Tuesday, June 16, 2009

સર્જનાત્મક નેતા કોણ છે?


ઈ. સ. 2020 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાનું સ્વપ્ન આપણે સેવ્યું છે. તેના પૂર્ણ કરવા, તેમાં સફળતા મેળવવા સર્જનાત્મક નેતૃત્વનો વિકાસ એક મહત્વપૂર્ણ પરિબળ છે.

સર્જનાત્મક નેતા કોણ છે? તેના ગુણ કયા કયા છે?

સર્જનાત્મક નેતૃત્વ પોતાની પરંપરાગત ભૂમિકામાંથી આગળ જઇને કમાન્ડરને બદલે કૉચ, મેનેજરને બદલે માર્ગદર્શક, નિર્દેશકને બદલે પ્રતિનિધિ અને સન્માન-અપેક્ષિત વ્યક્તિને બદલે આત્મગૌરવની ભાવના પ્રગટાવનાર વ્યક્તિ બનવાનું પડકારભર્યું કામ કરે છે.
દેશમાં સર્જનાત્મક નેતાઓની સંખ્યા જેટલી વધશે, 'વિકસિત ભારત' જેવાં સ્વપ્નોની સફળતા એટલી જ વધારે સશક્ત અને સંભવિત બનશે.

અત્યારે રાજકારણ, વહીવટ, ધર્મ, વ્યવસાય, શિક્ષણ કે વિજ્ઞાન-બધાં ક્ષેત્રોમાં પ્રબુદ્ધ અને કલ્પનાશીલ નેતૃત્વનો વિકાસ જરૂરી છે। આ બધાં ક્ષેત્રોનો પ્રભાવ રાષ્ટ્ર અને સમાજના વિકાસ પર પડે છે. પ્રબુદ્ધ નેતૃત્વ એટલે સશક્તિકરણ. આપણા સમાજના વિવિધ વર્ગોમાં પ્રબુદ્ધ નેતૃત્વનો વિકાસ થાય તે જરૂરી છે. આ નેતૃત્વમાં શાંતિ, પ્રગતિ અને વિકાસ માટે દીર્ઘદ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા હોય.

જ્યારે કોઈ સંસ્થાના નેતા પોતાની સાથે કામ કરતા લોકોને સશક્ત કરે છે ત્યારે રાષ્ટ્રનો ઇતિહાસ બદલવા સમર્થ હોય તેવા નેતાઓ સર્જાય છે.

No comments: