Wednesday, October 5, 2011

प्रभुजी तुम चंदन हम पानी


अब कैसे छूटे राम, नाम रट लागी,
प्रभुजी तुम चंदन हम पानी,
जाकी अंग अंग बास समानी.

प्रभुजी तुम घन बन हम मोरा,
जैसे चितवन चन्द चकोरा.

प्रभुजी तुम दीपक हम बाती,
जाकी जोति बरै दिन राती.

प्रभुजी तुम मोती हम धागा,
जैसे सोने मिलत सुहागा.

प्रभुजी तुम स्वामी हम दासा,
ऐसी भक्ति करे रैदासा.

रैदास

રામનામઃ હ્રદયના ચોખ્ખા લોકો માટે છે...


રામનામ કેવળ થોડા માણસોને માટે નથી, સૌને માટે છે. જે રામનામ રટે છે, તે પોતાના માટે ખજાનો એકઠો કરે છે. એ ખજાનો એવો છે જે કદી ખૂટતો નથી. તેમાંથી જેટલું કાઢો તેટલું ભરાયા કરે છે. તેનો અંત નથી. જેમ ઉપનિષદ કહે છે તેમ, પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તોયે પૂર્ણ જ શેષ રહે છે. રામનામ શરીરના, મનના અને આત્માના, એમ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિનો શરતી ઇલાજ છે. પણ એની એક શરત છે, તે એ કે રામનામ દિલમાંથી ઊઠવું જોઈએ. બૂરા વિચારો તમને આવે છે? કામ અને લોભ તમને સતાવે છે? એ દશામાં રામનામ જેવો બીજા કીમિયો નથી.

ધારો કે તમને લાલચ થઈ આવી કે, વગર મહેનતે, બેઈમાનીને રસ્તે, લાખો રૂપિયા જોડી લઉં. પણ તમે વિચાર કરો કે, મારાં બૈરીછોકરાંને માટે આવો પૈસો શું કામ એકઠો કરું? બધા મળીને તે ઊડાવી નહીં મારે? સારી ચાલચલગત, સારી કેળવણી અને સરસ તાલીમના રૂપમાં તેમને માટે એવો વારસો કેમ ન મૂકી જાઉઁ કે બચ્ચાં મહેનત કરીને પ્રામાણિકપણે પોતાની રોજી કમાય? આવું બધું તમે જરૂર વિચારતા હશો પણ તેનો અમલ નથી કરી શકતા. પરંતુ રામનામ અખંડ રટશો તો એક દિવસ તે તમારા કંઠમાંથી હ્રદય સુધી ઊતરી જશે અને પછી રામબાણ બની જશે, તમારા બધા ભ્રમ ટળી જશે, જૂઠો મોહ અને અજ્ઞાન જે હશે તેમાંથી તમને છોડાવશે.

રામનામ એ મેલી વિદ્યા કે જાદુ નથી. ખાઈ ખાઈને જેને બાદી થઈ છે ને તેની આપદામાંથી ઊગરી જઈ ફરી પાછો ભાતભાતની વાનીઓના સ્વાદ ભોગવવાને જે ઇલાજ ખોળે છે તેને સારુ રામનામ નથી. રામનામનો ઉપયોગ સારા કામને માટે થાય. ખોટા કામને માટે થઈ શકતો નથી. રામનામ તેમના માટે છે જે હ્રદયના ચોખ્ખા છે અને જે દિલની સફાઈ કરી હંમેશ શુદ્ધ રહેવા માગે છે. રામનામ કદી ભોગવિલાસની શક્તિ કે સગવટ મેળવવાનું સાધન ન થઈ શકે. રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. એ એક મહાન શક્તિ છે અને એની સરખામણીમાં અણુબોમ્બ પણ કશી વિસાતમાં નથી.

ગાંધીગંગાઃ રામનું નામ લેવું અને રાવણનું કામ કરવું, એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આપણે આપણી જાતને છેતરી શકીએ, જગતને છેતરી શકીએ, પણ રામને છેતરી શકીએ નહીં.

Sunday, October 2, 2011

હું કેવળ પ્રેમ માગીશ....


દરરોજ સવારે જ્યારે અંધકારના દ્વાર ઊઘડી જાય,
ત્યારે અમે તને - મિત્રને - સામે ઊભેલો જોઈએ.

સુખનો દિવસ હોય કે
દુઃખનો દિવસ હોય કે
આપત્તિનો દિવસ હોય,
તારી સામે મારું મિલન થયું,
તો બસ,
હવે મને કશી ચિંતા નથી,
આજ હવે હું બધું જ સહી શકીશ.

જ્યારે પ્રેમ નથી હોતો,
ત્યારે જ હે સખા,
અમે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ,
ત્યારે ઓછી પૂંજીથી ગમે તેવા આઘાત
સહી શકતા નથી.

પરંતુ જ્યારે પ્રેમનો ઉદય થાય છે
ત્યારે, જે દુઃખમાં,
જે અશાંતિમાં તે પ્રેમની કસોટી થાય,
તે દુઃખને,
તે અશાંતિને માથે ચડાવી શકીએ છીએ.

હે બંધુ, ઉપાસના-સમયે હવે હું શાંતિ નહિ માગું,
હું કેવળ પ્રેમ માગીશ.

પ્રેમ શાંતિરૂપે આવશે,
અશાંતિરૂપે પણ આવશે,
તે ગમે તે વેશે આવે,
તેના મુખ તરફ જોઈને હું કહી શકું કે
તને હું ઓળખું છું,, બંધુ તને ઓળખું છું -
એવી શક્તિ મને મળો.

રવીન્દ્રનાથ ઠાકુર

Saturday, October 1, 2011

मैं क्रांतिकारी हूं, अहिंसक क्रांतिकारी...


महात्मा गांधी 1931 में जब युरोप के दौरे पर थे, तो वामपंथी पत्रकार चार्ल्स पेट्राश ने उनका इंटरव्यू लिया था। बाद में यह इंटरव्यू फ्रेंच अखबार ला-मांद में छपा। इस इंटरव्यू की खासियत यह थी कि इसमें पेट्राश ने गांधीजी से वर्ग संघर्ष और भारत के अमीर वर्ग के बारे में तमाम सवाल पूछे और इन सब चीजों के बारे में महात्मा गांधी क्या सोचते थे, यह बात सामने आई। प्रस्तुत हैं इंटरव्यू के कुछ अंश:

आपको क्या लगता है कि भारत के राजाओं, जमींदारों, उद्योगपतियों और बैंकरों ने अपनी संपत्ति को कैसे हासिल किया है?
फिलहाल तो जनता का शोषण करके ही।

क्या मजदूरों और किसानों के शोषण के बिना भी वे अमीर बन सकते हैं?
हां, वे एक हद तक बन सकते हैं।

क्या उन्हें उस मजदूर से बेहतर सामाजिक जिंदगी जीने का अधिकार है, जो उनके लिए मेहनत करता है?
कोई अधिकार नहीं है। मेरा सामाजिक सिद्धांत यह कहता है कि हम सब बराबर पैदा हुए हैं, इसलिए हमें बराबर अवसर का अधिकार है, इसके बावजूद हम सबकी क्षमताएं बराबर नहीं हैं। हमारी कुदरत ही ऐसी है कि हम सब एक हैसियत के नहीं हो सकते। ऐसा नहीं हो सकता कि हम सबकी चमड़ी का रंग एक हो, हममें एक ही स्तर की बुद्धि हो, इसका नतीजा ही है कि हममें से कुछ लोग ज्यादा भौतिक सुविधाएं बटोरने की क्षमता रखते हैं। जिनमें यह क्षमता है, वे इसी काम में जुट जाते हैं। वे अपनी इन क्षमताओं का अच्छा इस्तेमाल करें, तो यह फायदा लोगों तक पहुंचा सकते हैं। तब वे जनता के ट्रस्टी होंगे और कुछ नहीं।

हमें ज्यादा बुद्धि वाले व्यक्ति को ज्यादा हासिल करने देना चाहिए, उसे अपनी क्षमताओं के इस्तेमाल से रोकना नहीं चाहिए। लेकिन उनकी कमाई में जो सरप्लस है, वह जनता के पास जाना चाहिए। जैसे बच्चों की कमाई का सरप्लस परिवार के पास चला जाता है। वे सिर्फ इस पैसे के ट्रस्टी हैं, और कुछ नहीं। इस चीज को लेकर मैं काफी निराश हूं, लेकिन इस आदर्श में मेरा पूरा विश्वास है। मौलिक अधिकारों की घोषणा में इसे समझा जाना चाहिए।

क्या आप बुद्धि का इस्तेमाल करने वालों के लिए ज्यादा धन की मांग करेंगे?
आदर्श स्थिति में तो किसी को भी अपनी बुद्धि के इस्तेमाल के लिए ज्यादा धन की मांग नहीं करनी चाहिए। जिसे यह बुद्धि मिली है, वह इसका इस्तेमाल सामाजिक मकसद के लिए करे।

क्या आपको लगता है कि भारतीय किसानों और मजदूरों को अपनी आर्थिक आजादी के लिए वर्ग संघर्ष करना चाहिए?मैं खुद उनके लिए क्रांति कर रहा हूं, बिना किसी हिंसा के।

अगर वे राजाओं, जमींदारों, पूंजीपतियों और ब्रिटिश सरकार के खिलाफ क्रांति करते हैं, तो आपका नजरिया क्या होगा?
मेरा नजरिया यह होगा कि अच्छी हैसियत वाले वर्गो के पास जो संपत्ति है, उन्हें उसका ट्रस्टी बनाया जाए। इसका अर्थ हुआ कि वे अपना धन अपने पास रख सकते हैं, लेकिन वे इसका इस्तेमाल लोगों के कल्याण के लिए करेंगे। और इसके लिए उन्हें कमीशन मिलेगा।


यह ट्रस्टीशिप कैसे लागू होगी? उन्हें राजी करके?
सिर्फ मौखिक रूप से उन्हें राजी करके ही नहीं। मुझे अपने समय के सबसे बड़ा क्रांतिकारी कहा जाता है। शायद यह सही नहीं है, पर मैं मानता हूं कि मैं क्रांतिकारी हूं, एक अहिंसक क्रांतिकारी। मेरा हथियार असहयोग है।

क्या आप आम हड़ताल का समर्थन करते हैं?आम हड़ताल भी एक तरह का असहयोग है। जरूरी नहीं कि यह हिंसक हो। ऐसा आंदोलन शांतिपूर्ण है और हर तरह से जायज है, तो मैं उसका नेतृत्व करने को तैयार हूं। इसे हतोत्साहित करने की बजाय प्रोत्साहित किया जाना चाहिए।

आपकी ट्रस्टीशिप की बात समझ में नहीं आई, खासतौर पर कमीशन की?
उन्हें कमीशन लेने का अधिकार है, क्योंकि धन उनके अधिकार में है। उन पर कोई ट्रस्टी बनने के लिए दबाव नहीं डालता, मैं उन्हें ट्रस्टी की तरह काम करने के लिए आमंत्रित करूंगा। मैं संपत्ति के सभी स्वामियों से कहता हूं कि वे ट्रस्टी बनें। उन्हें यह काम संपत्ति के स्वामी के रूप में नहीं, बल्कि उन लोगों के प्रतिनिधि के रूप में करना होगा, जिनका उन्होंने शोषण किया है। मैं उनके कमीशन के लिए कोई आंकड़ा नहीं तय कर रहा हूं, बल्कि कह रहा हूं कि वे उतने की ही मांग करें, जितने के वे खुद को हकदार समझते हैं। मसलन, अगर किसी के पास सौ रुपये हैं, तो मैं उसे कहूंगा कि वह 50 अपने पास रखे और बाकी 50 मजदूरों पर खर्च करे। लेकिन अगर किसी के पास लाखों रुपये हैं, तो मैं उससे कहूंगा कि वह एक प्रतिशत अपने पास रख ले। इस तरह से आप देखेंगे कि मैंने कमीशन के लिए कुछ तय नहीं किया है, क्योंकि यह तो बहुत बड़ा अन्याय होगा।

जनता महाराजाओं और जमींदारों को अपना दुश्मन मानती है। अगर यह जनता सत्ता में आकर इन्हें खत्म कर दे, तो आप क्या कहेंगे?
फिलहाल तो लोग महाराजाओं और जमींदारों को अपना दुश्मन नहीं मानते। लेकिन यह जरूरी है कि जो गलत हो रहा है, उसके प्रति उन्हें जागरूक किया जाए। मैं लोगों को यह नहीं सिखाता कि वे पूंजीपतियों को अपना दुश्मन मानें, मैं उन्हें यह बताता हूं कि ये लोग खुद ही अपना नुकसान कर रहे हैं। मेरे लोग जनता को यह नहीं बताते कि अंग्रेज या जनरल डायर बुरे हैं, बल्कि यह बताते हैं कि वे सभी एक व्यवस्था के शिकार हैं, इसलिए उस व्यवस्था को खत्म करना जरूरी है, व्यक्ति को नहीं।

(सौजन्यः हिंदुस्तान दैनिक)

अग्निपथ, अग्निपथ, अग्निपथ....


वृक्ष हों भले खडे,
हों घने, हों बडे,
एक पत्र छांह भी
मांग मत, मांग मत, मांग मत,
अग्निपथ, अग्निपथ, अग्निपथ.

तू न थकेगा कभी,
तू न थमेगा कभी,
तू न मुडेगा कभी,
कर शपथ, कर शपथ, कर शपथ,
अग्निपथ, अग्निपथ, अग्निपथ.

यह महान द्रश्य है,
चल रहा मनुष्य है,
अश्रु स्वेत, रक्त से,
लथपथ, लथपथ, लथपथ,
अग्निपथ, अग्निपथ, अग्निपथ.

हरिवंशराय बच्चन

अपनी क्षमता भर प्रयास करूंगा, प्रभुवर!


मेरा कार्य संभालेगा अब कौन,
लगे पूछने सांध्यरवि.

सुनकर सब जग रहा निरुत्तर मौन,
ज्यों कोई निश्चल छवि.

माटी का था दीप एक,
बोला यों झुककर -

'अपनी क्षमता भर प्रयास करूंगा, प्रभुवर!'

- रवींद्रनाथ ठाकुर

Thursday, September 29, 2011

संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा...


हे नाथ, निवेदन यही एक है मेरा,
दुख-सुख को सहने का तुम मुझको बल दो,
दो मुझे शक्ति इतनी कि सफल हो सेवा,
मैं किसी अकिंचन को न कभी सताऊं,
बलशाली के आगे न कभी डर जाऊं,
संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा,
मैं तेरे ही चरणो में शीश नवाऊं,
बस रहे सदा ही मुझे भरोसा तेरा.

रवींद्रनाथ ठाकुर

Saturday, August 6, 2011

દુનિયા ધીમે ધીમે 'અનુઅમેરિકા યુગ'માં પ્રવેશી રહી છે...


ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (એસ એન્ડ પી)એ પહેલી વખત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનું રેટિંગ 'AAA'થી ઘટાડીને 'AA+' કર્યું છે. છેલ્લાં 70 વર્ષથી અમેરિકા 'AAA' રેટિંગ ધરાવતું હતું. ઓબામા અને અમેરિકાના નેતાઓ માટે આ મોટો આંચકો છે. અમેરિકાએ પોતાની ઋણ કટોકટી સામે લડવા ઋણ મર્યાદા વધારી દીધી છે. બીજી તરફ યુરોપીયન દેશો સૉવરિન ઋણ કટોકટી સામે ઝઝૂમી રહ્યાં છે. તેના પરિણામે વૈશ્વિક શેરબજારોમાં કડાકો બોલ્યો છે, સોનાના ભાવમાં વિક્રમી ઊંચાઈને સ્પર્શી ગયા છે અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજના શું હાલ છે? અમેરિકાની જાણીતી નાણાકીય સંસ્થા લીમન બ્રધર્સે દેવાળું ફૂંક્યું ત્યારે ડાઉ જોન્સમાં કડાકો બોલ્યો હતા તેના કરતાં પણ નીચા સ્તરે અત્યારે પહોંચી ગયો છે. અમેરિકા અને યુરોપીયન યુનિયન આર્થિક કટોકટીમાંથી ઉગરી જશે તેને લઈને અમેરિકાના રાષ્ટપ્રમુખ ઓબામાથી લઈને કચ્છમાં વસતા કાનજીકાકાને પણ વિશ્વાસ નથી.

હકીકતમાં અમેરિકા ફરી મંદી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં મકાનના ભાવ નવ વર્ષ અગાઉના સ્તર કરતાં પણ નીચે ઉતરી ગયા છે. પણ બહુબોલકા સાબિત થયેલા ઓબામા અમેરિકાને આર્થિક મંદીમાંથી ઉગારવામાં હવે કશું કરી શકે તેમ નથી. તેનું જાહેર ઋણ અત્યંત વધી ગયું છે. વર્ષ 2003માં અમેરિકાનું જાહેર ઋણ 64 ખરબ ડોલર કે તે વર્ષની જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન)ના 60 ટકા હતું. વર્ષ 2008માં તે વધીને 100 ખરબ ડોલર થઈ ગયું હતું જ્યારે અત્યારે આ ઋણ 142 ખબર ડોલર અથવા તો જીડીપીના 98 ટકા બરોબર થઈ ગયું છે.

વર્ષ 2003 અને વર્ષ 2011 વચ્ચે બે ઘટના બની છે. તેમાં એક હતું ઇરાકનું યુદ્ધ. આ યુદ્ધ ઇરાકને 30 ખરબ ડોલરમાં પડ્યું છે. તે પછી વર્ષ 2008માં લીમન બ્રધર્સે નાદારી નોંધાવતા સર્જાયેલી આંતરરાષ્ટ્રીય ધિરાણ કટોકટી સર્જાઈ અને મહામંદી આવી. તેને ટાળવા ઓબામા આણી મંડળી ત્રણ વર્ષથી પ્રયાસ કરી રહી છે. તેની પાછળ લગભગ 40 ખરબ ડોલરનું જાહેર ઋણ વધી ગયું છે. ડેટ-ટૂ-જીડીપી એટલે કે જીડીપી અને ઋણના રેશિયો સંબંધે જોઈએ તો અમેરિકા દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા સ્થાને છે. તેના કરતાં વધારે ખરાબ સ્થિતિ જાપાન અને ઇટાલીની છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ આગામી 10 વર્ષ દરમિયાન ખર્ચમાં 24 ખરબ ડોલરનો કાપ મૂકવાની તૈયારી બતાવી છે, પણ તેનાથી તો સ્થિતિ વધુ બગડશે. તેમણે કરવેરા દ્વારા આવક વધારવાની અને સામાજિક સુરક્ષા સંબંધિત ખર્ચાઓમાં કાપ મૂકવાની યોજના બનાવી છે. અમેરિકાનો ધનિક વર્ગ કરવેરાનો વધુ ભાર સહન કરવા માંગતો નથી તો જનતા સ્વાસ્થ્ય સુવિધાઓ જેવી સામાજિક સુરક્ષા પર થતા ખર્ચમાં સરકાર કાપ ન મૂકે તેવું ઇચ્છે છે. આ બાબતો અમેરિકામાં અમેરિકાના સમુદાય, રાજકારણ અને અર્થવ્યવસ્થાની આંતરિક નબળાઈને ઉજાગર કરે છે. હકીકતમાં દુનિયામાં અમેરિકાના એકચક્રી શાસનનો અંત બહુ નજીક છે. શીત યુદ્ધ પછી વિશ્વમાં અમેરિકાનો યુગ શરૂ થયો હતો, જે પૂર્ણ થવાની નજીક છે. આપણે ધીમે ધીમે 'અનુઅમેરિકા યુગ'માં પ્રવેશી રહ્યાં છીએ. અમેરિકાને ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. આ ત્રણમાંથી એક પણ દેશમાં તે રાજકીય સ્થિરતા સ્થાપિત કરી શક્યું નથી. ઉપરાંત વૈશ્વિક અસંતુલનની સમસ્યાનો કોઈ સાર્થક ઉકેલ શોધી શક્યું નથી.

Thursday, August 4, 2011

વસ્તાનવી પ્રકરણઃ મુસ્લિમ સમાજે સુધારણાની એક વધુ તક ગુમાવી....


દારુલ ઉલૂમ દેવબંદના કુલપતિ પદ પરથી ગુલામ મોહમ્મદ વસ્તાનવીને પદભ્રષ્ટ કરવામાં આવ્યાં છે. તે શું સૂચવે છે? વસ્તાનવીને કુલપતિ બનાવવામાં આવ્યાં ત્યારે મુસ્લિમ સમાજ ઉદારવાદી વિચારધારા અપનાવવા અગ્રેસર છે તેવો સંકેત મળ્યો હતો. પણ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા દારુલ ઉલૂમ દેવબંદના સત્તાધિશોએ તેમને 'કથિત લોકશાહી'ના માર્ગે પદભ્રષ્ટ કરી દીધા છે.

દારુલ ઉલૂમ દેવબંદ પર દાયકાઓથી જમાયત-એ-ઉલમા-એ-હિંદનો કબજો છે. જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતના પછાત જાતિના વસ્તાવનીએ અશરફો અને શક્તિશાળી મદની પરિવારને પરાજય આપ્યો હતો. તેમણે ધર્મના નામે સામાન્ય મુસ્લિમોનું શોષણ ન કરવાની, કટ્ટરતા છોડી ઉદારવાદી વિચારધારા અપનાવવાની અને મદરસાની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવાની વાત કરી હતી. તેમણે એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, કમ્પ્યુટર અને અંગ્રેજીને મદરસાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો જેથી ધાર્મિક શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ રોજીરોટી મેળવીને પગભર થઈ શકે. પરંતુ કટ્ટરપંથીઓને તેમનું આ વલણ ખૂંચતું હતું. ખરેખર તો તેમની નિમણૂંક થઈ ત્યારથી શક્તિશાળી મદની પરિવારે વસ્તાનવી પર 'આરએસએસના ટટ્ટુ', 'હિંદુ એજન્ટ' જેવા લેબલ લગાવવાનું શરૂ કરી દીધું હતું. દારુલ ઉલૂમ દેવબંદમાં ઉત્તરપ્રદેશ અને ગુજરાતના મુસ્લિમોનો દબદબો રહ્યો છે અને એક ગુજરાતી મુસ્લિમ દેવબંદમાં સત્તાસ્થાને બેસે તે તેમને પસંદ નહોતું.

વસ્તાનવી પ્રકરણ ભારતીય મુસ્લિમ સમાજ માટે મહત્વપૂર્ણ ઘટના છે ત્યારે પ્રશ્ન થાય છે કે મુસ્લિમ સમાજનો બુદ્ધિજીવી વર્ગ અને ધર્મનિરપેક્ષો ચૂપ કેમ છે? વસ્તાનવીની અકલૌવા મદરસા સરકારી સહાય વિના ચાલે છે. તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અંદાજે 70 મદરસા ચલાવી રહ્યાં છે, જેમાં બે લાખ જેટલા વિદ્યાર્થીઓ કુરાનની સાથે-સાથે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનનું શિક્ષણ મેળવે છે. કટ્ટરપંથીઓનું માનીએ તો વસ્તાનવીએ બે માફ ન કરી શકાય તેવા અપરાધ કર્યા છે. મહારાષ્ટ્રના એક સમારંભમાં વસ્તાનવીએ ગણેશજીની મૂર્તિઓ ભેટ આપીને સ્પર્ધકોનું સમ્માન કર્યું હતું એટલે મુલ્લા-મૌલવીઓ માટે તેઓ કાફિર થઈ ગયા. ભારતમાં ધર્મનિરપેક્ષતા મુસ્લિમ કટ્ટરપંથીઓના તુષ્ટિકરણ માટેનો પર્યાય બની ગઈ છે. પણ પંથનિરપેક્ષ દેશમાં બીજા ધર્મના અનુયાયીઓની આસ્થાનું સમ્માન કરવો અપરાધ છે?

તેમના પર વી વસ્તાનવીનો બીજો મોટો અપરાધ હતો. હકીકતમાં તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલો વસ્તાનવીની મુલાકાત વાંચવામાં આવે તો તેમાં તમને ક્યાંય મોદીની પ્રશંસા જેવું લાગશે નહીં. હકીકતમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના મુસ્લિમ સમાજે કોમી તોફાનો ભૂલીને આગળ વધવું જોઈએ અને આ વાત જ મુલ્લા-મૌલવીઓને ખૂંચી હતી. તેઓ ગુજરાતના મુસ્લિમો કોમી તોફાનો ભૂલી જાય તેવું ઇચ્છતાં જ નથી. તેઓ અહીં હિંદુ-મુસ્લિમ વચ્ચે કોમી આગ સળગતી રહે તેવું ઇચ્છે છે.

શાહબાનો પ્રકરણ પછી વસ્તાનવીનો મુદ્દે મુસ્લિમ સમાજ માટે ઉદારવાદી સુધારણા અપનાવવાની તક ઊભી થઈ હતી. તે સમયે કોર્ટે મુસ્લિમ ત્યક્તાને પતિ પાસેથી આજીવિકાની રકમ મેળવવાનો અધિકાર આપ્યો હતો. પરંતુ આરિફ મોહમ્મદ ખાન જેવા ઉદારવાદી મુસ્લિમોના અવાજને દબાવીને બંધારણમાં સુધારો કરીને મુસ્લિમ સમાજ માટે સુધારણાના દ્રાર બંધ કરી દેવાયા હતા. વસ્તાનવીને પદભ્રષ્ટ કરવાની સાથે ભારતીય મુસ્લિમ સમાજમાં પરિવર્તન અને સુધારણાની વધુ એક તક પર પાણી ફરી વળ્યું છે.

Friday, June 3, 2011

વીરભોગ્યા વસુંધરા


મિત્ર! પ્રથમ માણસ બનો. પછી તમે જોશો કે એ બધા અને બીજું સર્વ કાંઈ તમારી પાછળ પાછળ આવશે. એ ધિક્કારપાત્ર દ્વૈષ, એ કૂતરાં જેવો એકબીજા પ્રત્યેનો ઘુરઘુરાટ અને ભસવું મૂકી દઈને સારી ભાવના, સાચાં સાધનો, નૈતિક હિંમત વગેરે શીખો અને બહાદુર બનો. જો માણસનો અવતાર પામ્યા છો તો પાછળ કંઈક સુવાસ મૂકતા જાઓ.

‘તુલસા આયા જગતમેં જગત હસ્યો તુમ રોય;

વૈસી કરની કર ચલો, તુમ હસો જગ રોય.’

એવું જો તમે કરી શકો તો ખરા માણસ; નહીંતર જનમ ધરીને વળ્યું શું?

‘દુનિયાને જે કહેવું હોય તે કહે. હું તો ધર્મને માર્ગે ચાલીશ.’ વીરપુરુષોનો સાચો રસ્તો આવો છે. નહિતર માણસને જો આ માણસ શું કહે છે અને પેલો માણસ શું લખે છે તે જ રાતદિવસ ધ્યાનમાં લેવાનું હોય તો આ દુનિયામાં કોઈ મહાન કાર્ય સિદ્ધ થતું નથી. તમે આ સંસ્કૃત શ્લોક જાણો છો?

‘નીતિનિપુણ માણસો ભલે નિંદા કરે કે સ્તુતિ કરે; લક્ષ્મી આવે કે ભલે ઠીક પડે ત્યાં જાય; મરણ આવે થાય કે પછી યુગો થાય, પણ ન્યાયના પંથથી વીરપુરુષો કદી ચલાયમાન થતા નથી.’ લોકો તમારી સ્તુતિ કરે કે નિંદા કરે, ભાગ્ય તમારા પર રૂઠે કે રીઝે, તમારું શરીર આજે પડે કે યુગો પછી પડે, પણ સત્યના માર્ગેથી તમે ચલાયમાન ન થતા. શાંતિને કિનારે પહોંચતાં પહેલાં માણસને કેટલાં તોફાનો અને વિરાટ મોજાંઓનો સામનો કરવો પડે છે! જેમ મનુષ્ય વધારે મહાન તેમ તેમ તેને વધારે ને વધારે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હોય છે. વ્યાવહારિક જીવનની કસોટી દ્વારા તેમનું જીવન સાચા તરીકે સાબિત થયું હોય છે; પછી જ દુનિયાએ તેમને મહાન તરીકે સ્વીકાર્યા હોય છે.

જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોજાંઓથી ડરીને ડૂબી જાય છે. જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા. ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે!’ આ છે પુરુષાર્થ, મર્દાનગીભર્યો પ્રયાસ. આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં, ગમે તેટલી દૈવી સહાય પણ કામ નહીં આવે.

જે લોકો જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી. વીરભોગ્યા વસુંધરા! એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે, તે અચૂક સત્ય છે. વીર બનો. હંમેશા બોલોઃ ‘મને કોઈ ડર નથી,’ દરેકને કહોઃ ‘નિર્ભય બનો.’

તુલસીપત્રઃ ભય નરક છે, ભય અધમ છે, ભય મિથ્યા જીવન છે.

મમતા દીદીઃ તઘલખનો આત્મા હજુ ભટકે છે...


પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી મમતા દીદી તેમના તુંડમિજાજ અને પહેલા બોલો, પછી તોલોની કાર્યશૈલીમાં માને છે તેનાથી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વાકેફ છે. પણ હવે તેમણે રાઇટર્સ બિલ્ડિંગમાં પ્રવેશ કરીને જે નિર્ણયો જાહેર કર્યાં છે તે જાણીને ડાબેરીઓ હસી રહ્યાં છે અને ઉચ્ચ સરકારી અધિકારીઓ મોહમ્મત તઘલખનો આત્મા હજુ ભટકી રહ્યો છે તેવી ગુસપુસ કરી રહ્યાં છે.

વાત એમ છે કે, બંગાળમાં અત્યાર સુધી બે સરકારી ભાષા હતી-અંગ્રેજી અને બંગાળી. વ્યાવહારિક રીતે સરકારી કામકાજની ભાષા અંગ્રેજી જ છે. પણ દીદીએ હવે અન્ય પાંચ ભાષાઓને સરકારી ભાષાનો દરજ્જો આપ્યો છે. આ રીતે બંગાળમાં કુલ સાત સરકારી ભાષા થઈ ગઈ છે. મોમતાજીએ ઉર્દૂ, પંજાબી, નેપાળી, ઓલ-ચીકી, ઉડિયા અને હિન્દીને સામેલ કરી છે. તેમના આ તઘલખી નિર્ણયથી સરકારી કામકાજમાં અવ્યવસ્થા વધશે, કારણ કે સરકારી કર્મચારીઓને નેપાળી, પંજાબી કે ઓલ-ચીકી ભાષા ફરજિયાત શીખવી પડશે.

પશ્ચિમ બંગાળની કુલ વસતી અંદાજે નવ કરોડ છે. તેમાં 2.30 કરોડ મુસ્લિમો છે, જેમાંથી પાંચ ટકા પણ રોજિંદા કામકાજ માટે ઉર્દૂનો ઉપયોગ કરતાં નથી. તે જ રીતે ઓલ-ચીકી સંથાલ આદિવાસીઓની ભાષા છે, જેને વર્ષ 1925માં પંડિત રઘુરામ મુર્મૂએ તૈયાર કરી હતી અને અત્યારે બંગાળની એક પણ શાળામાં તેને શીખવવામાં આવતી નથી. અહીં સંથાલ આદિવાસીઓની કુલ વસતી અંદાજે 22.8 લાખ છે. ઉપરાંત રાજ્યમાં નેપાળીઓની વસતી આઠ લાખ, પંજાબીઓની ચાર લાખ અને ઉડિયા ભાષીઓની ફક્ત એક લાખ છે. તો પછી મમતા દીદીએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો?

બહુ વિચારવાની જરૂર નથી. દેશના રાજકીય પક્ષો અને નેતાઓમાં લઘુમતી સમાજનું તુષ્ટિકરણ કરવાની ફેશન છે અને મમતા દીદી પણ તેમાંથી બાકાત નથી. તેઓ બંગાળના નાનામાં નાના લઘુમતી સમાજને તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડીને તેમને મતબેન્ક બનાવવા માંગે છે. બંગાળમાં મુસ્લિમ સમાજ સૌથી મોટો લઘુમતી સમુદાય છે અને સ્વાભાવિક રીતે મમતા દીદીએ તેમને ખુશ કરવા સૌથી વધુ જાહેરાત કરી છે. હવે આ જાહેરાત પર એક નજર નાંખીએઃ

- અમર બંગાળી કવિ નજરુલ ઇસ્સામના જીવન અને તેમની રચના પર વ્યાપક સંશોધન કરવા નજરુલ ઇસ્લામ એકેડમી સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકારે આ એકેડમી માટે જગ્યા અને નાણાં પૂરાં પાડશે.

- કોલકાતા સ્થિત આલિયાહ યુનિવર્સિટીનું નામ બદલીને આલિયાહ મદરસા યુનિવર્સિટી કરવામાં આવશે અને આ માટે વિધાનસભામાં ખરડો રજૂ કરવામાં આવશે.

- રાજ્યના તમામ કબ્રસ્તાનો ફરતે ચાર દિવાલ બનાવીને તેને સંરક્ષણ પૂરું પાડશે.

તેમની આ પ્રકારની જાહેરાતોથી સૌથી વધુ લાલચોળ ડાબેરીઓ છે. અત્યાર સુધી પશ્ચિમ બંગાળના મુસ્લિમો ડાબેરીઓની મતબેન્ક ગણાતાં હતાં. મમતા કોઈ પણ હિસાબે ડાબેરીઓને ફરી બેઠાં થવા દેવા માંગતા નથી. ડાબેરીઓનો પરાજય થયો છે, પણ બંગાળમાં તેમનો પાયો મજબૂત છે તેનાથી દીદી વાકેફ છે. આ કારણે જ તેમણે ડાબેરીઓના ગઢના પાયા પર પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. પણ તેમાં નુકસાન તો છેવટે દેશને જ છે….