Tuesday, June 22, 2010

જાગો વીર! કાપો, કાપો આ ભ્રમજાળ....



જાગો વીર!
સદાય શિર પર
ચક્રાવા લ્યે કાળ.

છોડો નિજનાં સ્વપ્નાં,
ભય શો?
કાપો, કાપો આ ભ્રમજાળ.

બધી શક્તિ અને
સામર્થ્યનું મૂળ
જગદંબાનું હું સંતાન છું.

મારે મન
શિર ઝુકાવતી,
ખુશામત કરતી,
કકળાટ કરતી,
અધમ નિષ્ક્રિયતા અને નર્ક
બંને સમાન.

બસ એક જ પ્રાર્થના મારી કે
મારે કાયરને મોત મરવું ન પડે.
જે કાયર છે તે મૃત્યુ પછી
જન્મે એક જંતુરૂપે કાં
બને અળશિયું.

લાખો વર્ષની તપસ્યાને અંતે
કાયરને માટે
ન કોઈ ઉદ્ધાર.

સત્ય મારો પરમેશ્વર ને
વિશ્વ મારો દેશ.

It's happen only in India.......


તમે સીધા માર્ગે જતાં હોવ અને તમારી સાથે સામે ચાલીને કોઈ અકસ્માત કરે તો તમને થનારા નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી કોની છે? કોમનસેન્સ ધરાવતી કોઈ પણ વ્યક્તિને પૂછો છો તે કહેશે કે ભલા માણસ, સામેવાળા પક્ષે જ વળતર ચૂકવવાનું હોય ને. પણ 'બોલવામાં બળૂકા' અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને આવું સીધું અને સરળ સત્ય કહેતાં મનમોહન સિંઘની સરકાર ગભરાય છે. 'મેરા ભારત મહાન'ની સરકાર ખોંખરો ખાઈને અમેરિકન સરકારને ભોપાલકાંડ માટે જવાબદાર બેશરમ વોરેન એન્ડરસનનું પ્રત્યાર્પણ કરવાનું કહી શકતી નથી અને ભારતીયોના ખિસ્સાં ખેંખરી લેતાં અગાઉ તેમને પૂછવાની જરૂર પણ અનુભવતી નથી.

ભોપાલ દુર્ઘટનાનો અભ્યાસ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરના નેતૃત્વ રચાયેલા પ્રધાનોના જૂથ (જીઓએમ)એ પીડિતોને રૂ. 1,500 કરોડનું પેકેજ આપવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકાર તાત્કાલિક ધોરણે આ પેકેજ ફાળવશે અને તેની ચૂકવણી મારા, તમારા અને દેશવાસીઓના ખિસ્સામાંથી થશે. ખાતર પર દિવેલ! જે દુર્ઘટના માટે અમેરિકાની એક કંપની અને તેની બેદરકારી જવાબદાર છે, તેનું વળતર ભારતીય નાગરિકોએ ચૂકવવાનું? ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા.....અમેરિકામાં ભારતીય કંપનીએ આવી બેદરકારી દાખવી હોત તો ત્યાંની સરકાર ભારતીય ઉદ્યોગપતિને આવી રીતે ઉડન છૂ થવા દે?

ચિદમ્બરમના આ જૂથે એક મોટી કામગીરી પણ કરી છે. એન્ડરસન જે હાલતમાં દેશમાંથી ભાગી ગયો તે માટેની જવાબદારીમાંથી તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને ક્લીનચિટ આપવાની! કોંગ્રેસીજનોની સૌથી મોટી કામગીરી મેડમ સોનિયા અને બાબા રાહુલને રાજી કરવાની છે. આખો દેશ જાણતો હતો કે રાજીવ ગાંધીને ક્લીનચિટ મળશે જ. મને તેની કોઈ નવાઈ લાગી નથી. કોંગ્રેસ અને કોંગ્રેસીજનો માટે ગાંધીનેહરુ પરિવારનો સભ્યો દેવીદેવતા સમાન છે. આપણે બધા જાણીએ છીએ કે ભોપાલ જેવી વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના થાય અને તેના આરોપી દેશમાંથી સરળતાપૂર્વક છટકી જાય તે માટે વડાપ્રધાન જવાબદાર નથી?તે સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુનસિંહ જ જવાબદાર છે? શું કોઈ રાજ્યનો મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનની મંજૂરી વિના આટલી મોટી હોનારતના આરોપીને શહેર કે રાજ્યની બહાર નીકળવા દેવાની હિમ્મત કરી શકે?

ઊભો થા અને યુદ્ધ કર.....


ઊભો થા અને યુદ્ધ કર,
એક ડગલું પણ પીછેહટ ન કર,
છેલ્લે સુધી લડત ચાલુ રાખ,
પરિણામ ભલે ગમે તે આવે,
તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે!
સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય!
મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમા શું?
નામર્દ થવાથી તને કાંઈ મળશે નહીં,
પીછેહટ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે....
પુરુષાર્થ કરો,
પ્રકાશ માટે પુરુષાર્થ કરો!
આગળ ધપો!

Monday, June 21, 2010

તમારી લાઇન મોટી કરવા બીજાની લાઇન કાપવી જરૂરી નથી...


તમારે તમારી લાઇન મોટી કરવા શું કરવું જોઈએ? સીધો અને સરળ પ્રશ્ન છે, પણ તેનો જવાબ મનુષ્યની વૈચારિક માનસિકતા અને તેનું સ્તર જગજાહેર કરી દે છે. સિદ્ધાંતવાદી, મહેનતુ અને પોતાને જ બળે યોગ્ય માર્ગે સફળતા મેળવવા માગતી વ્યક્તિ આ પ્રશ્નનો શું જવાબ આપશે? તે કહેશે કે, 'આપણે આપણી લાઇન મોટી કરવા પ્રયાસ કરવો જોઈએ....'

આપણે આપણી લાઇન મોટી કરવી એટલે સફળતા મેળવવા મહેનત કરવી, જરૂર પડે ત્યાં સુધારા કરવા અને અનુભવને આધારે કુશળતા મેળવવી. આ સીધોસાદો અર્થ આપણે જાણીએ છીએ. પણ તેમાં રહેલો અધ્યાહાર વધારે મહત્વપૂર્ણ છે. આપણે આપણી લાઇન વધારવી, પણ બીજાની લાઇન કાપવાનો પ્રયાસ ન કરવો. મિત્રો, બીજાની લાઇન કાપવાથી તમારી લાઇનમાં એક ઇંચનો પણ ફરક પડવાનો નથી. તમારી સ્થિતિ તો યથાવત્ જ રહેશે. હા, થોડો સમય બીજાની લાઇન કાપીને તમારી લાઇન મોટી હોવાનો ભ્રમ જરૂર પેદા કરી શકશો.

હવે આ જ પ્રશ્ન કોઈ અતિ મહત્વાકાંક્ષી, તકવાદી, પાક્કાં ગણતરીબાજ અને મંડળીબાજ માણસને પૂછશો તો તે વાતો તો સૂફિયાણી જ કરશે અને મહેનત વધારવાનું કહેશે. પણ તેના વર્તનનો અભ્યાસ કરશો તો જણાશે કે, તે પોતાની લાઇન વધારવા જેટલો પ્રયાસ કરે છે તેના કરતાં વધુ પ્રયાસ તેના હરિફોની લાઇન કાપવાનો કરે છે. સામાન્ય રીતે આ પ્રકારનું વલણ વધારે જોવા મળે છે. ટૂંકા ગાળામાં પ્રસિદ્ધિ મેળવવાનો અને વાહવાહી લૂંટવાનો આ ખરેખર ઉત્તમ માર્ગ છે. એક તરફ તમારી લાઇન થોડી થોડી વધતી જાય છે અને બીજી તરફ તમારા કરતાં મજબૂત હરિફની લાઇન ઝડપથી કાપતાં જાવ છો. બંને દિશામાં ફાયદો, પણ ટૂંકા ગાળાનો ફાયદો. તેમાં કોઈ શંકા નથી.

મને એમ હતું કે આ પ્રકારની કુટિલ, દ્વૈષીલી અને દાઝિલી માનસિકતા ધરાવતી વ્યક્તિ સામાન્ય રીતે રાજકારણમાં જોવા મળે છે. પણ હવે ખબર પડી કે આવી વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિઓ લગભગ બધા ક્ષેત્રમાં જોવા મળે છે. આવી વ્યક્તિના એક સર્વસામાન્ય પેંતરાથી વાકેફ કરાવું. તે હંમેશા હરિફોની ચાલ પર નજરો રાખે છે. હરિફ વ્યક્તિ કોઈ સારી કામગીરી કરે ત્યારે બુહ પ્રેમથી ચૂપકીદી સેવી લે છે, પણ ભૂલ કરે એટલે હજારે હાથે તેના પર કોરડા વીંઝવાનું શરૂ કરી દે છે. હરિફ વ્યક્તિની સારી બાબત સામે આંખ આડા કાન કરે છે અને તેની નબળાઈને જાહેર કરવાની એક પણ તક છોડતી નથી. ઉદાહરણ આપવાની જરૂર નથી. તેજીને ટકોરો જ કાફી હોય. તે હંમેશા પોતાના કરતાં નબળાં માણસોને પોતાની સાથે રાખે છે અને તેને પ્રોત્સાહન આપે છે. અહીં પણ તેને ફાયદો થાય છે? તેના કરતાં નબળા માણસો તેની વાહવાહ કરે છે અને આ જ નબળા માણસોથી આગળ જતાં તેને કોઈ ખતરો ઊભો થતો નથી. પણ આ માણસ તેના કરતાં વધારે મજબૂત અને સક્ષમ વ્યક્તિ સાથે કેવી રીતે વર્તે છે?

જુઓ, આવી વ્યક્તિ તેના કરતાં વધારે મજબૂત વ્યક્તિ પર તક મળતાં પ્રહાર કરે છે. તેની અવગણના કરીને પોતાને વધારે મજબૂત દેખાડવાનો પ્રયાસ કરે છે. તેનાથી તેને બે ફાયદા થાય છે. પહેલો ફાયદો, સમાજમાં વર્ચસ્વ ધરાવતી વ્યક્તિ સામે બાથ ભીડવા બદલ ઘેટાં-બકરાં તેની વાહવાહ કરે છે અને બીજો ફાયદો, હરિફની લાઇનની સરખામણીમાં તેની લાઇન થોડી મોટી દેખાય છે. ખાસ કરીને તેનો મજબૂત હરિફ નબળો પડે છે ત્યારે તો તેની આબરૂના કાંકરા નહીં, પાળિયા કરવા તે રીતસર તૂટી પડે છે અને તેનું અનુકરણ તેની ચમચામંડળી કરે તેમાં કોઈ નવાઈ નથી....

તુલસીદાસજીની રામાયણ સવારે વાંચતો હતો ત્યારે સજ્જનના લખણો અને દુર્જનના અપલખણોથી ફરી પરિચિત થયો....તેમાં સજ્જન પુરુષનું એક લક્ષણ મને બહુ ગમે છે...મહારાજ કહે છે કે સજ્જન પુરુષ બીજાના દોષોને ઢાંકે છે. એટલે કે સજ્જન પુરુષ બીજાના દોષોનો ઢંઢોરો પીટતો નથી. હકીકતમાં સજ્જન પુરુષમાં એટલી કોમનસેન્સ હોય છે કે પાપ ક્યારેય છાનું રહેતું નથી અને દુનિયા બુદ્ધુ નથી કે બીજાના પાપને અને વૈચારિક અધમતાને સમજી ન શકે. એટલે તે ચૂપ રહીને પોતાનું કામ કરવામાં મસ્ત રહે છે. દુનિયાને મૂર્ખ સમજવી એ મોટામાં મોટી મૂર્ખતા છે.

બીજાના દોષોને હજાર આંખોથી જુએ અને બીજાનાં પાપો કહેતાં-સાંભળતાં લજાતાં નથી તેવા લોકોને તુલસીદાસજીએ દુષ્ટજનો કહ્યાં છે. તમે વિચાર કરો કે, ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન આ ગ્રંથમાં અન્ય લોકોના પાપની વાતો પણ કરવાનો ઇનકાર કર્યો છે. તુલસીદાસજી એ વખતે પણ સમયનું મૂલ્ય સમજતાં હશે...મહારાજ કહે છે કે બીજાના પાપનો પ્રચાર કરવાનું માધ્યમ પણ તમે શા માટે બનો છો.......સીધો સંદેશ છે મિત્રો, તમે ખરેખર સારું કરવા માગતા હોય તો ફલાણો આ કરે છે અને ઢીકણો આ કરે છે તેની લપમાં પડ્યાં વિના તમારી દિશામાં આગળ વધો ને....હા, કોઈ સારું કામ કરે તો તેને બિરદાવવામાં પાછી પાની ન કરો, પણ જાણતા કે અજાણતાં કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તેને તેના હાલ પર છોડી દો...બહુ જીવ બળતો હોય તો તેને અંગત રીતે તમારી ચિંતા જણાવો અને ચેતવી દો...પણ છડેચોક નાગાને નાગો કરવાનો શો ફાયદો...પોતાની બહાદુરીનો ઢંઢેરો પિટાવવાનો...


બીજાના પાપનો પ્રચાર કરવામાં સદાય અગ્રેસર રહેનારી વ્યક્તિની માનસિકતાથી થોડા પરિચિત થઈએ...આવી વ્યક્તિ પોતે બહુ જ્ઞાની છે, સમજુ છે અને સાથેસાથે બહાદુર છે તેવું દેખાડવા માગતી હોય છે.....બીજું, પોતાની ક્ષમતામાં વધારો થવાની કોઈ શક્યતા ન હોવાથી બીજાની ક્ષમતા પર પ્રહાર કરીને પોતે વધુ ક્ષમતાશીલ છે તેવા ભ્રમમાં રહે છે અને તેના જેવા કે તેના કરતાં પણ નબળાં બીજા ઘેટા-બકરાઓને ભ્રમમાં રાખવામાં તેને સફળતા પણ મળે છે....તે એમ માને છે કે દુનિયામાં સૌથી વધુ સમજદાર અને બહાદુર તે પોતે છે...

મિત્રો...આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીપલ્સ પ્રેસિડન્ટ કલામસાહેબ હંમેશા કહેતાં વાદવિવાદમાં શક્તિનો વ્યય થાય છે, તમારે ખરેખર રચનાત્મક કાર્ય કરવું હોય તો નિરર્થક વાદવિવાદ ટાળવો....જેના જવાબ તમને ખબર હોય તેવા પ્રશ્નો પૂછીને સમય બગાડવાનો કોઈ અર્થ ખરો....જાણતા હોવા છતાં અજાણ્યાં બનીને દુનિયાને શું દેખાડી દેવા માંગો છો...હકારાત્મકતા કેળવો અને તમારી દિશામાં આગળ વધો...બીજાને તેમની દિશામાં આગળ વધવા દો...તમારા ઇરાદા પ્રામાણિક હશે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે...બને કે તમારે સફળતા મેળવવા રાહ જોવી પડે....પણ તે લાંબા ગાળાની અને પારદર્શક સફળતા હશે....તે તમારી પોતાની હશે...બીજાની લાઇન કાપીને કે બીજાની સામે સ્ત્રીઓની જેમ સવાલો ઊભા કરીને ઉધાર માગેલી નહીં હોય....

ચલતે-ચલતેઃ સફળતા અને નિષ્ફળતાનો આધારે વ્યક્તિની માનસિકતા પર હોય છે...કૃષ્ણની સફળતા દ્રૌપદીની આબરૂ બચાવવામાં છે અને દુઃશાસન ચીરહરણને સફળતા માને છે...તુંડે તુંડે મતિ ભિન્ના.....અસ્તુ....

Sunday, June 20, 2010

સરવરપુરમાં શીખોની ઐતિહાસિક ધર્મનિરપેક્ષતા અને દંભી ધર્મનિરપેક્ષોને થોડા સવાલ......



ભારતીય મુસ્લિમોનું અગ્રણી પખવાડિક અખબાર ગણાતા 'ધ મિલ્લી ગેઝેટ'ના 1-15 જૂન, 2010ના અંકમાં એક સમાચાર પ્રસિદ્ધ થયા છે, જેને વાંચીને દંભી ધર્મનિરપેક્ષો 'ધ મિલ્લી ગેઝેટ'ના તે અંકને માથે મૂકીને એક પગે નાચશે તેમાં મને કોઈ શંકા નથી. દેશમાં ધર્મનિરપેક્ષતાની મિસાલ બને તેવા સમાચારનું શીર્ષક છેઃ '1947માં તોડી પાડેલી મસ્જિદનું પુનઃનિર્માણ કરતો શીખ સંપ્રદાય.' હું તેના વિશે થોડું જણાવું.

પંજાબના સમરાલા શહેરથી 10 કિલોમીટરના અંતરે એક ગામ છે સરવરપુર. હિંદુસ્તાનના ભાગલા પડ્યાં તે અગાઉ ગામમાં મુસ્લિમોની સારી એવી વસતી હતી. એક સારી મસ્જિદ પણ હતી. 1947માં ભાગલા સમયે ત્યાં કોમી હુલ્લડ થયા. મોટા ભાગના મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યાં ગયાં. પછી તે મસ્જિદને હિંદુઓ અને શીખોએ તોડી પાડી. ગયા વર્ષે ગામના શીખોએ તે મસ્જિદનો પુનરોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ગયા મહિને 22 મેના રોજ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના જથ્થેદાર કિરપાલ સિંહે પંજાબના શાહી ઇમામ મૌલાના હબીબુર રહમાન સાની લુધિયાનવીનું સ્વાગત કર્યું. તે સમયે ત્યાંના ધારાસભ્ય જગજીવન સિંઘ અને ગ્રામજનો હાજર હતાં. ત્યાં ગામના વયોવૃદ્ધ મુસ્લિમ દાદા મૌહમ્મદ તુફૈલને મસ્જિદની ચાવી સોંપવામાં આવી. તે સમયે સંપૂર્ણ વાતાવરણ 'અલ્લાહ ઓ અકબર'ના નારાથી ગૂંજી ઊઠ્યું હતું.

શીખોએ મુસ્લિમો પ્રત્યે આ પ્રકારની ઉદાર ભાવના અગાઉ પણ દેખાડી છે. શીખોના ધર્મગુરુ ગુરુ નાનકના પહેલા શિષ્ય ભાઈ મરાદાના હતા. તેઓ આજીવન મુસ્લિમ બની રહ્યાં હતાં. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવએ પણ સુવર્ણમંદિરનું ખાતમુહૂર્ત લાહોરના સૂફી સંત હજરત મિયા મીર પાસેથી કરાવ્યું હતું. શીખોના પ્રસિદ્ધ મહારાજા રણજીત સિંઘની એક મહારાણીએ પણ લાહોરમાં દાતાગંજ બક્શની સફેદ માર્બલવાળી દરગાહ બનાવી હતી, જે આજે પણ લાહોરની મશહૂર દરગાહ છે. સરવરપુરમાં શીખોએ ફરી એક વખત સાચી ધર્મનિરપેક્ષતાનું દર્શન કરાવ્યું છે. આ પ્રસંગને 'ધ મિલ્લી ગેઝેટ'ના સંપાદક ઝફરુલ-ઇસ્લામ ખાને ઐતિહાસિક ગણાવ્યો છે. પંજાબના શાહી ઇમામે શીખ સમુદાયનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, 'માનવતા એટલે પ્રેમ અને અહિંસા.'

કોઈ પણ સાચા ધર્મનિરપેક્ષ માણસને આ સમાચાર સાંભળીને આનંદ જરૂર થાય. કોઈ બે ધર્મ અને સંપ્રદાયના માણસો વચ્ચે એકતા અને પ્રેમની ભાવના સ્થાપિત થાય તો કોને આનંદ ન થાય...પણ થોડા પ્રશ્નો પણ થાય છેઃ

- મુલ્લા-મૌલવીઓએ તેમના પૂર્વજોએ કરેલા જંગલી અને ધર્માંધ કૃત્યો બદલ ક્યારેય પશ્ચાતાપની લાગણી અનુભવી છે?

- જ્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય ત્યાં ફરીથી મંદિરનું નિર્માણ કરીને તેની ચાવી હિંદુઓને સોંપી એકતા અને બંધુતાની લાગણી દેખાડવાની ઇચ્છા મુલ્લા-મૌલવીઓને ક્યારેય થાય છે?

- હિંદુ દેવીઓના નગ્ન ચિત્રો દોરીને તેને કળા ગણાવતાં એમ એફ હુસૈન જેવા હલકટ ચિત્રકારોની વિકૃત હરકતો સામે મુલ્લા-મૌલવીઓએ ક્યારેય ફતવો બહાર પાડ્યો છે? દુઃખની વાત એ છે કે હુસૈનની આ પ્રકારની ગંદી હરકતોને કળા ગણાવતા બુદ્ધિહીન બુદ્ધુજીવીઓ આપણા હિંદુઓ વચ્ચે જ છે. એટલું જ નહીં તેમના ચમચાઓની આખી જમાત છે.

- અયોધ્યામાં બાબરી ઢાંચાનો વિવાદ ચાલી રહ્યો છે. આ ઢાંચો અગાઉ રામમંદિર હતું તેવું ઇતિહાસકારોએ કહ્યું છે. તો ત્યાં સામે ચાલીને રામમંદિર બાંધીને કોમી એખલાસ અને ધર્મનિરપેક્ષતાની ભાવના દેખાડવાની મુસ્લિમોની ફરજ નથી?

- વિભાજન સમયે જે સંપ્રદાયના લોકોની લાશો સૌથી વધુ ઢળી હતી, જે સંપ્રદાયની મહિલાઓ સૌથી વધુ બળાત્કારનો ભોગ બની હતી તે શીખ સંપ્રદાયે મસ્જિદનો પુનરોદ્ધાર કરી ધર્મનિરપેક્ષતાનો દાખલો બેસાડ્યો છે. શું આવો કોઈ દાખલો બેસાડવાની હિમ્મત મુસ્લિમ મુલ્લા-મૌલવીઓ દેખાડી શકશે?