Sunday, July 26, 2009

અમદાવાદમાં બીઆરટીએસને પ્રથમ ગ્રાસે મક્ષિકા....












આને કહેવાય પ્રથમ ગ્રાસે મક્ષિકા. ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થાને ઝડપી બનાવવાના સારા આશય સાથે શરૂ કરવામાં આવેલો બીઆરટીએસ પૂર્ણ થવાના આરે છે. તેના પર બસો પ્રાયોગિક ધોરણે દોડવવાનું છેલ્લાં દસ-પંદર દિવસથી શરૂ થયું છે, પણ આટલા દિવસના પ્રયોગમાં જ પ્રજા કંટાળી ગઈ હોય તેવું લાગે છે. આ પ્રોજેક્ટના વાસણા-સાબરમતી-નરોડા-નારોલ અને વાસણા-સાબરમતી કોરિડોર પર પ્રાયોગિક ધોરણે દોડતી બીઆરટીએસની બસોનો જનતાએ શનિવારે ધરણીધર વિસ્તારમાં અટકાવી દીધી હતી.

વાત એમ છે કે, અહીં બીઆરટીએસ માટે ધરણીધર દેરાસરના ચાર રસ્તા બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે પ્રજા નારાજ થઈ છે. અહીં બીઆરટીએસ કારણે રસ્તા સાંકડા થઈ જવાથી પ્રજામાં નિરાશા તો હતી જ. તેમાં ધરણીધર દેરાસર જેવા ચાર રસ્તા બંધ કરવાનો નિર્ણય લેવાતા પ્રજા વિફરી હતી. આ દેરાસર ચાર રસ્તા નાગરિકો માટે અત્યંત ઉપયોગી છે. તે બંધ થઈ જાય તો વિકાસ વિદ્યાલય અને જીવરાજ મહેતા હોસ્પિટલ તરફ જવા માટે લોકોને એક લાંબો ચક્કર મારવો પડે.

પ્રજાની આ નારાજગીનો ફાયદો કોંગ્રેસે સારો એવો ઉઠાવ્યો છે. વાસણા વોર્ડમાં કાર્યરત કોંગ્રેસના કાર્યકરોએ પહેલાં શનિવારે અહીં પ્રાયોગિક ધોરણે દોડતી બીઆરટીએસની બસો અટકાવી દીધી અને રવિવારે ધરણીધર દેરાસર ચાર રસ્તા ખુલ્લા રાખવા મતદાન યોજ્યું હતું. પ્રજાએ પણ તેને સારો પ્રતિસાદ આપ્યો હતો અને સારું મતદાન થયું હતું. હવે જનતાનો આ અવાજ બીઆરટીએસના નિર્માણ માટે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (એજેએલ)ને સોંપવામાં આવશે.

આ વિશે વાસણા વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરાગ પટેલે કહ્યું હતું કે, ''આ મતદાન પછી એજેએલ ધરણીધર ચાર રસ્તા ખુલ્લા રાખવા કે નહીં તેનો નિર્ણય લેશે.'' જોકે એજેએલ આ ચાર રસ્તા બંધ કરવાનો નિર્ણય લેશે તો પણ કોંગ્રેસ તેની લડત ચાલુ રાખશે તેવું તેમણે ઉમેર્યું હતું. અત્યારે સમગ્ર શહેરમાં બીઆરટીએસનું કામકાજ ચાલુ છે. જે વિસ્તારોમાં તેનું કામકાજ ચાલુ છે ત્યાં રસ્તા સાંકડા થઈ ગયા હોવાની ફરિયાદો ઊઠી છે. શહેરમાં બીઆરટીએસના 18 કોરિડોર બની રહ્યાં છે, જે નીચે મુજબ છેઃ

વાસણા-સાબરમતી-નરોડા (47.5 કિમી)
વાસણા-સાબરમતી (15 કિમી)
નરોડા-નારોલ (18 કિમી)
થલતેજ-કાલુપુર (9.1 કિમી)
સત્તાધાર-કાલુપુર (9.55 કિમી)
ઘાટલોડિયા-વાડજ (4.92 કિમી)
સાબરમતી-સરખેજ વાયા આશ્રમ રોડ (17.63 કિમી)
ઇસ્કોન મંદિર-કાલુપુર (11.09 કિમી)
કાલુપુર સ્ટેશન-નારોલ-લાંભા (8.44 કિમી)
કાલુપુર સ્ટેશન-જશોદાનગર ક્રોસરોડ-હાથીજણ (12.81 કિમી)
કાલુપુર-ઓઢવ (9.49 કિમી)
કાલુપુર-નરોડા (10.29 કિમી)
થલતેજ-નારોલ-લાંભા (યુનિવર્સિટી રોડ) (17.15 કિમી)
સરખેજ-ગોતા (12.45 કિમી)
પાલડી-કાલુપુર સ્ટેશન વાયા જમાલપુર (3.25 કિમી)
ઇસ્કોન મંદિર-વાસણા વાયા નેહરુ નગર સર્કલ (3.25 કિમી)
સાબરમતી-કાલુપુર (8.98 કિમી)
વાડજ-ગોતા (5.75 કિમી)
શિવરંજની ક્રોસરોડ-કાલુપુર વાયા શ્રેયાંસ, ન્યૂ બ્રીજ, સ્ટેશન (11.57 કિમી)

કોઈ પણ વ્યવસ્થા પ્રજાની સુવિધા માટે હોય છે. બીઆરટીએસનો આશય સારો છે પણ તેનો અમલ શહેરમાં સફળ થશે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડી જશે.

1 comment:

Soham Shah said...

Gujarat-Congress wants to capture Ahmedabad Municipal Corporation by hook or by crrok when its elections are going to be contested in 2010 - next year ..

Congress will go to any extent to wrongly criticize any good work done by BJP or Modi .. By stopping BRTS buses, they are not helping peole but are making more obstacles in the progress ..

People of Ahmedabad are very smart and clever .. They hv seen congress-governance .. Full of corruption and misdeeds .. Congress is even non-existent in Vasna-Paldi-Gandhigram-Navrangpura .. So these inappropriate opposition will not work this time for sure..