Thursday, June 4, 2009

સફળતાની ચાવી


ભારતમાં એક સુંદર દંતકથા છે. સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે જે વરસાદ પડે, એ વરસાદનું ટીપું છીપમાં ઝીલાઈ જાય અને એ વર્ષાબિંદુ મોતી બની જાય છે. કાલુ માછલીને એ ખબર હોય છે. એટલે સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે તે સાગરની સપાટી પર આવે છે અને મોંઘાંમૂલા વરસાદની રાહ જુએ છે. જેવું વરસાદનું એક ટીપું એમાં પડે છે કે તરત કાલુ માછલી છીપનાં બંને પડ બરાબર બંધ કરી ઠેઠ પાણીને તળિયે જઈ બેસે છે અને ત્યાં એ ધીરજથી પાણીના ટીપાનું મોતી બનાવે છે.

આપણે કાલુ માછલી જેવા બનવાનું છે। એક જ વિચાર પસંદ કરી લો। તેને આદર્શ બનાવી દો. તેને તમારા જીવનનું લક્ષ્ય બનાવો. તેનો જ વિચાર કરો, તેને સાકાર કરવાનું સ્વપ્ન સેવો, તેના આધારે જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, નાડીઓ તમારા આખા શરીરમાં તે વિચાર, તે લક્ષ્ય ભરી દો. તે સિવાય બીજા બધા વિચાર પડતાં મૂકી દો. જ્યાં સુધી લક્ષ્યને પ્રાપ્ત કરો નહીં ત્યાં સુધી તેનો છોડો નહીં.
એક જ વિચારની પાછળ પાગલ થઈ જનારને પ્રકાશ સાંપડે છે। એક જ વિચારની પાછળ પાગલ થઈ જનારને પ્રકાશ સાંપડે છે. એક બટકું અહીં અને એક બટકું ત્યાં એમ કરનાર કશું જ પામી શકતો નથી. થોડો સમય તેમાં ફાયદો થાય છે, પણ લાંબા ગાળે તેનાથી નુકસાન જ થાય છે. એક વિચાર આવે અને તેના પર અમલ કરતાં પહેલાં બીજો વિચાર આવે છે. એટલે પહેલાં વિચારને પડતો મૂકી બીજાને અપનાવવાથી શક્તિનો વ્યય થાય છે. મનને એક જ લક્ષ્ય પર કેન્દ્રીત કરો અને તેને પ્રાપ્ત કરવાની દિશામાં જ આગળ વધો. તમારા મગજમાં, નસોમાં અને લોહીના એક-એક ટીપામાં તમારા વિચારને વહેતો કરી દો. આ જ સફળતાની ચાવી છે.

સેન્ટર પોઇન્ટઃ આદર્શ વિનાનો માણસ એક હજાર ભૂલો કરે છે, જ્યારે આદર્શ વિનાનો માણસ પચાસ હજાર ભૂલો કરે છે

No comments: