Friday, May 29, 2009

અનિલ અંબાણીની હત્યાનું પહેલું ષડયંત્ર ચાર વર્ષ પહેલાં રચાયું ત્યારે...


10 જૂન, 2005. મુંબઈના તત્કાલિન પોલીસ વડા એ એન રૉય ઝડપથી બેલાર્ડ એસ્ટેટમાં સ્થિત રીલાયન્સ સેન્ટરમાં પહોંચ્યા. સેન્ટરના ત્રીજા માળે અનિલ અંબાણીની ઓફિસ છે. તેમને જોઇને છોટે અંબાણી અને તેમનો સ્ટાફ ચોંકી ગયો. સામાન્ય રીતે પોલીસ વડાને તેમના આગમનની આગોતરી જાણ કરવાની કોઈ જરૂર નહોતી, તેમ છતાં જે પરિસ્થિતિમાં તેઓ આવ્યાં હતા તેમાં તેમનું આગમન અનપેક્ષિત અને અસધારણ હતું. તે સમયે અનિલ અંબાણી અને તેમના બિગ બ્રધર મુકેશ અંબાણી વચ્ચે રીલાયન્સના વિભાજનને લઇને વિવાદ ચરમ સીમાએ હતો. આ સંજોગોમાં રૉયનું અચાનક આગમન કોઈ ખાસ બાબત હોવાનો ઇશારો કરતી હતી અને એવું જ હતું.

તેમણે જે વાત કરી તે સાંભળીને છોટે અંબાણી ચોંકી ગયા. રૉયના કહેવા મુજબ, દુબઈમાં રહેતો અંડરવર્લ્ડ ડૉન ઇકબાલ મિર્ચી અને મુંબઈમાં રહેતાં તેના સાથીદાર અનિલ અંબાણીની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. તેમની પાસે તેના પુરાવા પણ હતા. મુંબઈ પોલીસના પોલીસ અધિકારીઓએ અને જાસૂસી તંત્રએ ફોન પર થયેલી વાતચીતના કેટલાંક અંશ રેકર્ડ કર્યાં હતા. તેના પરથી તેઓ એવા તારણ પર આવ્યાં હતા કે, કોઈ વ્યક્તિ દાઉદના સાથીદાર મિર્ચીને આ કામ માટે મોં માંગી રકમ આપવા તૈયાર હતી.
પોલીસ અધિકારીઓએ થ્રીવે કોન્ફરન્સ કોલ રેકર્ડ કર્યા હતા। તેમાં બે લોકો ઉપરાંત મિર્ચીના મોટા ભાગના કેસ લડતો મુંબઈનો એક વકીલ પણ સામેલ હતો। રૉય ગયા પછી અનિલ અંબાણીએ માતા કોકિલાબહેન, પત્ની ટીના અંબાણી અને તેમના સૌથી વધુ વિશ્વસનિય બે સાથીદારોમાંથી એક અમિતાભ ઝુનઝુનવાલાને વાત કરી હતી.

આ વાતની જાણકારી અમેરિકામાં પોતાના બાળગોપાલ સાથે વેકેશનની મજા માણતા છોટે અંબાણીના એક સાથીદારને મળી ત્યારે તેણે મુંબઈ પાછાં ફરવાની તૈયારી દેખાડી. પણ ટીના અંબાણીએ વેકેશનની મજા માણીને પાછાં ફરવાની અને ચિંતા ન કરવાની સલાહ આપી. પણ ન્યૂયોર્કથી પાછાં ફર્યા બાદ આ અધિકારીને જાણવા મળ્યું કે, રૉય છોટે અંબાણીને મળીને ગયા પછી 48 કલાકમાં જ થ્રી-વે કોન્ફરન્સ કોલની ટેપ અને તેની વાતચીતનું લેખિત વિવરણ પોલીસ રેકર્ડમાંથી ગાયબ થઈ ગયા હતા. એટલું જ નહીં આ કૉલને સાંભળનાર અને તેના કેટલાંક અંશને રેકર્ડ કરનાર ક્રાઇબ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારી ધનંજય કમલાકરને આ કામથી દૂર કરી દેવાયા. આ કમલાકર એટલે કોણ?

કમલાકર અંડરવર્લ્ડની હાલચાલ પર નજર રાખવા અને મુંબઈમાં ગયા વર્ષે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિજય સાલસ્કરને તૈયાર કરવા માટે જાણીતા છે. તેઓ તેમણે એકત્ર કરેલા પુરાવા વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કરે છે. આ પુરાવા હજુ પણ મુંબઈ પોલીસ પાસે હશે કે નહીં તે વિશે તેઓ ચૂપકીદી સેવી લે છે. શું અનિલ અંબાણીની હત્યાનું આ પહેલું ષડયંત્ર હંમેશા માટે કોયડો બનીને રહી જશે?

જે શિક્ષણ ચારિત્ર્યબળ અને સિંહ જેવી હિંમત ખીલવી ન શકે તેને શિક્ષણ કહી શકાય?


આજે તમે જે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છો તેનાં અમુક તત્વો સારાં છે, પણ તેના ગેરફાયદાં વધારે છે. આ શિક્ષણમાંથી માનવ ઘડાતો નથી. આ શિક્ષણ નકારાત્મક છે અને તેના કરતાં તો મૃત્યુ વધારે સારું. આ શિક્ષણમાંથી છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન મૌલિક શક્તિવાળો એક પણ માણસ પાક્યો નથી. આ શિક્ષણપ્રથા તો માત્ર કારકુન ઉત્પન્ન કરનારું યંત્ર છે.

જુઓ તો ખરા, માણસો કેવી શ્રદ્ધાહીન, આસ્થાહીન બનતા જાય છે। તેમને દેશ કરતાં વિદેશનું વધારે ઘેલું લાગ્યું છે. ભારત બહારની વસ્તુઓ અને પ્રજાઓને લગતી નાનામાં નાની વિગતો પર પ્રભુત્વ મેળવવાનું તેમને ગમશે, પણ તમે એમને વેદ, ગીતા કે રામાયણ વિશે પૂછશો તો તેમની જીભ પર તાળાં વાગી જશે.

આપણા પંડિતો બાળકોને પોપટ બનાવવાનું કામ કરે છે। અનેક વિષય ગોખાવીને એમના મગજને ક્ષીણ કરી મૂકે છે. ભલા ભગવાન! સ્નાતક થવા માટે કેટલી ધમાલ અને થયા કે થોડા દિવસ પછી બધું જ ફરી ટાઢું ટપ! આપણો ધર્મ અને રીતરિવાજો ખરાબ અને પશ્ચિમના લોકોનો ધર્મ અને રીતરિવાજ સારાં છે તે સિવાય આ પંડિતો બીજું શું શીખવે છે! ભૂખનો હાઉ તેમને સતાવવા માંડે છે. આ ઉચ્ચ શિક્ષણ જાય કે રહે તેથી આપણે શું? તેના કરતાં તો લોકો થોડીઘણી હુન્નરઉદ્યોગની કેળવણી લેતા હોય તો વધારે સારું જેથી કંઈ ને કંઈ કામધંધો કરી રોટલો તો રળી શકે. બીજાના બારણે ધક્કાં ખાઇને સેવાચાકરીની યાચના કરવાનું તો નહીં રહે.

જેના પરિણામે સદીઓથી આપણી સંકલ્પશક્તિ કુંઠિત થઇને મૃતપ્રાય થઈ ગઈ છે તેને આપણે શિક્ષણ કહીશું? જે માણસને ધીમધીમે યંત્ર જેવો બનાવતું જાય તે શિક્ષણ? જે શિક્ષણ ચારિત્ર્યબળ, પરોપકારની ભાવના અને સિંહના જેવી હિંમત ખીલવી શકતું નથી તેને શું શિક્ષણ કહી શકાય?

સેન્ટર પોઇન્ટઃ તમે અત્યારે શાળાઓમાં અને કોલેજમાં જે શિક્ષણ પામો છો તે તમને અજીર્ણથી પીડાતા રોગીઓ જ બનાવે છે. તમે કેવળ યંત્રની જેમ કાર્ય કરો છો અને કૂવામાંના દેડકા જેવું જીવન જીવો છો

Wednesday, May 27, 2009

મીડિયામાં સ્પેસસેલિંગઃ ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ


તાજેતરમાં વૉલસ્ટ્રીટ જર્નલમાં ભારતીય મીડિયાના કથળતાં જતાં મૂલ્યો વિશે એક રીપોર્ટ પ્રકાશિત થયો છે. તેમાં આપણા દેશના વિવિધ મીડિયા ગ્રૂપ રૂપિયાની લહાયમાં સમચારો સાથે કેવી ક્રૂર મજાક કરી રહ્યાં છે તે વિશે જણાવવામાં આવ્યું છે. દેશમાં થોડા દિવસ પહેલાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો પાસેથી લાખો-કરોડો રૂપિયા લઈને વર્તમાનપત્રો તેમના સમાચાર પ્રકાશિત કરી રહ્યાં છે તેવો દાવો આ રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ વિશે હિન્દી મેગેઝિન 'द संडे इंडियन'માં દેશના જાણીતા બિનસરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સના નેશનલ કોઑર્ડિનેટર અનિલ બેરવાલની વિકાસ કુમાર સાથેની વાતચીત એક લેખ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે। મીડિયાકર્મીઓ માટે આ વાતચીત અત્યંત ઉપયોગી પુરવાર થશે.

શરમજનક બાબત...
આ વાત સાચી હોય ખરેખર શરમજનક બાબત છે। લોકશાહીના વ્યવસ્થિત સંચાલનમાં સ્વતંત્ર અને તટસ્થ મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હું વિચારું છું કે, કોઈ પણ ભારતીય મીડિયા ગ્રૂપે આ બાબતે રીપોર્ટ પ્રકાશિત કરવાની હિમ્મત કેમ ન દેખાડી?

..તો વર્તમાનપત્રો પર વિશ્વાસ કોણ કરશે?
ચૂંટણીનો મુખ્ય હેતુ લોકપ્રતિનિધિઓની પસંદગી કરવાનો છે। પણ ચૂંટણીમાં રૂપિયાના વધતા જતાં વર્ચસ્વને જોઇને લોકશાહીનું ભવિષ્ય અંધકારમય લાગે છે. નેતા નોટ દઇને વોટ ખરીદે છે. હવે તેઓ રૂપિયા આપી સમાચાર પણ ખરીદવા લાગશે તો વર્તમાનપત્રો પર વિશ્વાસ કોણ કરશે?

બધા વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યાં છે...
દેશમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે, પણ રીપોર્ટર, એડિટર, ફોટોગ્રાફર અને મીડિયા મેનેજમેન્ટ ભ્રષ્ટ થઈ જશે તો સ્વસ્થ લોકશાહી માટે તે ખતરનાક સંકેત છે। બધા વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યાં છે તેવું લાગે છે.

મીડિયા એક ખાસ વર્ગની પિપૂડી વગાડે છે...
મીડિયા સમાજનું દર્પણ છે। તે શાસકપક્ષ અને સરકારની ખામીઓને જનતા જનાર્દન સમક્ષ રજૂ કરી તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વિશ્વસનિયતા જ મીડિયાની સૌથી મોટી મૂડી છે, પણ હકીકત એ છે કે મીડિયા લોકોની આકાંક્ષાઓ અને આશાઓને પ્રતિબિંબિત કરવાને બદલે એક ખાસ વર્ગની પિપૂડી વગાડે છે. વૈશ્વિકરણના કારણે તેના પર નફો રળવાનું દબાણ વધી રહ્યું છે અને ચૂંટણીમાં વર્તમાનપત્રો દ્વારા 'સ્પેસ સેલિંગ' તેના કથળતાં જતાં મૂલ્યોનો સંકેત છે.

મીડિયામાં સ્પેસનું ત્રણ રીતે વેચાણ થાય છે...
આ વર્ષે 30 જાન્યુઆરીના રોજ અમે લોકોએ એક પરિષદનું આયોજન કર્યું હતું। તેનો વિષય હતો-National Conference On Electoral and Political Issues. તેમાં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ગોપાલસ્વામી પણ આવ્યાં હતા. તેમણે એક ઘટસ્ફોટ કર્યો હતો કે મીડિયામાં સ્પેસનું વેંચાણ ત્રણ રીતે થાય છે. પહેલી રીત-રૂપિયા ફેંકો અને મન ફાવે તેવા સમાચારો પ્રકાશિત કરાવો. બીજી રીત-ખાસ ઉમેદવારો કે વ્યક્તિ વિશે સારું લખાશે અને તેના હરિફોની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવા જ સમાચારો પ્રકાશિત થશે. ત્રીજી રીત સૌથી વધુ આંચકાજનક છે. તેમાં વર્તમાનપત્ર લુખ્ખીગીરી પર ઉતરી આવે છે અને ચોખ્ખું કહી દે છે કે, અમે તમારા વિશે કાં તો કંઈ નહીં લખીએ કાં પછી ખરાબ જ લખીશું. ત્રીજી રીતે તો ખરેખર ગભરાવી દે તેવી છે. પત્રકારત્વની ભાષામાં તેને 'પીળું પત્રકારત્વ' (Yellow Journalism) કહેવાય છે, કારણ કે તે એક પ્રકારનું બ્લેકમેલિંગ જ છે. તેનું સ્ટિંગ ઓપરેશન થવું જોઇએ. પણ મીડિયાનું જ સ્ટિંગ ઓપરેશન કોણ કરશે?

કોઈ વાંચક કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિન શા માટે ખરીદે છે?
પ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે। મીડિયાકર્મીઓએ પોતાને જ પ્રશ્ન પૂછવો જોઇએ કે, શું તેઓ યોગ્ય કરી રહ્યાં છે? શું આગામી સમયમાં તેની ખરાબ તેમના પોતાના હિતો પર નહીં પડે? કોઈ વાંચક કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિન શા માટે ખરીદે છે? કારણ કે, તે કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિનને અન્ય પ્રકાશનોની સરખામણીમાં વધારે વિશ્વસનિય ગણે છે.

અંગ્રેજી વર્તમાનપત્રોમાં પણ સ્પેસ સેલિંગ થઈ રહ્યું છે...
પ્રેસ કાઉન્સિલ પાસે બહુ અધિકાર નથી। ઇલેક્ટ્રોનિક મીડિયાનું એસોસિએશન તો છે, પણ તે નિયમન કરવામાં અસમર્થ છે. તો પછી શું કરી શકાય? એક સ્વતંત્ર એજન્સીની રચના કરી શકાય, જે આ પ્રકારના બાબતોની તપાસ કરી શકે. સમસ્યા ગંભીર છે અને તેનો ઉકેલ નજીકના ભવિષ્યમાં આવે તેવું લાગતું નથી. અંગ્રેજી વર્તમાનપત્રોમાં પણ સ્પેસ સેલિંગ થઈ રહ્યું છે, પણ હિંદી અખબારો જેટલું નહીં.

રૂપિયા ફેંકી કોઈના પણ ચારિત્ર્ય પર કાદવ ઉછાળી શકાશે...
દેશમાં ચૂંટણી ખર્ચાળ થતી જાય છે। નેતાઓ માટે ચૂંટણીનો ખર્ચ રોકાણ સમાન છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીના ખર્ચની રૂ. 25 લાખની મર્યાદાને ગંભીરતાથી લેતો નથી. દરેક વહેતી ગંગામાં ડૂબકી મારી લે છે. તો પછી મીડિયા કેમ પાછળ રહે? પણ તેનું એક નુકસાનકારક પરિણામ એ આવશે કે કોઈ પ્રામાણિક અને યોગ્ય ઉમેદવારને પ્રેસનું કવરેજ મળશે જ નહીં અને રૂપિયા ફેંકી કોઈના પણ ચારિત્ર્ય પર કાદવ ઉછાળી શકાશે. આ કુરિવાજ એક વખત જોર પકડશે પછી સ્વસ્થ લોકશાહીની થોડીઘણી આશા પર પણ પાણી ફરી વળશે. ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધી રહી છે.

ઝાંખી થતી આશા...
મીડિયા અત્યારે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ માટે ચર્ચા-વિચારણાનું પ્લેટફોર્મ બનતું નથી। લોકશાહીમાં ન્યાયતંત્ર પછી સામાન્ય લોકોના હાથમાં મીડિયા જ એક એવું શસ્ત્ર છે, જે લોકપ્રતિનિધિઓના ખોટા આચરણ પર અંકુશ લગાવી શકે છે. પણ હવે તો તે આશા પણ ઝાંખી થતી જાય છે.

ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ...
વૈશ્વિકરણ પછી મીડિયામાં કોર્પોરેટ જગતનું રોકાણ આવ્યું છે. એક પછી એક નવા અખબારો અને ચેનલ શરૂ થઈ છે, પણ વર્તમાનપત્રના ફ્રન્ટ પેજ અને ન્યૂઝ ચેનલના પ્રાઇમ ટાઇમમાંથી સામાન્ય લોકો અને તેમના પ્રશ્નો ગાયબ થઈ ગયા છે. આ ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ છે. આ પ્રકારની સ્થિતિમાં રાજકીય વર્ગને જ ફાયદો થાય છે.

પુસ્તકિયા જ્ઞાનથી કશું વળવાનું નથી


શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? તે પણ નહીં. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ. સાચા શિક્ષણને એક પ્રકારની વિશિષ્ટ શક્તિ અથવા તો સમર્થ અને શુભ સંકલ્પો કરતા શીખવવાની કેળવણી તરીકે વર્ણવી શકાય. શિક્ષણ એટલે કેવળ શબ્દોને મેળો નહીં.

માનવનું ઘડતર એ જ દરેક સાચા શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ। શિક્ષણ એટલે તમારા મગજમાં એકઠો થઈને આત્મસાત્ બન્યા વિના જીવનભર ઉત્પાત મચાવ્યા કરનારો માહિતીનો ઢગલો નહીં. જીવન ઘડનારા, સાચા માનવીનું નિર્માણ કરનારા, ચારિત્ર્ય વિકસાવનારા વિચારોને આત્મસાત્ કરવાની આપણને ઘણી જરૂર છે. જો તમે કેવળ પાંચ જ વિચારને આત્મસાત્ કરી તમારા જીવન સાથે, સ્વભાવ સાથે એકરૂપ કરી શક્યા હો, તો એક પુસ્તકાલયના ગ્રંથોને કંઠસ્થ કરનારનાં કરતાં તમારામાં વિશેષ જ્ઞાન છે એટલું માનજો.

यथा खरश्चंदभारवाही भारस्य वेत्ता न तु चंदनस्य

ચંદનકાષ્ઠનો ભારો લઈ જનાર ગધેડો લાકડાના ભારને જ જાણે છે, ચંદનની સુગંધને અનુભવી શકતો નથી। જો માહિતીના સંચયનું નામ જ શિક્ષણ હોય તો પુસ્તકાલયોને મહર્ષિઓ કહેવા જોઈએ અને જ્ઞાનકોશને ઋષિઓ કહેવા જોઈએ.

અત્યારે પ્રવર્તી રહેલી શિક્ષણપ્રથાને હું શિક્ષણ કહેતો નથી। મારે મન શિક્ષણ એટલે સંગીન પ્રકારની કેળવણી. કેવળ પુસ્તકિયા જ્ઞાનથી કશું વળવાનું નથી. જેનાથી ચારિત્ર્યનું ઘડતર થાય, જેનાથી મનનું બળ વધે, જેનાથી બુદ્ધિ વિશાળ બને અને જેના વડે માણસ પોતાના પગ પર ઊભો રહી શકે તેવાં શિક્ષણની આપણને જરૂર છે.

સેન્ટર પોઇન્ટઃ જીવનના પ્રશ્નો શી રીતે ઉકેલવા એ શોધવામાં જે ઉપયોગી નીવડી શકે તેનું નામ જ ઉચ્ચશિક્ષણ

Tuesday, May 26, 2009

'Forbes India'નું ભારતમાં આગમન


સફળ ઉદ્યોગ સાહસિક કોણ બની શકે? કયા ક્ષેત્રમાં ક્યારે પગ મૂકવો તેની સૂઝ હોય તે વ્યક્તિ જે તે ક્ષેત્રમાં સફળતાના શિખર સર કરી શકે. કહેવાય છે કે, તમારે કોઈ વ્યવસાય ચાલુ કરવો હોય તો મંદી જેવો શ્રેષ્ઠ સમય કોઈ નથી. મીડિયા જગતમાં એક તરફ મંદીની બૂમરેંગ સંભળાય છે ત્યારે બીજી તરફ એક પછી એક નવા પ્રકાશનો બજારમાં આવી રહ્યાં છે. આ ટ્રેન્ડમાં અત્યારે અંગ્રેજી મેગેઝિનમાં જોવા મળે છે. 'ફોર્બ્સ ઇન્ડિયા'નો પ્રથમ અંક બજારમાં આવી ગયો છે. આર્થિક જગતનાં આટાપાટા રજૂ કરતાં આ જગપ્રસિદ્ધ મેગેઝિનની ભારતીય આવૃત્તિનું પ્રકાશન જાણીતા મીડિયા ગ્રૂપ 'નેટવર્ક 18' સાથેના જોડાણમાં શરૂ થયું છે.


એક બાજુ મીડિયાના લોકો મેગેઝિનનો સમય પૂરો થઈ ગયો છે અને દિવસેદિવસે વાંચકો ઘટી રહ્યાં છે તેવી ફરિયાદ છે તો પછી આ સેગમેન્ટમાં શા માટે રોકાણ કરવું જોઇએ? આ રસપ્રદ પ્રશ્રનો જવાબ આપતાં નેટવર્ક 18ના સ્થાપક અને એડિટર રાઘવ કહે છે કે,

'India is in a transfomational phase unmatched in human history. Demographic mobility is creating a huge generation of first-time readers, who will simultaneously watch TV and begin to surf the Net. This demographic push is so wide and deep that many will not skip the ''touch and feel-paper reading phase'' of their advancement into newly literate adults, But the magazines for this ''digital and paper'' generation will have to morph and evolve. They will have to go beyond the first information reports screaming on television and web. Magazine editorial will have to become like second-skin analysis, get closer to the bone, display more shades, investigate deeper, be more sensitive, deal with ambiguities, explain the greys and tell it with new-age chutzpah and design.'

ભારતીય આવૃત્તિના પહેલા અંકમાં તેમના આ સંદેશમાં તેમણે ટીવી અને ઇન્ટરનેટની દુનિયામાં પ્રિન્ટ મેગેઝિનનું કન્ટેન્ટ કેવું હોવું જોઇએ તેનો ચિતાર આપી દીધો છે. મેગેઝિન એક સેકન્ડ-સ્કિન એનાલીસિસ છે એટલે કે ઊંડુ અને સંશોધનાત્મક વિશ્લેષણ રજૂ કરે છે, જે વાચકને મુદ્દાના મૂળિયા સુધી લઈ જાય। વર્તમાનપત્રો જે તે ઘટના બની છે તેની માહિતી પૂરી પાડે છે અને ત્યાંથી મેગેઝિનનું કામ શરૂ થાય છે। મેગેઝિન આ ઘટનાના વિવિધ પાસાં પર પ્રકાશ ફેંકે છે અને તેમાં ઊંડું સંશોધન વધુ સંવેદનશીલતા સાથે કરે છે તથા સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કરે છે. હકીકતમાં ટીવી, વર્તમાનપત્રો અને ઇન્ટરનેટના સમાચારોની ભૂમિકા જ્યાં પૂરી થાય છે ત્યાંથી મેગેઝિનની ભૂમિકા શરૂ થાય છે.

ફોર્બ્સ ઇન્ડિયાની ભારતીય આવૃત્તિના એડિટર ઇન્દ્રજિત ગુપ્તા છે. મેગેઝિનની ડમીમાં કવરસ્ટોરી ટાટા મોટર્સની નેના પર હતી। અત્યારે પ્રસિદ્ધ થયેલા અંકમાં કવરસ્ટોરી બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિ 'સ્ટીલ ટાયકૂન' લક્ષ્મીનિવાસ મિત્તલ પર છે. તેમાં મિત્તલ ગ્રૂપને મંદીના પગલે 26 અબજ ડોલરની જંગી ખોટ ગઈ છે અને તેઓ તેમની વ્યવસાયિક કારકિર્દીની સૌથી મોટી કટોકટી સામે લડી રહ્યાં છે તેની રજૂઆત કરવામાં આવી છે. મીડિયાના આકર્ષણનું કેન્દ્ર રહેલા વિજય માલ્યા દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે અને તેમાંથી કેવી રીતે બહાર આવશે તે વિશે એક આર્ટિકલ છે. આપણા ગુજરાતી ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતીના સુઝલોન એમ્પાયરને લાગેલાં મંદીના આંચકા પર પણ એક રીપોર્ટ છે.

આ મેગેઝિનમાં અમેરિકામાં ફોર્બ્સલાઇફ નામે બહાર પડતા એક અલગ મેગેઝિનને સમાવી લેવાયું છે અને તેના પાર્ટનું નામ લાઇફ છે. તેને તમે 'magazine-within-a-magazine' કહી શકો. તેમાં ટ્રાવેલ, બુક્સ, એડવેન્ચર સ્પોર્ટ્સ, ફૂડ, હોબિઝ, મૂવિઝ જેવા વિભાગો છે.

આ મેગેઝિન અન્ય બિઝનેસ મેગઝિન કરતાં કેવી રીતે અલગ છે? એડિટર ઇન્દ્રજિત ગુપ્તા કહે છે કે:

''Most business magazine tend to organise stories under familiar labels like markets, technology, corporate and personal फाइनेंस. We've taken position that the best business stories should not be straitjacketed in this manner. You can expect stories that meld and deal with business issues in a far more integrated manner. Second, Most business magazines rely on a recaping fortnight's main events. For us, the Front-of-the-Books section uses a variety of routes: hard-hitting, interviews, scenario analyses, creative visulisation of data, behind-the-scenes look at important news stories and a detailed briefing to keep readers primed for a more involved read in the Well of magazine.''

ભારતીય આવૃત્તિનાં પહેલા અંકની Inaugural Price 50 રૂપિયા છે. કુલ 122 પેજ છે અને 30 એડવર્ટાઇઝમેન્ટ છે. (બે એડ ટીવી 18 ગ્રૂપની છે.) કિંમતમાં વધારો થવાની શક્યતા છે અને અત્યારે પખવાડિક છે.

Sunday, May 24, 2009

માળો ગૂંથ્યો કરુણાએ અને ભોગ બને બિચારા મનુજી....

દિલ્હી દરબારના સમ્રાટ મનમોહન સિંઘના એકએકથી ચડિયાતા રતન પેટ પકડીને હસી રહ્યાં છે। એક રતને બીજા રતનનાં કાનમાં હસતાં-હસતાં કહ્યું કેઃ મનુજીએ કરુણાના સાગર કુરણાનિધિના પરિવારની ખેંચતાણ દૂર કરવા એક ફેમિલિ કાઉન્સિલરની નિમણૂંક કરવી જોઇએ તો બીજા રતને ત્રીજા રતનના કાનમાં કહ્યું કેઃ કરુણાનિધિએ એક, બે અને ત્રણ વખત સાત-સાત ફેરા ફર્યા અને તેની સજા અત્યારે બિચારા મનમોહન ભોગવી રહ્યાં છે. પહેલી નજરે આ લડાઈ કોંગ્રેસ અને ડીએમકે વચ્ચેની લાગે છે, પણ હકીકતમાં આ લડાઈ કરુણાલીલાનું ફળ છે.

ધીમેધીમે પોતાની જીવનલીલા સંકેલવા તરફ આગળ વધતા તમિળનાડુના 84 વર્ષીય નેતા કરુણાનિધિ ત્રણમાંથી બે પત્ની અને ચાર સંતાનોના દબાણ હેઠળ બરોબર ભીંસમાં આવી ગયા છે. વાત એમ છે કે, કરુણાની બીજી પત્નીનું નામ દવાલુ અમ્માલ છે. Karuna + Davalu = Staline + M K Azhargiri + Selvi અર્થાત્ કરુણા અને દવાલુના સંગમથી સ્ટાલિન અને એમ કે અઝારગિરિ નામના બે પનાતાં પુત્ર અને સેલ્વી નામે એક પુત્રીનો જન્મ થયો છે. સેલ્વીની વાત પછી કરીશું. અત્યારે એક જ માના આ બે દીકરા એકબીજાના જાની દુશ્મન બની ગયા છે તેની વાત કરીએ. દિલ્હીમાં યાદવાસ્થળી ભલે થાય પણ ઘરઆંગણે મહાભારત ન થવું જોઇએ તેમ કરુણા ઇચ્છે છે. એટલે તેમનો સ્ક્રીપ્ટ-રાઇટર આત્મા જાગી ગયો છે અને તેમના કેમિકલ લોચામાંથી એક જબરદસ્ત આઇડિયા બહાર આવ્યો છે.

તેમણે સ્ટાલિનને તમિળનાડુનો મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું છે અને અઝારગિરિને મનુજી-સોનુજીને સોંપી દેવાનું। તેની પાછળ શું કારણ? લોકસભાની આ વેળાની ચૂંટણીમાં અઝારગિરિની દક્ષિણ તમિળનાડુની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંપરાગત રીતે આ વિસ્તાર સ્વ. એમજીઆર અને તેમની પ્રેયસી જયલલિતાનો ગણાય છે. પણ કરુણાપુત્રએ આ વિસ્તારમાં લોકસભાની નવ બેઠક કે ડીએમકેની લોકસભામાં કુલ બેઠકની 50 ટકા બેઠક પર કબજો મેળવી જયા અમ્માને મોંમા આંગળા નાંખતા કરી દીધા છે. પણ તેમની આ સફળતાથી સ્ટાલિન અને કરુણાની લુંગી તળેથી જમીન સરકી ગઈ છે. કરુણા જાણે છે કે અઝારગિરિ તેમનો જ દિકરો છે અને દક્ષિણ તમિળનાડુ જેવા વિસ્તારમાં વિજય મેળવ્યાં પછી આ સ્ટાલિનને નડશે. એટલે તેમણે અઝારગિરિને કેબિનેટ મિનિસ્ટર બનાવી દિલ્હી રવાના કરવાનું વિચાર્યું છે.

કરુણાએ બીજી પત્ની અને તેમના સંતાનોને થાળે પાડવાની ફોર્મ્યુલા બનાવીને હાશ અનુભવી તેવામાં તેમની ત્રીજી સૌથી વહાલી પત્ની રાજથીએ આંખો લાલ કરી. પહેલાં આપણે કરુણા અને રાજથી વચ્ચેના સંબંધનું સમીકરણ સમજી લઇએ. Karuna + Rajathi = Kanimozhi એટલે કરુણા અને રાજથીના પ્રેમાળ અને સુભગ સમન્વયથી કાનિમોઝી નામની પુત્રીનું પારણું બંધાયું છે. કરુણા અને રાજથી કાનિમોઝીને લાડથી કાનિ કહે છે. રાજથી પણ કાનિને મનમોહન સિંઘના દરબારમાં સ્થાનગ્રહણ કરે તેમ ઇચ્છે છે. દવાલુ અને રાજથી વચ્ચે પહેલેથી ચડસાચડસી ચાલે છે. અઝારગિરિ કેબિનેટમાં જાય તો કાનિ કેમ નહીં આવી દલીલ રાજથીની છે. રંગમંચ પર અહીં બીજી પત્ની દવાલુની પુત્રી સેલ્વીનો પ્રવેશ થાય છે.

સેલ્વીનો પોતાને તો રાજકારણમાં સીધો પ્રવેશ કરવાનો શોખ નથી, પણ પડદા પાછળ રહીને કાવાદાવા ખેલવાની તક છોડવી નથી. તેણે તેના પિતાજી કરુણાને કહી દીધું છે કે, કાનિ કેબિનેટમાં જશે તો તમારે દયાને પણ કેબિનેટમાં સ્થાન આપવું પડશે. આ દયા એટલે બીજું કોઈ નહીં પણ ભૂતપૂર્વ ટેલીકમ્યુનિકેશન મંત્રી દયાનિધિ મારન. કરુણાના સ્વર્ગવાસી સાળા મુરાસોલી મારનના સુપુત્ર. સેલ્વી પોતાના મામાના દીકરા દયા માટે દાવ ખેલવામાં જરા પણ ઓછી ઉતરે તેમ નથી. કહેવાય છે કે, સેલ્વીનો મારન પરિવારના ટીવી ચેનલ બિઝનેસમાં ભાગ છે. કરુણા માટે ચિંતાનું કારણ તેમની આ બંને પત્ની અને તેમના સંતાનો જ નથી.

તેમની આ બંને પત્નીઓ તેમના સંતાનો અને ભત્રીજાઓ ઉપરાંત એ રાજા અને ટી આર બાલૂને પણ કેબિનેટમાં સ્થાન મળે તે માટે કરુણાને ધમકાવી રહી છે. કરુણાએ રાજા અને બાલૂને લઇને પોતાની સ્થિતિ મનમોહન સમક્ષ રજૂ કરી ત્યારે ભલાભોળા મનુજીને થયું હશે કે બીજી અને ત્રીજી નંબરની પત્નીઓ રાજા અને બાલૂ માટે આટલો બધા આગ્રહ શા માટે કરી રહી છે?

ચલતે-ચલતેઃ મનમોહન સિંઘ સમક્ષ કરુણાએ અઝારગિરિ, કાનિ, દયા, રાજા અને બાલૂને મંત્રી બનાવવાની માગણી કરી. તેના પર વિચાર કરવાની મનુજીએ હા પાડી. થોડા સમય પછી કરુણાએ એસ એસ પલાનિમાનિકમ, એ કે એસ વિજયન અને ઇલાંગોવાનને રાજ્યકક્ષાના મંત્રી બનાવવા કહ્યું. એટલે મનુજી ફરી વિચારમાં પડી ગયાઃ આ ત્રણેય સાથે કરુણાને શો સંબંધ હશે...તેમને વિચારતા જોઈ તેમના દરબારના રતનો હસતાં-હસતાં કહે છે કે આ તો કરુણાનો માળો છે..

Thursday, May 21, 2009

...और राजीव गांधी के टुकडे-टुकडे हों गये


सितम्बर, 1990 के एक उमस भरे दिन तमिलनाडु में स्थित प्रसिद्ध हिन्दु तीर्थ-स्थान रामेश्वरम के तट पर एक कश्ती पहुंची. श्रीलंका के तमिल शरणार्थियों से भरी इस कश्ती में सवार पुरुष और स्त्रीयों का समूह भारत पहुंचकर बहुत खुश था. अपने देश में तमिल गुरिल्लों और श्रीलंकाई सेना के बीच चले रहे हिंसक निर्मम युद्ध के हिंसक माहौल से भारत शांत और सुरक्षित था. लेकिन इन शरणार्थियों में दो पुरुष और एक स्त्री का एक गुट भी आया था, जो थोडे महिनें के बाद पुरु विश्व को स्तब्ध कर देने वाला था. ये गुट मद्रास (आज के चेन्नाई) चला गया.

कुछ ही दिन बाद शरणार्थियों की एक और कश्ती तमिलनाडु के तट पर पहुंची. उसमें दो पुरुषो और एक स्त्री का एक दूसरा गुट नीचे उतरा और वही भी मद्रास तरफ रवाना हों गया. इन छ शरणार्थियों पर किसी का ध्यान नहीं था. इन दोनो गुट ने अलग-अलग घर किराए पर लिए. ये एक शैतानी योजना की शुरुआत थी. जी हां, भारत के पूर्व प्रधानमंत्री राजीव गांधी के हत्या के षडयंत्र का यह पहेला कदम था और ये छ शऱणार्थी कोई और नहीं, पर राजीव गांधी की हत्या के 'मास्टरमाइन्ड' वेल्लुपिल्लाई पिरापहरन यानी कि प्रभाकरण के गुर्गे थे.

ये दोनो गुट लिट्टे के एक सदस्य सिवरासन के आदेश पर मद्रास पहुंचे थे. सिवरासन लिट्टे के गुप्तचर विभाग के प्रमुख पोट्टु अम्मन का खास सिपहसालार था. प्रभाकरण ने राजीव गांधी की हत्या की योजना बनाई तो इस काम के लिये शक्लो-सुरत और बोलचाल से तमिलनाडु का निवासी प्रतीत होते सिवरासन को ही चुना. योजना तय हो जाने के बाद उसने मद्रास और उसके आसपास किराए के सुरक्षित मकानों की एक श्रृंखला जुटाने का फैसला किया.

कुछ हफ्तों बाद लिट्टे के दो सूत्र तमिलनाडु पहोंचे. इन दोनो सूत्र का कोड नाम 'निक्सन' और 'कान्तन' था. सिवरासन और ये दोनो सूत्र मद्रास में डेरा डाले हुए दोनो गुटों के पास पहोंचे. सिवरासन एक गुट के साथ थोडे दिन रहा और जरूरी सूचना-निर्देश देकर जनवरी, 1991 में श्रीलंका अपने आका प्रभाकरण पासे लौट गया.

सिवरासन का सोचता था के राजीव गांधी की हत्या के लक्ष्य को अंजाम तक पहोंचाने के लिए वे छ शरणार्थी काफी नहीं थे. उसने लिट्टे के लंडन स्थित प्रतिनिधि किट्टु को फोन किया और मद्रास में किसी विश्वसनिय भारतीय सूत्र का नाम जानना चाहा. किट्टुने उसे 'मथुराजा' का नाम दिया. किट्ट को इस बात को बिलकुल अंदाज नहीं था कि लिट्टे के साथ मथुराजा के संबंधो के कारण भारतीय इन्टेलिजन्सी ब्युरो उसके फोन टेप कर रहा था. किट्टुने उसे फोन करके श्रीलंका से आई लिट्टे की नई टीम की मदद करने के लिए कहा तब इन्टेलिजन्सी ब्युरो के कान खडे हो गए. यह दिसम्बर, 1990 की बात है.

इस बीच मथुराजाने निक्सन को कुछ ऐसे भारतीयो से मिलवाया जो राजीव गांधी हत्याकांड में बहुत अहम भूमिका निभानेवाले थे. सिवरासन भी तमिलनाडु लौट चुका था और उसके साथे एक खतरनाक साथी मुरुगन भी था. मथुराजाने मुरुगन को एक स्थानिक परिवार से मिलवाया. फिर अचानक मथुराजा श्रीलंका चला गया.

इधर मुरुगन तमिलनाडु में राजीव गांधी की हत्या की पूर्वतैयारी करने आया था. वह तमिलनाडु के जेलों और पुलिस मुख्यालयों के चित्र भी खींचता रहता था. एक तरफ वह लिट्टे के लिए जासूसी कर रह था तो दूसरी और वो जिस घर में रहेता था उसी की युवा लडकी नलिनी के प्यार के बंधन में बंध चुका था. ये वो हीं नलिनी है जो राजीव गांधी के हत्याकांड में अभी जेल में है और जिसे मिलने प्रियंका गांधी गई थी.

राजीव गांधी की हत्या की भंयकर योजना एक साथ दो जगह आगे बढ रही थी. एक तमिलनाडु में और दुसरी श्रीलंका में. मथुराजा के अचानक जाफना चले जाने से भारतीय इन्टेलिजन्सी ब्युरो सतर्क हो गया था. राजीव गांधी की हत्या के लिए उनकी सुरक्षा में सेंध लगाना जरुरी था और उसके लिए भारतीय अधिकारीयों को धोखे में रखना आवश्यक था. इसके लिए प्रभाकरन के शागिर्द दिमाग ने एक चाल चली. उसने उसके दोस्त और मद्रास में रहेते तमिल कवि कासी आनन्दन को राजीव गांधी से भेंट करने और उन्हें आगामी चुनावों के लिए शुभकामना देने के लिए कहा. कासी एक भारतीय अखबार के मालिक की मदद से 5 मार्च, 1991 राजीव गांधी को मिला और प्रभाकरन का संदेश पहुंचाया.

थोडे दिन बाद लन्दन निवासी एक श्रीलंकाई बैंक-मालिक ने भी राजीव गांधी से भेंट की और लिट्टे के साथ सम्बन्ध सुधारने का अनुरोध किया. दरअसल ये मुलाकात राजीव गांधी को असावधान करने के लिए आयोजित की गई थी. प्रभाकरन पुरानी बातों को भूलने को तैयार है ये गलतीफहमी के राजीव गांधी और भारतीय सुरक्षा अेजन्सी हों गई. लिट्टे की चाल कामयाब हो गई थी. भारत में नए चुनावों की घोषणा हों चुकी थी. राजीव गांधी प्रचार अभियान में जुट गए थे. लेकिन भलेभोलें और राजनीति में होते हुए भी राजनैतिक दावपेंच से बिलकुल अन्जान नहेरु के ये पौत्र टुकडे-टुकडे होने को आगे बढ रहे थे.

सिवरासन मई, 1991 में तमिलनाडु लौटा और इस बार उसके साथे था राजीव गांधी का यमराज-धानु. सांवले रंग की पच्चीस साल की धानु भारत में गुरिल्ला-युद्ध का प्रशिक्षण प्राप्त कर चुकी थी. अब वह लिट्टे के सबसे खतरनाक आत्मघाती जत्थे की सदस्या थी. 21 मई को राजीव गांधी श्रीपेरुंबदूर की सभा को सम्बोधित करनेवाले थे.इससे पहेले लिट्टे के ये हत्यारें यह पता लगाना चाहते थे कि क्या तमिलनाडु में चुनाव प्रचार के दरमियान उन्हें राजीव गांधी के नजदीक जाने का अवसर मिलेगा. उन्होंने ये मौका मिल भी गया. उन्होंने तत्कालिन प्रधानमंत्री वी पी सिंह की एक चुनाव सभा में अपने अभियान का रिहर्सल करने का फैंसला किया.

धानु एक फोटोग्राफर के साथे मद्रास से 25 मील दूर एक चुनाव सभा में पहुंच गई. सभा के पूरी होने के बाद प्रधानमंत्री वापस जाने लगे तो धानु धीरे धीरे उनके पास पहुंच गई और उनके पैर छू लिए. बिलकुल इसी तरह से वो राजीव गांधी के पास जाकर उनकी हत्या करेगी ये तय हो गया.

डेनिम के कपडे से बनी एक बंडी के साथ शक्तिशाली सी-4 आर.डी.एक्स विस्फोटकों से लैंस ग्रेनेड बांधे गये. ये ग्रेनेड एक तार द्वारा पहले एक-दूसरे से और फिर 9 वोल्ट की एक बैटरी से जोडे गये थे जिसके साथे एक बटन जुडा हुआ था. 21 मई की शाम धानु को बंडी पहनाई गई और सिवरासन इस मोंते के जखीरे को साथ लिए अपनी मंझिल की और बढने लगा. सिवरासन, धानु और नलिनी को एक भारतीय फोटोग्राफर हरिबाबू से मद्रास बस अड्डे पर मिलना था. अपने साथे एक जीवित मानव बोंब ये इस बात को तो युवा हरिबाबू को इल्म भी नहीं था. वे सब चुनाव रैली के लिए निकल पडे. सिवरासन मंच के पास खडा रह गया, जैसे कोई रिपोर्टर हो. हरिबाबू उसके करीब था. और धानु?

नारंगी रंग की सलवार कमीज पहनी धानु हाथ में चंदन का हार लिए वीआइपी प्रवेश द्वार के पास अपने शिकार का इंतजार कर रही थी. एक महिला पुलीसकर्मीने उससे पूछताछ करने का प्रयास किया तो फोटोग्राफर हरिबाबू उसकी मदद की लिए पहुंच गया. उसे पता नहीं था वो खुद अपनी मौत के पास पहुंच गया है. धानु को मनोमन हरिबाबू की नादानी पर हंसी आ रही थी. वो हरिबाबू सें बातें बना रही थी कि घोषणा हुई कि राजीव गांधी आ गयें है. धानु को अपना कर्तव्य याद आया. वो अपने ईश्वर को याद करने लगी. बस इस दुनिया वों बहुत चंद लम्हों की महेमान थी. उसें एक महान लक्ष्य के लिए शहीद होनें की दिशा में आगें बढने का गर्व था. राजीव गांधी आहिस्ता आहिस्ता मंच की तरफ आगे बढ रहे थे, लेकिन उन्हें पता नहीं था की मंच पर पहोंचने से पहेंले यमराज के रुप में आई एक युवती उन्हें मौंत के आहोश में समाने को बेताब है.

पक्ष के सदस्य और सुरक्षा अधिकारी उनेक पीछेपीछे चल रहे थे. धानु चुपके से एक भारतीय स्त्री और उसकी किशारी आयु के बेटी पास जा खडी हुई. धानु भोली-भाली और उत्साहित नवयुवती प्रतीत हो रही थी. राजीव गांधी उसकी तरफ बढे. धानु भी आगे आई, लेकिन एक महिला पुलिसकर्मीने धानु को पीछे हटाने की कोशिश की. सिवरासन को लगा कि खेल बिगड जायेगा. लेकिन राजीव गांधी ने रास्ता आसान कर दिया. उन्हों ने अपने आखरी शब्द कहें, 'हरेक को मौका मिलना चाहिए.'

धानु की जान में जान आई. मानव-बम इस घडी की बैसब्री से प्रतिक्षा कर रहा था. दस बजे का वक्त था. हरिबाबू अपने जीवन के अंतिम तस्बीरें खींच रहा था. धानु खामोशी से राजीव गांधी के ठीक सामने खडी हो गई. शिकार खुद सामने आकर खडा हो गया था. देर किस बात की थी! उसने चंदन का हार पहनाया अने फिर उनके चरण छूने कि लिए नीचे झुकी. और?

राजीव गांधी उसे सहारा देने के लिए थोडा झुके. लेकिन खडा किसे होना था. उसने बटन दबाकर अपनी बंडी से बंधे विस्फोटको को सक्रिय कर दिया. एक भयंकर धमाका और देश के एक युवा नेता के टुकडे-टुकडे हों गये. उनका चेहरा बच नहीं पाया. उन्हें उनके पांवो में पहनी सफेद 'लांटो' चप्पलों से पहचना गया. देश को 21वी सदी में ले जाने का सपना संजोनेवाला एक युवा नेता को अपनी अन्जान गलतीयों की इतनी बडी किंमत चुकानी पडेगी इसका इल्म किसीको नहीं था.

सिवरासन वहां से भाग गया, लेकिन बहुत कोशिशो के बाद वह तमिलनाडु से निकलने में सफळ नहीं हो पाया. इस हादसे के तीन महिने बाद दुर्घटनास्थळ से मीलों दूर उसके गुप्त ठिकानो पर पुलिस ने छापा मारो तो उसने अपने-आपको गोली मार दी. और प्रभाकरन? श्रीलंका की सरकारने दो दिन पहेलें उसे मारने का दावा किया है....

(संदर्भः एक अबूझ मस्तिष्क के भीतर-दुनिया के सबसे निर्मम गुरिल्ला नेता प्रभाकरण की गाथा, एम आर नारायण स्वामी)

Sunday, May 17, 2009

નરેન્દ્ર મોદીઃ નૈતિક પરાજ્યમાંથી બોધપાઠ લેશે?


કહેવાય છે કે, અતિ આત્મવિશ્વાસ પતનનું મૂળ છે. વ્યક્તિને પોતાની ક્ષમતામાં આત્મવિશ્વાસ હોય તો ધીમેધીમે પ્રગતિના સોપાન સર કરે છે, પણ તે વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચતી હોય તો પગતળેથી ક્યારે જમીન સરકી જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. લોકસભાની આ વેળાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેનું સચોટ ઉદાહરણ છે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકમાંથી ભાજપના (નરેન્દ્ર મોદીના 24 અને ભાજપને બે ઉમેદવાર) 15 ઉમેદવાર અને કોંગ્રેસના 11 ઉમેદવારો મેદાન મારી ગયા છે. હકીકતમાં મોદીજી અને તેમના અનુયાયીઓ 20 કે તેથી વધુ બેઠક મળવાની આશા હતી.

કલ્પના કરો કે, કોંગ્રેસના મજબૂત ઉમેદવાર શંકરસિંહ વાઘેલા, મધુસૂદન મિસ્ત્રી અને નારણ રાઠવા જીતી ગયા હોત તો? 'ગુજરાત સમાચારે' સાચું જ લખ્યું છે કે, ''શંકરસિંહના પરાજયે મોદીની આબરૂ બચાવી, ભાજપનો 20 બેઠકનો આશાવાદ ઠગારો નિવડ્યો।'' 'દિવ્ય ભાસ્કર'ના નિવાસી તંત્રી અજય ઉમટે સચોટ અવલોકન કરતાં જણાવ્યું છે કે, ''મોદીમેજિક ન ચાલ્યો, પટેલવાદ નડ્યો'' તો 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'એ પહેલા પાને એન્કર સ્ટોરીમાં હેડિંગ માર્યું છે કે, ''Missile Modi Misfires.'' ટાઇમ્સે આ વાત ગુજરાતને અનુલક્ષીને કરી છે, પણ આ વાત મોદીજીને ભાજપે જે રાજ્યોની જવાબદારી સોંપી તેને પણ લાગૂ પડે છે.

ભાજપે નરેન્દ્ર મોદીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દિવ-દમણ અને દાદરાનગર હવેલીની જવાબદારી સોંપી હતી। આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની કુલ 78 બેઠકો છે- મહારાષ્ટ્રમાં 40, ગુજરાતમાં 26, ગોવામાં બે, દિવ-દમણમાં એક અને દાદરાનગર હવેલીમાં એક. લોકસભાની વર્ષ 2004ની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં 13, ગુજરાતમાં 14 અને દિવ-દમણ-દાદરાનગર હવેલી-ગોવામાં એક એમ કુલ 28 બેઠક પ્રાપ્ત થઈ હતી. આ વેળાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પ્રભાવથી પક્ષને મહારાષ્ટ્રમાં ફાયદો થવાની અને ગુજરાતમાં બેઠકો વધવાની શક્યતા હતી. પણ ગુજરાતમાં માત્ર એક બેઠકનો ફાયદો થયો જ્યારે મહારાષ્ટ્રમાં તો ચાર બેઠકનું નુકસાન થયું. લોકસભાની 2004ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને 13 બેઠક પર વિજય મળ્યો હતો જ્યારે આ ચૂંટણીમાં તેને માત્ર નવ બેઠક પ્રાપ્ત થઈ. સીધું ને સટ કહીએ તો ચાર બેઠકનું નુકસાન. હવે આપણે ગુજરાતમાં મોદીછાવણીને શા માટે નુકસાન થયું તેની વાત કરીએ. અહીં નુકસાનનો અર્થ ગુજરાતમાં અપેક્ષાથી ઓછી બેઠક મળી તે સંદર્ભમાં છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો જે પ્રભાવ છે તેનો જોતાં મોટા ભાગના લોકો એમ કહેતાં હતાં કે કોંગ્રેસને છથી વધારે બેઠક નહીં મળે। કદાચ કોંગ્રેસના ઉમેદવારો અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોને પણ 11 બેઠક મળી તેનો વિશ્વાસ નહીં હોય. તેમનું ચાલે તો ફેરમતગણતરી કરાવે. કોંગ્રેસને 11 બેઠક મળવાનું કારણ શું? શું કોંગ્રેસ ગુજરાતના મતદારોમાં ફરીથી પોતાની પકડ જમાવી રહી છે? શું નરેન્દ્ર મોદીનો જાદુ રાજ્યમાંથી પણ ઓસરી રહ્યો છે?

પહેલી વાત એ કે, કોંગ્રેસ ગુજરાતના મતદારોમાં પોતાની પકડ પાછી મેળવી રહી છે તે વાત આંશિક રીતે સાચી છે અને તેના માટે કોંગ્રેસ નહીં પણ નરેન્દ્ર મોદીની નીતિઓ જવાબદાર છે। સ્વાભાવિક રીતે મોદીજીનો જાદુ ધીમેધીમે ઓસરી રહ્યો છે. વર્ષ 2002માં હિંદુત્વનો જાદુ હતું, નહીં કે નરેન્દ્ર મોદીનો. તેનું પહેલું પ્રમાણ વિધાનસભાની વર્ષ 2007ની ચૂંટણીમાં જ મળી ગયું હતું. વર્ષ 2002ની ચૂંટણીમાં હિંદુત્વની લહેર પર સવાર થઈને ભાજપે 127 બેઠક મેળવી હતી જ્યારે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના આધારે લડાયેલી વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 117 બેઠક મળી હતી એટલે કે દસ બેઠકનું નુકસાન થયું હતું. આ સમયે જ નરેન્દ્ર મોદીએ ચેતી જવાની જરૂર હતી.

તેમણે બ્રાહ્મણ અને પટેલોની અવગણના કરવાનો અભિગમ દાખવ્યો છે। તેની અસર આ ચૂંટણીમાં દેખાઈ છે. ગાંધીનગરની બેઠક પર 'પીએમ ઇન વેઇટિંગ' એલ કે અડવાણીના વિજયની સરસાઈ ઘટી તે તેનું સીધું ઉદાહરણ છે. 2004ની ચૂંટણીમાં અડવાણીને 2.17 લાખની સરસાઈથી જીત મળી હતી જ્યારે આ ચૂંટણીમાં 1.21 લાખની સરસાઈથી વિજય મળ્યો છે. એટલે કે જીતની સરસાઈમાં એક લાખ વોટનો ફટકો પડ્યો છે. તેમના હરિફ સુરેશ પટેલ પટેલવાદના આધારે વડાપ્રધાન પદના દાવેદાર અને અગાઉ ચાર વખત ગાંધીનગરમાંથી જ સાંસદ રહી ચૂકેલા અડવાણીને ટક્કર આપવામાં સફળ રહ્યાં છે. તેમને 3.12 લાખ મત મળ્યાં છે. મોદીજીએ પટેલોની જે અવગણના કરી તેનો સ્વાદ ભાવનગરમાં રાજેન્દ્રસિંહ રાણાને પણ ચાખવા મળ્યો છે.

ભાવનગરમાં રાજેન્દ્રસિંહ રાણાને અત્યાર સુધી સરળતાથી વિજય મળતો હતો, પણ આ ચૂંટણીમાં વિજય મેળવવામાં હાંફી ગયા। અહીં મહાગુજરાત જનતા પક્ષના ગોરધન ઝડફિયા ઉમેદવાર હતા અને તેમને 1,56,567 મત મળ્યાં છે. જો ઝડફિયા છ હજાર મત વધુ લઈ ગયા હોત તો કોંગ્રેસના ઉમેદવાર મહાવીરસિંહ ગોહિલનો વિજય થયો હોત. આ જ પરિસ્થિત રાજકોટમાં ઊભી થઈ. રાજકોટમાં વલ્લભ કથિરિયાનું પત્તું કાપવા જતાં ભાજપને તે બેઠક ગુમાવવાનો વારો આવ્યો. નરેન્દ્ર મોદીએ અહીં પટેલ ઉમેદવાર કિરણ પટેલને જ ટિકિટ આપી, પણ પટેલ મતદારોમાં તેમની છબી મોદીભક્તની વધારે છે. એટલે વલ્લભ કથિરિયાના સમર્થકો અને ગામડાના પટેલો મોટી સંખ્યામાં મતદાનપ્રક્રિયાથી અળગાં રહ્યાં. તેનો ફાયદો કોંગ્રેસના કુંવરજી બાવળિયાને થયો.

શંકરસિંહ વાઘેલા, મધુસૂદન મિસ્ત્રી અને નારણ રાઠવા હારી ગયા છે તો તે માત્ર નવી સીમાંકન વ્યવસ્થાના કારણે। કપડવંજ બેઠક નાબૂદ થતાં પંચમહાલ પરથી શંકરસિંહને ચૂંટણી લડવાની ફરજ પડી તો સાબરકાઠા બેઠકની ભૂગોળ બદલાઈ ગઈ અને મિસ્ત્રીની મતબેન્કને ફટકો પડ્યો. બાપૂ માત્ર 2,069 મતથી તો મધુસૂદન મિસ્ત્રી 17,155 મતથી હારી ગયા છે. છોટાઉદેપુરમાં નારણસિંહ રાઠવાને દિલ્હીમાં રહેવું વધારે મોંઘુ પડ્યું છે. તેમણે મતવિસ્તારમાં ઓછું ધ્યાન એટલે તેમના જ સમાજના ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવાનો વિજય થયો છે. ઉપરાંત આ ત્રણેયના પરાજયમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની હારમાં મોદીમેજિકનું કોઈ પ્રદાન નથી.

મેં થોડા દિવસ પહેલાં સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીની મુલાકાત લીધી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી ભાજપ હારે છે. લોકસભાની ચૂંટણીના પરિણામ તે બાબત થોડી સ્પષ્ટ કરી જાય છે. કોંગ્રેસ પટેલ, કોળી અને બ્રાહ્મણ મતદારોને પોતાની સાથે લેવામાં સફળ થશે અને નરેન્દ્ર મોદી વર્તમાન અભિગમ જાળવી રાખશે તો ખરેખર આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવો મુશ્કેલ બની જશે. શું આ પરિણામો પરથી મોદીજી તેમનો અભિગમ સુધારશે?

Thursday, May 14, 2009

જોકર પોતાને રિંગમાસ્ટર સમજે ત્યારે.....


લલિત મોદીના ભેજાની પેદાશ આઇપીએલ એટલે 'ધ ગ્રેટ ઇન્ડિયન ક્રિકેટ ફારસ.' આ ફારસમાં એક દેશી જોકર છે અને અને વિદેશી. દેશી જોકરની ભૂમિકા બોલીવૂડના સ્વયંભૂ હાસ્યાસ્પદ સુપરસ્ટાર શાહ 'રૂક રૂક' ખાન ભજવી રહ્યાં છે તો વિદેશી જોકરની ભૂમિકા છે આ દેશી જોકરની ટીમ નાઇટ રાઇડર્સના રિંગ માસ્ટર જૉન બકનન. સર્કસના જોકર અને આઇપીએલના આ બંને જોકર વચ્ચે શું ફરક છે? સર્કસના જોકર પોતાને જોકર જ સમજતા હોય છે, નહીં કે રિંગ માસ્ટર. જ્યારે રૂકરૂક ખાન અને બકનન પોતે જોકર હોવા છતાં પોતાને રિંગ માસ્ટર સમજે છે. સર્કસના જોકર પોતાને રિંગ માસ્ટર સમજવા લાગે તો શું હાલત થાય તે આપણને નાઇટ રાઇડર્સની દુર્દશા પરથી જોવા મળ્યું. આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના અત્યાર સુધીના દેખાવ પર એક નજર નાંખીએ.

અત્યાર સુધી કુલ 11 મેચ. એકના એક લાડકા દીકરા જેવો એક વિજય, નવ અવિસ્મરણીય ભૂંડા પરાજય. ટીમના પોઇન્ટ કેટલા? એક, બેને ત્રણ। તેમાં ત્રીજો પોઇન્ટ મેઘરાજાએ દાનમાં આપ્યો છે. રૂકરૂકે ટીમના ખેલાડીઓને કોચિંગ આપવા જેટલા કોચ રાખ્યાં છે તેટલા પોઇન્ટ મળ્યાં હોત તો પણ ટીમની થોડીઘણી આબરૂ રહી જાત. તમને જાણીને નવાઈ લાગશે કે નાઇટ રાઇડર્સ ટીમના ગુરુ બકનન પોતાની સાથે બીજા છ ગુરુઘંટાલ લઇને રૂકરૂક મિયાના દરબારમાં હાજર થયાં છે.

નાઇટ રાઇડર્સની ટીમના ખેલાડીઓને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ સાત-સાત કોચ નીચે ટીમની આબરૂના પાળિયા કેવી રીતે કરવા તેનું સોલિડ માર્ગદર્શન મળી રહ્યું છે. ટીમના મુખ્ય કોચ જૉન બકનન છે. તેમની સહાય માટે ચીફ આસિસ્ટન્ટ કોચ મૈથ્યૂ મૉટ, આસિસ્ટન્ટ કોચ બ્રેઇડ મર્ફી, બોલિંગ કોચ એન્ડી બિકલ, ફિલ્ડિંગ કોચ જૉન ડીબલ, વિકેટકીપિંગ કોચ વેડ સેકૉમ્બ અને ટીમને સૌથી વધુ નુકસાન કરનાર સ્ટ્રેન્થ ટ્રેનિંગ આસિસ્ટન્ટ કોચ માઇકલ બકનન. આ માઇકલ બકનન કોણ છે? મુંગેરીલાલ જેવા હસીન સપને જોતા જોન બકનનના તરંગી સુપુત્ર.

હકીકતમાં બકનન અને તેમના સુપુત્ર સહિત બાકી બધા કોચ ઓસ્ટ્રેલિયામાં નવરી બજાર ગણાતા હતા। આ નવરી બજારોની મંડળીને ટીમના કોચિંગની જવાબદારી સોંપવાની ભલામણ શાહરૂખને કોણે કરી? આ પ્રશ્ન ટીમની માલિકીમાં હિસ્સો ધરાવતી જુહી ચાવલાએ પૂછ્યો હતો. જવાબમાં શાહરૂખે કહ્યું કે, તેના એક અંગત ફિલ્મી મિત્રનું નામ આપ્યું હતું. જવાબ સાંભળીને જુહીના ચહેરા પર ખડખડાટ હાસ્ય ફરી વળ્યું હતું. તેના આ ફ્લોપ ફિલ્મી મિત્રએ બકનન કોચ હતો ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન જોઇને તેના નામની ભલામણ કરી હતી. પણ તેને જાણ નહોતી કે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બકનનના જાલિમ તુક્કાથી વાકેફ હતા. સ્ટીવ વો અને કાંગારૂઓ બકનનું કોઈ સૂચન માનતા નહોતા અને રૂકરૂક તેને પૂછ્યાં વિના પાણી પીતા નહોતા. પરિણામ આપણી નજર સામે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ચેમ્પિયન ગણાય છે અને નાઇટ રાઇડર્સ પણ ચેમ્પિયન ગણાય છે, પણ ભૂંડા હાલે પરાજયનો સ્વાદ ચાખવામાં.

બકનન આણીમંડળીએ નાઇટ રાઇડર્સને ગોટાળે ચઢાવી છે. ટીમના ખેલાડીઓએ ભારત અને દક્ષિણ આફ્રિકામાં ફિલ્ડિંગ પ્રેકટિસ કરી હતી. ટીમના ફિલ્ડિંગ કોચ જૉન ડીબલ છે છતાં ખેલાડીઓને બકનન અને મૈથ્યૂ કોટે પણ ફિલ્ડિંગની ટિપ્સ આપી. છેવટે ટીમ મેદાનમાં ઉતરી ત્યારે કયા સ્થાને કયો ખેલાડી ઊભો રહેશે તે સ્પષ્ટ નહોતું. ઉપરાંત ટુર્નામેન્ટ ચાલુ થાય તે પહેલાં કેપ્ટનની જેમ ખેલાડીઓને પણ રોટેશન વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે તેવી સૂચના અપાઈ હતી. એટલે સારો દેખાવ કરનાર ખેલાડીને પણ રોટેશન મુજબ બહાર જ બેસવું પડે. આ વ્યવસ્થાને કારણે ટીમમાં સામેલ દક્ષિણ આફ્રિકાના ખેલાડી મોર્ન વાનને શરૂઆતની મેચોમાં બહાર બેસવું પડ્યું. તે જ રીતે દક્ષિણ આફ્રિકાના એક અન્ય ખેલાડી અને ટ્વેન્ટી-20ના ધુરંધર ગણાતા ચાર્લ લૈંગવેલ્ટને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ન ફેંકાઈ ગઈ ત્યાં સુધી અંતિમ ઇલેવનમાં સ્થાન ન મળ્યું.

બકનનઆણી મંડળી લલિત મોદીના ફારસની ત્રીજી સીઝનમાં પાછી ફરે તેવી કોઈ શક્યતા નથી. પણ કોલકાતા નાઇટ રાઇડર્સની થોડી ઘણી પ્રતિષ્ઠા હતી તેના પર પાણી ફરી વળ્યું છે. પહેલી સીઝનમાં તેને સૌથી વધુ સ્પોન્સર્સ મળ્યાં હતા. તેમને ટીમ પ્રત્યે બહુ મોટી અપેક્ષાઓ હતી, પણ ગાંગુલીની આગેવાનીમાં ટીમે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વખતે ચાર કેપ્ટનનું બહાનું બનાવી ગાંગુલીને દૂર કરવાનો કારસો રચી શાહરૂખે મેકુલમને કેપ્ટન બનાવી દીધો તો ટીમ છેલ્લેથી પહેલું સ્થાન મેળવવા આગળ વધી રહી છે.

ચલતે-ચલતેઃ હાર કર જીતનેવાલે કો બાઝીગર કહેતે હૈ, પર અચ્છે ખેલાડીઓ સાથે હારનેવાલે કોં ક્યા કહેતે હૈ? શાહ 'રૂકરૂક' ખાન.

Tuesday, May 12, 2009

ચૂંટણી, નેતાઓ અને જ્યોતિષીઓ...


બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા અંગ્રેજોએ ભારતને કાયમ માટે અલવિદા કહી દેવાનો નિર્ણય લીધો. લોર્ડ માઉન્ટબેટને ભારતમાતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવાની તારીખ 14 ઓગસ્ટ નક્કી કરી. તે દિવસે અખંડ હિંદુસ્તાનમાંથી ભારત અને પાકિસ્તાન નામના બે દેશનો જન્મ થવાનો હતો. પણ કેટલાંક જ્યોતિષીઓ જવાહરલાલ નેહરુને મળ્યાં અને 14 ઓગસ્ટનો દિવસ શુભ નથી તેવી ચેતવણી આપી. નેહરુએ આઝાદીની સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો સમય અડધો કલાક આગળ વધારી દીધો અને 15 ઓગસ્ટ, 1947ના પ્રારંભ સાથે ભારત એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

આ વાત સાચી છે કે ખોટી તે વિશે કોઈ સ્પષ્ટપણે જણાવી શકતું નથી, પણ એક દિવસના અંતરે અસ્તિત્વમાં આવેલા ભારત અને પાકિસ્તાનની 62 વર્ષની સફર અસામાન્ય રીતે અલગ રહી છે. ભારત કરતાં માત્ર અડધો કલાક પહેલાં અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનની જન્મકુંડળી એટલે કે કરમકુંડળી બદલાઈ ગઈ અને તેને સતત ગ્રહ-નક્ષત્રોનો પ્રકોપ સહન કરવો પડે છે તેવું જ્યોતિષીઓ માને છે. કેટલાક ક્ષેત્રો વચ્ચેનો સંબંધ શાશ્વત હોય છે. રાજકારણ અને જ્યોતિષીઓ વચ્ચેનો સંબંધ પણ સર્વકાલીન છે. લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો બાકી છે. આ ચૂંટણી દરમિયાન પણ અનેક નેતાઓ જ્યોતિષીઓ અને કર્મકાંડને શરણે ગયા છે. કોઈ નેતા મંદિરમાં મધરાતે બકરાઓની બલિ આપે છે તો ક્યાંક 1000 પંડિતો અનુષ્ઠાન કરી રહ્યાં છે. ભાજપના નેતા અને વડાપ્રધાનપદના દાવેદાર શ્રીમાન લાલકૃષ્ણ આડવાણીએ ઉમેદવારીફોર્મ ભરતી વખતે બપોરે 12:39નો સમય કેમ પસંદ કર્યો?

કહેવાય છે કે, બરોબર આ જ સમયે રામે રાવણનો વધ કર્યો હતો। આડવાણીજીને વડાપ્રધાન બનાવવા અત્યારે દેશના પાંચ જ્યોતિષીઓ કામે લાગ્યાં છે. તેઓ ચૂંટણીના મુદ્દાથી લઇને કોની સાથે જોડાણ કરવું તે બાબતે તેમને સલાહસૂચન કરી રહ્યાં છે. તેમના એક મનપસંદ જ્યોતિષી અને હંમેશા કેસરી કુરતો પહેરતાં આચાર્ય રાજ જ્યોતિષ શુક્લા આજકાલ દિલ્હીમાં કોંગ્રેસના હેડ ક્વાર્ટર 24, અકબર રોડમાં અવારનવાર દેખાય છે. ભાજપના ભૂતપૂર્વ મહામંત્રી સંજય જોશીએ વર્ષ 2006માં તેમની પક્ષના રાજગુરુ તરીકે નિમણૂંક કરી હતી. હવે આ રાજગુરુએ ગુલાટ મારી છે. ગુલાટ મારવો એક ચેપી રોગ છે. તેના વાઇરસ મૂળે રાજકારણીઓમાં છે અને આ વાઇરસ હવે સમાજમાં બધે ફેલાઈ રહ્યાં છે.

દેશમાં જ્યોતિષીઓનો ધંધો અંદાજે 40,000થી 45,000 કરોડ રૂપિયાનો છે। લોકસભાની ચૂંટણી સમયે તેમાં 600થી 800 કરોડ રૂપિયાનો વધારો થઈ જાય છે. એક સમયે દિલ્હીમાં જાલંધરી બાબાના જમાનો હતો. બાબાના દરવાજે નેતાઓનો મેળો જામતો. કાલી માતાના પરમ ભક્ત પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન બનવા થનગનાટ અનુભવતા લાલકૃષ્ણ આડવાણી વારંવાર તેમની સામે ખોળો પાથરતાં હતા. રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવાર કેન્સરનો ભોગ બન્યાં ત્યારે તેમને મળવા ગયા હતા. વડાપ્રધાન બનતાં પહેલાં આ દુનિયામાંથી તેમની ટિકિટ તો ફાટી તો નહીં જાય ને તેવું તેમણે પૂછ્યું હતું. પણ તેમની જન્મકુંડળીનો અભ્યાસ પૂરો થાય તે પહેલાં જ બાબાની ટિકિટ ફાટી ગઈ. જાલંધરી બાબા હવે આ દુનિયામાં નથી.

તમિળનાડુની રાજનીતિની વાત કરીએ તો એઆઇએડીએમકેના અધ્યક્ષા જયલલિતા જ્યોતિષીઓને પૂછ્યાં વિના પી પી પણ કરતાં નથી। તેમણે લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની બેલેન્સશીટ સાથે જન્મકુંડળી પણ મંગાવી હતી. તેમના પક્ષના તમામ 23 ઉમેદવારોએ 20મી એપ્રિલે બપોરે 12.20થી 1.50 વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી. અમ્માને એમજીઆર અને લીલા રંગ પ્રત્યે કેટલું હેત છે તે જગજાહેર છે. અમ્માની જેમ બંગાળમાં દીદી તરીકે જાણીતા મમતા બેનર્જી પણ જ્યોતિષીઓ અને તંત્રમંત્રની મદદ લેવા દોડાદોડ કરી રહ્યાં છે.

તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા દીદીએ થોડા સમય પહેલાં એક જાણીતા અંકશાસ્ત્રી શ્વેતા જુમાનીની સલાહ લીધી હતી અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પક્ષના એકચક્રી શાસનનો કેવી રીતે અંત લાવવો તેની ટિપ્સ મેળવી હતી। જુમાનીએ તેમને પોતાના અંગ્રેજી સ્પેલિંગમાં એક વધુ 'A' જોડી દેવાનું કહ્યું. પણ તેનાથી બહુ ફરક ન પડતાં દીદીની નૈયા પાર કરાવવા હવે તાંત્રિક ભાઈઓ મેદાને પડ્યા છે. થોડા દિવસ પહેલાં કોલકાતાના કાલીઘાટ મંદિરમાં મધરાતે દીદીએ તેમના બે મદદનીશો સાથે આવીને વિશેષ પૂજા કરી હતી. પછી આગલી સવારે તેમના કેટલાંક સમર્થકોએ 50 બકરાનો ભોગ ચડાવ્યો હતો. અમ્મા અને દીદી ઉપરાંત એક ઓર દીદી પણ પથ્થર એટલા દેવ પૂજી રહ્યાં છે.

આ દીદી સંજય દત્તની દીદી છે। પ્રિયા દત્તમાં અસ્વાભાવિક ધાર્મિકતા આવી ગઈ છે. તેમણે લોકસભા ચૂંટણી જીતવા મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક, ધ માઉન્ટ મેરી ચર્ચ અને હાજી અલીની દરગાહ પર માથું નમાવ્યું છે. મહારાષ્ટ્રના બધા નેતા ચૂંટણીના મેદાનમાં ઉતરતાં પહેલાં ઓસ્માનાબાદ જિલ્લાના તુળજા ભવાનીના મંદિર તરફ દોટ મૂકે છે. દોટ મૂકવામાં તો ગુજરાતના નેતા પણ બહુ પાછળ નથી.

કહેવાય છે કે, ગુજરાતના એક નેતાએ વિશેષ યજ્ઞ કરવા આશારામની મદદ માંગી છે। આ યજ્ઞ 30 એપ્રિલના રોજ સંપન્ન થયો છે અને તેનું ફળ કેવું મળે છે તે 16 મેના રોજ જાણવા મળશે. કદાચ આ નેતાને યજ્ઞ કરવાની પ્રેરણા ગુજરાતની ઘેલી જનતાના નાથ નરેન્દ્ર મોદીમાંથી મળી હશે. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા 17 પૂજારીઓ પાસે રુદ્રાભિષેક કરાવ્યો હતો તેવું જાણવા મળ્યું છે. ઓમ નમઃ શિવાય....

ચલતે-ચલતેઃ મધ્યપ્રદેશમાં વિદિશા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર પટેલને જ્યોતિષીઓએ છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ ભરવાની સલાહ આપી હતી. તેઓ છેલ્લી ક્ષણે ફોર્મ ભરવા હાજર થયા, પણ કેટલાંક દસ્તાવેજો ઘરે રહી ગયા હતા. તે દસ્તાવેજો લઇને પટેલ મહાશય કલેક્ટર ઓફિસે પહોંચે તે પહેલાં સમયમર્યાદા પૂરી થઈ ગઈ અને તેઓ ઉમેદવારી જ નોંધાવી શક્યા નહીં. તેનો ફાયદો આ જ બેઠક પર ચૂંટણી લડતા સુષ્મા સ્વરાજને થયો. પટેલે તરત જ સુષ્મા સ્વરાજના જ્યોતિષીને ફોન લગાવ્યો તો તેમણે કહ્યું કે, તમારા નસીબમાં આ વખતે ચૂંટણી લડવાનો યોગ જ નહોતા.

દીકરી દેવો ભવઃ


માએ મમતાની મૂરત છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી તો દયા અને કરુણાનું સાક્ષાત સ્વરૂપ છે. બાપનું ઘર છોડીને તે પતિગૃહે જાય છે ત્યારે તેની કરુણાનું સ્થાન બદલાતું હોય છે, પણ તેના હ્રદયમાં રહેલી અનુકંપા અકબંધ રહે છે. ખાસ કરીને પિતા પ્રત્યેનો તેનો પ્રેમ વધતો જાય છે. દીકરી પોતાના વિવેક અને માતાપિતાના સંસ્કારના બળે જીવનની તમામ ઘટનાઓને સહી લે છે, પરંતુ તેના બાપને કંઈ થાય તે તેના માટે અસહ્ય હોય છે. કોઈ તેને કહે કે તારા બાપની તબિયત બરોબર નથી તો થઈ રહ્યું. પછી દીકરી એક ક્ષણ રહી શકતી નથી. તે તરત જ તેના બાપને મળવા દોડી જાય છે. તેની સ્થિતિ તે જ જાણે છે.

મારી સમજ કાંઇક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પણ દીકરી તો બાપનું સ્વરૂપ છે। પુત્ર બાપનો હાથ છે જ્યારે દીકરી તો બાપનું હૈયું છે. એટલે જ્યારે કોઈ પિતા કન્યાદાન કરતો હોય છે ત્યારે તે દીકરીનો હાથ જમાઇના હાથમાં આપતો હોય છે, પણ હકીકતમાં તે તેનું હૈયું જમાઇને સોંપતો હોય છે. આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ગાયું છે કે, 'કાળજા કરે કટકો મારો હાથથી છૂટી ગ્યો.'

દીકરીને સાસરે વળાવે ત્યારે બાપની ઉંમર હોય તેના કરતાં થોડાં વરસ વધી જાય તેવું અનુભવાય છે અને લોકોને લાગે પણ છે। તે જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરનો દેખાય. દીકરીને મળવા બાપ સામે દોડી પડે અને હરખાતો હરખાતો બોલે...મારો દીકરો આવ્યો॥મારો પ્રાણ આવ્યો...

તેમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો એટલે કે નાના થઈ જાય છે। જુવાન દીકરી વૃદ્ધ બાપની મા બની જાય છે. જેમ મા બાળકને આગ્રહ કરીકરીને જમાડે અને સાચવે તેવો લાગણીનો પ્રવાહ દીકરી બાપ તરફ વહાવે છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

(મોરારીબાપુના પ્રવચનનો આ હિસ્સો સહકર્મચારી અને વડીલ મિત્ર નૃપેશભાઈ જાનીએ મને સોમવારે મેઇલમાં મોકલ્યો હતો.)

हम तेरा इन्तिजार करते हैं..


चांद मद्धम है आस्मां चुप है
नींद की गोद में जहां चुप है

दुर वादी में दुधिया बादल
झुक के परबत को प्यार करते है
दिल में नाकाम हसरतें लेकर
हम तेरा इन्तिजार करते हैं

इन बहारों के साए में आ जा
फिर मोहब्बत जवां रहे न रहे
जिन्दगी तेरे नामुरादों पर
कल तलक मेहरबां रहे न रहे

रोज की तरह आज भी तारे
सुबह की गर्द में न खो जाएं
आ तेरे गम में जागती आंखें
कम-से-कम एक रात सो जाएं

चांद मद्धम है आस्मां चुप है
नींद की गोद में जहां चुप है

साहिर लुधियानवी

Friday, May 1, 2009

'ગુજરાતમાં ભૌતિક પ્રગતિ થઈ છે, પણ નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે'




કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ કે પતનનો આધાર તેના સામાજિક અને આર્થિક માળખા પર હોય છે. સામાન્ય રીતે અર્થતંત્રમાં જે પરિવર્તનો થાય છે તેના આધારે જ સામાજિક માળખું આકાર લે છે. ક્યારેક એવી સામાજિક ઘટનાઓ બને છે જે આ પ્રક્રિયાને કામચલાઉ રીતે સ્થગિત કરી દે છે, પણ થોડા સમયમાં આર્થિક ફેરફારોને અનુરૂપ સામાજિક ફેરફારોની ગાડી ફરી પાટે ચઢી જાય છે. 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી અને ત્યારથી લઇને અત્યાર સુધી ગુજરાતના આર્થિક પરિવર્તનોને આધારે તેના સામાજિક અને રાજકીય માળખામાં કેવા પરિવર્તન થયા તે અંગે રાજ્યના જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી સાથે થયેલી વાતચીતઃ

રાજ્યની સ્થાપના સમયે....
ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યના અર્થકારણમાં લોહાણા, જૈન, ભાટિયા, પારસી, ખોજા, મેમણ જેવી વેપારી પ્રજાનું વર્ચસ્વ હતું જ્યારે શૈક્ષણિક તંત્ર પર બ્રાહ્મણોનો દબદબો હતો. આ કારણે સ્વાભાવિક રીતે સમાજ પર ઉજળિયાત વર્ણનું પ્રભુત્વ હતું. રાજકારણમાં તમે જુઓ તમને મહેતા, મહેતા, મહેતા.. જ દેખાશે. રાજકીય ક્ષેત્રે બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. આપણા રાજ્યના પહેલાં મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને બીજા મુખ્યમંત્રી બલવંતરાય મહેતા હતા. આ સ્થિતિ 1974 સુધી લગભગ જળવાઈ રહી. પણ તે પછી રાજ્યના સામાજિક-આર્થિક-રાજકીય પરિવર્તનનો પવન ફૂંકાયો તેના મૂળિયાં 1970ના દાયકાના અંતમાં હરિત ક્રાંતિએ નાંખી દીધા હતા.
હરિત ક્રાંતિ અને સામાજિક-આર્થિક પરિવર્તન...
દેશમાં 1970ના દાયકાના અંતે કૃષિ વિજ્ઞાની એમ સુબ્રમન્યમની આગેવાનીમાં હરિત ક્રાંતિ શરૂ થઈ. તેનો સૌથી વધારે ફાયદો પંજાબ અને ગુજરાતના ખેડૂતોને થયો. ખેતીવાડીની આવક વધી, પટેલ કોમની આવકમાં વધારો થયો એટલે તેમણે ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત કરી. તેની સાથે જ રાજ્યના ઔદ્યોગિક- રાજકીય ફલક પર એક નવા યુગની શરૂઆત થઈ હતી. 70ના દાયકાથી લઇને 1995 સુધી રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં પટેલ કોમનો ફાળો સૌથી વધારે છે એમ કહી શકાય. ખેતીવાડીમાં સમૃદ્ધ થયેલા ખેડૂતોએ દરેક ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું. કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, શૈક્ષણિક, હીરા ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં પટેલ કોમનો દબદબો વધ્યો.

પી ફોર પટેલ, પી ફોર પાવર....
અર્થકારણ અને રાજકારણને સીધો સંબંધ છે. સામાન્ય રીતે સંપત્તિ આવે એટલે સત્તા મેળવવાની આકાંક્ષા જન્મે. આર્થિક રીતે સમૃદ્ધ થયેલા પટેલોએ રાજકારણમાં ઝંપલાવ્યું. હરિત ક્રાંતિ પછી સમૃદ્ધ થયેલા ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું. તેમાં 1976માં ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશમાં કટોકટી લાદતાં નાગરિકોમાં રાજકીય જાગૃતિમાં વધારો થયો હતો. તે પછી પટેલ જ્ઞાતિના લોકોએ વધારેને વધારે રાજકારણમાં ઝંપલાવ્યું. તેમાંના મોટાભાગના લોકોનો ઝુકાવ જૂનાં જનસંઘ અને વર્તમાન ભારતીય જનતા પક્ષ (ભાજપ) તરફ હતો, કારણ કે ભાજપ પા પા પગલી માંડતું હતું અને તેમાં વર્ચસ્વ સરળતાથી સ્થાપી શકાય તેમ હતું. 1974 પછી રાજ્યમાં બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ એમ પટેલ ત્રણ મુખ્યમંત્રી મળ્યાં. તે પછી ધારાસભ્યોના નામ પર નજર કરો તો પણ તમને પટેલ, પટેલ, પટેલ....નામ વધારે જોવા મળશે. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી પટેલોનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો ગાળો હતો. પટેલોએ વર્ચસ્વ સ્થાપિત કર્યું પણ તે અપેક્ષાથી વિપરીત લાંબો સમય ટકી શક્યું નહીં.

પટેલ પાવરનો વિલય....
1991માં આર્થિક ઉદારીકરણનો પવન ફૂંકાયો અને રાજ્યના દરિયાકિનારે ઔદ્યોગિકરણ શરૂ થયું. તેમાં સ્વાધ્યાય પરિવારે સામાજિક વિકાસનું જબરદસ્ત કામ કર્યું. છેવાડાના લોકો સુધી તેમના અધિકારો સુધીની માહિતી પહોંચી. શિક્ષણનો વ્યાપ વધ્યો અને 90ના દાયકાના અંતે જે અનામત આંદોલન થયું તેની અસર એક દાયકા પછી વીસમી સદીના અંતિમ દાયકામાં જોવા મળી. ગુજરાતની વસતીમાં 13 ટકા પટેલ છે અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) 40 ટકા છે. આ વાત રાજકીય પક્ષો સમજ્યાં અને ધીમેધીમે પટેલ પાવરનો વિલય થયો. ઉપરાંત પટેલ જ્ઞાતિની યુવા પેઢી રાજકારણ કરતાં વ્યાવસાયિક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું વધારે પસંદ કરી રહી છે.

નરેન્દ્ર મોદીનું આગમન નિર્દોષ ઘટના નહોતી...
કેશુભાઈ પટેલનું મુખ્યમંત્રી પદેથી નિર્ગમન અને નરેન્દ્ર મોદીનું આગમન નિર્દોષ ઘટના નહોતી। સામાન્ય રીતે એવી માન્યતા છે કે, વર્ષ 2002માં આયોજિત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને બચાવવા કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતા. પણ હકીકતમાં કેશુભાઈનું જવું પટેલ પાવરના વિલયનો સંકેત છે જ્યારે નરેન્દ્ર મોદીનું આગમન ઓબીસી પાવરનો ઉદય છે. તમે જુઓ કે, મોદીના આગમન પહેલાં ભારતીય જનતા પક્ષ બ્રાહ્મણ, જૈન અને પટેલોના પક્ષ તરીકે ઓળખતો હતો જ્યારે અત્યારે ભાજપમાં આ ત્રણેય કોમ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને તેમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીઓનું વર્ચસ્વ વધી ગયું છે.

1960થી 2009: સામાજિક-રાજકીય અધઃપતન...
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને જાળવી રાખવાની અપેક્ષા રાખી હતી। પણ તે પછી ગુજરાતના લોકો નૈતિક અધઃપતન તરફ ક્રમશઃ અગ્રેસર થઈ રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ વધ્યું છે, રોજગારી વધી છે, વેપાર-વાણિજ્યની પ્રગતિ થઈ છે, વિવિધ સંપ્રદાયોનો ફેલાવો વધ્યો છે. સામાન્ય રીતે આ સંજોગોમાં પ્રજાનું નૈતિક સ્તર ઊંચું આવવું જોઇએ. પણ સત્ય, અહિંસા અને પ્રામાણિકતાનું સ્થાન અત્યારે ભ્રષ્ટાચાર અને હિંસાએ લીધું છે. આપણા રાજ્યમાં ભૌતિક પ્રગતિ થઈ છે, પણ નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. અત્યારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાજકારણમાં વેપારીઓ અને બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. તેઓ અહિંસક અને શાંતિપ્રિય હતા. તેમના માટે સાધનશુદ્ધિ મહત્વની હતી. જ્યારે પટેલ અને ઓબીસી વર્ગ માટે સાધનશુદ્ધિ કરતાં આધિપત્ય વધારે મહત્વપૂર્ણ છે. સમાજ પહેલાં સંગઠિત હતો પણ છેલ્લાં બે દાયકામાં તેના જાતિ અને સંપ્રદાયને આધારે ટુકડે-ટુકડા થઈ ગયા છે.

રથયાત્રા પહેલાનું અને તે પછીનું ગુજરાત...
ભાજપે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રથયાત્રા કાઢી તે પહેલાં ગુજરાતમાં ભાજપનું કમાન બ્રાહ્મણ, જૈન જેવી શાંતિપ્રિય જ્ઞાતિઓના હાથમાં હતું એટલે ત્યારે નરમ હિંદુત્વ જોવા મળતું હતું। પણ તે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપે પછાત વર્ગના લોકોને પોતાની સાથે જોડ્યાં. રથયાત્રા આંદોલનમાં આ વર્ગના લોકોએ જ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એટલે રથયાત્રા અને બાબરી વિધ્વંસ પછી ગુજરાતમાં અન્ય પછાત વર્ગનું મહત્વ ક્રમશઃ વધતા ઉગ્ર હિંદુત્વ જોવા મળે છે. આ ઉગ્ર હિંદુત્વ વિચારસરણીમાં વિશ્વાસ ધરાવતા લોકો અત્યારે નરેન્દ્ર મોદીના ટેકેદારો છે.

ગોધરા-અનુગોધરાકાંડ પહેલાંનું અને તે પછીનું ગુજરાત...
ગોધરા-અનુગોધરાકાંડ પહેલાંના ગુજરાતની ઓળખ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે મહાત્મા ગાંધીના વેપારી અને શાંતિપ્રિય રાજ્ય તરીકે હતી, પણ 2002ના કોમી રમખાણો પછી ગુજરાતને દુનિયાના લોકો કેવી રીતે જુએ છે તેની આપણને બધાને જાણ છે। ગોધરા-અનુગોધરા કાંડ પછી ગુજરાતમાં હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે સ્પષ્ટ તિરાડ પડી ગઈ છે. તે પહેલાં પણ રાજ્યમાં કોમી રમખાણો થયા હતા, પણ તે ઉપરછલ્લાં અને સ્થાનિક હતા, જ્યારે 2002માં થયેલા કોમી તોફાનો એક એક્શન-રીએક્શનની સ્વાભાવિક ઘટના નહોતી. તે ગુજરાતના સમાજને હિંદુ અને નોન-હિંદુ લાઇનમાં વિભાજીત કરવાનો એક પ્રયોગ હતો અને તેમાં જબરદસ્ત સફળતા મળી હતી. હકીકતમાં ગોધરા-અનુગોધરા કાંડ સમગ્ર ભારતીય સમાજને હિંદુ વિરૂદ્ધ નોન-હિંદુ લાઇનમાં વિભાજીત કરવાનું પ્રથમ પગથિયું છે કે પ્રયોગ હતો.

ગુજરાત અને આતંકવાદ..
આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, પણ તમે એક બાબત ખાસ ધ્યાનમાં લેજો કે જે જે વિસ્તારમાં આતંકવાદ પગપેસરો કરવામાં સફળ રહ્યો છે તેમાં તેમને સ્થાનિક લોકોની સહાય મળી છે। સ્થાનિક લોકો પોતાના જ રાજ્ય કે દેશ વિરૂદ્ધ આતંકવાદીઓને ક્યારે સહાય કરે? જ્યારે તેને પોતાના રાજ્ય કે દેશની નીતિથી અસંતોષ હોય. મોટે ભાગે અસંતુષ્ટ કે પીડિત લોકો આતંકવાદના સહાય કરતાં જોવા મળે છે. ગુજરાતમાં આતંકવાદના મૂળિયા રથયાત્રાએ નાંખ્યા અને તેમાં ગોધરા-અનુગોધરાકાંડે ખાતર પૂરું પાડ્યું છે. તમે જુઓ કે તે પછી ગુજરાતમાં આતંકવાદી હુમલાઓની શરૂઆત થઈ છે.

સંપ્રદાયોમાં વધારો, નૈતિકતામાં ઘટાડો...
રાજ્યની સ્થાપના પછી દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં ગુજરાતમાં સૌથી વધારે સંપ્રદાયોનો ફેલાવો થયો હશે। હકીકતમાં સંપ્રદાયોનો વધારો થવાનો અર્થ એ નથી કે તેનાથી પ્રજામાં ધાર્મિકતા અને નૈતિકતા વધે છે. ગુજરાતમાં સંપ્રદાયોના વિકાસ થવા પાછળ એકમાત્ર કારણ લોકોની પોતાની આગવી ઓળખ ઊભી કરવાની મનોવૃત્તિ છે. તમે જોશો કે છેલ્લાં બે દાયકામાં રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પ્રવૃત્તિ, આશારામ બાપુ વગેરે અનેક લોકોએ પોતાના પંથ કે સંપ્રદાય ઊભા કરી દીધા છે. તેમાં જે લોકો ભળે છે તેમના મોટા ભાગના લોકોને ધર્મ કરતાં પોતાની સાંપ્રદાયિક ઓળખ ઊભી કરવામાં વધારે રસ છે. આ સંપ્રદાયો અને તેમના અનુયાયીઓને ઇશ્વરની શોધ અને નૈતિક ગુણો પ્રસ્થાપિત કરવામાં ઓછો રસ છે.

મહિલાઓની સ્થિતિ યથાવત્..
મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. રોજગારીના વિવિધ ક્ષેત્રોમાં પણ મહિલાઓની હાજરી વધી છે. પણ સામાજિક સ્થિતિમાં બહુ મોટો ફરક પડ્યો નથી. ગુજરાતી સમાજ આજે પણ મહદ્ અંશે પુરુષપ્રધાન જ છે.

શ્રેષ્ઠ મુખ્યમંત્રી....
જીવરાજ મહેતા. તેઓ ગુજરાત ઔદ્યોગિક રાજ્ય બને તેના સ્વપ્નદ્રષ્ટા હતા. તેમણે વેપારી ગુજરાતમાંથી ઔદ્યોગિક ગુજરાત બનાવવાનો પાયો નાંખ્યો હતો. રાજ્યમાં ઔદ્યોગિક વસાહતો નાંખવાની શરૂઆત તેમણે કરી હતી. તેમણે ગુજરાતને જે દિશા આપી તેને અત્યાર સુધી કોઈ મુખ્યમંત્રીએ બદલી નથી. તેમણે નાંખેલા પાયા પર જ બધા મુખ્યમંત્રી ચણતર કરી રહ્યાં છે. ચીમનભાઈ પટેલ પણ ખરા. નર્મદા યોજનાનું સૌથી વધારે અમલીકરણ તેમના શાસનકાળમાં થયું. તેમણે કલ્પસર યોજના બનાવી. તેઓ કુશળ આયોજક હતા.

નબળા મુખ્યમંત્રી...
જૂની પેઢીમાં ઘનશ્યામ ઓઝા અને નવી પેઢીમાં દિલીપ પરીખ. અત્યારે દિલીપ પરીખ ધંધુકાની બજારમાંથી પસાર થાય તો કોઈ ઓળખે પણ નહીં કે, એક દિવસ આ ભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા.

રાજ્યમાં સૌથી વધુ શાસન કરવાનો વિક્રમ ધરાવતા નરેન્દ્ર મોદી...
જીવરાજ મહેતાએ પાયો નાંખ્યો, ચીમનભાઈ પટેલે અમલીકરણ કર્યું અને નરેન્દ્ર મોદી તેનો સારામાં સારો પ્રચાર કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સરેરાશ મુખ્યમંત્રી છે. તેમને તમે કુશળ પ્રચારક કે 'પ્રચારપુરુષ' કહી શકો. તેમણે સમગ્ર દુનિયાનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું છે. સ્વ. વી પી સિંહ એવું કહેતા કે, 'Politics is management of contradiction.' જ્યારે નરેન્દ્ર મોદીનું રાજકારણ contradiction ઊભા કરવાનું છે.

જય જય ગરવી ગુજરાત.....



જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને,
પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દૂધારકેશ એ,
પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદધરમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો,
દે આશિષ જયકર સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગથકી પણ અધિક સરસ રંગ,
થકી સત્વરે માત!
શુભ શુકન દીસ મધ્યાહન શોભશે,
વીતી ગઈ છે રાત જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

કવિ નર્મદ

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...



જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ,
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ।

જેની ઉષા હસે હલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.

જેને ઉર ગુજરાતી હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ,
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.

ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય,
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.

જય જય જન્મ સફળ ગુજરાતી,
જય જય ધન્ય અદલ ગુજરાતી!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અરદેશર 'અદલ'

સિંહનું ખોળિયું પહેરવાથી ગધેડો કદી સિંહ ન બની શકે

આપણી દ્રષ્ટિ સમક્ષ, અહીં ભારતમાં બે મોટાં ભયસ્થાનો દેખાય છે। તેમાંનું એક તે ભૌતિકવાદનો ભસ્માસુર અને બીજું તે નર્યા વહેમીવેડાનો નરકાસુર, પુરાણમતવાદ. આ બંનેનું જડમૂળ કાઢવું જોઇએ.

આજે એવા પણ માણસો છે જે પાશ્ચાત્ય વિદ્વત્તાનું પાન કરીને એમ માને છે કે પોતાને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે। આપણા પ્રાચીન ઋષિઓની એ હાંસી ઉડાવે છે. હિન્દુઓએ જે કાંઈ વિચાર્યું છે તે એમને મન તુચ્છ છે; હિન્દુઓના દર્શન એમને મન કેવળ બાળકોનો બડબડાટ લાગે છે; હિન્દુઓનો ધર્મ એમને મન મૂર્ખાઓનો વહેમ જ લાગે છે.

અનુકરણ એ સંસ્કૃતિ નથી। હું રાજાનો વેશ ધારણ કરું છું તેથી કાંઈ રાજા થોડો જ બની જવાનો હતો? સિંહનું ખોળિયું પહેરવાથી ગધેડો કદી સિંહ નહીં જ બની શકે. અનુકરણ, કાયરવૃત્તિથી કરેલું અનુકરણ કદી પ્રગતિસાધક બની શકતું નથી. ઊલટું, માણસનાં ભયંકર પતનનું જ સ્પષ્ટ લક્ષણ બની રહે છે. જે ક્ષણે મનુષ્ય પોતાને તિરસ્કારવા માંડે છે તે ક્ષણે તેના પર અંતિમ કારી ઘા પડે છે, જ્યારે માણસને પોતાનાં પૂર્વજોનાં નામથી શરમાવા જેવું લાગે ત્યારે સમજી લેવું કે એનો અંત હવે દૂર નથી. ભારતની જે જીવનપ્રણાલી છે એને છોડીને ક્યાંયે કોઇના તાણ્યા તણાઇ જશો નહીં. ઘડીભર એમ માનશો નહીં કે ભારતવાસીઓ કોઈ બીજી પ્રજા જેમ ખાયપીએ, પહેરેઓઢે કે બોલેચાલે, તો તેથી ભારતનું કલ્યાણ થઈ જવાનું છે.

ત્યારે બીજી બાજુ શિક્ષિત છતાં અમુક પ્રકારની ઘેલછા જેને વળગી હોય એવો પણ એક વર્ગ છે જે દરેક વસ્તુના શુકન, અપશુકન જોવા બેસે છે। એની જાતિના, ખાસ દેવો વિશેના તથા એના અમુક ગામના વહેમોને એ તત્વજ્ઞાનની, અધ્યાત્મવિદ્યાની ને ભગવાન જાણે કેવાયે પ્રકારની બાલિશ દલીલો કરીને સાર્થ ઠરાવવા મથે છે.

આપણે ઘણા વહેમોને પોષ્યા છે, આપણા શરીર ઉપર ઘણાં ડાઘ અને વ્રણ છે। એ બધાંને છેદી નાખવાની જરૂર છે. એનાથી આપણા ધર્મનો, રાષ્ટ્રજીવનનો કે આપણી આધ્યાત્મિકતાનો નાશ થતો નથી. એથી ધર્મના કોઈ પણ સિદ્ધાંતને જરા સરખી આંચ આવતી નથી. એ ડાઘને જેટલા સત્વર આપણે દૂર કરીશું, તેટલા સત્વર જ ધર્મના શ્રેષ્ઠ સિદ્ધાંતો વધુ તેજસ્વી બની ઝળકી ઊઠશે.

સેન્ટર પોઇન્ટઃ ઢોંગી બનવા કરતાં સ્પષ્ટ વક્તા બનવું વધુ સારું છે