Sunday, February 15, 2009

'ઝૂંપડપટ્ટીનો કરોડપતિ કૂતરો' ફિલ્મ એટલે ડૈની 'ડોગ'ના ભારતીય રાષ્ટ્રીયતા અને ધાર્મિકતા પર પ્રહારો


છેવટે મેં 'ઝૂંપડપટ્ટીનો કરોડપતિ કૂતરો' ફિલ્મ જોઈ. પહેલાં જોવાની ઇચ્છા નહોતી. આ દેશના કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓ કોઈ ફિલ્મને વખાણે ત્યારે તે ફિલ્મ ભારતમાતાને બદનામ કરવાના આશય સાથે જ બનાવી હોવાનો મને ડર લાગે છે. આ ફિલ્મ જોઈ ત્યારે મારો શક સાચો ઠર્યો. એક વિદેશી કરોડપતિ કૂતરા ડૈની બોએલે ખૂબ જ ચાલાકીપૂર્વક ભારતની રાષ્ટ્રીયતા અને ધાર્મિક ભાવના પર પ્રહાર કર્યો અને આ દેશના અમીચંદોએ તેના માનમાં પ્રશંસાપત્રો બહાર પાડ્યા.

ડૈની 'ડોગ' બોએલે ભારતની રાષ્ટ્રીય અને ધાર્મિક બાબતો પર કઈ રીતે પ્રહાર કર્યા છે તે મુદ્દાસર જાણીએઃ

(1) રાષ્ટ્રીયતા પર પ્રહાર

ડોગ શોના યજમાન અનિલ કપૂરને હીરોને એક સવાલ પૂછે છે જેનો જવાબ છે-સત્યમેવ જયતે। આ ફિલ્મમાં રસ્તા પર રહેતા નાયક જમાલ મલિકની યાદશક્તિ અસાધારણ છે. તેને બાળપણમાં ઝૂંપડપટ્ટીની એક શાળામાં અભ્યાસ કર્યો છે, જ્યાં શિક્ષણનું સ્તર એટલું ઊંચું છે કે શિક્ષક વિદ્યાર્થીઓને જાણીતા પુસ્તક 'ધ થ્રીદ મસ્કેટીયર્સ'ના ત્રણ મુખ્ય પાત્રોનું નામ યાદ કરવાનું કહે છે. તેમ છતાં તે શાળામાં જમાલને ભારતનું રાષ્ટ્રીય સૂત્ર 'સત્યમેવ જયતે' છે તેનો અભ્યાસ કરાવવામાં આવતો નથી. આ રીતે ડૈની બોયલે બહુ ચાલાકીપૂર્વક દેખાડ્યું છે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બોદું છે.

(2) ભગવાન રામની વિકૃત રજૂઆત

શો દરમિયાન અનિલ કપૂર જમાલ મિયાને એક પ્રશ્ન પૂછે છે કે-ભગવાન રામના જમણા હાથમાં શું છે? તે પછી ફિલ્મ બહુ ચાલાકીપૂર્વક શોના સ્ટુડિયોમાંથી નીકળી એક એવા દ્રશ્ય પર કેન્દ્રીત થઈ જાય છે જ્યાં હિંદુઓની ભીડ ટ્રેનમાંથી ઉતરી 'મુસલમાનોને મારી નાંખો, કાપી નાંખો' સૂત્રો ઉચ્ચારે છે અને હત્યાના નગ્ન નાચથી ખુશ થાય છે. નફરત, ધૃણા અને બરબાદીના તે નગ્ન નાચ દરમિયાન બે વાર દર્શકો સામે ભગવાન રામની તસ્વીર આવે છે-રામના પોશાકમાં એક છોકરો કાતિલ નજરે જમાલ સામે જુએ છે. રામ સ્વરૂપે દર્શકોની સામે આવેલા તે છોકરીના હાવભાવ હિંસાનો સંદેશ આપે છે જ્યારે તેની આંખોમાંથી નફરતના દર્શન થાય છે. તમે ક્યારેય ભગવાન રામની આવી હિંસક તસ્વીર જોઈ છે, જેમાં તેમને ડરામણી આંખો સાથે પ્રતિહિંસક ભગવાન સ્વરૂપે દેખાડવવામાં આવ્યા હોય. કરોડપતિ ઇંગ્લીશ ડોગ ડૈનીને ભગવાન રામની આ તસ્વીર ક્યાંથી મળી?

(3) 'દર્શન દે ઘનશ્યામ'

આ ફિલ્મમાં હિંદુઓએ મુસલમાનોની હત્યા કર્યા પછી ભલાઈનું કામ કરતી એક સેવાભાવી સંસ્થા જમાલ, સલીમ અને લતિકાને ઉઠાવી જાય છે। આ સંસ્થા ગરીબ બાળકોને ગૂંગા, લંગડા અને લાચારા બનાવી દે છે જેથી તેઓ રસ્તા પર ભીખ માગી સંસ્થાની તિજોરી ભરી શકે. તેની સામે કોઈ પણ ભારતીયને વાંધો ન હોઈ શકે, કારણ કે તે હકીકત છે. પણ આ દ્રશ્યો દરમિયાન વારંવાર 'દર્શન દે ઘનશ્યામ' ગીત દર્શકોના માથે મારવામાં આવ્યું છે. તમે પર ભીખ માંગતા કેટલા લોકોને 'દર્શન દે ઘનશ્યામ' ગીત ગાતા જોયા છે? શા માટે ડૈની 'ડોગ' અને તેની ટુકડીએ ધાર્મિક ગીતનો જ ઉપયોગ કર્યો? અત્યારે મોટા ભાગના ભિખારીઓ બોલીવૂડના ગીતો ગાઈને અને તેના પર નાચીનાચીને જ ભીખ મેળવે છે તે બધા જાણે છે. રેલવેમાં મુસાફરી કરશો તો તમને આ વાસ્તવિકતાના દર્શન થઈ જશે.

હકીકતમાં ડૈની 'ડોગ' બોએલે ભારતમાં આવી ભારતની વાસ્તવિકતા દેખાડવાના નામે અમીચંદોની મદદ લઈ ભારત પર વૈચારિક આક્રમણ કર્યું છે. તેના આ દુઃસાહસમાં સાથ કોણે આપ્યો? અમીચંદ જેવી દેશદ્રોહી પ્રવૃત્તિ ધરાવતા ભારતીયોએ. તેમાં બે મોટા અમીચંદ વિશે જાણીએ.

(1) અનિલ કપૂર

આ મહાશય ફિલ્મમાં 'કુત્તા શો'ના યજમાન છે। તેમને સ્લમડોગના પ્રીમિયર દરમિયાન એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે, 'ફિલ્મના નામમાં સ્લમડોગની જગ્યાએ સ્લમબોય કેમ ન રાખ્યું?' ત્યારે શ્રીમાન અનિલ કપૂરે જે જવાબ આપ્યો તેના પરથી જ તેની માનસિકતા છતી થાય છે. તેણે કહ્યું હતું કે, 'આપણે ઝૂંપડપટ્ટીમાં રહેતાં છોકરાઓને ગંદી નાલી કા કીડા જ કહીએ છીએ ને.' હવે વિચારો કે તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા કોઈ બાળકને ગંદી નાલી કા કીડા કહો છો? અનિલ કપૂર વાસ્તવિકતાથી હજારો માઇલ દૂર છે અને તે પાછો સ્લમડોગ ભારતની વાસ્તવિકતાનું દર્શન કરાવતી હોવાનું કહે છે. એક વાર મુંબઈની કોઈ ઝૂંપડપટ્ટીમાં જઇને કોઈ ગરીબ બાળકને ‘ગંદી નાલી કા કીડા’ કહી જુએ. પછી જુઓ તેના બંને ગાલ પર કેવી લાલિમા અંકિત થઈ જાય છે.

(2) શાહ 'રૂક રૂક' ખાન

અમિતાભે બચ્ચને 'ઝૂંપડપટ્ટીના કરોડપતિ કૂતરા' ફિલ્મ વિશે પોતાના બ્લોગમાં ચર્ચા શરૂ કરી એટલે રૂક રૂક મિયા બચ્ચનવિરોધી ટીપ્પણી ન કરે તેવું બને જ નહીં। શાહરૂખે જોયું કે મીડિયા બચ્ચન સાહેબની વિરોધમાં અને ડૈની 'ડોગ'ની તરફેણમાં છે એટલે તેણે મીડિયા જેનું પડખું સેવતું હોય તેની સાથે શૈયાસુખ માણવાનું ઉચિત સમજ્યું (કરણ જૌહરને એક દિવસ રાહત મળી). તેણે તરત જ પોતાની સ્ત્રૈણ શૈલીમાં કહ્યું કે, ફિલ્મનો વિરોધ ન કરવો જોઇએ, કારણ કે તેમાં ભારતની વાસ્તવિકતા દેખાડવામાં આવી છે. જો આ ફિલ્મમાં હિંદુઓને જે રીતે મુસ્લિમો પર હુમલો કરતાં દેખાડવામાં આવ્યાં તે જ રીતે મુસ્લિમોને હિંદુઓ પર હુમલો કરતાં દેખાડવામાં આવ્યા હોત અને સાથે સાથે અલ્લાહને એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઇને રજૂ કર્યાં હોત તો શાહરૂખના સાયલન્સરમાં ફિલ્મની પ્રશંસા કરવા જેટલી હિમ્મત હોત?

દુઃખ તો એ વાતનું છે કે, આવા કહેવાતા બુદ્ધિજીવીઓની જમાતમાં સ્થાન મેળવવા ઠેકડા મારતા ભારતીયો ડૈની 'ડોગ'ની પ્રશંસા કરી રહ્યાં છે. કાં તો આવા ભારતીયોમાં રાષ્ટ્રીયતા અને સમ્માનની ભાવના મરી પરવારી છે કાં પછી તેઓ સ્વાર્થમાં અંધ થઈ ગયા છે.

4 comments:

Pranay said...

it's an excellent work. well done keyur. keep it up and fu.. the so called basterd seculars.

PRANAY

Anil R Patel said...

Good article. It has become fashion to encash india's poverty and get international awards. Some of the scenes in movies are disguting.

Vikram said...
This comment has been removed by the author.
Vikram said...

Amazing & a very thought provoking article ...