Tuesday, April 14, 2009

બીજાના દોષ ન જુઓ


મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે। તેને કાબૂમાં લાવવું હોય તો તેની પવિત્રતા માટે ખાસ આગ્રહ રાખવો જોઇએ. લોભી બનીને માત્ર માનસિક સિદ્ધિઓને જ વિચાર ન કરો, તેને જવા દો. જે માણસ મનની શકિતઓને શોધતો ફરે છે, તે તેમનો ગુલામ બને છે. જે લોકો આવી શક્તિઓની ઇચ્છા રાખે છે. લગભગ બધા તેના પાશમાં બંધાય છે.

મન પર સંપૂર્ણ સંયમ મેળવવાનો રામબાણ ઉપાય પૂર્ણ સદાચારનું પાલન છે। જે સંપૂર્ણપણે સદાચારી છે તેને બીજું કશું કરવાની જરૂર નથી, તે મુક્ત જ છે. જે માણસ સંપૂર્ણપણે સદાચારી છે તે બને ત્યાં સુધી બીજા કોઈને દુઃખ પહોંચાડી શકતો નથી. જેણે મુક્ત બનવું છે તેણે અહિંસા પ્રાપ્ત કરવી જ જોઇએ. જેણે સંપૂર્ણ અહિંસા કેળવી છે તેનાથી વધારે શક્તિશાળી માણસ બીજો કોઈ નથી. તેવા માણસની હાજરીમાં કોઈ લડાઈ કરી નથી શકતું કે કોઈ ઝઘડો કરી નથી શકતું. તેની હાજરી જ્યાં હોય ત્યાં શાંતિ હોય, ત્યાં પ્રેમ હોય.

બીજાને પ્રેમ કરવાનો એક સરળ માર્ગ છે. બીજાઓના દોષને ન જુઓ. બીજાઓને દોષ ગમે તેટલા ખરાબ હોય તોપણ તેમના વિશે કદી બોલશો નહીં. તેનાથી કંઈ લાભ થતો નથી. માણસના દોષ વિશે બોલી બતાવવાથી તમે તેને ક્યારેય મદદ કરી શકતા નથી. તેથી ઊલટું તમે તેને નુકસાન પહોંચાડો છો અને સાથેસાથે તમારી જાતને પણ નુકશાન કરો છો.

No comments: