Tuesday, December 2, 2008

પ્રસૂન જોશીની વેદનાઃ ઇસ બાર નહીં


મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલામાં લોહીની હોળી જોઇને સમગ્ર દેશવાસીઓનું હ્રદય હચમચી ગયું છે. આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નેસ્તોનાબૂદ કરવા શહીદ થયેલા બેંગ્લોર મૂળના એનએસજી કમાન્ડો સંદીપ ઉન્નિક્રિષ્નનના મૃતદેહની પાસે તેની માતાની વેદના જોઈને કોની આંખમાં આંસૂ નહીં આવ્યા હોય? બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને દેશની સુરક્ષા વ્યવસ્થાની કથળેલી હાલત પર નારાજગી વ્યક્ત કરી તો હી-મેન ધર્મેન્દ્રએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને મારી નાંખવાની ઇચ્છા થાય છે તેવું લાલચોળ વિધાન આપીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો. આ કટોકટીમાં 'તારે જમીન પર' ફિલ્મમાં હ્રદયસ્પર્શી ગીતો લખનાર કવિ પ્રસૂન જોશીએ પોતાની વેદના કવિતા લખીને વ્યક્ત કરી છે.
જ્યારે આજે બપોરે હું 'નવભારત ટાઇમ્સ'ની વેબસાઇટ પર વિવિધ સમાચારનું વાંચન કરતો હતો ત્યારે આ દર્દસભર કવિતા મારી નજરે પડી હતી। આ કવિતા વારંવાર આતંકવાદી હુમલાનો ભોગ બનેલા સામાન્ય નાગરિકની વેદના અને આક્રોશનો પડઘો પાડે છે.

ઇસ બાર નહીં

ઇસ બાર જબ વહ છોટી સી બચ્ચી
મેરે પાસ અપની ખરોંચ લેકર આયેગી
મૈં ઉસે ફૂ-ફૂ કરકે નહીં બહલાઉંગા
પનપને દૂંગા ઉસ કી ટીસ કો
ઇસ બાર નહીં

ઇસ બાર જબ મૈં ચહેરો પર દર્દ લિખૂંગા
નહીં ગાઉંગા ગીત પીડા ભૂલા દેને વાલે
દર્દ કો રિસને દૂંગા
ઉતરને દૂંગા ગહેરે

ઇસ બાર મૈં ના મરહમ લગાઉંગા
ના હી ઉઠાંઉગા રુઇ કે ફાહે
ઔર ના હી કહુંગા કિ તુમ આંખે બંદ કર લો,
ગર્દન ઉધર કર લો મૈં દવા લગાતા હું
દેખને દૂંગા સબકો
હમ સબકો
ખુલે નંગે ઘાવ
ઇસ બાર નહીં

ઇસ બાર કર્મ કા હવાલા દેકર નહીં ઉઠાઉંગા ઔજાર
નહીં કરુંગા ફિર સે એક નઈ શુરુઆત
નહીં બનૂંગા મિસાલ એક કર્મયોગી કી
નહીં આને દૂંગા જિંદગી કો આસાની સે પટરી પર
ઉતરને દૂંગા ઉસે કિચડ મેં, ટેઢે-મેઢે રાસ્તો પે
નહીં સૂખને દૂંગા દીવારોં પર લગા ખૂન
હલકા નહીં પડને દૂંગા ઉસકા રંગ
ઇસ બાર નહીં બનને દૂંગા ઉસકો ઇતના લાચાર
કી પાન કી પિક ઔર ખૂન કા ફર્ક હી ખતમ હો જાયે
ઇસ બાર નહીં

ઇસ બાર ઘાવોં કો દેખના હૈ
ગૌર સે
થોડે લંબે વક્ત તક
કુછ ફૈસલે
ઔર ઉસકે બાદ હૌસલે
કહીં તો શુરુઆત કરની હી હોગી
ઇસ બાર યહી તય કીયા હૈ

No comments: