂરવીર તે તે અંદરના લોભને મારે। લોભ પર જે ઘા કરે એ સાચો શત્રુઘ્ન. લોભને જે જીતે તે સાચો શત્રુઘ્ન છે. લોભને જીતવો કઠિન છે. ઘણા માણસો સમાજમાં અત્યંત લોભી પ્રકૃતિના જોવા મળે છે. સુભાષિતકારો કહે છે કે, લોભીના પૈસા એ ગુજરી જાય પછી જ બીજાના હાથમાં જાય. એ જીવતો હોય ત્યાં સુધી એનો રૂપિયો બીજાના હાથમાં ન જાય. કંજૂસનો પૈસો બીજાના હાથમાં ન જાય.

લોભ બહુ કઠિન છે. પણ રૂપિયાનો લોભ કરે ત્યાં સુધી વાંધો નહીં. કેટલાંક તો વાણીનાય લોભ હોય છે. વાણી સરખી નથી બોલતા, દ્રષ્ટિના લોભી છે. સંકલ્પના લોભી છે. સારી વિચારધારાના કંજૂસ છે.

યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?


'શૂન્ય' પાલનપુરી

દુઃખમાં જીવનની લાણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌંદર્યની મજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

Friday, March 27, 2009

'જો કોંગ્રેસ ગાંધીનગરમાંથી ઉમેદવાર ઊભો રાખશે તો મલ્લિકા સારાભાઈને ડીપોઝિટ ગુમાવવી પડશે'


લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે। સત્તા જાળવવા કોંગ્રેસે 'જય હો'નો નારો બુલંદ કર્યો છે તો ભાજપે આઇપીએલને વિદેશમાં ખસેડવાની બાબતને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. માયાવતી દેશના વડાપ્રધાન બનવાનું શમણું સેવી રહ્યાં છે તો ચંદ્રાબાબુ નાયડુ સામે ચાલીને વડાપ્રધાનની રેસમાં નહીં હોવાનું કહી લોકોને હસાવી રહ્યાં છે. હજુ ગઈકાલ સુધી રામવિલાસ પાસવાનને ભોગવિલાસ પાસવાન કહેતાં લાલૂપ્રસાદ યાદવ હવે તેમને 'રામૂ ભૈયા, રામૂ ભૈયા' કહી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતના જાણીતા રાજકીય-આર્થિક વિશ્લેષક, કટારલેખક અને અમદાવાદની એચ. કે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર હેમંત શાહ સાથે થયેલી વાતચીત અહીં રજૂ કરવામાં આવી છેઃ

લોકસભાની આગામી ચૂંટણીના પરિણામોને લઇને વિવિધ અનુમાનો થઈ રહ્યાં છે. તમારું શું માનવું છે?
જુઓ, ભાજપ અને તેના સાથીપક્ષોના બનેલા એનડીએને સ્પષ્ટ બહુમતી મળે તેવી કોઈ શક્યતા નથી। કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, પણ તેને સ્પષ્ટ બહુમતી નહીં મળે તે લગભગ નક્કી વાત છે. ચૂંટણી પછી બે શક્યતા છે. એક શક્યતા એ છે કે, યુપીએ અને ત્રીજો મોરચો સાથે મળીને સરકાર બનાવી શકે છે. બીજી શક્યતા એ છે કે, ત્રીજો મોરચો અને યુપીએ-એનડીએમાંથી અત્યારે છૂટાં પડેલાં અને ચૂંટણી પછી તક જોઇને પલટી મારનારા પ્રાદેશિક પક્ષો ભેગા મળીને સરકાર બનાવી શકે છે.

એનડીએ સરકારને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર વહેતું મૂક્યું હતું ત્યારે રાજકીય પંડિતો એનડીએની સરકાર જ બનશે તેવું છાતી ઠોકીને કહેતાં હતા. પણ તેમાં એનડીએની નૈયા ડૂબી ગઈ હતી. તે અનુભવને આધારે કોંગ્રેસના 'જય હો' સ્લોગનને અત્યારે શંકાની નજરે જોવાઈ રહ્યું છે અને ક્યાંક કોંગ્રેસને ડૂબાડી ન દે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે.....
બંને સ્લોગનમાં ફરક છે. ઇન્ડિયા શાઇનિંગના સૂત્રમાં દેશમાં સુખ અને સમૃદ્ધિ આવી ગઈ છે તેવો પ્રચાર કરવામાં આવ્યો હતો જ્યારે વાસ્તવિકતા અલગ હતી. કોંગ્રેસનું 'જય હો' સ્લોગન ભારતની તાકાત દેખાડે છે. તેમાં ગરીબી દૂર કરવાનો કે જનતાને સુખી-સમૃદ્ધ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો નથી. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની તાકાતનો પરિચય કરાવવામાં આવ્યો છે.

કોંગ્રેસે વડાપ્રધાન તરીકે મનમોહન સિંઘને આગળ કર્યા છે તો ભાજપે લાલકૃષ્ણ અડવાણીને પ્રોજેક્ટ કર્યા છે. તમે વડાપ્રધાન તરીકે કોને જુઓ છો?
અત્યારે તો વડાપ્રધાન બનવાનો દાવો કોણ નથી કરતું। પણ એક બાબત સ્પષ્ટ છે કે, દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે તેનો આધાર કોંગ્રેસ કોને ટેકો આપશે અથવા કોંગ્રેસને કોણ ટેકો આપશે તેના પર રહેશે. એટલે આ મુદ્દો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોંગ્રેસ સામેલ રહેશે.

માયાવતી દેશના વડાપ્રધાન બનવા થનગની રહ્યાં છે. તેમની દાવેદારીમાં કેટલો દમ છે?
જો બહુજન સમાજ પક્ષ (બસપ)ને લોકસભાની 50 કરતાં વધારે બેઠક મળશે તો માયાવતીની દાવેદારી મજબૂત બની જશે। પણ પ્રશ્ન એ છે કે, શું લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ તેમને ટેકો આપશે? માયાવતીને વડાપ્રધાન બનવું હોય તો આ બંને નેતાનો ટેકો મેળવવો જરૂરી છે અને તે મળવાની શક્યતા અત્યંત ઓછી છે, સિવાય કે કોઈ ચમત્કાર થાય અને તેઓ ટેકો જાહેર કરે. આ પરિસ્થિતિમાં દેશને ફરી એક વખત વર્ષ 1996ની જેમ દેવગૌડા જેવા વડાપ્રધાન મળી શકે. દેશની જનતાએ જેની કલ્પના પણ ન કરી હોય તેવી વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે.

લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાથી ભાજપને ફાયદો થશે? સંસદમાં પક્ષની બેઠક વધશે?
લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાથી ભાજપને કદાચ નુકસાન થશે। બેઠકો વધવાને બદલે ઘટશે. જો વધે તો ખરેખર વિચિત્ર કહેવાય. હકીકતમાં તેમના નેતૃત્વની તાકાત અને વિશ્વસનિયતા છેલ્લાં પાંચ વર્ષમાં ઘટી છે. તેમણે ઝીણાની મઝાર પર જે વિધાનો કર્યાં હતા તેને જો કોંગ્રેસ યાદ કરે અને અહીં મજબૂત ઉમેદવાર ઊભો રાખે તો અડવાણીને આ વખતે મુશ્કેલી પડે તેમ છે.

અડવાણી કોંગ્રેસના વડાપ્રધાન પદના દાવેદાર મનમોહન સિંઘને નબળા વડાપ્રધાન ગણાવે છે. તેનાથી શું અસર પડશે?
મનમોહન સિંઘને કોઈ ફરક નહીં પડે. તેમને ક્યાં ચૂંટણી લડવાની છે. તેઓ માસ લીડર છે જ નહીં. વાત રહી લાલકૃષ્ણ અડવાણીના દાવાની તો તેઓ કઈ રીતે મનમોહન સિંઘને નબળા વડાપ્રધાન માને છે તેની સ્પષ્ટતા કરતાં નથી અથવા તો તેમની વાત લોકોને ગળે ઉતરતી નથી. તેમના આ પ્રકારના વિધાનોથી ખરેખર અડવાણીને નુકસાન થવાની શક્યતા વધારે છે, કારણ કે મનમોહન સિંઘની છબી સામાન્ય નાગરિકોમાં તો અત્યંત સારી છે. એટલું જ નહીં કોંગ્રેસ દાવો પણ કરી શકે છે કે એનડીએના શાસન સમયે ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક સુદર્શનને પૂછીને પાણી પીતું હતું.

મનમોહન સિંઘ રાજ્યસભામાંથી ચૂંટાયા હોય તેવા દેશના પહેલાં વડાપ્રધાન છે. પંજાબ કેસરીના સંપાદક અને જાણીતા રાજકીય સમીક્ષક અશ્વિનીકુમાર તેમજ કેટલાંક રાજકીય સમીક્ષકોનું માનવું છે કે, દેશની જનતા લોકસભાની ચૂંટણી માટે મતદાન કરે છે અને લોકસભામાં પ્રવેશ મેળવનાર નેતા જ વડાપ્રધાન બનવાને લાયક છે. તો શું કોંગ્રેસ એક ખોટી પરંપરા પ્રસ્થાપિત કરતી નથી?
કાયદામાં છીંડા હોય તેનો ફાયદો તમામ રાજકીય પક્ષો ઉઠાવે છે। કોંગ્રેસ પાસે એક યા બીજા કારણસર વર્ષ 2004માં મનમોહન સિંઘને વડાપ્રધાન બનાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો અને હવે તેમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા સિવાય કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. નૈતિકતાની દ્રષ્ટિએ રાજ્યસભાના ઉમેદવારને વડાપ્રધાન બનાવી કોંગ્રેસ એક ખોટો દાખલો બેસાડી રહી છે તેમાં કોઈ બેમત નથી, પણ ભારતીય બંધારણમાં જોગવાઈ છે કે, લોકસભા કે રાજ્યસભાનો સભ્ય વડાપ્રધાન બની શકે છે એટલે ટેકનિકલી કોંગ્રેસને તમે ખોટી ન કહી શકો. ચોક્કસ, કોંગ્રેસ નૈતિક બેઇમાની કરી રહી છે, પણ ચૂંટણીમાં નૈતિક ધોરણોને હવે કોઈ સ્થાન રહ્યું નથી.

રાહુલ ગાંધીને યુવા નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યાં છે. શું તેમનો પ્રભાવ મતદાતા પર પડશે?
હું તો માનતો નથી. રાહુલ ગાંધી કોંગ્રેસ માટે મત ખેંચી લાવવામાં બહુ સફળ થાય તેવું મને લાગતું નથી.

શું યુવાપેઢીને આગળ વધારવાના બહાને તમામ રાજકીય પક્ષો વંશવાદને પ્રોત્સાહન આપતાં નથી?
તે વાત સાચી છે, પણ ભારતીય જનતાએ આ વાસ્તવિકતા સ્વીકારી લેવી પડશે। અને આ પરિસ્થિતિ એકલાં ભારતમાં નથી. દુનિયાના વિવિધ દેશોમાં રાજકારણીઓના સંતાનો રાજકારણમાં પ્રવેશે છે તેમાં કોઈ નવાઈ નથી. અમેરિકામાં જ્યોર્જ બુશ સીનિયરના પુત્ર જૂનિયર જ્યોર્જ બુશ રાષ્ટ્રપ્રમુખ બન્યાં હતા. બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન અત્યારે અમેરિકાના વિદેશમંત્રી છે. પરિવારના સભ્યો રાજકારણમાં આવે છે તેમાં હવે બહુ ચોંકવા જેવું નથી.

ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો કેટલો અસરકારક રહેશે?
મોંઘવારીનો મુદ્દો આંશિક અસર કરશે, પણ તેનાથી લોકસભાના પરિણામો પર મોટા પાયે અસર જોવા નહીં મળે। એકંદરે મંદી છે. ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓના ભાવ ઊંચા છે. તેને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યા છે તેવો દાવો સરકાર જરૂર કરી શકે છે. સરકારે અર્થતંત્ર સુધારવા અને તેને વેગ આપવા રૂ. 60,000 કરોડનાં પેકેજ જાહેર કર્યાં છે.

યુપીએ સરકારનાં પ્લસ પોઇન્ટ ક્યાં?
મારી નજરે આ સરકારના ત્રણ પ્લસ પોઇન્ટ છે। એક, માહિતી અધિકારના કાયદાને મંજૂરી, જેણે વહીવટતંત્રમાં પારદર્શકતા માટેનો માર્ગ મોકળો કર્યો છે. બીજો પ્લસ પોઇન્ટ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી સુરક્ષા યોજના, જેનાથી ગ્રામીણ સ્તરે રોજગારીમાં વધારો થયો છે. ત્રીજો પ્લસ પોઇન્ટ, જંગલ-જમીનના અધિકારો આદિવાસીઓને આપ્યાં છે. જો કોંગ્રેસને આ મુદ્દા લોકો સમક્ષ રજૂ કરતાં આવડે તો તેનો તેને સારો ફાયદો મળી શકે છે.

ગુજરાત સંબંધિત પ્રશ્નો
ગુજરાતમાં લોકસભા બેઠકમાં કયા પક્ષને વધુ બેઠકો મળશે?
ભાજપની બેઠકો વધવાની શક્યતા છે, પણ કેટલી વધશે તે કહેવું મુશ્કેલ છે।

ભાજપે 15થી વધારે નવા ચહેરાને ટિકિટ આપી છે. નો-રિપીટ થીયરીથી તેને વિધાનસભાની ચૂંટણી જેવો ફાયદો થશે?
તે વિશે અનુમાન કરવું વધારે મુશ્કેલ છે। પણ એક વાત પાકી છે કે કોંગ્રેસ જો સારા ઉમેદવાર ઊભા રાખે તો ભાજપના નવા ચહેરાઓને મુશ્કેલી પડી શકે છે. ભાજપે વિશ્વાસુ કાર્યકરોને નારાજ કરી નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યાં છે એટલે આંતરિક જૂથબંધીનો પ્રશ્ન સતાવશે તે વાત નક્કી છે.

કોંગ્રેસનું ચિત્ર વધુ નબળું દેખાઈ રહ્યું છે તેની પાછળનું કારણ?
કોંગ્રેસ પાસે સારા નેતા છે, પણ હાઈ કમાન્ડને ગુજરાતમાં કોઈ નેતાને આગળ કરવામાં બહુ રસ હોય તેવું દેખાતું નથી। અર્જુન મોઢવાડિયામાં નેતૃત્વક્ષમતા છે, પણ આંતરિક જૂથબંધીના અભાવે કદાચ તેમને આગળ વધવામાં મુશ્કેલી પડતી હોય તેવું લાગે છે. અહીં ભાજપ મજબૂત છે તેના કરતાં કોંગ્રેસ નબળી છે તે કહેવું વધારે ઉચિત છે. કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા જૂથબંધી છે.

નરેન્દ્ર મોદીનો કરિશ્મા લોકસભાની ચૂંટણીમાં જળવાઈ રહેશે?
તેમના વ્યક્તિત્વની મતદારો પર હકારાત્મક અસર છે તેમાં કોઈ બેમત નથી। પણ તેઓ 26 બેઠક પર ભાજપને વિજય મળશે તેવો દાવો કરે છે તે વધારે પડતો છે.

ભાજપે સહકારી બેન્કોના કૌભાંડોમાં સંડાવાયેલા લોકોને ટિકિટ આપી તેનાથી પક્ષની ઇમેજને ફટકો નહીં પડે?
ચોક્કસ. હજારો થાપણદારોનાં કરોડો રૂપિયા ડૂબાડનાર લોકોને ટિકિટ આપવાથી જે તે વિસ્તારમાં ભાજપને ફટકો પડશે. પ્રજા બધું સમજે છે. તેની નજરમાં બધું છે.

કાશીરામ રાણા, વલ્લભ કથીરિયા અને રતિલાલ વર્મા જેવા નેતાઓને કાપી નાંખવાથી ભાજપને નુકસાન થશે?
આ લોકો પક્ષના પાયાના કાર્યકર્તા હોવાની સાથે માસ લીડર હતા। એટલે તેમને દૂર કરવાથી થોડુંઘણું નુકસાન તો થવાનું જ, પણ ચોક્કસ કેટલું નુકસાન થશે તેનો આધાર કોંગ્રેસના ઉમેદવારો પર છે.

રાહુલ ગાંધીએ છેલ્લાં થોડા સમયમાં ગુજરાતના પ્રવાસે ત્રણેક વખત આવ્યાં છે. તેનાથી કોઈ ફરક પડશે?
રાહુલ ગાંધી યુવાનાનો આકર્ષવામાં જરૂર સફળ રહ્યાં છે, પણ તેઓ રાહુલ ગાંધીથી પ્રભાવિત થઇને કોંગ્રેસને મત આપશે કે નહીં તે તો ચૂંટણી પછી જ ખબર પડે। મારું માનવું છે કે, થોડો ફરક પડી શકે છે.

ગુજરાતમાં ભાજપના વીક પોઇન્ટ અને પ્લસ પોઇન્ટ?
ભાજપનો વીક પોઇન્ટ તેના નબળાં ઉમેદવારો છે અને પ્લસ પોઇન્ટ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ છે। તે પોતાની વાત સરળતાથી લોકોને ગળે ઉતારી શકે છે.

કોંગ્રેસના વીક પોઇન્ટ અને પ્લસ પોઇન્ટ?
કોંગ્રેસનો વીક પોઇન્ટ રાજ્ય કક્ષાએ મજબૂત નેતાનો અભાવ અને પ્લસ પોઇન્ટ ભાજપના નબળા અને કૌભાંડી ઉમેદવારોથી લોકોમાં જોવા મળતી નારાજગી। કોંગ્રેસને તેનો લાભ લેતાં આવડે તો લઈ શકે છે.

મલ્લિકા સારાભાઈએ લાલકૃષ્ણ અડવાણી સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમને વિજય મળવાનો આત્મવિશ્વાસ છે....
જો કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખશે તો મલ્લિકા સારાભાઈ ડીપોઝિટ પણ ગુમાવશે અને કોંગ્રેસ ટેકો આપશે તો પણ લાલકૃષ્ણ અડવાણીને બહુ વાંધો નહીં આવે। અહીં અડવાણીને મજબૂત રાજકીય ઉમેદવાર જ લડત આપી શકે.

देश को एक आमूल परिवर्तन की आवश्यकता है


क्रान्ति से हमारा अभिप्राय है-अन्याय पर आधारित मौजूदा समाज-व्यवस्था में आमूल परिवर्तन. समाज का प्रमुख अंग होते हुए भी आज मजदूरों को उनके प्राथमिक अधिकार से वंचित रखा जा रहा है और उनकी गाढी कमाई का सारा धन शोषक पूंजीपति हडप जाते है. दूसरों के अन्नदाता किसान आज अपने परिवार सहित दाने-दाने के लिए मुहताज है. दुनियाभर के बाजारों को कपडा मुहैया करनेवाला बुनकर अपने तथा अपने बच्चों के तन ढकनेभर को भी कपडा नहीं पा रहा है. सुन्दर महलों का निर्माण करनेवाले राजगीर, लोहार और बढई स्वयं गन्दे बाडों में रहकर ही अपनी जीवन-लीला समाप्त कर जाते है. इसके विपरीत समाज के शोषक पूंजीपति जरा-जरा सी बातों के लिए लाखों का वारा-न्यारा देते है.

यह भयानक असमानता और जबर्दस्ती लादा गया भेदभाव दुनिया को एक बहुत बडी उथल-पुथल की ओर लिये जा रहा है. यह स्थिति अधिक दिनों तक कायम नहीं रह सकती. स्पष्ट है कि आज का धनिक समाज एक भयानक ज्वालामुखी के मॅुख पर बैठकर रंगरेलिया मना रहे है और शोषकों मासूम बच्चे तथा करोडों शोषित लोग एक भयानक खडृ की कगार पर चल रहे है.

सभ्यता का प्रासाद यदि समय रहेते संभाला न गया तो शीध्र ही चरमराकर बैठ जायेगा. देश को एक आमूल परिवर्तन की आवश्यकता है. जब तक यह नहीं किया जाता और मनुष्य द्वारा मनुष्य का तथा एक राष्ट्र द्वारा दूसरे राष्ट्र का शोषण समाप्त नहीं कर दिया जाता तब तक मानवता को उसके कलेशों से छूटकारा मिलना असम्भव है, और तब तक युद्धों को समाप्त कर विश्व-शान्ति के युग का प्रार्दुभाव करने की बातें महज ढोंक के अतिरिक्त और कुछ भी नहीं है. क्रान्ति से हमारा मतलब अन्ततोगत्वा एक ऐसी समाज-व्यवस्था की स्थापना से है जो इस प्रकार के संकटो से बरी होगी और जिसमें सर्वहारा वर्ग का आधिपत्य सर्वमान्य होगा. और जिसके फलस्वरूप स्थापित होनेवाला विश्व-संघ पीडित मानवता को पूंजीवाद के बन्धनों से और साम्राज्यवादी युद्ध की तबाही से छुटकारा दिलाने में समर्थ हो सकेगा.

यह है हमारा आदर्श. और इसी आदर्श से प्रेरणा लेकर हमने एस सही तथा पुरजोर चेतावनी दी है. लेकिन अगर हमारी इस चेतावनी पर ध्यान नहीं दिया गया और वर्तमान शासन-व्यवस्था उठती हुई जनशक्ति के मार्ग में रोडे अटकाने से बाज न आयी तो क्रान्ति के इस आदर्श की पूर्ति के लिए एक भयंकर युद्ध को छिडना अनिवार्य है. सभी बाधाओं को रौंदकर आगे बढते हुए उस युद्ध के फलस्वरूप सर्वहारा वर्ग के अधिनायकतन्त्र की स्थापना होगी. यह अधिनायकतन्त्र क्रान्ति के आदर्श की पूर्ति के लिए मार्ग प्रशस्त करेगा. क्रान्ति मानवजाति का जन्मजात अधिकार है जिसका अपहरण नहीं किया जा सकता. स्वतंत्रता प्रत्येक मनुष्य का जन्मसिद्ध अधिकार है. इन आदर्शो के लिए और इस विश्वास के लिए हमें जो भी दण्ड दिया जायेगा, हम उसका सहर्ष स्वागत करेंगे. क्रान्ति की इस पूजा-वेदी पर हम अपना यौवन नैवैध के रुप में लाये है, क्योंकि ऐसे महान आदर्श के लिए बडे-से-बडा त्याग भी कम है. हम सन्तुष्ट है और क्रान्ति के आगमन की उत्सुकतापूर्वक प्रतीक्षा कर रहे है.

इन्कलाब जिन्दाबाद !

Wednesday, March 25, 2009

એન્ડ ધ વિનર ઇઝ....




સાચો જવાબઃ પ્રતિમા લાલબહાદુર શાસ્ત્રીની છે અને તે કાંકરિયા તળાવની પાળ પર સ્થિત છે.
વિજેતાઃસપના વ્યાસ

સમયમર્યાદા પૂર્ણ અને ઇનામની જાહેરાતનો સમય આવી ગયો। બે સારા આશય સાથે આ ઇનામી સ્પર્ધા રાખવામાં આવી હતી. એક, પ્રામાણિક વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની યાદ તાજી કરવા અને બે, જ્ઞાનની પરબ સમાન પુસ્તકો વિશે લોકોમાં રસ વધારવા. આ સ્પર્ધા રાખવા વિશે આર આર શેઠના ચિંતનભાઈને વાત કરી ત્યારે તેમણે સહર્ષ વધાવી લીધી હતી.

આ સ્પર્ધા રાખી ત્યારે દરેક બાબતને વ્યાવસાયિકતાના ત્રાજવે તોલતાં અને નકારાત્મક અભિગમ ધરાવતા લોકોએ બ્લોગમાં હિટ અને આર આર શેઠના ગ્રાહકોની સંખ્યા વધારવા માટેની વ્યૂહરચના કહી હતી। આર આર શેઠ કંપનીને ગ્રાહકોની સંખ્યા વધારવા માટે મારા બ્લોગની મદદ લેવાની કોઈ જરૂર નથી. ગુજરાતમાં પુસ્તકોનું સારામાં સારું માર્કેટિંગ કરવા અને પુસ્તકોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા બદલ આર આર શેઠ પ્રકાશનને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેનું એક જ ઉદાહરણ આપું. આર આર શેઠે ત્રણેક વર્ષ પહેલાં સુધા મૂર્તિના અનુવાદિત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે જેની અત્યાર સુધીમાં 80,000થી વધારે નકલનું વેચાણ થયું છે. ઉત્તમ પ્રકાશનોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આર આર શેઠ કંપનીની કુશળતા ગુજરાતી સહિત રાષ્ટ્રીય પ્રકાશકોમાં જાણીતી છે.

મને પુસ્તકોના પ્રચારપ્રસારનો શોખ છે અને લાલબહાદુર શાસ્ત્રી પ્રત્યે અત્યંત આદર છે। શાસ્ત્રીજીનું તાશ્કંદમાં અવસાન થયું તે પછી તેમના પત્ની લલિતા દેવીને વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું હતું. શાસ્ત્રીજી પાસે પ્રામાણિકતાની મૂડી હતી. આપણી યુવાન પેઢીના વ્યવહારુ લોકોને આવી પ્રામાણિકતાની વાતો બિલકુલ પસંદ નથી. સત્તા પર હોય ત્યારે થોડુંઘણું તો ઘર માટે ભેગું કરવું જ જોઇએ. આવી વાતો તો સહજતાથી સંભળાય છે ત્યારે શહીદ ભગતસિંહ જે દેશ માટે બલિદાન આપી ગયા તે દેશમાં જ રહીએ છીએ એવો વિશ્વાસ જ બેસતો નથી. અત્યારના રાજકારણીઓ તો ભાડાના મકાનમાં રહેતાં હોય ત્યારે વિધાનસભા કે સંસદમાં પ્રવેશે છે અને પ્રજાના રૂપિયે તાગડધિન્ના કરી રાજા-મહારાજાના મહેલ કરતાં પણ ચડિયાતા બંગલા બનાવી તેમની સાત નહીં સિત્તેર પેઢીનું ભેગું ન કરે ત્યાં સુધી આ દુનિયાને રામરામ પણ કરતાં નથી.

શાસ્ત્રીજીની યાદ ગણ્યાંગાઠ્યાં લોકોમાં પણ તાજી થાય તેવો આશય આ સ્પર્ધા પાછળ હતો. બાકી સ્પર્ધાને વ્યાવસાયિક રંગ આપવો હોત તો કોઈ જાણીતી અભિનેત્રીનો જ ફોટો મૂકી તેનું નામ જણાવવાનું કહી દેત.
આ સ્પર્ધાનો સાચો કે ખોટો જવાબ આપનાર તમામ લોકોનો આભાર માનીએ છીએ. કુલ 78 જવાબ પ્રાપ્ત થયા હતા. તેમાંથી માત્ર બેના જવાબ સંપૂર્ણ સાચા છે. એક છે ઇકોનોમિક ટાઇમ્સના સીનિયર રીપોર્ટર હિમાંશુ દરજી અને બીજા એક બહેન દિવ્ય ભાસ્કરમાં કાર્યરત યુવાન પત્રકાર સપના વ્યાસ. 25 જવાબ અડધા સાચા મળ્યાં હતા. જે લોકોએ અડધા જવાબ સાચા આપ્યાં છે તે બધાએ લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે ક્યાં સ્થિત છે તે વિશે જણાવી શક્યા નહોતા. જે લોકોના જવાબ સાચા નથી તેમનાં મોટાભાગના લોકોએ પ્રતિમા ઇન્દુલાલ યાજ્ઞિકની હોવાનું જણાવ્યું હતું.

Monday, March 23, 2009

જે ધર્મ માણસને માણસથી જુદો કરે તે ધર્મ મારો ન હોઈ શકેઃ ભગતસિંહ


આજે 23 માર્ચ. શહીદ દિવસ. 23 માર્ચ, 1931ના રોજ ધોળા અંગ્રેજોએ (કાળા અંગ્રેજો અત્યારે આપણી પર રાજ કરી રહ્યાં છે) ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે લટકાવી દીધા હતા. આ ત્રણેય શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો આજે દિવસ છે. હકીકતમાં અત્યારે ભારતમાં સૌથી વધુ જરૂર ભગતસિંહે રજૂ કરેલા ધર્મને અપનાવવાની છે. મંદિરે મહાદેવને બે લોટા પાણી ચડાવવાથી પાર્વતી મૈયા ખુશ થઈ જતાં નથી, પણ મંદિરે ગયા વિના પણ જો તમે તમારી આસપાસના લોકો સાથે પ્રેમ અને નિષ્કપટતાથી વર્તો તો શંકર-પાવર્તી ખુશ જ રહે છે. અહીં ભગતસિંહ અને તેમના સાથી ક્રાંતિકારી ફણીન્દ્રનાથ વચ્ચે ધર્મ અને ઇશ્વર સંબંધિત વાતચીત રજૂ કરી છે, જે સાચો ધર્મ શું છે તેનો માર્ગ ચીંધે છેઃ

ફણીન્દ્રઃ આ મિથ્ય જગતની માયાજાળથી દૂર રહીને આપણે ક્રાંતિકારીઓએ નિષ્કામ ભાવ સાથે આપણું કર્તવ્ય કરવાનું છે। સફળતા અને નિષ્ફળતા તો સર્વશક્તિમાન પરમપિતાના હાથમાં છે. જો તે ભારતને હજુ થોડા વધારે દિવસ ગુલામ રાખવા માગતો હશે તો દુનિયાની કોઈ તાકાત આપણા દેશને આઝાદ નહીં કરાવી શકે. ઇશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી. બધું તેની ઇચ્છાથી જ થાય છે અને આપણે બધા રાખમાંથી બનેલા તેના રમકડાં છીએ.

ભગતસિંહઃ તમારો માર્ગ કર્મયોગથી વિપરીત છે। તમને કર્મ કરતાં ભાગ્ય પર ભરોસો વધારે છે. તમે નિષ્કામ કર્મની આડમાં ભાગ્યવાદના નામે દેશના નવયુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. તેમને કર્મથી વિચલિત કરી રહ્યાં છો. આ માર્ગ કયારેય મારો ન હોઈ શકે. તેના પર હું ક્યારેય ન ચાલી શકું. જે લોકો આ જગતને મિથ્યા સમજે છે, આ દેશ અને તેમાં રહેતાં ભાઈ-બહેનોને માયાજાળ ગણે છે, તેઓ ક્યારેય આ દુનિયાની ભલાઈ કે દેશની આઝાદી માટે પ્રામાણિકતાથી લડી શકતાં નથી. જે મિથ્યા છે તેના માટે સંઘર્ષ કેવો?

હું આ જગતને મિથ્યા માનતો નથી। મારો દેશ માયાજાળ નથી, તે એક જીવંત વાસ્તવિકતા છે અને તેને હું પ્રેમ કરું છું. મારા માટે આ ધરતી સિવાય બીજી કોઈ દુનિયા નથી અને બીજું કોઈ સ્વર્ગ નથી. તે સાચું છે કે, અત્યારે કેટલાંક વ્યક્તિઓએ પોતાના અંગત સ્વાર્થને સંતોષવા આ ધરતીને નર્ક બનાવી દીધી છે. પણ તેના કારણે આ જગતને મિથ્યા જાહેર કરી મૂળ સમસ્યાનું સમાધાન કરવાના બદલે તેની સામેથી મોં ફેરવી લેવાથી કોઈ સારું કામ નહીં થાય. શોષકો અને પોતાના જ ભાઈ-બહેનોને ગુલામ બનાવતાં નરાધમોને ખતમ કરી આપણે આ પવિત્ર ભૂમિ પર ફરીથી સ્વર્ગની સ્થાપના કરવી પડશે.

તમે સર્વશક્તિમાન ઇશ્વરની વાત કરો છો। તમારો ભગવાન સર્વશક્તિમાન છે તો પછી અન્યાય, અત્યાચાર, ભૂખ, ગરીબી, શોષણ, અસમાનતા, ગુલામી, હિંસા અને યુદ્ધ વગેરે સમસ્યાનો અંત કેમ લાવી દેતો નથી? આ બધી સમસ્યાનો અંત કરવાની શક્તિ ધરાવતો હોવા છતાં જો તે માનવતાને આ અભિશાપોમાંથી મુક્ત ન કરે તો ચોક્કસ તેને સારો ભગવાન ન કહી શકાય અને જો તેનામાં આ બધી સમસ્યા દૂર કરવાની શક્તિ ન હોય તો તેને સર્વશક્તિમાન ન કહી શકાય. જો તે આ બધું પોતાની લીલા દેખાડવા કરતો હોય તો પછી કહેવું પડશે કે તે નિઃસહાય, લાચાર વ્યક્તિઓને તડફાવી-તડફાવીને મજા લેતી ક્રૂર સત્તા છે અને લોકોના હિત માટે ઝડપથી તેનો અંત આવી જાય તે જ ઉત્તમ છે. કેટલાંક સત્તાધારી શોષકો સામાન્ય માણસોને ભ્રમમાં નાંખવા માટે ભાગ્યવાદ, ઇશ્વરવાદ વગેરેનો ઉપયોગ કરે છે અને આ બધા વાદ એક પ્રકારનું વિષ છે.

ફણીન્દ્રઃ તો શું તમે ધર્મ અને અધર્મમાં કોઈ ફરક નથી કરતાં?
ભગતસિંહઃ તમે ધર્મની વાત કરો છો, પણ ધર્મ એટલે શું તે બાબત સ્પષ્ટ કેમ કરતાં નથી? મારું માનવું છે કે, અત્યાર સુધી મોટા ભાગના ધર્મોએ મનુષ્યોને જોડાવાને બદલે તોડવાનું કામ કર્યું છે, મનુષ્યોને માંહેમાંહે લડાવ્યાં છે। કદાચ ધર્મ સિવાય અન્ય કોઈ બાબતે મનુષ્યોની વચ્ચે આટલું બધું વિષ ઘોળ્યું નથી. સાચી વાત તો એ છે કે આ ધરતી ધર્મના કારણે જ નરક બની ગઈ છે. જે ધર્મ માણસને માણસથી જુદો કરે, પ્રેમને બદલે એકબીજા પ્રત્યે ધૃણા કરવાનું શીખવાડે, અંધવિશ્વાસોને પ્રોત્સાહન આપી લોકોના બૌદ્ધિક વિકાસમાં બાધક બને, મનુષ્યની વિચારવાની શક્તિ જ શોષી લે, તે ક્યારેય મારો ધર્મ ન બની શકે. જે મનુષ્યને સુખી બનાવી શકે, સમાનતા, સમૃદ્ધિ અને ભાઈચારાના માર્ગ પર એક પગલું આગળ લઈ જઈ શકે, તે જ સાચો ધર્મ છે.

સાવ સીધી વાત કહું તો આ ધરતી અને આ ધરતી પર ભારતની પવિત્ર ભૂમિ મારું સ્વર્ગ છે, તેમાં રહેતી દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય મારો ભગવાન છે। અને ભગવાનને ભગવાન સાથે લડાવી મારા સ્વર્ગને નર્ક બનાવતી શક્તિઓને ખતમ કરી મનુષ્યને વર્ગ વિનાના સમાજ તરફ આગળ વધારતો દરેક પ્રયાસ, દરેક પગલું મારો ધર્મ છે.

ફણીન્દ્રઃ આ ધરતીને સ્વર્ગ બનાવવા અનેક દેવદૂતો આવ્યાં અને હારીને, થાકીને ચાલ્યાં ગયા। હવે તું આવ્યો છે, એટલે બે-ચાર દિવસમાં તારાં જુસ્સાની પણ ખબર પડી જશે. અંતે તો હોઈ હૈ સોઈ, જો રામ રચિ રાખો.

ભગતસિંહઃ ફણીદા, મારી જિંદગી કદાચ બે-ચાર દિવસની હોઈ શકે, પણ મારો જુસ્સો છેલ્લા શ્વાસ સુધી મારો સાથ નહીં છોડે, તેનો મને વિશ્વાસ છે। આવતીકાલે કદાચ હું ન હોઉં તો પણ મારો જુસ્સો દેશનો જુસ્સો બનીને સામ્રાજ્યવાદી શોષકોનો પીછો અંત સુધી કરતો રહેશે. મને મારા દેશના ભવિષ્ય પર વિશ્વાસ છે. મને મનુષ્યના પરાક્રમ અને સામર્થ્ય વિશ્વાસ છે, એટલે હું આશાવાદી છું. તમે દરેક બાબત માટે ભગવાન સામે નજર કરો છો, એટલે તમે ભાગ્યવાદી છો, નિરાશાવાદી છો. ભાગ્યવાદ કર્મ નહીં કરવાનો એક માર્ગ છે, નિર્બળ, કાયર અને પલાયનવાદી વ્યક્તિઓનું અંતિમ શરણ છે.

રહી વાત દેવદૂતોની, તો તેમણે જો ધરતીને સ્વર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો હોત તો દુનિયા આજે જેવી છે તેવી કદાચ ન હોત। દેવદૂતોએ ધરતીને બદલે આકાશમાં સ્વર્ગમાં બનાવ્યું. આજનો મનુષ્ય હવામાં મહેલ બનાવવા માગતો નથી. તેણે પોતાના સ્વર્ગનો પાયો આ જ ધરતી પર નાંખવાની શરૂઆત કરી દીધી છે.

(હવેથી નિયમિતપણે ભગતસિંહના વિચારો, લખાણ અને પત્રો ગુજરાતી અને હિંદી બંને ભાષામાં પ્રગટ કરવામાં આવશે)

Sunday, March 22, 2009

કનૈયાલાલ મુનશીની 'કૃષ્ણાવતાર'માં મહાન નવલકથા કે યુગકથાના એંધાણ નથીઃ યશવંત મહેતા


'હું તો કલમજીવી લેખક છું.' આ શબ્દો છે ગુજરાતનાં જાણીતા રાજકીય વિશ્લેષક, સાહિત્યકાર અને બાળસાહિત્યના અકાદમીના પ્રમુખ યશવંત મહેતાના. તેમના નિવાસસ્થાને શનિવારે થયેલી વાતચીતઃ

અત્યારે શું વાંચો છો?
ઉત્તમ ગજ્જર સંપાદિત 'ગુજરાતની અસ્મિતા.' આ પુસ્તક કિમ એજ્યુકેશન સોસાયટીએ પ્રકાશિત કર્યું છે. પુસ્તકોનું વાચન છેલ્લાં થોડા સમયથી ઓછું થયું છે, પણ નિયમિત રીતે બાળસાહિત્યના પુસ્તકો મળતાં રહે છે.

તમારી મનપસંદ લેખનશૈલી?
નવલકથા। જોકે છેલ્લાં દસ-બાર વર્ષથી એક પણ નવલકથાનું સર્જન થયું નથી. પણ મારે એટલું જરૂર કહેવું છે કે કોઈ પણ સર્જકની શૈલી સરળ હોવી જોઇએ. ગાંધીજી કહેતા હતાં કે, કોસિયો પણ સમજી શકે તેવી ભાષામાં લખો. તમારે સમાજના છેવાડાના માણસ માટે લખવાનું છે. મારું લખાણ સીધું, સરળ અને સ્પષ્ટ હોય છે. મને વ્યર્થ વિસ્તાર કરવો ગમતો નથી અને સામાન્ય માણસને ન સમજાય તેવું ક્લિષ્ટ લખાણ જાણીજોઇને લખવું ગમતું નથી.

એવી કોઈ રચના જે તમને બહુ પસંદ હોય અને તેના જેવી કૃતિનું સર્જન કરવાની ઇચ્છા હોય?
ડેફની દુ મોરિયરની રીબેકા। મેં 1960-61માં વાચી હતી. મને બહુ પસંદ પડી હતી અને રીબેકા જેવી કૃતિનું સર્જન કરવાની ઇચ્છા થઈ હતી. મેં તેનું 'લોપા' નામે રૂપાંતરણ કર્યું છે અને તેની તે સમયે 1,750 નકલો પ્રકાશિત થઈ હતી. જોકે તેનો યશ હું લેવા માગતો નથી, કારણ કે તે સમયનું વાતાવરણ જુદું હતું. કોલેજના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને સરકારી કર્મચારીઓને વાચનનો શોખ ધરાવતા હતા।

ગુજરાતી ભાષામાં એવી સાહિત્યકૃતિ છે જેને જોઇએ તેવો આવકાર ન મળ્યો હોય?
દિલીપ રાણપુરાની નવલકથા 'સૂકી ધરતી સુકા હોંઠ.' એક આદર્શવાદી શિક્ષક ઝાલાવાડના અંતરિયાળ ગામડાંમાં જાય છે. પછી તેનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અધઃપતન થાય છે. એક સિદ્ધાંતવાદી યુવાન પશુ બની જાય છે. માણસના નૈતિક મૂલ્યનાં હ્રાસની આ કથા વિશ્વના કામૂ, બેકેટ જેવા લેખકોના સર્જનની તોલે આવી શકે. જો તેનું રૂપાંતરણ થાય તો તે વિશ્વની શ્રેષ્ઠ કૃતિમાં સ્થાન મેળવી શકે. પણ ગુજરાતી વિવચકોએ તેની જાણીજોઇને નોંધ સુદ્ધા લીધી નહોતી. ગુજરાતી સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદનું ઇનામ પણ મળ્યું નહોતું.

ગુજરાતી ભાષાની એવી સાહિત્યકૃતિ જેને વધુ પડતો આવકાર અને વધારે પ્રસિદ્ધિ મળી?
કનૈયાલાલ મુનશીની 'કૃષ્ણાવતાર.' તેમાં મહાન નવલકથા કે યુગકથાના એંધાણ નથી. માત્ર મહાભારતની વાતોનું પુનરાવર્તન છે અને તે પણ ઉચ્ચ કક્ષાના અર્થઘટન વિના. તેમાં માત્ર રજૂઆતની શૈલી બદલી મહાભારતની કથા કહી દેવામાં આવી છે. મુનશીના અન્ય નાટકો, 'પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ'માં જે સર્જનશીલતા દેખાય છે તેવી સર્જનાત્મકતા કૃષ્ણાવતારમાં દેખાતી નથી.

બીજી રઘુવીર ચૌધરીની 'અમૃતા.' તેની બિનજરૂરી પ્રશંસા થઈ છે અને વધુ પડતી પ્રસિદ્ધિ મળી ગઈ છે. હકીકતમાં સામાન્ય વાચકને પણ ખબર પડે છે કે તે અસ્વાભાવિક કૃતિ છે. તેમાં રૂપકો, અલંકારો અને કલ્પનો મારીમચડીને બેસાડવામાં આવ્યાં છે.

સાહિત્યમાં પારિતોષિકનું કેટલું મહત્વ?
ઘણું મહત્વ. તેનાથી સર્જકને પ્રોત્સાહન મળે છે। મને યાદ છે કે, વર્ષ 1964માં 26 વર્ષની વયે મને મારા પ્રથમ પુસ્તક 'પારખીનાં પૈડા' માટે ગુજરાત સરકારના બાળ વિભાગનું પારિતોષિક મળ્યું હતું. પારિતોષિકથી સર્જકમાં આત્મવિશ્વાસ વધે છે. તેનું પુસ્તક પ્રકાશિત થાય તે તેની પહેલી માન્યતા છે જ્યારે પારિતોષિક તે
સારા સર્જક અને સારા સર્જનની મહોર મારે છે.

મનપસંદ સાહિત્યકાર?
ગુજરાતી સાહિત્યકારોમાં ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, જયભિખ્ખુ (શૈલી માટે), ચંદ્રકાંત ભટ્ટ (વિષય અને શૈલી માટે). વિદેશી સાહિત્યકારોમાં ડેફની દુ મોરિયર, એલેરી ક્વિન (રહસ્યકથા), દોસ્તોવસ્કી.

સૌથી વધારે પસંદ હોય તેવી પાંચ કૃતિ?
રીબેકા - ડેફની દુ મોરિયર
ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ - દોસ્તોવસ્કી
માદમ બોવેરી - ગુસ્તાવ ફ્લૂબર્ટ
ધ જંગલ - અપ્ટોન સિંકલેર
સોરઠ તારાં વહેતા પાણી - ઝવેરચંદ મેઘાણી

અત્યારે કોઈ સાહિત્યિક સર્જન કરો છો?
નવલકથા લખાતી નથી. દર અઠવાડિયે રહસ્યકથા લખું છું. ચિંતનાત્મક કોલમ લખું છું.

સાહિત્ય એટલે?
માનવીમાત્રમાં ઊર્ધ્વગામિતાની, કાંઇક ઊંચું ઊઠવાની ઝંખના હોય છે. તેને પોષતું શબ્દરૂપી તત્વ એટલે સાહિત્ય. દરેક વ્યક્તિ પ્રગતિ કરવા ચાહે છે અને તેને પૂર્ણ કરવા સાહિત્ય ઉત્તમ માધ્યમ (સાધન) છે.

યહ તો ઘર હૈ પ્રેમ કા, ખાલાકા ઘર નાહિં


ભક્તિનો મારગ છે શૂરાનો। નાનકે, કબીરે બધાએ કહ્યું કે, આ તો ભક્તિનો મારગ છે, આ તો શૂરાપૂરાનો મારગ છે, આ તો કુરબાની આપવાનો મારગ છે, કંઈ માસીનું ઘર નથી. યહ તો શીશ દે લે જાય, જે માથાં આપવાની તૈયારી કરે એ ભક્તિ કરી શકે. કાંઈ પાંચ મિનિટમાં ભક્તિ થઈ જાય?

અત્યારે તો બધા બોર્ડ મારે છે કે દશ મિનિટમાં સાક્ષાત્કાર। પંદર મિનિટમાં ધ્યાન અને વીસ મિનિટમાં પ્રાપ્તિ. હવે આ ધ્યાન કેવું લાગતું હશે! ભગવાન જાણે! ઋષિમુનિઓની ઉપર રાફડા થઈ ગયા તોય પત્તો લાગતો નહોતો અને આજે અડધા કલાકમાં ધ્યાન! કંઈ સહેલું છે? એ માનો એટલું સહેલું નથી. એ તો-

દંભીન નિજ મતિ કલ્પિ કરી-
પ્રગટ કિયે બહુ પંથ

દંભી લોકોએ પોતાને ફાવે તેવા માર્ગો ઊભા કર્યા છે। વરસાદ પડે અને તમે જે વાવ્યું હોય તે તો ઊગે, પણ વાવ્યા વગર બીજું બહુ ઊગે. તે રીતે ઋષિમુનિઓએ વાવ્યું હતું તેના કરતાં અત્યારે વાવ્યા વગરનું બહુ ઊગ્યું છે. કેટલાં પંથો નીકળ્યાં છે? કોઈક કહે, આમ કરો. કોઈક કહે તેમ કરો. કોઈક કહે આહીં જાઓ અને કોઈક કહે, ત્યાં જાઓ. માણસને ચૂંથી નાંખ્યો. માણસને વીંખી નાખ્યો છે. ભક્તિ તો બહુ મુશ્કેલ છે.

ભક્તિ માટે તો કુરબાની આપવી પડે। સમર્પણ કરવું પડે છે. નિંભાડામાં કેટલાય ખડકાઈ ગયા. કટેલાય જેલમાં પુરાયા, મીરાંને ઝેર પીવું પડ્યું, જીસસને જડી દીધા ક્રોસ ઉપર, મહંમદને હિજરત કરવી પડી, નાનકને લોકોએ ગાળો દીધી, બુદ્ધની પાછળ પથરા ફેંકાયા, મહાવીરના કાનમાં લોકોએ ખીલા ઠપકાર્યા, સોક્રેટિસને ઝેર પાઈ દીધું. જગતનો ઇતિહાસ લો. ઇશ્વરને પામતાં પહેલાં કેટલી કેટલી કુરબાનીમાંથી લોકો પસાર થયા? એકાવન રૂપિયા આપો અને બેડો પાર થઈ જાય એ તો કેમ બનતું હશે?

સેન્ટર પોઇન્ટઃ જલિલ આસાં નહીં આબાદ કરનાયે ઘર મુહબ્બત કા
યહ ઉસીકા કામ હૈં જો ખુદ બરબાદ હોતે હૈં।

Friday, March 20, 2009

હું ચૂંટણી જીતવા માંગુ છું, પણ દુર્યોધન કે શકુનિની જેમ નહીં: મલ્લિકા


દેશના પ્રસિદ્ધ વિજ્ઞાની વિક્રમ સારાભાઈની બહુમુખી પ્રતિભા ધરાવતી પુત્રી મલ્લિકા સારાભાઈ હવે ચૂંટણીના રંગમંચ પર પદાર્પણ કરી રહ્યાં છે। તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના મજબૂત ઉમેદવાર અને વડાપ્રધાન પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણીને અપક્ષ ઉમેદવાર તરીકે ટક્કર આપવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. તેમની સાથે દર્પણ નાટ્ય અકાદમીમાં થયેલી વાતચીતઃ

ડાન્સર, એક્ટ્રેસ, સામાજિક કાર્યકર્તા અને હવે રાજકારણ. મલ્લિકાજી રાજકારણમાં પ્રવેશવા પાછળનું મૂળ કારણ?
સામાજિક કાર્યકર્તાનું મુખ્ય કાર્ય લોકોની સેવા કરવાનું છે। રાજકારણીઓનું પણ મુખ્ય કામ જનતા જનાર્દનની સેવા કરવાનું જ છે. પણ અત્યારે પ્રજા નિઃસહાય છે. રાજકારણીઓ જનતા જનાર્દનની સેવા કરવાને બદલે મેવા ખાવામાં મસ્ત છે. તેમનું કામ લોકોની સેવા કરવાને બદલે સત્તામાં રહેવાનું છે. એક નાગરિક હોવાના નાતે મને લાગ્યું કે આ પરિસ્થિતમાં સુધારો થવો જોઇએ અને તે માટે મેં રાજકારણમાં ઝંપલાવ્યું છે.

તમારા માતા મૃણાલિની સારાભાઈ અને ભાઈ કાર્તિકેય સારાભાઈની પહેલી પ્રતિક્રિયા શું હતી?
કાર્તિકેયનું માનવું હતું કે, મારે થોડો સમય વધુ વાટ જોવાની જરૂર હતી। મારે લોકોના પ્રશ્નોને વધુ સમજવાની જરૂર હતી. પણ મારો સ્વભાવ આક્રમક છે. મને જે ખોટું લાગતું હોય તેની સામે મેં હંમેશા અવાજ ઉઠાવ્યો છે. અમ્મા (મૃણાલિની સારાભાઈ) મારા વિશે ચિંતિત છે. મને કોઈ મારશે, મને કાંઈ થશે તેવી થોડી ચિંતા તેને સતાવે છે.

તમે ક્યા મુદ્દાના આધારે ચૂંટણી લડવા માગો છો?
હકીકતમાં અત્યારે દેશમાં ક્યા મુદ્દાને આધારે ચૂંટણી ન લડવી તે પ્રશ્ન છે। અત્યારે લોકોની સલામતી શું છે? શું તમે જે પાણી પીઓ છે તે સ્વચ્છ છે? ડોક્ટર જે ઇન્જેક્શન આપે છે તેનાથી સામાન્ય જનતાને એચઆઇવી વાઇરસનું જોખમ નથી? શું ગરીબોને તેમના મૂળભૂત અધિકારો મળે છે? શું સ્ત્રીઓની કોઈ સલામતી છે?યુવાનોનો રોજગારી મળે તે માટે દેશની કોઈ પણ સરકારે શું કર્યુ છે? હું સમાજના દરેક ક્ષેત્રમાં પ્રજાને સહન કરવા પડતાં અન્યાય માટે ચૂંટણી લડી રહી છું. હું સમાજમાં શાંતિ અને સદભાવ જળવાય તે માટે લડી રહું છું, મારી લડત સામાન્ય જનતા સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે છે.

અખબારી અહેવાલો કહે છે કે, કોંગ્રેસ તમને ટિકિટ આપવા માગતી હતી?
બિલકુલ ખોટી વાત છે. કોંગ્રેસે મારો સંપર્ક કર્યો નથી. અને જો કોંગ્રેસે મને ટિકિટ ઓફર કરી હોત તો પણ મેં તેનો અસ્વીકાર કર્યો હોત.

તેની પાછળનું કારણ?
આજે કોંગ્રેસ અને અન્ય તમામ રાજકીય પક્ષોની નીતિ વચ્ચે કોઈ ફરક નથી। કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો રાજકારણના અપરાધીકરણની વાત કરી રહ્યાં છે અને સૌથી હાસ્યાસ્પદ બાબત એ છે કે તેઓ અપરાધીઓને જ ટિકિટ આપવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. તેઓ ભ્રષ્ટાચારને દૂર કરવાની વાતો કરી રહ્યાં છે અને સાથેસાથે સરકાર બનાવવા અને તેને ટકાવવા હોર્સ ટ્રેડિંગ કરી રહ્યાં છે. દરેક પક્ષનો મુખ્ય હેતુ સત્તા મેળવવાનો છે જ્યારે હું જનતા માટે કામ કરવા માંગુ છું. એટલે મારે કોંગ્રેસ નહીં દેશના એક પણ રાજકીય પક્ષ સાથે મેળ ન બેસે.

લાલકૃષ્ણ અડવાણી છેલ્લાં દોઢેક દાયકાથી ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સામે ટી એન શેષાન જેવા દિગ્ગજ અને પ્રામાણિક ચૂંટણી અધિકારી ચૂંટણી હારી ગયા છે. તમે કઈ ગણતરી સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું?
(હસતાં-હસતાં) જુઓ, હું ક્યારેય કોઈ નિર્ણય ગણતરી કરીને લેતી નથી। મને જે બાબત સમાજના હિત માટે યોગ્ય લાગે છે કે તેમાં હું કૂદી પડું છું.

ગાંધીનગર બેઠકના એક નાગરિક તરીકે તમને લાલકૃષ્ણ અડવાણીની કઈકઈ બાબતોથી અસંતોષ છે?
લોકો સમાજની સમસ્યાઓના સમાધાન માટે સંસદસભ્ય અને ધારાસભ્યને લોકસભા અને વિધાનસભામાં મોકલે છે। મારો પ્રશ્ન એ છે કે, અડવાણીજીએ તેમની બેઠકમાં આવતાં વિસ્તારોમાં રહેતાં નાગરિકોની સમસ્યા જાણવાનો કેટલી વખત પ્રયાસ કર્યો છે? તેમણે લોકોની મૂળભૂત સુવિધા વિકસાવવા ખરેખર શું કર્યું છે? હું અડવાણીજીને આ બાબતે સીધી ચર્ચા કરવા આમંત્રણ આપું છું.

તમે મતદાતાઓ સુધી પહોંચવા માટે કયા-કયા માધ્યમોનો ઉપયોગ કરશો?
શેરીનાટકો જેવા પરંપરાગત માધ્યમથી લઇને ઇન્ટરનેટ જેવા તમામ આધુનિક તમામ માધ્યમોનો ઉપયોગ કરીશું। હું રોડ શો કરીશ. યુવાન મતદારોમાં મારો એજન્ડા સમજાવવા માટે બેથી ત્રણ દિવસમાં 'Vote for Mallika' વેબસાઇટ શરૂ થઈ જશે.

ભાજપનું કહેવું છે કે, તમારા કારણે કોંગ્રેસની મતબેન્કમાં ગાબડું પડશે અને લાલકૃષ્ણ અડવાણીનો વિજય અત્યંત સરળ થઈ જશે?
જુઓ, આ મતબેન્ક શબ્દ સામે મને સખત વિરોધ છે। મતબેન્ક એટલે શું? ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો પ્રજાને ચૂંટણી જીતવાનું સાધન માની રહ્યાં છે, માણસ નહીં. આ કારણે જ તેમને પ્રજાની સમસ્યાઓ કરતાં પોતાની અને પોતાના પરિવારની સમસ્યા ઉકેલવામાં વધારે રસ છે. મારા માટે મતદાર માણસ છે, ચૂંટણી જીતવાનું સાધન નહીં. હવે રહી વાત કોંગ્રેસની મતબેન્કમાં ગાબડું પાડવાની, તો ચૂંટણીનું પરિણામ જ દેખાડશે કે મારી ઉમેદવારીથી કયા પક્ષને વધારે નુકસાન થયું છે...

ભાજપ મોંઘવારી અને આતંકવાદના નામે મત માગશે તો કોંગ્રેસ યુપીએના શાસનમાં દેશનો વિકાસ થયો હોવાના નામે મત માગે છે. મતદાર તમને મત કેમ આપશે?
જે મતદાતાને દેશના વર્તમાન રાજકીય વ્યવસ્થાથી અસંતોષ છે તે મને મત આપશે। જેઓ સત્ય અને અહિંસાના માર્ગે દેશનો વિકાસ ઝંખે છે તેઓ મને મત આપશે. જેઓ દેશમાં બંધારણીય શાસન વ્યવસ્થા ઇચ્છે છે તેઓ મને મત આપશે. જે લોકો વહીવટીતંત્રમાં પારદર્શકતા ઇચ્છે છે તેઓ મને મત આપશે.

ભાજપ અને કોંગ્રેસને ચૂંટણીભંડોળની કોઈ ચિંતા નથી. તમે ચૂંટણી લડવા ભંડોળ ક્યાંથી મેળવશો?
જનતા। જનતા જ મને ભંડોળ આપશે. હું મને મળતાં ભંડોળની માહિતી દરરોજ વેબસાઈટ પર મૂકીશ અને પારદર્શકતા સાથે ચૂંટણી જીતી શકાય છે તે સાબિત કરી દઈશ.

રાજકીય પંડિતોનું માનવું છે કે, મલ્લિકા સારાભાઈએ અડવાણી સામે ચૂંટણી નહીં જીતી શકે?
હકીકતમાં તે કહેવાતા રાજકીય પંડિતો છે। તેમની ધારણા ક્યારેય સાચી સાબિત થઈ નથી.

એટલે તમે અડવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો હરાવી દેશો?
જુઓ, હું દાવા કરવામાં માનતી નથી। પણ હું તેમને હરાવવા પૂરેપૂરો પ્રયાસ કરીશ. હું પણ ચૂંટણી જીતવા માંગુ છું. પણ દુર્યોધન કે શકુનિ બનીને નહીં. લોકસભામાં પહોંચવા હું ખોટા કાવાદાવા કરવામાં માનતી નથી. હું સચ્ચાઈપૂર્વક ચૂંટણી લડી શકાય છે અને જીતી શકાય છે તેવું સાબિત કરવા માંગુ છું.

તમે લોકસભામાં પ્રવેશશો તો સંસદમાં મહિલા અનામત બિલને સમર્થન આપશો?
ચોક્કસ. પણ દસ વર્ષ માટે. અનામત વ્યવસ્થા એક નિશ્ચિત સમયગાળા પૂરતી મર્યાદિત હોય તો જ તેનો ફાયદો થાય. નહીં તો રાજકીય પક્ષો તેનો દૂરપયોગ કરે અને તે સત્તા મેળવવાનું સાધન બની જાય.

मैं चुनाव जीतना चाहती हुं, पर दुर्योधन और शकुनि की तरह नहीं: मल्लिका


देश के प्रसिद्ध विज्ञानी विक्रम साराभाई की बहुप्रतिभाशाळी बेटी मल्लिका साराभाई अब राजकारण के रंगमंच पर भी पदार्पण कर रही है. वो गुजरात की गांधीनगर लोकसभा बेठक पर भाजपा का कदावर नेता और वडाप्रदान पद के दावेदार लालकृष्ण अडवाणी को बतौर निर्दलीय उमेदवार टक्कर देने जा रही है. चुनाव और उसकी तैयारी को लेकर उनसे दर्पण नाट्य अकादमी में हुई बातचीतः

डान्सर, अभिनेत्री, सामाजिक कार्यकर्ता और अब राजकारणी. मल्लिकाजी, राजकारण में प्रवेश करने के पीछे की आशय?
सामाजिक कार्यकर्ता का मुख्य काम जनता की सेवा करना है और राजकारणी का काम भी वहीं है. पर अफसोस राजकारणी जनता जनार्दननी सेवा करने की जगा मेवा खाने में मस्त है. प्रजा लाचार है. आजकल राजकारणी जनता की सेवा करने के बदले सत्ता को बनाये रखने में ही व्यस्त है. इस परिस्थिति में मैने एक नागरिक होने नाते ये महेसूस किया कि मुझे राजकारण में आना चाहिये. में राजकारण के माध्यम में समाज में सुधार लाना चाहती है. सच्चाई और प्रामाणिकता के मापदंड प्रस्थापित करना चाहती हुं।

आपकी माता मृणालिनी साराभाई और बडे भाई कार्तिकेय साराभाई आपके निर्णय के बारे में क्या सोचते है?
कार्तिकेय का कहेना है कि मुझे थोडी राह देखनी चाहिये थी. मुझे लोगो की समस्याओ कों ज्यादा समझने की आवश्यकता थी. पर मेरा स्वभाव आक्रमक है. मुझे जो बात गलत लगती है उसके सामने मैं आवाझ उठाती हुं. अम्मा (मृणालिनी साराभाई) मेरे बारे थोडी चिंतित जरूर रहेती है. मुझ पर कोई हमला कर देगा, मुझे कुछ होगा तो नहीं जैसी चिंता उन्हें थोडी-बहोत जरूर सताती है.

आपका चुनाव एजन्डा क्या है?
दरअस्सल देश में किस मुद्दे पर चुनाव न लडा जाये ये सबसे बडा प्रश्न है. देश में सामान्य जनता की कोई सलामती है? आप जो पानी पी रहे है क्या वो शुद्ध है? क्या गरीबो और मजदूरो को उनके मूलभूत अधिकार मिलते है? क्या महिलाओ की कोई सलामती है? क्या युवाधन को रोजगारी की कोई गेरेंटी है? अब तक जितनी सरकारे बनी उसने इन मुद्दो पर क्या किया? ये जनता को सोचना होगा. मैं समाज के हर क्षेत्र में जनता को जो अन्याय हों रहा है उसके लिये चुनाव लड रही हुं. मैं समाज में शांति और सदभाव के लिये लड रही हुं. मेरी लडाई का आशय सामान्य जनता सन्मान के साथ जिंदगी देना है।

अखबार कहेतें हैं के कोंग्रेस आपको टिकिट देना चाहती थी?
बिलकुल गलत बात है. कोंग्रेस ने मेरा संपर्क किया नहीं. और अगर कोंग्रेस मुझे टिकिट ओफर करती तो भी में उसे स्वीकार नहीं करती।

काहे स्वीकार ना करती?
कोंग्रेस और अन्य सभी राजकीय पक्ष की नीतिमत्ता में कोई फरक नहीं है. हर राजकीय पक्ष राजनीति के अपराधीकरण की बात कर रहा है और सबसे बडे मजाक की बात ये है कि वे सभी अपराधीओ को टिकिट देने के लिये एकदूसरे की स्पर्धा कर रहे हैं. सभी पक्ष भ्रष्टाचार दूर करने की बात करतां है और साथसाथ सरकार बनाने और टिकाने के लिये होर्स ट्रेडिंग कर रहा है. सभी राजकीय पक्ष का एक ही आशय है-सत्ता. जबकि में जनता की सेवा करना चाहती हुं. इसलिये कोंग्रेस ही नहीं देश के एक भी राजकीय पक्ष के साथ में बेठ नहीं सकती.

गांधीनगर बेठक के एक नागरिक होने के नाते आप लालकृष्ण अडवाणी की कौन सी बातो सें असंतुष्ट है?
जनता समाज की समस्या का समाधान करने लिये सांसद को लोकसभा में भेंजते है. मेरा सवाल ये है कि, अडवाणीजीने इतने सालो में अपनी बेठक के विविध विस्तारो में रहेते नागरिको की समस्या बारे में जानने के लिये क्या प्रयास किये है? वो कोई कार्यक्रम का उद्घघाटन करने के लिये जरुर आते है, पर उन्हों ने लोगो की प्राथमिक सुविधा का विकास करने के लिये दरअस्सल क्या किया है? मैं उनको प्रत्यक्ष चर्चा करने के लिये आमंत्रित करती हुं।

मतदाता तक पहोंचने के लिये किस माध्यमो का प्रयोग करेंगी?
नाटक से लेकर इन्टरनेट तक सभी माध्यम का. मैं रोड शो करुंगी. युवा मतदाता मेरा एजेन्डा वोट फोर मल्लिका वेबसाइट पर देख शकेंगे, जो दो या तीन दिन के अंदर शुरु हो जायेगी.

भाजपा का कहेना है कि, आपकी बजह से कोंग्रेसनी मतबेन्क तूटेगी और लालकृष्ण अडवाणी को बहुत फायदा होगा?
देखिये, ये मतबेन्क शब्द लोकतंत्र का क्रूर मजाक है. मतबेन्क का मतलब क्या है? भाजपा और कोंग्रेस जैसै बडे राजकीय पक्ष जनता को चुनाव जीतने का साधन मान रहै है, इन्सान नहीं. मेरे लिये मतदाता इन्सान है, मतबेन्क या चुनाव जीतने का माध्यम नहीं. रही बात कोंग्रेस को नुकसान होने की, तो चुनाव के नतीजे ही दिखायेंगे के मेरी बजह से किस पक्ष को नुकसान हुआ है।

भाजपा आतंकवाद और महेंगाई के नाम पर मत मागेगी तो कोंग्रेस युपीए शासन में देश के विकास के नाम पर. कोई मतदाता आप को क्यों मत देगा?
जो नागरिक देश की वर्तमान राजकीय व्यवस्था से असंतुष्ट है वो मुझे मत देगा. जो लोग सत्य और अहिंसा के पथ पर देश की तरक्की चाहते है वो लोग मुझे मत देंगे. जो लोग देश में कायदे का शासन चाहते है वो मुझे संसद में भेजेंगे. जो लोग प्रशासन में पारदर्शिता चाहते है वो मेरे नाम पर महोर लगायेंगे।

भाजप और कोंग्रेस को चुनावफंड की कोई चिंता नहीं है. आप कहां से लायेंगे?
जनता जनार्दन से. जनता हीं मुझे फंड देगी. मैं उसमें भी पारदर्शिता का मापदंड प्रस्थापित करुंगी. हररोज मुझे कितना फंड मिला उसका ब्यौरा अपनी वेबसाईट पर दुंगी।

राजकीय विश्लेषको का मानना है कि, अडवाणी के सामने मल्लिका साराभाई चुनाव नहीं जीत शकती?
दरअसल ये तथाकथित राजकीय विश्लेषको की विविध धारणा कभी सच साबित नहीं हुई।

इसका मतलब अडवाणी और कोंग्रेस के उमेदवार को हरा देंगी?
देखिये, मैं दावे करने में नहीं मानती. लेकिन इतना जरुर तय है किं मैं उने हराने के लिये पूरा प्रयास करुंगी. मैं भी चुनाव जीतना चाहती हुं, लेकिन दुर्योधन और शकुनि की तरह नहीं. लोकसभा में पहोंचने के लिये में गलत मार्ग पसंद नहीं करुंगी. इस देश का हर नागरिक सच्चाई और ईमानदारी से चुनाव लड सकता है और वो जीत भी सकता है ये बात मैं देश को और खास करके युवा लोगो को दिखा देना चाहती हुं।

अगर आप लोकसभा जायेगी तो संसद में महिला अनामत विधेयक को समर्थन देगी?
बिलकुल. लेकिन सिर्फ दस साल के लिये. अनामत व्यवस्था एक निश्चित समय तक मर्यादित हो तो ही उसका फायदा होता हैं. नहीं तो राजकीय पक्ष उसको दूरपयोग करते हैं और उसे सत्ता पाने को माध्यम बना देते हैं.

Thursday, March 19, 2009

અરે, હુઝુર ઉમા નહીં 'ઓ મા' કહીંયે


'આવરા..પાગલ..દિવાના' ટીવી ન્યૂઝ ચેનલના એડિટર-ઇન-ચીફ મનુ માણેકચંદે ચૂંટણીની સીઝન આવતાં જ અપ્પુ એન્કર અને પપ્પુ પત્રકારને સાબદાં કરી દીધા. ચૂંટણીલક્ષી કામગીરીનો મોટાભાગનો હવાલો પાન-બીડી-માવા-તમાકુની મસ્તી સાથે અપ્પુ-પપ્પુ જ સંભાળતા હતા. બહુચર્ચિત ઉમા ભારતી પ્રકરણમાં અપ્પુ એન્કર અને પપ્પુ પત્રકાર વચ્ચે થયેલું એન્કરિંગ અને રીપોર્ટિંગ અહીં રજૂ કરવામાં આવ્યું છેઃ

અપ્પુઃ હસો, હસો, હસો, હસતે રહો! હાસ્યની ઋતુ પૂરબહારમાં ખીલી છે। લોકસભાની ચૂંટણી આવતાં જ દરેક રાજકીય પક્ષ જનતા જનાર્દનને ખડખડાટ હસાવવા મેદાનો પડ્યો છે. ચંદ્રાબાબુ નાયડુ કહે છે કે તેઓ વડાપ્રધાન બનવા માગતા નથી. લાલુ કહે છે કે, ભોગવિલાસ, સોરી રામવિલાસ પાસવાન તો તેમના ભાઈ જેવા છે તો ખામોશ શત્રુઘ્ન કહે છે કે, સત્તા તો સેવા કરવાનું માધ્યમ છે, મેવા ખાવાનું નહીં.

ફૂલોના એકાદ મણ જેટલાં વજનના મોટામોટા હાર અલગ-અલગ પક્ષના 'ઘંટ' પોતાના ગળામાં ધારણ કરી પાગલોના ટોળા વચ્ચે ઘૂમી રહ્યાં છે। દરેક મોટો ઘંટ અને ઘંટડી વડાપ્રધાન બનવા જુદાં જુદાં મંદિરમાં ઘંટ વગાડી રહ્યાં છે અને તેમને મંદિરમાં આવતાં જોઈ મૂર્તિઓ પણ છૂપાઈ જવાના રસ્તા શોધી રહી છે.

ઉમા ભારતીએ આજે જે વિધાનો કર્યા છે તે સાંભળીને ભાજપના કાર્યકરોના મોંમાંથી માત્ર એક શબ્દ 'ઓ મા' નીકળતો હતો। આ વિશે વિશેષ માહિતી આપી રહ્યાં છે અમારા વિદ્વાન રાજકીય પત્રકાર પપ્પુ. હા, પપ્પુ તમે તમારે જે બોલવું હોય તે બોલો. આખો દેશ હવે આપણા પરમ પૂજ્ય બાપૂનો બગીચો છે.

પપ્પુઃ ભારતીય જનશક્તિ પક્ષના સુપ્રીમો ઉમા ભારતીએ ગઇકાલે જે નિવેદનો કર્યા તે સાંભળી આખા દેશમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે। ઉમા ભારતીએ ગઈકાલે કહ્યું હતું કે, ''રાજનાથ સિંહ મારા ભાઈ સમાન છે અને આડવાણીજી મારા પિતાતુલ્ય છે.'' હંસો, હંસો, હંસો. યે લોગ હર પાંચ સાલ મેં એકબાર આપ કો દિલ ખોલ કે હસને કા મોકા દેતે હૈ....

અપ્પુઃ પપ્પુ પ્યારે, તેનાથી ભાજપને શું ફાયદો થશે?

પપ્પુઃ ગાંડો થઈ ગયો છે? ઉમાને આજકાલ હસગુલ્લાં કાર્યક્રમોમાં આમંત્રણ મળી રહ્યાં છે। મફતમાં લોકોને ખડખડાટ હસાવવા માટે તેઓ જાણીતા થઈ ગયા છે. તને ખબર છે, ઉમાજીના આ નિવેદનથી ભાજપના કાર્યકરોમાં કેવી લાગણી પ્રવર્તે છે?

અપ્પુઃ કેવી માય ડીઅર?

પપ્પુઃ પહેલી વાત તો તું મને ડીઅર ન કહે। આમ પણ તારા અને મારાં સંબંધને લઇને લોકો ગંદી ગંદી વાતો કરે છે.

અપ્પુઃ સોરી, પપ્પુ॥મૂળ વાત કર...

પપ્પુઃ પહેલાં ઉમાએ વિરોધ કરીને 'ઓ મા' કરાવી દીધું અને હવે સાથ આપીને નાની યાદ કરાવવા માગે છે તેવી લાગણી ભાજપના કાર્યકર્તાઓમાં પ્રવર્તી રહી છે। અપ્પુ, મારી પાછળ ધ્યાન રાખતો રહેજે, ઉમાજી કે તેમના ચેલા આવી ન જાય. નહીં તો પાછળ બરોબર ધોકા પડશે.

અપ્પુઃ હું અહીં બેઠો છું. તું ચિંતા ન કર. ઉમા ભારતીએ એમ પણ કહ્યું છે કે, આ દેશમાં વડાપ્રધાન બનવા
એકમાત્ર યોગ્ય નેતા આડવાણી છે।

પપ્પુઃ અપ્પુ, તે વાતને લઈને આડવાણીજીના પત્ની પણ મોંમાં સાડીનો પાલવ ખોસી હસતાં હતા અને તેમની સામે જોઈ આડવાણીજી બે હાથ મસળતાં હતા તેવી માહિતી તેમના ઘરમાં કામ કરતી વસંતીએ આપી છે। વસંતીએ પણ કહ્યું હતું કે, મને લાગ છે ઉમાબોનનું છટકી ગયું છે.

અપ્પુઃ ભાજપ પ્રમુખ રાજનાથ સિંહનું શું કહેવું છે?
પપ્પુઃ ભાજપ પ્રમુખ રાજનાથ સિંહને શંકા ગઈ છે કે, ઉમા વિરોધ કરીને નુકસાન ન કરી શકી એટલે હવે સાથે રહીને તો અમારા બધાનો ખેલ પાડવા માગતી હશે. ઉમા ભારતીના વિધાનોની કોઈ વિશ્વસનિયતા રહી નથી એટલે તેમના વિધાનો ફાયદો કરવાને બદલે પક્ષને નુકસાન કરે તેવી શક્યતા વધારે છે. અપ્પુ..
અપ્પુઃ દર્શક મિત્રો, ઉમા ભારતીએ જેટલીને પણ રાજનાથ સિંહ સાથેના વિવાદનો અંત લાવી આડવાણીના હાથ મજબૂત કરવાની સલાહ આપી છે॥

પપ્પુઃ અપ્પુ, જ્યારે પત્રકાર પરિષદમાં ઉમાજીએ આ વાત કરી ત્યારે બધા પત્રકારોમાં સન્નાટો છવાઈ ગયો હતો। પછી થોડી ક્ષણોમાં તેઓ મૂળ માનસિક અવસ્થામાં પાછાં ફરતાં જ હાસ્યનો હાહાકાર ફેલાઈ ગયો હતો.

અપ્પુઃ પત્રકારોનું હાસ્ય સાંભળી ઉમાજી નારાજ થયા હતા॥

પપ્પુઃ અપ્પુ, તે તો સ્વાભાવિક રીતે થાય જ। તેમણે કહ્યું હતું કે, મારા વિધાનોમાં હસવાં જેવું કશું નથી. ઘર હોય તો વાસણ ખખડે અને ફરી ભેગા પણ થઈ જાય.

અપ્પુઃ પણ પપ્પુ, તારે કહેવું તો જોઇને કે રાજકીય પક્ષો કોઇનું ઘર નથી। તેમના માથે દેશનો વહીવટ કરવાની જવાબદારી હોય છે. આ દેશ કોઈની અંગત જાગીર કે ઘર નથી...

પપ્પુઃ અપ્પુ, ઉમાજીને કહેવાનો કોઈ મતલબ નથી। તેમને એક વાર કંઈ કરવાની ધૂન સવાર થઈ જાય પછી પાછું વળીને જોવામાં માનતા નથી. ચાહે મામલો ગોવિંદનો હોય કે લાલજીનો હોય....

અચાનક પપ્પુના માથામાં ટાપલીને બદલે જોરથી ટાપલો પડ્યો। કેમેરામેન દવેજી બોલ્યાં, પપ્પુ પ્યારે ભાગો તમારી પાછળ ઉમાજી છે. પપ્પુએ પાછું જોયું ત્યાં તો ઉમાજીએ દેવાવાળી કરી॥ઉમાજીના મોંમાથી શબ્દ સરકતાં હતા..ગોવિંદ..લાલજી..ધૂની...આજ તારી નાની યાદ કરાવું છું...

અપ્પુઃ જુઓ, જુઓ॥દર્શકમિત્રો અમારા વિદ્વાન પત્રકાર પપ્પુને સાચું બોલવાની ઉમાજી કેવી સજા આપી રહ્યાં છે। અમારા પત્રકારને ઉમાજી અને તેમના કાર્યકરો ઢોરમાર મારી રહ્યાં છે. દવેજી, કેમેરો એવી રાખો જેથી દર્શકો વધુ સ્પષ્ટતાથી પપ્પુ પત્રકારનો માર પડતો જોઈ શકે. તમે વચ્ચે ન પડતાં. તમે માય ડીયર પપ્પુને પડતા મારનું રેકોર્ડિંગ કરી નાંખો. આપણે આવતીકાલે ઇન્મકટેક્સ પાસે બાપુના પૂતળાં પાસે વિરોધ પ્રદર્શન કરીશું અને ઉમાજીની હાય હાય બોલાવીશું.

દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામનો. ક્યાંય જતાં નહીં. થોડા જ સમયમાં વિશેષ કાર્યક્રમ 'પપ્પુ પત્રકારને માર' સાથે પાછાં ફરીશું.

રોટી મિલે તો બાંટ કે ખાના


સ્વામી રામકૃષ્ટ પરમહંસ પાસે એક યુવાન ગયો. તેણે પરમહંસજીને સીધો પ્રશ્ન કર્યો-''બાપજી એક પ્રશ્ન કા પ્રત્યુત્તર દીજિએ-બતાઈએ સાધુ કી વ્યાખ્યા ક્યા?'' પરમહંસજી સમજી ગયા કે આ કેટલાયને પૂછીને મારી પાસે આવ્યો છે। આની પ્રવૃત્તિ જ પૂછવાની છે. પરમહંસ ઓળખી ગયા. આ માણસે મગજમાં સાધુની વ્યાખ્યા નક્કી કરી નાખી છે. હવે એણે જે નક્કી કરી છે એવો જો કોઈ જવાબ આપે તો જ એ બોલતો બંધ થશે; નહીંતર એ પૂછ્યા જ કરશે.

પરમહંસજીએ જવાબ આપતાં પહેલાં યુવાનને એમ કહ્યું કે, પહેલે આપ બતાઈએ આપકે દિમાગમેં ક્યા વ્યાખ્યા હૈ? તું જે નક્કી કરીને આવ્યો છે એની પહેલાં વાત કર। હું પછી મારો વિચાર રજૂ કરું. પેલો સમજી ગયો કે બાપજી મારા મનની વાત જાણી ગયા. એટલે તેણે કહ્યું, ''બાપજી, મને તો એમ લાગે છે કે, સાધુની વ્યાખ્યા એટલે રોટી મિલે તો ખા લેના; ન મિલે તો અફસોસ ન કરના.'' પેલા યુવાને વ્યાખ્યા કરી કે રોટલો મળે તો ખાઈ લેવો, ન મળે તો ખેર-એનો અફસોસ ન કરવો.

પરમહંસજી ગુસ્સે થઈ ગયા કે યહ તો સાધુ કા અપમાન હૈ; યહ કોઈ સાધુ કી વ્યાખ્યા હૈ? યહ તો કુત્તે કી વ્યાખ્યા હૈ. આ તો કુતરાનો સ્વાભાવ છે કે રોટલો નાંખો તો ખાઈ લે અને ન નાંખો તો જતો રહે. સાધુ કા તો સ્વભાવ રોટી મિલે તો બાંટ કે ખાના - યે ન ત્યક્તેન ભુંજીથાઃ રોટલો મળે તો ટુકડામાંથી ટુકડો બીજાને આપીને ખાવો. અને જો ન મળે તો ભગવાનને કહેવાનું કે હું ઉપવાસ ન કરત, પણ તેં મને ઉપવાસ કરાવ્યો-પ્રભુ તેં મને તપ કરાવ્યું-તેં મારી આંતરશુદ્ધિ કરાવી એટલું હું તારો ઋણી છું. આ સંતનો સ્વભાવ છે.

Wednesday, March 18, 2009

नंबर वन, नंबर वन, नंबर वन!


नंबर वन, नंबर वन, नंबर वन! जहां जहां नजर जाती है, नंबर वन ही दिखाई देते है 'एक नसीबवाला मामूली स्टार' शाहरूख पिछले थोडे सालो से अपने आप को 'बोलीवूड का बादशाह' मान रहा है मायावती अपने आप को तीसरे मार्चे की सुपरस्टार समझ रही है शरद पवार अपने आप को 'पोलिटिश्यन नंबर वन' समझ रहे है लालूजी अपने आप को बिहार का बादशाह समझ रहे हैं तो रामविलास पासवान अपने आप को दलितो को मसीहां मान रहै है और अडवाणीजी की तो बात ही न करयो बिचारे कितने सालो से देश के नंबर वन नेताजी बनने के लिये उछलकूद कर रहे है सचमुच, भ्रम बहुत अच्छी चीज है कम से कम आदमी अपने दिल को तो बहेला सकता है भ्रम में रहेने का सब को जन्मसिद्ध अधिकार है और आजकल भ्रम में कोन नहीं है!

ये जन्मसिद्ध अधिकार का प्रयोग करने की धून आजकल 'कोमनमेन' पर भी सवार हों गई है आजकल सब 'डोग' अपने आप को 'डोन' समझ रहे हैं माशाअल्लाह, सबको नंबर वन बनना हैं हमारे एक मित्र महोदय आये दिन अपने आप को 'ब्लोगर नंबर वन' गिनाते है उन्हों ने अपने सभी मित्रो को ब्लोगलीलामां पीछे छोडने की कसम खाई है कसम भी किसकी पत्ता है? अपनी बीवी की!

एक दूसरे मित्र अपने आप को विवेचकशिरोमणी मान रहे है वो हररोज पहेले किसी की गलती ढूंढते है और फिर वो ज्ञानीओ में 'ज्ञानी नंबर वन' है वो हथोडा बडे प्यारे सें आपके सिर पर मार देते है हथोडा खाने की हम को आदत हो गई है का करे वडील मित्र जो ठहेरे ये नंबर वन खिलाडीओं की एक बहुत अजीब खासियत होती है-वो परम वक्ता होते है हमारी कमनसीबी ये है कि वो हमें परम श्रोता समझते है वो ये मानकर हिं चलते हैं कि बोलाना उनका जन्मसिद्ध अधिकार है और उनकी बातों को सुनने के लिये है परम कृपालु परमात्मा ने हमें जन्म दिया है मुझे पहेले लगता था कि ईश्वरने ज्यादातर इन्सानो को इतना सहनशील क्यों बनाया है? पर जब नंबर वन लोगो को देखा तो प्रभु की लीला अपरंपरा है ये समझ गया!

मेरे एक सबसे प्यारे मित्र बडे रमूजी है वो कहेते है कि मुझे हररोज सबसे ज्यादा सू सू करनेवालो में नंबर वन बनना है वैसें भी कलम के इन वीर पहेरेदारो में उनकी और मेरी कोई खास अहेमियत नहीं है हम जहां भी जाते है हमारी गिनती आवरा, निकम्मे और अब तो निर्लज्जो में भी होती हैं चलो भाई, ये सब नंबर वन खिलाडी किसी केटेगरीमां तो हमारी गिनती करते है! जय हिंद!

(आजकल 'जय हो' को बहुत चलन है पर क्या करुं 'जय हो' सुनते है मेरे पीछे विदेशी नस्ल के कुत्ते दौड रहें हो ऐंसा लगता है....)

કોના ચરણ સુંદર-રામજીના કે સીતાજીના?


ચિત્રકૂટમાં રામ અને સીતાજી બેઠાં છે. લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે. રામજીએ સીતાજીને કહ્યું કે, જાનકી, જરા મારા ચરણની સામું જુઓ. સીતાજીએ રામના ચરણની સામું જોયું. રામજીએ કહ્યું, સીતાજી તમને એમ નથી લાગતું કે તમારાં ચરણ કરતાં મારાં ચરણ સુંદર છે? રામજીએ આવો દાવો કર્યો.

સીતાજીએ કહ્યું, નહીં મહારાજ માફ કરજો। જ્યારે તમે દાવો કરો છો તો મારે કહેવું જોઈએ કે આપનાં ચરણ કરતાં મારાં ચરણ વધારે સુંદર છે. બંને વચ્ચે તકરાર શરૂ થઈ. સીતા કહે, મારાં ચરણ સુંદર, રામજી કહે, મારા ચરણ સુંદર. છેવટે સીતાજીએ રામજીને કહ્યું કે, મહારાજ, આપણે સામસામી દલીલો કરીએ, પણ ન્યાય તો લખનભૈયા આપી શકે, કારણ કે તે આપણા બંનેના પગની સેવા કરે છે. સેવા કરનારો વધારે નક્કી કરી શકે કે બેમાંથી કોના ચરણ વધારે સુંદર છે.

લક્ષ્મણજી ફળફૂલ લઇને આવ્યા। રામજીએ કહ્યું, લખન, આજે તારે એક ન્યાય આપવાનો છે. હું એમ કહું છે કે, મારા ચરણ સુંદર છે. સીતા કહે છે, મારાં ચરણ સુંદર છે. તું અમારાં બંનેનાં ચરણની પૂજા રોજ સવારે કરે છે. એટલે હવે તું નક્કી કર. લક્ષ્મણજીને થયું કે, પ્રભુએ તો ધર્મસંકટમાં નાંખી દીધો.

સીતાજીને લક્ષ્મણજીએ પૂછ્યું કે, માતાજી નારાજ નહીં થાવને? સીતામૈયા કહે નહીં। લક્ષ્મણજીએ બહુ સરસ નિર્ણય આપ્યો. સીતાજીને કહે-આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. રામજીને કહે તમારાં કરતાં સીતાજીના ચરણ વધારે સુંદર લાગે છે. જાનકી ખુશખુશ થઈ ગયા. રામજી નીચું જોઈ ગયા. ત્યારે લખનજીએ કહ્યું, મા, રામજીનાં ચરણ કરતાં તમારા ચરણ સુંદર છે એ બરાબર. પણ હું જે કહું છે તે ધ્યાનમાં રાખો. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે એટલે કે તમારા પગની સુંદરતા રામજીના પગલે પગલે છે. રામજીના ચરણને લીધે તમારા ચરણની કિંમત છે. લખનજીનો ન્યાય સાંભળી બંને ખુશ થઈ ગયા.

લક્ષ્મજીએ કહ્યું કે, મહારાજ, ખુશ થવાની જરૂર નથી. ત્રીજો અરથ છે. તેમણે કહ્યું, મહારાજ, પગલાંની સુંદરતાનું કોઈ મહત્વ નથી. પણ આ આચરણથી આ ચરણ સુંદર લાગે છે. માનવીના આચરણથી એનાં ચરણ સુંદર લાગે. આચરણ ન હોય તો પગલાં ગમે તેટલાં રૂપાળાં હોય એની કોઈ કિંમત નથી.

Tuesday, March 17, 2009

ચિઠ્ઠી આઈ, આઇ હૈ, ચિઠ્ઠી આઇ હૈ, મંદી લાઈ હૈ, લાઈ હૈ, મંદી લાઈ હૈ


ચિઠ્ઠી આઇ હૈ, આઇ હૈ, ચિઠ્ઠી આઇ હૈ,
મંદી લાઈ હૈ, લાઈ હૈ, મંદી લાઈ હૈ,
ચિઠ્ઠી આઈ હૈ, કંપની સે ચિઠ્ઠી આઈ હૈ.

થોડે દિનો કે બાદ,
હમ અભાગો કે નામ,
થોડે દિનો કે બાદ,
હમ અભાગો કે નામ,
કંપની કી ચિઠ્ઠી આઈ હૈ,
ચિઠ્ઠી આઈ હૈ, આઈ હૈ, ચિઠ્ઠી આઈ હૈ,
મંદી લાઈ હૈ, લાઈ હૈ, મંદી લાઈ હૈ.

ઉપર સબકો 'ડીઅર' લિખા હૈ,
અંદર બંબુ ટાઇટ કિયા હૈ,
ઓ મંદી સે બચનવાલે,
તું ભી અબ ડંડે ખાનેવાલે,
મંદી કે લહેરોમેં ડૂબ ગયા તું,
ઘરવાલો કો જિંદા માર ગયા તું,
ખૂન કે રિશ્તે તોડ ગયા તું,
આંખ મેં આંસુ છોડ ગયા તું,
ગમ ખાતે હૈ, કમ સોતે હૈં,
બહુત જ્યાદા હમ રોતે હૈં,
ચિઠ્ઠી આઇ હૈ,
ચિઠ્ઠી આઇ હૈ, આઇ હૈ, આઇ હૈ,
મંદી લાઈ હૈ, લાઈ હૈ, મંદી લાઈ હૈ.

સુની હો ગઈ બઝાર કી ગલીયા,
કાટેં બન ગઈ જાહેરાત કી કલિયા,
કહેતી હૈં ડીસ્કાઉન્ટ કી સ્કીમ,
ભૂલ ગયા તું હમ નહીં ભૂલે,
ટીવીપી કે બિન જબ આઈ દિવાલી,
દીપ નહીં દિલ જલે હૈ ખાલી,
ઇન્ક્રીમેન્ટ કે બિન જબ આઈ હોલી,
મુંહ મેં સે છૂટી ગાલી.

બીવી સૂની,
બચ્ચે સૂને,
ઘર શમશાન કા બના નમૂના,
ફસલ કટી આઈ બૈસાખી,
તેજી કા આના રહે ગયા બાકી,
ચિઠ્ઠી આઇ હૈ,
ચિઠ્ઠી આઇ હૈ, આઇ હૈ, આઇ હૈ,
મંદી લાઈ હૈ, લાઈ હૈ, મંદી લાઈ હૈ.

પહેલે જબ તું મેઇલ કરતાં થા,
મેઇલ મૈં ચહેરા દિખતા થા,
બંધ હુઆ યે મેલ ભી અબ તો,
ખતમ હુઆ યે ખેલ ભી અબ તો,

ઇ-મેઇલ મેં જબ આયા લેટર,
ઇનબોક્સ દેખ રહે થે નૈના,
મૈં તો ચમકા યે ક્યા આયા,
જોર જોર સે દિલ ગભરાયા,
મેરા કી-બોર્ડ કરતાં હૈ ટકટક,
મુંહ મેં સે નીકલતી હૈ બકબક,
મૈને પૈસા થોડા કમાયા,
ઇસ પૈસેને બહુત ઘૂમાયા,
નોકરી-છોકરી છોડ કે આજા,
પંછી પિંજરા તોડ કે આજા,
આજા, આજા, ઉંમર હૈ છોટી,
સ્વામિનારાયણ કે મંદિર મેં હૈ લાડુડી.
ચીઠ્ઠી આઇ હૈ,
ચીઠ્ઠી આઇ હૈ, આઇ હૈ, આઇ હૈ,
થોડે દિનો કે બાદ,
હમ અભાગો કે નામ,
કંપની સે ચિઠ્ઠી આઇ હૈ,
મંદી લાઈ હૈ, લાઈ હૈ, મંદી લાઈ હૈ.

શબ્દ જેટલો ઊંડેથી નીકળે એટલો ઊંડે સુધી જાય


શબ્દ જેટલો ઊંડેથી નીકળે એટલો ઊંડે સુધી જાય। ધનુષ્ય ઉપર તમે બાણ ચઢાવો પછી જેટલું તીરને વધારે ખેંચો એટલું તીર વધારે ગતિ કરે. તે રીતે જેટલી સમજણમાંથી શબ્દો નીકળે, જેટલા વિવેકમાંથી શબ્દ નીકળે, જેટલી જ્ઞાનની ભૂમિકામાંથી શબ્દો નીકળે એટલા ઊંડે સુધી શબ્દો સામાના હ્રદયમાં અસર કરે. માણસ પાસે ભાષા ખૂબ હોય પણ જો જ્ઞાન ન હોય તો ભાષા શું કામની? આપણે બોલીએ ઘણું પણ જો ભીતરથી જ્ઞાન ન હોય તો શું કામનું?

કોઈએ કવિતા લખી છે કે,

નથી દીઠી ભૂખને છતાંયે ભૂખ પર બોલે
અને અનીતિમય જીવન સભામાં નીતિ પર બોલે.

જિંદગીમાં એક ટંક ભૂખ્યો ન રહ્યો અને એ ભૂખ ઉપર ભાષણ આપતો હોય તો એના એ ભાષણની સમાજ પર શું અસર પડે? જો પોતાનો નિજ અનુભવ ન હોય ભૂખનો તો એના ઉપર આંકડા આપીને અને ગરીબાઈ ઉપર બોલવાનો કયો અધિકાર એ માણસને? છતાં પણ સમાજમાં આવું ચાલે છે।

જીવન આખું અનીતિમાં ડૂબેલું હોય અને ભાષણ કરતો હોય ત્યારે એ નીતિ ઉપર નિવેદન કરતો હોય। સમાજમાં મોટે ભાગે આવું જીવન જિવાય છેઃ

પરાઈ નારીને દેખી નયન જેનાં આમતેમ ડોલે
અને સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે.

આવા માણસના બ્રહ્મચર્ય પરના ભાષણની સમાજ પર શી અસર થાય?
અમારા વક્તાઓ માટે લખ્યું કેઃ

ઇર્ષ્યા, મદ, મમતા અને લોભમાં પાંગળો થઈને,
પાછો વ્યાસની ગાદી પર જઇને એ ભક્તિ પર બોલે.

યે સબ કાગઝ કે ફૂલ હૈં ભાઈ ઉસમેં ખુશ્બૂ નહીં. તુલસી કહે છે, ભાષા આવી જાય, પણ જો વિવેક નહીં હોય તો શબ્દો લૂખા હશે-ખાલી હશે. શું અસર એ શબ્દની?

અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી પાડે છે


અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી પાડે છે અને નીચી ઉતારે છે। બીજી બાજુ અતિશય વ્યાવહારિકપણું પણ ખોટું છે. જો તમારામાં સહેજ પણ કલ્પનાશક્તિ ન હોય, જો તમને દોરવા કોઈ આદર્શ ન હોય તો તમે કેવળ પશુ જ છો. એટલે જેમ આપણે આપણા આદર્શને નીચો ન ઉતારીએ તેમ જ વ્યાવહારિકતાને પણ નજર બહાર ન રાખીએ. બન્નેમાં અતિશયતાને છોડી દેવી જોઇએ.

આપણા દેશમાં જૂનો વિચાર ગુફામાં બેસીને ધ્યાન કરતાં કરતાં મરી જવું એ છે। મુક્તિની બાબતમાં બીજાઓને મૂકીને એકલા આગળ જવું ખોટું છે. વહેલેમોડે માણસે સમજવું જોઇએ કે પોતાના ભાઈઓની મુક્તિ માટે પ્રયાસ ન કરનારને મુક્તિ ન મળી શકે.

તમારે જીવનમાં પ્રખર આદર્શવાદ અને પ્રખર વ્યાવહારિકતા એ બન્નેનો સમન્વય સાધવો જોઇએ. એક ક્ષણે ઊંડા ધ્યાનમાં મગ્ન થવા છતાં બીજી ક્ષણે આ સામેનું મઠનું ખેતર ખેડવા જવા પણ તૈયાર થવું જોઇએ. એક ક્ષણે અત્યંત કઠિન શાસ્ત્રગ્રંથને સમજાવવા તૈયાર રહેવું જોઇએ અને બીજી જ ક્ષણે જઇને ખેતરની પેદાશ બજારમાં વેચવાને તૈયાર રહેવું જોઇએ.

મૃત્યુનો પ્રેમ એટલે શું?




ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ। સંસારી લોકો જીવનને ચાહે છે. સંન્યાસીએ મૃત્યુને ચાહવાનું છે. એટલે શું સંન્યાસીઓએ આપઘાત કરવો? બિલકુલ નહીં. આત્મઘાતીઓ મૃત્યુના ચાહક નથી હોતા. એવું ઘણી વાર જોવામાં આવે છે કે જ્યારે કોઈ આત્મહત્યા કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે એ ફરી વાર કદી તેનો પ્રયત્ન કરતો નથી. તો પછી મૃત્યુનો પ્રેમ એટલે શું?

જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। તે પછી સંસારી હોય કે સંન્યાસી. તો આપણે કોઈ સારા હેતુ માટે મરીએ. આપણાં બધાં કામો ખાવું, પીવું અને બીજું સર્વ કાંઈ આપણી જાતના બલિદાન અર્થે થાઓ. શરીરનું પોષણ અન્નથી કરો છો, તેને બીજાઓના ભલા સારું યજ્ઞ રૂપે જો ન ગણો તો તેમાં સારું શું?
તમે પુસ્તકો વાંચીને મનનું પોષણ કરો છો, તેને પણ જો તમે આખા જગતના ભલાને માટે બલિદાનરૂપ ન ગણો તો એમાં શું વળ્યું? આ એક ક્ષુદ્ર જાતને પુષ્ટ કરવી તેના કરતાં લાખો માનવ ભાઈઓની સેવા કરવી તે વધારે યોગ્ય છે। આ રીતે તમારે સેવાપરાયણ રહીને ક્રમે ક્રમે મૃત્યુને સત્કારવાનું છે. આમ મૃત્યુમાં સ્વર્ગ છે, તેમાં બધું શુભ સમાયેલું છે અને તેથી વિરૂદ્ધમાં જે કાંઈ છે તે પિશાચી અને અનિષ્ટ છે.

સેન્ટર પોઇન્ટઃ ખરો મર્દ એ છે જે શરીરે સશક્ત હોવા છતાં તેનું હ્રદય નારી જેવું કોમળ હોય. તમારી આસપાસના લાખો જીવોને માટે તમારા અંતરમાં લાગણી હોવી જોઇએ.

Monday, March 16, 2009

'જીવન એક સંઘર્ષ છે, પણ મારા નસીબમાં થોડો વિશેષ અને વિચિત્ર સંઘર્ષ લખાયો છે'


'જીવન એક સંઘર્ષ છે, પણ ઇશ્વર તેની જ કસોટી કરે છે જેની અંદર સત્વ હોય.' આ પ્રેરણાત્મક શબ્દો છે દોઢ વર્ષની ઉંમરે જ અંધ થયેલા ડૉક્ટર લાભુભાઈ પૂંજાભાઈ લાવરિયા. લાભુભાઈ માણસ કે પશુની શારીરિક બિમારીનો રોગ કરતાં દાક્તર નથી. તેમણે આઝાદી પછી સર્જન પામેલાં ગુજરાતી હાસ્ય સાહિત્યનું પોસ્ટમોર્ટમ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામના અને પૂંજાભાઈના પરિવારના આ પ્રથમ ડૉક્ટર સાથે તેમના બીજા ઘર સમાન ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી વાતચીત રજૂ કરું છું:


લાભુભાઈ, પહેલી જ વખત તમને અંધ હોવાનો અહેસાસ ક્યારે અને કેવી રીતે થયો?
મેં દોઢેક વર્ષની આસપાસ દુનિયા જોવાની ક્ષમતા ગુમાવી દીધું હોવાનું મારા પિતાજીએ એક વખત કહ્યું હતું। પણ તેનો અહેસાસ પહેલી વખત મને ચારેક વર્ષની ઉંમરે થયો હતો. અમારી શેરીમાં હવાડો (ગાય-ભેંસની પાણી પીવાનું સ્થાન) હતો. તેની પાળી પર છોકરા દોડવાની રમત રમતાં હતા. મને પણ આ રમત રમવાનો શોખ થયો. હું વારંવાર પડી જતો ત્યારે બીજા છોકરાં સમજણના અભાવે મને અંધ હોવાનો અહેસાસ કરતાં હતા. ક્યારેક અપમાનજનક શબ્દ પણ વાપરતાં હતા. પછી ધીમેધીમે ઘરવાળાને મારા વિશે વાતો કરતા સાંભળતો ત્યારે હું અસામાન્ય હોવાનો અહેસાસ થતો ગયો.

ચારથી પાંચ વર્ષની ઉંમરે વાસ્તવિકતા સ્વીકારવાની સમજણ ઓછી હોય છે. તે વખતે તમને કેવો અહેસાસ થયો?
સ્વાભાવિક રીતે દુઃખ થતું હતું। મારું શું થશે તેની ચિંતા થતી હતી. એકલાં એકલાં ઘણી વખત બે-ચાર આંસૂ સારી લેતો હતો. પણ ઇશ્વર એક હાથે લે છે તો હજાર હાથે આપે છે. હું બાળઅવસ્થામાં જ સમજુ થઈ ગયો. જીવન સરળ નથી. તે વિવિધ પ્રકારના સંઘર્ષની હારમાળા છે. એક સંઘર્ષ પૂર્ણ કરો તો બીજી સમસ્યા સામે આવીને ઊભી જ રહી જાય છે. આપણે સતત તેની સામે લડતાં રહેવાનું છે તેનો અહેસાસ થઈ ગયો. કોઈ પણ પ્રકારની ખોડખાંપણ ન ધરાવતા લોકોને પણ પોતાના પ્રશ્નો અને પોતાનો સંઘર્ષ હોય છે. મારા નસીબમાં જુદા પ્રકારનો અને થોડો વિચિત્ર સંઘર્ષ લખાયો છે એમ માનીને જીવનને સ્વીકારી લીધું.

તમે 37 વર્ષનાં જીવનમાં 27 વર્ષ એક યા બીજી હોસ્ટેલમાં પસાર કર્યા છે....
સાચી વાત છે। પહેલાં તમારા ગામ સુરેન્દ્રનગરની એમ ટી દોશી અંધ વિદ્યાલયમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. પછી અહીં (અમદાવાદ) વસ્ત્રાપુરમાં અંધજન મંડળમાં હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં જલસા કર્યા. આટલાં વર્ષો હોસ્ટેલમાં રહ્યો તે મિત્રોને આભારી છે. સારા, પ્રામાણિક, દ્વૈષમુક્ત મિત્રો નસીબવાળાને જ મળે છે અને હું નસીબદાર છું. હોસ્ટેલ લાઇફ એટલે મિત્રોનો મેળો. હરો, ફરો, જલસા કરો અને તેમાંથી સમય મળે તો અભ્યાસ કરો. (હસી પડે છે)

હોસ્ટેલ લાઇફનો કોઈ યાદગાર પ્રસંગ...
ગુજરાત યુનિવર્સટીમાં બી। એ કરતો ત્યારે અમારી સાથે હોસ્ટેલમાં ધવલનો નામનો છોકરો રહેતો હતો. એક વખત અમે મિત્રો સાથે ચા પીવા જતાં હતા ત્યારે તેણે કહ્યું કે, ''અંધ લોકો હિમાલય સર કરતાં હોય તેવા ઉત્સાહ સાથે ચા પીવા જાય છે. અંધ લોકો જેટલાં આનંદથી જીવતાં હોય છે તેટલી લહેરથી બે આંખે જોઈ શકતાં લોકો પણ રહી શકતા નથી.'' આવી વાત ચાલતી હતી ત્યાં તેણે મને પૂછ્યું કે, ભગવાને તમને અંધ કેમ બનાવ્યાં? એટલે મે હસતાં-હસતાં કહ્યું હતું કે, ''ગયા જન્મમાં મેં લાઇટબિલ ભરવામાં બહુ ચોરી કરી હતી એટલે આ જન્મમાં હું અંધ થયો.'' તે પછી તો તે મારો ભક્ત થઈ ગયો. આજે પણ પત્રો લખે છે. જીવનના સુખ-દુઃખના પ્રસંગો મારી સાથે વહેંચે છે. હોસ્ટેલમાં અનેક છોકરાં તેમના નિષ્ફળ પ્રેમનો ખરખરો પણ મારી પાસે જ કરવાં આવતાં. તેવાં તો અનેક પ્રસંગો યાદ આવે ત્યારે હસવું આવે છે.

તમારા પી. એચડીનો વિષય 'સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી હાસ્ય સાહિત્ય-એક અભ્યાસ' છે. હાસ્ય સાહિત્ય પસંદ કરવાનું કારણ શું?
મારા પિતાજી (પૂંજાભાઈ)નો સ્વભાવ બહુ રમૂજી છે। તેમાં લોકસાહિત્યનું જે હાસ્ય છે તે તરફ હું જાણે-અજાણ્યે દોરવાયો. મારા પિતાજીએ મને હસતો કર્યો છે. જ્યારે પીએચ. ડી કરવાનો નિર્ણય લીધો ત્યારે આ બાબતે મારા પિતાજી સાથે વાતચીત થઈ. તેઓ અભણ છે, પણ તેમની સેન્સ ઓફ હ્યુમર ગજબની છે. તેમણે મને કહ્યું કે, તું દુઃખી આત્મા છે પણ બીજાને દુઃખી કરતો નહીં. (હસી પડે છે) એટલે મેં હળવો વિષય જ પસંદ કર્યો.

વિષય હાસ્ય સાહિત્ય અને માર્ગદર્શક તરીકે કવિ ચિનુ મોદી?
મને ઘણા પૂછે છે કે, હાસ્ય સાહિત્યના વિષય પર માર્ગદર્શક તરીકે કોઈ હાસ્ય સાહિત્યકાર કેમ નહી। પણ મને માર્ગદર્શકની પસંદગી સમયે એવું લાગ્યું કે કોઈ કવિને પકડવા. કવિ બહુ ઝડપથી ઇનકાર કરી શકતાં નથી. તેમનું હ્રદય બહુ વિશાળ અને ઋજુ હોય છે (હસતાં હસતાં) એટલે મેં ચિનુ મોદીને આ વિશે વાત કરી અને આપણું પાસું સવળું પડ્યું. તે મારાં માર્ગદર્શક બનવા તૈયાર થઈ ગયા.

સામાન્ય વિદ્યાર્થી કરતાં તમને પી. એચડી કરવામાં વધારે મુશ્કેલી પડી હતી...
હું અંધ હોવાથી મારે સાથીદારો પર બહુ આધાર રાખવો પડ્યો। મારે લાઇબ્રેરીમાં પુસ્તકો શોધવા મિત્રોને સાથે લઇ જવા પડે. પછી તે પુસ્તકોનું રેકોર્ડિંગ કરાવવાનું. તેનું બ્રેઇલ લિપીમાં ટ્રાન્સક્રિપ્શન કરવાનું અને પછી માર્ગદર્શકને બતાવવાનું. જો સુધારો સૂચવે તો પાછાં ઠેરના ઠેર. પણ મને ચિનુ મોદીએ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. ડો. સતિશ વ્યાસના જ્ઞાનનો લાભ સતત મળતો રહ્યો. ડો. પુનિતાબહેન મને સતત ટોકતાં રહ્યાં નહીં તો હું નોંધણી જ ન કરાવત.

મિત્રો અજિત મકવાણા, વિનોદ વણકર, ભરત ડામોર, જિતેન્દ્ર મેકવાન, ભાવેશ જેઠવા, પ્રવીણ રથવી, દશરથ જાદવ, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નરેશ શુક્લ, તન્વી, મારા અંધ મિત્રો મારા મામાનો દીકરો રવિ, ઘનશ્યામ ઠક્કર, રમેશ અને અશોક પટેલબંધુ અને મારી સખી (પત્ની) હેમલત્તાના સાથસહકારના કારણે પી। એચડી થઈ શક્યો છું.

તમારી નજરે હાસ્ય એટલે શું?
વિદ્વાનોએ હાસ્યની વિવિધ વ્યાખ્યા આપી છે। પણ મારું એવું માનવું છે કે સામાન્ય રીતે ન બનતું હોય તેવું કશુંક વિચિત્ર બને તેમાંથી ઊભી થતી રમૂજ.

હાસ્ય સાહિત્યમાં તમારા મનપસંદ ગુજરાતી હાસ્ય સાહિત્યકાર કોણ છે?
જ્યોતિન્દ્ર દવે। તેમને તોલે ગુજરાતનો એક પણ હાસ્ય સાહિત્યકાર ન આવે. કોઈને ઠેસ પહોંચાડ્યા વિના રમૂજ કરવામાં તેમની માસ્ટરી હતી. એક ઉદાહરણ આપું. એક વખત તેમણે કહ્યું હતું કે, ''ગુજરાતી સાહિત્ય પરિષદમાં પરિષદ જ સર્વોપરી છે, સાહિત્ય ગૌણ છે.'' પશ્ચિમના દેશોમાં હોત તો તેમની ખરેખર બહુ માનપાન મળ્યાં હોત.

હાસ્ય સાહિત્યમાં નવા સાહિત્યકારોમાં તમને કોણ પસંદ છે?
રતિલાલ બોરીસાગર। તે હોલસેલમાં સર્જન કરતાં નથી એટલે ગુણવત્તાયુક્ત સર્જન કરી શકે છે.

પીએચ. ડી પૂર્ણ કર્યા પછી હવે શું કરવું છે?
હું ધ્રાંગધ્રામાં કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં સંગીત શિક્ષક છું। હવે મૌલિક સાહિત્યનું સર્જન કરવું છે. લેખો અને નિબંધ સ્વરૂપે તેની શરૂઆત કરવી છે.

થોડી અંગત વાત કરી લઇએ. હેમલત્તા બહેન સાથે એરેન્જ-કમ-લવ મેરેજ છે...
(હસતાં-હસતાં) લોકો લવ કર્યા પછી વાત જામે એવી હોય તો મેરેજ એરેન્જ કરે। અમારે પહેલાં મેરેજ એરેન્જ કરવાં પડે અને પછી પ્રીતડીના ખેલ ખેલવા પડે. હેમુનો પરિચય સુરેન્દ્રનગરમાં જ થયો હતો. મિત્રોએ બધું ગોઠવી દીધું અને આપણો બેડો પાર થઈ ગયો.

હેમલત્તા બહેનની કઈ ખૂબી તમને સૌથી વધુ ગમે?
તેની સક્રિયતા અને ઘરકામ પ્રત્યેનો પ્રેમ। તેનો વ્યવસ્થિતા અને શિસ્તનો આગ્રહ મને બહુ પસંદ છે. અમારા ઘેર આવો તો તમને કોઈ ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય તેવું ન દેખાય. બીજું, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ. તે ક્યારેય હાર માનવાનું પસંદ કરતી નથી.

સમય પસાર કરવા સૌથી મનપસંદ પ્રવૃત્તિ કઈ?
શાસ્ત્રીય સંગીત સાંભળવાનું મને બહુ પસંદ છે। શાસ્ત્રીય સંગીત શાશ્વત છે. તેની લોકપ્રિયતામાં વધઘટ જરૂર થતી રહે છે, પણ તે આપણી સંસ્કૃતિની ઓળખસમાન છે.

મનપસંદ શાસ્ત્રીય ગાયક?
પંડિત ઓમકારનાથ.

Sunday, March 15, 2009

અનિલ અંબાણીની રૂ. 50,000 કરોડની ટેલીકોમ ગોલમાલ


જે સરકાર સત્તામાં હોય તેને ખિસ્સામાં રાખવાનો પ્રયાસ અંબાણી પરિવાર કરે છે. એનડીએની સરકાર વખતે ઉચ્ચ રાજકીય વર્તુળોમાં એવી મજાક થતી કે, સરકારનું બજેટ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ બનાવે છે. નાણા મંત્રી તો તેના પર મંજૂરીની મહોર જ લગાવે છે. દાવ લગાવવા અને તે દાવનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવામાં ધીરુભાઈ અંબાણી અને તેમના બંને પુત્રો-મુકેશ અને અનિલ અંબાણી નંબર વન છે. પોતાના સોદા છૂપાવવા માટે તેમણે નાણાકીય જગતમાં કંપનીઓની માયાજાળ બનાવી છે જેથી કાયદાની પકડમાં આવ્યાં વિના રાજકારણીઓ સાથે સાંઠગાંઠ કરીને અઢળક સંપત્તિનું સર્જન થઈ શકે.

આપણે એક એવા ટેલીકોમ લાઇસન્સ કૌભાંડની વાત કરીશું જેના કારણે સરકારી તિજોરીને રૂ। 50,000 કરોડનો ચૂન્નો લાગ્યો છે. આ ગોલમાલના મુખ્ય પાત્રો અનિલ અંબાણી, તેમની લિસ્ટેડ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન, સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડ અને તેમની માલિકની કંપની ટાઇગર ટ્રસ્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ટેલીકોમ મંત્રી એ રાજા છે. આવો આ ગોટાળાનો ખેલ જોઇએઃ

સ્ટેપઃ1
અનિલ અંબાણીને જે રાજ્યોમાં જીએસએમ લાઇસન્સ મળ્યાં નહોતા ત્યાં તેઓ આ લાઇસન્સ મેળવવા માગતા હતા। આ માટે તેમણે વર્ષ 2006માં અરજી કરી હતી. અહીં વિચારવા જેવી વાત એ છે કે, ટેલીકોમ વિભાગે તે સમયે જીએસએમ લાઇસન્સ ફાળવવા માટે ટેન્ડર મંગાવ્યાં નહોતા. આ અરજી પર કેન્દ્ર સરકારે બહુ ધ્યાન આપ્યું નહોતું, કારણ કે કોંગ્રેસ સંચાલિત યુપીએ સરકાર અને ઉત્તર પ્રદેશની સમાજવાદી પક્ષની તત્કાલિન સરકાર વચ્ચે બાપા માર્યા વેર હતા અને અનિલ અંકલ સમાજવાદી પક્ષના પબ્લિક રીલેશન ઓફિસર અમર સિંહની નજીક ગણાતા હતા. એટલે અનિલ અંકલે એક નવો રસ્તો અપનાવ્યો.

સ્ટેપઃ2
અનિલ અંબાણી જાણતા હતા કે રિલાયન્સ કમ્યુનિકેશનના નામે સરકાર જીએસએમ લાઇસન્સ આપશે નહીં। એટલે તેમણે એક નવી કંપની સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડની રચના કરી અને તેના નામે અરજી કરી. આ વખતે પણ દરેક ટેલીકોમ સર્કલમાં અગાઉથી કાર્યરત ટેલીકોમ કંપનીઓ સિવાય અન્ય કંપનીઓને લાઇસન્સ આપવા વિશે કોઈ નિયમ નહોતો. આ કંપનીએ લાઇસન્સ મેળવવા અરજીઓ પણ તે જ સર્કલ માટે કરી જ્યાં રિલાયન્સ કમ્યુનિકેશનની પાસે જીએમએમ લાઇસન્સ નહોતાં. આ અરજીઓ માર્ચ, 2007માં કરવામાં આવી હતી.

સ્વાન ટેલીકોમમાં 90 ટકા ભંડોળ પબ્લિક લિસ્ટેડ રિલાયન્સ કમ્યુનિકેશન પેટાકંપનીમાંથી આવતું હતું, પણ 91 ટકા શેર અનિલ અંબાણીની અંગત માલિકની કંપની પાસે હતા। સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડમાં બે કંપનીઓની માલિકી હતી. રિલાયન્સ કમ્યુનિકેશન પાસે 9 ટકા શેર હતા જ્યારે ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ પાસે 91 ટકા શેર હતા. ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ પાસે સ્વાન ટેલીકોમના 50 ટકા કરતાં વધારે શેર હોવાથી તે નિયંત્રક કંપની હતી. ઉલ્લેખનીય છે કે, ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ અનિલ અંબાણીની વ્યક્તિગત માલિકીની કંપની હતી.

અનિલ અંબાણીએ નાણાકીય વર્ષ 2006-07માં રિલાયન્સ કમ્યુનિકેશનના માધ્યમથી સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ નરીમાન લિમિટેડમાં 1002 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું। કોઈ ટેલીકોમ કંપની અન્ય કોઈ ટેલીકોમ કંપનીમાં 10 ટકાથી વધુ રોકાણ ન કરી શકે તે નિયમ અંતગર્ત આ 1002 કરોડ રૂપિયામાંથી 10.79 કરોડ રૂપિયાનું રોકાણ સામાન્ય ઇક્વિટી શેરો સ્વરૂપે થયું હતું. બાકીના 992 કરોડ રૂપિયાનું રોકાણ રિડીમેબલ પ્રેફરન્સ શેરો સ્વરૂપે થયું હતું. આ શેરોનું અંકિત મૂલ્ય એક રૂપિયા હતું જેના પર પ્રીમિયમ સ્વરૂપે 999 રૂપિયા ચૂકવવામાં આવ્યાં હતા. જેનું મૂલ્ય એક રૂપિયા હોય તે માટે 1000 રૂપિયા કેમ ચૂકવવામાં આવ્યાં ?

99।21 કરોડની બાકીની ઇક્વિટીનું રોકાણ નિયંત્રક કંપની ટાઇગર ટ્રસ્ટ પ્રાઇવેટ લિમિટેડે કર્યું હતું, જેનું નિયંત્રણ અને મેનેજમેન્ટ એડીએજી સમૂહની કંપનીના પ્રતિનિધિઓના હાથમાં હતું. આ રીતે 90 ટકા રોકાણ પબ્લિક લિસ્ટેડ કંપની રિલાયન્સ કમ્યુનિકેશને કર્યું જ્યારે 90 ટકાથી વધારે શેર અનિલ અંબાણીની અંગત કંપની ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ પાસે હતા.

સ્ટેપઃ3
ટેલીકોમ વિભાગે 24 સપ્ટેમ્બર, 2007ના રોજ નવા લાઇસન્સ માટે 'વહેલાં તે પહેલાં'ના આધારે ટેન્ડર મંગાવ્યા। ટેન્ડર પ્રક્રિયા ગણ્યાંગાઠ્યાં લોકો અને કંપનીઓ પૂરતી મર્યાદિત રાખવા માટે જ 'વહેલાં તે પહેલાં'ની નીતિ અપનાવવામાં આવી હતી. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી. તે પછી સમગ્ર દેશ માટે લગભગ રૂ. 1,600 કરોડના લાઇસન્સ ફાળવવામાં આવ્યાં, જ્યારે તેનું બજાર મૂલ્ય રૂ. 10,000 કરોડ હતું. એટલે સરકારે પોતાની પસંદગીની કંપનીઓને ઓછા કિંમતે લાઇસન્સ પધરાવી દીધા. જો મહત્તમ બજાર મૂલ્ય અને લાઇસન્સની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો તેનાથી સરકારી તિજોરીને 50,000 કરોડનું નુકસાન થયુ હતું.

સ્ટેપઃ4
ટેન્ડર ભરવાની અંતિમ તારીખના બરોબર એક દિવસ પછી એટલે કે 1 ઓક્ટોબર, 2007ના રોજ સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડની સાથેસાથે તેની નિયંત્રક કંપની ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એડીએજી ગ્રૂપના પ્રતિનિધિઓના સ્થાને રાજકારણીઓના ખાસ વિશ્વાસુ માણસો આવી ગયા। જોકે સોદો 18 ઓક્ટોબર, 2007ના રોજ થયો. તે જ દિવસે રિલાયન્સ કમ્યુનિકેશને 2006માં કરેલી અરજીઓ પર નિર્ણય લેવાયો. તેને જીએસએમ લાઇસન્સ આપી દેવાયા જેથી સ્વાન ટેલીકોમના નામે તેણે કરેલી અરજીઓની કોઈ જરૂર જ ન રહે.

તે જ દિવસે એડીએજીએ ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડમાંથી પોતાનું નિયંત્રણ હટાવી લીધું। સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડના 90 ટકા હિસ્સા પર ટાઇગર ટ્રસ્ટીની માલિકી હતી. સ્વાને લાઇસન્સ મેળવવા અરજી કરી હતી એટલે સ્વાભાવિક રીતે તેને જ ટેલીકોમ લાઇસન્સ મળવાના હતા. અનિલ અંબાણીએ ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ પરની માલિકી માત્ર 4.99 કરોડમાં છોડી દીધી અને તે સોદો ત્યારે કર્યો જ્યારે ટાઇગર ટ્રસ્ટીની જેના પર માલિકી હતી તે સ્વાન ટેલીકોમની મૂડી અને અનામત ભંડોળ 1100 કરોડ રૂપિયા હતું. જે કંપની પાસે રૂ. 1,100 કરોડનું ભંડોળ હતું તેની માલિકી અનિલ અંબાણીએ માત્ર 4.99 કરોડમાં કેમ છોડી દીધી?

જે હાસ્યાસ્પદ રીતે લાઇસન્સ આપવામાં આવ્યાં હતા તે જ રીતે વહેલાં તે પહેલાંના ધોરણે સ્વાન ટેલીકોમનું હસ્તાંતરણ થઈ ગયું। વિચારવા જેવી વાત એ છે કે દિલ્હી હાઈ કોર્ટે વહેલાં તે પહેલાંના ધોરણે લાઇસન્સ નહીં ફાળવવાની સ્પષ્ટતા કરી દીધી હતી.

વિચારોઃ
(1) સ્વાન ટેલીકોમની માલિકી અને મેનેજમેન્ટ બદલાયું તેમ છતાં રિલાયન્સ કમ્યુનિકેશને તેમાં કરેલું રોકાણ તેના ખાતામાં જ દેખાતું હતું। તો પછી માલિકી હસ્તાંતરણની કોઈ માહિતી કે કોઈ આંકડા બેલેન્સ શીટમાં કેમ દેખાડવામાં આવ્યાં નહીં?

(2) રિલાયન્સને 18 ઓક્ટોબર, 2007ના રોજ લાઇસન્સ આપી દેવાયા પછી સ્વાન ટેલીકોમની અરજીઓનો કોઈ અર્થ નહોતો। તેમ છતાં તેને 10 જાન્યુઆરી, 2008ના રોજ 1,300 કરોડ રૂપિયામાં લાઇસન્સ કેમ ફાળવવામાં આવ્યાં?

(3) રિલાયન્સ કમ્યુનિકેશને સ્વાન ટેલીકોમમાં કરેલું રોકાણ મોરેશિયસની કંપની ડેલ્ફી ઇન્વેસ્ટમેન્ટને શા માટે હસ્તાંતરિત કરી દેવાયું?

(4) રિલાયન્સ કમ્યુનિકેશને સ્વાન ટેલીકોમના ફંડમાં 90 ટકા રોકાણ કર્યું હતું તો તેના સામાન્ય શેરધારકોને બદલામાં કેમ કંઈ ન મળ્યું?

(5) લાઇસન્સ મળે તે પહેલાં જ કંપનીમાં ટ્રેડિંગની મંજૂરી કેમ આપવામાં આવી?

Thursday, March 12, 2009

સમાજસુધારક અને પ્રજાવત્સલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ


કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ગરીબો અને દલિતોના ઝૂંપડામાં જઇને પક્ષને મત આપવા જનતા જનાર્દનને રીઝવી રહ્યાં છે ત્યારે એક યુવરાજ એવો હતો જે બાળપણમાં ગાયો ચરાવતો હતો પણ તે નસીબનો બળિયો હતો. તે 18 વર્ષની વયે એક રજવાડાની ગાદીએ બેઠો અને પછી પોતાનું જીવન અંત્યજો અને પ્રજાના ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધું. આ ગોવાળિયાનું નામ ગોપાળરાવ હતું જે પાછળથી વડોદરાના પ્રજાપરાયણ મહારાજ સયાજીરાવ ગાયકવાડ તરીકે ઓળખાયા. 11 માર્ચના રોજ તેમનો 146મો જન્મદિવસ હતો. આ પ્રસંગે મહારાજા સયાજીરાવની જીવનની અને તેમના સમાજપયોગી કાર્યોની થોડી ઝાંખી મેળવીએ.

ગોવાળમાંથી રાજકુમાર
વડોદરાના રાજવી ખંડેરાવને કોઈ સંતાન ન હતું। તેમણે તેમના નાના ભાઈ મલ્હારાવે ગાદીએ બેસાડ્યા. પણ તેઓ પ્રજા પર જુલમ ગુજારાતા હતા એટલે તેમને રાજગાદી પરથી ઉઠાડી મૂકવામાં આવ્યાં. તે પછી પરંપર મુજબ, ગાયકવાડ વંશમાંથી કોઈ પણ બાળક દત્તક લેવાનો હક મહારાણી જમનાબાઈને મળ્યો. તેમણે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કવલાણા ગામમાં રહેતા ગાયકવાડ કુટુંબ કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્રો-આનંદરાવ, ગોપાળરાવ અને સંપતરાવમાંથી વચેટ ગોપાળરાવની પસંદગી કરી. તે સમયે ગોપાળરાવ ગાયો ચરાવતા હતા. તેઓ અભણ હતા.

સયાજીરાવ અને શિક્ષણ
દત્તક લેવાયા પછી મહારાણીએ ગોપાળરાવનું નામ સયાજીરાવ રાખ્યું। તેમને શિક્ષણ આપવા ગુજરાતી અને મરાઠી શિક્ષકો રાખવામાં આવ્યા. પછી જમાનબાઈએ રાજકુટુંબના બાળકોને વ્યવસ્થિત કેળવણી મળે તે માટે એક ખાસ શાળા દરબારગઢમાં શરૂ કરી, જેના વડા ઇલિયટ નામના અંગ્રેજ થયા. અહીં સયાજીરાવે ગુજરાતી, મરાઠી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ લીધું. તેમણે ઇ. સ. 1881ની આઠમી ડીસેમ્બરે અઢાર વર્ષની વયે વડોદરાનો સંપૂર્ણ વહીવટ સંભાળ્યો. તેમણે 60 વર્ષ શાસન કર્યું હતું.

લગ્ન
સયાજીરાવ ગાદીએ બેઠા પછી મહારાણી જમાનાબાઈએ તેમના લગ્ન કરવાનું વિચાર્યું। તેમણે વિવિધ રજવાડાઓની રાજકુમારીઓ પર નજર દોડાવી અને દક્ષિણ ભારતના તાંજોર રાજ્યમાં રહેતા હૈબતરાવ નારાયણરાવ મોહિતેની પુત્રી લક્ષ્મીબાઈ પર તેમની નજર ઠરી. મહારાષ્ટ્રમાં લગ્ન પછી નવવધુને સાસરીમાં નવું નામ આપવાની પરંપરા છે. આ પરંપરા મુજબ જમાનાબાઈએ લક્ષ્મીબાઈનું નામ ચીમણાબાઈ રાખ્યું. જોકે મહારાણીના મૂળ નામ પરથી વડોદરાના એક મહેલને લક્ષ્મીવિલાસ પેલેસ નામ આપવામાં આવ્યું છે. સયાજીરાવ અને ચીમણાબાઈના બે વર્ષના સુખી-સંપન્ન લગ્નજીવન પછી યુવરાજ ફતેહસિંહરાવનો જન્મ થયો. પછી એક દિકરીનો જન્મ થયો. પરંતુ ઇ. સ. 1885માં મહારાણી ચીમણાબાઈનું અચાનક અવસાન થયું. તેમની યાદમાં સયાજીરાવે એક વિશાળ ઇમારત બંધાવી, જે અત્યારે ન્યાયમંદિર તરીકે જાણીતી છે. તે પછી સયાજીરાવે બીજા લગ્ન કર્યા.

કેળવણીકાર
સયાજીરાવે પ્રજાના વિકાસ માટે અનેક કાર્યો કર્યા। તેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ કાર્ય કેળવણીનું છે. તેમણે 1893ની સાલમાં મફત અને ફરજિયાત કેળવણીના પ્રથા દાખલ કરી. સમગ્ર હિંદુસ્તાનમાં આવું પગલું ભરનાર સયાજીરાવ સૌપ્રથમ રાજવી હતા. તે પછી ફરજિયાત અને મફત કેળવણીનો વ્યાપ હાઈસ્કૂલો અને કોલેજ સુધી વિસ્તાર્યો. રાજ્યના યુવાનોને ઉદ્યોગો સ્થાપવાની તાલીમ આપવા કલાભવનની સ્થાપના કરી. ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી. સૌથી વિશેષ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમાંથી સ્નાતક થયેલા અનેક વિદ્યાર્થીઓએ આજે જે તે ક્ષેત્રમાં નામના મેળવી છે. કેળવણીનો વ્યાપ વધારવા રાજ્યના ગામડે ગામડે પુસ્તકાલયો શરૂ કર્યા.

રાજભાષા ગુજરાતી
સયાજીરાવ સાહિત્યરસિક હતા। પોતે મહારાષ્ટ્રીયન હતા. તે સમયે વડોદરા રાજ્યની પ્રજાનો મોટો ભાગ પણ મરાઠીભાષી હતો. તેમ છતાં વડોદરા, ગુજરાતનો જ ભાગ હોવાથી રાજ્યભાષા ગુજરાતી જ ઠેરવી. ગુજરાતી ભાષામાં અનેક સુંદર પુસ્તકો પ્રગટ કરાવ્યાં. ગુજરાતના પ્રાચીન કવિઓનાં કાવ્યોની પ્રાચીન કાવ્યમાળાની શ્રેણી શરૂ કરી. ઇ. સ. 1912માં વડોદરામાં ગુજરાતી લેખકોની પરિષદ ભરાઈ હતી. તેમાં તેમણે લોકોપયોગી પુસ્તકો પ્રગટ કરવા બે લાખ રૂપિયાનું ભંડોળ જુદું રાખવાની જાહેરાત કરી હતી.

સમાજસુધારક
સયાજીરાવ એક સારા સમાજસુધારક હતા। તેમણે અંત્યજો માટે ઇ. સ. 1882થી શાળાઓ શરૂ કરી. અંત્યજ બાળકો માટે છાત્રાલયો શરૂ કર્યા. ભારતના દલિતનેતા આજે જેમના નામનો દૂરપયોગ કરી દલિતોને ભડકાવી ગાદીપતિ અને અબજોપતિ થઈ ગયા છે તેવા ભીમરાવ આંબેડકર પણ સયાજીરાવની મદદથી પરદેશ અભ્યાસ કરવા ગયા હતા. તેઓ સ્ત્રીકેળવણીનું મૂલ્ય બહુ સારી રીતે સમજતાં હતા. તેમણે સમાજમાં પ્રવર્તતા ખોટા રીતરિવાજો દૂર કરવા અનેક કાયદા બનાવ્યાં હતા. બાળલગ્ન પર પ્રતિબંધ મૂકી દીધો. વિધવાવિવાહને કાયદેસર બનાવ્યાં. જ્યારે ગાંધીજી ભારતથી સેંકડો માઇલ દૂર દક્ષિણ આફ્રિકામાં હિંદી નાગરિકોને સમાન અધિકાર મળે તે માટે લડત ચલાવતા હતા ત્યારે સયાજીરાવે વડોદરા રાજ્યમાં અસ્પૃશ્યતાનિવારણ કર્યું હતું. જનતા જનાર્દનનો મત સ્વીકારવા ધારાસભાની સ્થાપના કરી.

સંગીતશાળા
ગુજરાતનાં દેશી રાજ્યોમાં સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયાસો મહારાજા સયાજીરાવે કર્યા હતા। વડોદરામાં સંગીત-પ્રવૃત્તિનો પારંભ ખંડેરાવ મહારાજાના સમયથી થયો હતો. તેમણે મૈસૂરના રાજગાયક મૌલાબક્ષને વડોદરાના રાજદરબારની શોભા વધારવા આમંત્રણ આપ્યું હતું. તે પછી 1886માં સયાજીરાવે વડોદરામાં સંગીતશાળા શરૂ કરી. તેના પહેલાં આચાર્ય તરીકે મૌલાબક્ષની નિમણૂક કરી. તેઓ મૌલા વીણાવાદક હતા. આ સંસ્થા અત્યારે સંગીત, નૃત્ય અને નાટ્યકલાના શિક્ષણ માટેની આગવી સંસ્થા છે. વડોદરાએ મૌલાબક્ષ ઉપરાંત ખાંસાહેબ અબ્દુલકરીમખાં, ફૈયાઝખાં, નાસિરખાં, ફિદાહુસૈન, ફૈજમહમ્મદ, ગણપતરામ, આતાહુસેન, અમીરખાં, ઇનાયત હુસૈન, ગંગારામ તખવાજી, હીરાબાઈ બડોદેકર, લક્ષ્મીબાઈ જાદવ, મીરા ખાંડેકર વગેરે અનેક સંગીતકારોને રાજ્યાશ્રય આપ્યો હતો. મહારાજાએ 1916માં ભારતની સૌપ્રથમ સંગીત પરિષદ બોલાવી હતી. વડોદરાના દરબારના ઉત્તમ કલાકારો અઠવાડિયે એક વાર જાહેરમાં લોકો માટે ગાતા હતા.

ગુજરાતમાં જ્ઞાનપ્રચાર, કલાપ્રચાર, વિજ્ઞાન અને ટેકનિકલ શિક્ષણ, ગ્રામસુધાર, અંત્યજોદ્વાર, નારીવિકાસ અને રાષ્ટ્રપ્રેમની ચિંતા અને પુરુષાર્થ કરનાર આ વિરાટ પુરુષ માત્ર ગુજરાતના જ નહિ, પણ ભારતના મહાપુરુષ તરીકે અમર રહેશે. તેમનું અવસાન છઠ્ઠી ફેબ્રુઆરી, 1939ના રોજ થયું હતું.

મનુભાઈ, મનુ અને મનિયો......!



''તું ચિંતા ન કર. આપણી ગુજરાતી છોકરીઓ શરૂઆતમાં કોઈ પણ છોકરાને પહેલાં ભાઈ જ કહે છે. ગુજરાતણો પહેલાં ભઈલો બનાવે છે. જામે એવું છે કે નહીં તેની તપાસ કરી લે છે. પછી ઠીક લાગે તો ફ્રેન્ડશિપ ડેને દિવસે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દે છે અને પછી તમે કેટલા આગળ વધો છો તેના પર બધું ડીપેન્ડ છે. તું તેની પાછળ લાગ્યો રહે. કામ થઈ જશે.''
થોડા દિવસ પહેલાં હું ઓફિસના કામમાંથી નવરાશની પળો માણવા બહાર ગયો ત્યારે બે મિત્રો વચ્ચે ચાલતી વાત અજાણતા કાને પડી ગઈ. એક મિત્ર લવગુરુની ભૂમિકામાં હતો અને બીજા મિત્રની હાલત પ્રેમીપારેવા જેવી હતી. બીજો યુવાન જેના પ્રેમમાં હતો તે યુવતી તેને ભાઈ કહીને બોલાવતી હતી તેવું વાત પરથી જણાયું. પણ લવગુરુની વાતમાં દમ હતો. ગુજરાતણો (મોટા ભાગની) શાણી, સમજુ અને વ્યવહારદક્ષ હોય છે. છેલ્લાં ચારથી પાંચ વર્ષ દરમિયાન મેં પણ જમાના સામે પહેલાં ભાઈ-બહેન હોવાના ઢોલ પીટતાં અને પછી મિયા-બીબી બનીને 'ખટિયા ભી ધીમે ધીમે ખટ ખટ' કરતાં કિસ્સા જોયા છે. ચલો, આવાં જ એક કિસ્સા વિશે વાત કરીએ....

હમણાં જ મિત્ર મનુએ શ્યામા (નામ બદલવામાં આવ્યાં છે) સાથે પ્રેમલગ્ન કર્યા। શ્યામા અને મનુ બંને એકસાથે નોકરી કરતાં હતા. (અત્યારે શ્યામા હાઉસવાઇફ છે) શ્યામાને જોતાં જ મનિયો ગાંડો થઈ ગયો હતો. પણ શ્યામા પાક્કી ગુજરાતણ. તેણે ઓફિસમાં પગ મૂકતાં જ 'મનુભાઈ, ઓ મનુભાઈ' કહી બોલાવતા 'માય ડીઅર મનુ'નાં ઋજુ હ્રદય પર જાણે કોઇએ રામપુરી ચોકુ ચલાવી દીધું હોય તેવી તેની હાલત થઈ ગઈ. અમને બધાને તેના દિલમાંથી ઉઠેલા નિસાસાના ફુવારાનો અહેસાસ હતો. પણ અમે મનુનાં તાલીમિત્રો નહોતા. શ્યામાનું કહ્યું મન પર અને ખાસ તો દિલ પર નહીં લેવા તેને સમજાવ્યો અને પ્રેમની ગંગા સતત વહેતી રાખવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં. ચક દે...મનુ!

પછી તો મનિયો લસણ ખાઈને લાગી ગયો। તેણે યેન-કેન પ્રકારે શ્યામાને એવો સંકેત આપી દીધો કે તે મનુભાઈ કહીને બોલાવે છે તે તેને પસંદ નથી. થોડા દિવસ તો શ્યામાએ મનુને બોલાવાનું બંધ જ કરી દીધું. વાત દિવા જેવી સ્પષ્ટ થઈ ગઈ હતી. મનુ લવ્સ શ્યામા! જોકે શ્યામા પણ મનુને મોટાભાગની ગુજરાતણોની જેમ સ્વાભાવિક રીતે મનુભાઈ કહેતી હતી. તેમાં કાંઈ માની જણી બહેન જેવી કોઈ લાગણી નહોતી.

એકાદ મહિના પછી ચમત્કાર થઈ ગયો। ઓફિસમાં અમે બધા સાથે જમતાં હતા. ત્યાં શ્યામા આવી. તેણે જમતાં-જમતાં પૂછ્યું કે, 'મનુ ક્યાં ગયો છે?' બધા સ્ટેચ્યુ. મનુભાઈમાંથી મનુ? મેં ધીમેથી કોળિયો નીચા ઉતાર્યો અને કહ્યું, ''શ્યામાબેન, તમે શું કહ્યું?'' શ્યામા સમજી ગઈ. તેણે જોરથી જવાબ આપ્યો, ''હું મનુ વિશે પૂછી રહી છું?'' મારી પાસે બેઠેલા મિ. દવેએ તરત જ એક બાજુ જઇને મનિયાને ફોન લગાવ્યો અને ખુશખબર આપ્યાં. મનિયો હડી કાઢીને ગાંડાઘેલો થતો કેન્ટીનમાં આવી ગયો અને મિ. દવેને હરખનો માર્યો પપ્પી કરવાં જતો ત્યાં તેની નજર શ્યામા પર પડી. તેના અને મિ. દવે વચ્ચેના સંબંધો વિશે શ્યામા કંઈ ઊંધુચત્તુ ન વિચારે એટલે તે અટકી ગયો.

પછી અમે બધા મનિયામાં હોય એવા અને ન હોય તેવા સારાં સારાં લખ્ખણોની કેફિયત શ્યામા સમક્ષ રજૂ કરતાં રહ્યાં। મનુ સૌથી વધુ આભારી મિ. દવેનો છે. મિ. દવે અને મનુ આમ તો શરૂઆતમાં એકબીજાના હરિફ હતા, પણ દવેજીના મન પર 'જ્યુબિલી કુમાર' તરીકે જાણીતા રાજેન્દ્ર કુમારે 'સંગમ' ફિલ્મમાં કરેલા ત્યાગનો નશો સવાર છે. એટલે પોતાનો ગજ તો વાગશે જ નહીં એમ લાગતા તેમણે મનુને પરાણે ટેકો આપ્યો. શ્યામાને પણ દવેજીનો સાથ ગમતો. તે બેસીને મોસંબી ખાતા ખાતા વાતો કરે અને દવેજી હરખાતા હરખાતા તેનું કામ કરે. રબને બના દી જોડી!

દવેજીએ દિલ પર પથ્થર મૂકીને કરેલી મહેનત રંગ લાવી। પાકા પાયે બેકગ્રાઉન્ડ તૈયાર થયા પછી એક દિવસ મનુએ શ્યામાને સીધેસીધું પૂછી જ લીધું. શ્યામાએ પાછું મોટાભાગની પાક્કી ગુજરાતણની જેમ બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું. મનિયાને વધુ બે દિવસ લબડાવું પડ્યું. બે દિવસ ભારે ચહેરા સાથે ફર્યો. છેવટે શ્યામાએ તેને હા પાડી, પણ પાક્કી ગુજરાતણની અદાથી. 'મનુ, હું તને હા પાડું છું, પણ લગ્ન સુધી મારાથી દૂર રહેજે.' અને કનિયો કહે, 'હું તો અત્યારે જ પરણવા તૈયાર છું...'

બેથી ત્રણ મહિનામાં મનુનો કેસ ફાઇલ થઈ ગયો. થોડા દિવસ પહેલાં મનુ મળ્યો હતો. અમે બંને તે વાતો યાદ કરીને ખૂબ હસ્યાં હતા. મેં તેને હસતાં-હસતાં પૂછ્યું કે, 'શ્યામા, તને મનુભાઈ કહેતી નથી ને?' તો તેણે જવાબ આપ્યો, 'વડીલોની હાજરીમાં તમે કહે છે, મારી બહેનની હાજરીમાં મનુ કહે છે અને રાત્રે ધુબાકા મારતી વખતે મનિયો કહે છે...'