Saturday, November 13, 2010

દોસ્તો,

અરુંધતી રૉયએ કાશ્મીર માટે કરેલું વિવાદાસ્પદ વિધાન આપણે બધા જાણીએ છીએ. તેમના કહેવા મુજબ, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ક્યારેય નહોતું....તે પછી ઘણો વિવાદ થયો....અરુંધતી રૉયને લઈને બુદ્ધિજીવીઓમાં બે ભાગલા પડી ગયા છે...એક જૂથ તેમને સ્વચ્છંદી કહે છે તો બીજું જૂથ વાણી સ્વાતંત્ર્યના અધિકારનો મુદ્દો આગળ ધરીને અરુંધતીએ કશું ખોટું કર્યું નથી તેવું માને છે.....બંને જૂથના પોતપોતાના તર્ક છે, પોતપોતાની દલીલ છે....પણ દુઃખ એ વાતનું છે કે અરુંધતી સમર્થકોનું પાગલપન તમામ મર્યાદા તોડી રહ્યું છે....

'તહેલકા' નામનું એક સામયિક અંગ્રેજી અને હિંદી બંને ભાષામાં પ્રક્ટ થાય છે....તેમાં તાજેતરમાં અરુંધતી રૉયની પ્રશંસા કરતો એક લેખ પ્રક્ટ થયો છે....તેમાં અરુંધતીને ગરીબો, આદિવાસીઓ અને મુસલમાનો માટે લડતી કરુણાની દેવી તરીકે ચિતરવામાં આવી છે.....અરુંધતીને વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવાનો અધિકાર છે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.....અરુંધતીને 'સ્વપ્નોની રાજકુમારી' તરીકે નવાજી લોકશાહીના પ્રહરી ગણાવવામાં આવી છે.....એક વાત કબૂલ છે કે અરુંધતીને તેમના વિચારો વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે... પણ પ્રશ્ન એ છે કે અરુંધતી રૉયની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરવી કેટલી ઉચિત છે?

'તહેલકા' શું કહે છે કે તે પહેલાં જણાવી દઉં - 'વિડંબના એ છે કે રૉય પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલ્યો હોત તો તે ઐતિહાસિક હસ્તીઓની યાદીમાં સામેલ થઈ જાત. 'યંગ ઇન્ડિયા'માં પ્રકાશિત પોતાના વિચારોને કારણે મહાત્મા ગાંધી સામે 1922માં રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું, 'આ અદાલતમાં હું એ તથ્ય છુપાવવા માગતો નથી કે સરકારની વર્તમાન વ્યવસ્થા પ્રત્યે અસંતોષ ફેલાવવો મારા માટે લગભગ એક ઝનૂન બની ગયું છે....કાયદા મુજબ રાષ્ટ્રદ્રોહ જાણીજોઈને કરવામાં આવતો અપરાધ છે...પણ અત્યારે આ અપરાધ મને એક નાગરિકનું સૌથી મોટું કર્તવ્ય લાગે છે....કોઈ વ્યક્તિને કોઈ વ્યવસ્થા સારી ન લાગે તો તેને અસંતોષ વ્યક્ત કરવાની તક આપવી જોઈએ...'

કહેવાનો અર્થ એ છે કે મહાત્મા ગાંધીએ અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી હતી તેવી જ લડત અરુંધતી અત્યારે ભારત સરકાર સામે ચલાવી રહી છે....એટલે અંગ્રેજ સરકાર જે રીતે ભારતીયોનું શોષણ કરતી હતી તેવું શોષણ અત્યારે ભારત સરકાર કાશ્મીરીઓનું કરી રહી છે....(અરુંધતી રોયએ કાશ્મીરીઓના સંદર્ભમાં વાત કરી છે...) ખરેખર આ સરખામણી નરી મૂર્ખતા છે....અરુંધતીની સરખામણી ગાંધી સાથે કરીને બાપૂના આત્મા દુભાવવા જેવું આ કૃત્ય છે.....ગરીબો માટે બાપૂએ આજીવન પોતડી ધારણ કરી હતી....સાબરમતીના કિનારે આશ્રમ બનાવીને રહેતાં હતાં.....નર્મદાના કિનારે ખેડૂતોની જમીન પચાવીને ફાઇવસ્ટાર બંગલો બનાવીને નહીં.....બસ, એક જ પ્રાર્થના છે કે અરુંધતી સમર્થકોને સન્મતિ મળે....

1 comment:

Rajni Agravat said...

તમે કદાચ લેખની વાત કરી રહ્યા છો - http://www.tehelkahindi.com/indinon/national/747.html

સાથે સાથે અન્ય લિન્ક આપુ છું એ મુલાકાતમાં તો
એ કેવી વાત કરે છે ? http://www.tehelkahindi.com/mulakaat/sakshatkar/752.html

आखिर कितने लोगों ने रतन टाटा और मुकेश अंबानी से तब सवाल किए जब उन्होंने नरेंद्र मोदी से गुजरात गरिमा पुरस्कार ग्रहण किया और उन्हें गले लगाया