Saturday, March 20, 2010

'માય નેમ ઇઝ ખાન': મુસ્લિમ યુવાનોને આતંકવાદી બનાવવા માટેનું બ્રહ્માસ્ત્ર..


દોસ્તો, ધારો કે તમે ઇસ્લામ ધર્મમાં માનતા નેક બંદા છો. તમે અલ્લાહતાલાને માનો છો અને પાંચ વખત નમાઝ અદા કરો છો. માનવતાની મહેંક ફેલાવવી તમારો ધર્મ છે. પણ તમે જાણો છો કે તમારા સમાજમાં કેટલાંક કહેવાતાં ધાર્મિક સંગઠનો અમાનવીય આતંકવાદી હરકતોમાં સંકળાયેલા છે. આ ત્રાસવાદી મુલ્લા-મૌલવીઓ ઇસ્લામનો ઝંડો આખી પૃથ્વી પર લહેરાવવા માગે છે અને આ માટે દિશાહીન મુસ્લિમ યુવાનોની ભરતી કરે છે. 'ઇસ્લામ ખતરે મેં હૈ' જેવા જૂઠ્ઠાણાં ફેલાવી તેઓ આ યુવાનોનો માનવબોંબ તરીકે ઉપયોગ કરીને આખા જગતમાં નિર્દોષ લોકોના લોહીની નદી વહાવે છે. આવા સમયે મુસ્લિમ યુવાનોને અધર્મી મુલ્લા-મૌલવીઓની જાળમાં ફસતાં બચાવવા શું કરવું જોઈએ? આ પ્રશ્ન તમને કોઈ પૂછે તો તમે શું કહો?

તમે જ નહીં, પણ અલ્લાહનો દરેક નેક બંદો કહેશે કે, આ યુવાનોને એકવીસમી સદીમાં ધર્મનિરપેક્ષ સમાજમાં હળીમળીને કેવી રીતે રહેવું તે સમજાવવાની જરૂર છે. તેમને ઇસ્લામના આધુનિક અર્થઘટનથી વાકેફ કરાવવાની જરૂર છે. પણ તેના બદલે શું થઈ રહ્યું છે? ઇસ્લામના આવા વિદ્વાન બિરાદરો આ પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે મુસ્લિમ યુવાનો પર અસર ધરાવતા કોંગ્રેસીજનોનો સુપરસ્ટાર શાહરૂખ ખાન શું કરી રહ્યો છે?

મીડિયા એટલે કે પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં સમાચારોને આધારે જ તમે તમારું મંતવ્ય ઘડતાં હોય તો ચોક્કસ કહેશો કે તે આજના આધુનિક ઇસ્લામનો ચહેરો છે. પણ આ વાત બિલકુલ ખોટી છે, ખોટું અર્થઘટન છે. હકીકતમાં મુસ્લિમ યુવાનોને આતંકવાદી બનાવવા ઉશ્કેરવાનું જે કુકૃત્ય રૂઢિચુસ્ત મુલ્લા-મૌલવીઓ કરી રહ્યાં છે તે જ કામ સ્વયંપ્રસ્થાપિત સુપરસ્ટાર શાહરૂખ મિયા કરી રહ્યાં છે. કેવી રીતે? તેનું તાજું ઉદાહરણ શાહરૂખ ખાનની તાજેતરમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ 'માય નેમ ઇઝ ખાન' છે. આ ફિલ્મ ભારતમાં ફ્લોપ ગઈ છે, પણ આતંકવાદી સંગઠનોની છાવણીમાં સુપરડુપર હિટ સાબિત થઈ છે. (મીડિયામાં આ ફિલ્મ હિટ લખવામાં આવે છે, પણ આ વાત સંપૂર્ણપણે ખોટી છે)

આ ફિલ્મ અમેરિકામાં 9/11 હુમલા પછી ત્યાંના સમાજમાં મુસ્લિમો પ્રત્યે બદલાયેલો અભિગમ રજૂ કરે છે. આ અભિગમ એટલે? અમેરિકામાં મુસ્લિમોની હાલત બહુ ખરાબ છે. નિર્દોષ મુસ્લિમોને પણ અમેરિકન તપાસ એજન્સીઓ આતંકવાદી કે આતંકવાદી સંગઠનોના સાગરિત ગણીને હેરાન-પરેશાન કરે છે. હકીકતમાં 9/11 હુમલા પછી મીડિયામાં અમેરિકામાં મુ્સ્લિમોને હેરાન-પરેશાન થઈ રહ્યાં છે તેવા સમાચારોમાં સચ્ચાઈ કરતાં અતિરેક હતો. આ ફિલ્મમાં શાહરૂખે એવો સંદેશ આપ્યો છે કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી. પણ આપણા બુદ્ધિશાળી અંગ્રેજી પત્રકારો અને કેટલાંક ગુજરાતી કલમખોરો તેની પાછળનો અધ્યાહાર ન સમજી શક્યાં. હકીકતમાં આ ફિલ્મે પોઝિટિવ નહીં પણ નેગેટિવ સંદેશ આપ્યો હતો. તેનો સાચો અને સંપૂર્ણ સંદેશ એ હતો કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી, તેમ છતાં મુસ્લિમોને આખું જગત હેરાન-પરેશાન કરી રહ્યું છે. ઇસ્લામની અધકચરી સમજણ ધરવાતા કોઈ પણ મુસ્લિમ યુવાનને આ ફિલ્મ દેખાડીને આતંકવાદી બનાવવો બહુ મુશ્કેલ કામ નથી અને એ જ થઈ રહ્યું છે. હા, દોસ્તો, 'માય નેમ ઇઝ ખાન' ફિલ્મનો ઉપયોગ અત્યારે આતંકવાદી છાવણીઓમાં મુસ્લિમ યુવાનોની ભરતી કરવા માટે થઈ રહ્યો છે. તેનો પુરાવો છે 'પેપ્સી બોમ્બર' બશીર અહેમદ બાબાની કબૂલાત.

બાબાએ ગુજરાત એટીએસ (આતંકવાદ વિરોધી ટુકડી) સમક્ષ આ વાતની કબૂલાત કરી છે. આતંકવાદી સંગઠનોની આ વ્યૂહરચના ખોટી પણ નથી. અધકચરી સમજણ ધરાવતા કોઈ પણ યુવાનનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવો બહુ અઘરી વાત નથી. હકીકતમાં કટ્ટર અને ધર્માંધ મુલ્લા-મૌલવીઓ મુસ્લિમ યુવાનોની લાગણી સાથે જે રમત રમે છે તેવી જ રમત શાહરૂખ બીજી રીતે રમ્યો છે. બંનેએ કામ તો એક જ કર્યું છે-મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવાનું અને આતંકવાદી બનવા પ્રોત્સાહન આપવાનું. ધર્મ અને જાતિનો મામલો બહુ સંવેદનશીલ છે અને મોટા ભાગની સંવેદનશીલ બાબતમાં નિર્દોષ અને ભોળી પ્રજા છેતરાઈ જાય છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોંગ્રેસના મુસ્લિમ ચહેરા શાહરૂખે ખરેખર આતંકવાદી સંગઠનોનું કામ સરળ કરી દીધું નથી?

No comments: