Sunday, November 7, 2010

માયાળુ કે માયાવી?

છેલ્લાં કેટલાંક દિવસ માયાળુ શબ્દનો અર્થ જાણવાની ઇચ્છા હતી....માયાળુ એટલે માયા વાળું એટલો અર્થ જાણતો હતો....પણ તેનાથી મને સંતોષ નહોતો...છેવટે ભગવદ્ગોમંડલના શરણે ગયો....મારે બધા અર્થ જાણવા હતા...તેમાં માયાળુ શબ્દના અર્થ આ પ્રમાણે છેઃ

- સ્નેહાળ
- વહાલ રાખનારું
- કૃપાળું
- મમતાળું
- દયાથી પ્રેમાળ હ્રદયે વર્તનારું
- કુદરતી કારણોથી થતાં દુઃખોને નિવારવાનું તેમનામાં સામર્થ્ય છે

પ્રશ્ન એ છે કે માયાળું માનવી એટલે કેવો માનવી? એવો માનવી જેનામાં મારા અને તારાનો કોઈ ભેદભાવ નથી અને આ ભેદભાવ રાખ્યાં વિના જીવદયા પ્રત્યે પ્રેમભાવ રાખે છે....તે તમામ જીવો પ્રત્યે વહાલ રાખે છે...તેના આશીર્વાદ બધાને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મળે છે....અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે માયાળુ માનવી પાસે કુદરતી કારણોથી થતાં દુઃખોને નિવારવાનું સામર્થ્ય હોય છે....પણ આ સામર્થ્ય ખરેખર માયાળુ માનવી પાસે જ હોય....

માયાળુ માનવી બનવાની પહેલી શરત છે કે મારા-તારાનો ભેદ છોડવો અને અહંકારનો ત્યાગ....અહંકાર હોય ત્યાં વૈરાગ્ય ન હોય....હું કલાકાર છું...લોકડાયરાનો બાદશાહ છું...મારા ચરણમાં ભલભલા મસ્તક નમાવે છે...મેં જગતના ઊંચા ઊંચા ટાવર પરથી ભાષણ આપ્યું છે, પ્રવચન આપ્યું છે....આહાહા....કેટલો અંહકાર....આવો ભાવ હોય અને પાછો માયાળુ માનવી!...આને માયાળુ નહીં માયાવી માણસ કહેવાય....પણ આજકાલ માયાળુ અને માયાવી માણસ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ સમાજે ગુમાવી દીધી છે....બગલા હંસ બનીને ફરે છે...ને આવા બગભગતોને સરકારી સાધુસંતો પોતાની સાથે લઈને ફરે છે....કોઈની કવિતા ગાઈ સંભળાવતો કાગ અત્યારે કલાપી કહેવાય છે....

હું આવા બગભગતને જાણું છું.....મેં તેની બધી લીલા નિહાળી છે....તે સતત માનપાન ઝંખે છે...પ્રસિદ્ધ પામવાની એક પણ તક તેણે છોડી નથી....પોતાને લોકડાયરાનો બાદશાહ ગણે છે અને લોકડાયરાના અન્ય કલાકારોની પીઠ પાછળ ટીકા કરવામાં આ માણસે કશું બાકી રાખ્યું નથી...થોડા સમય અગાઉ સુરેન્દ્રનગરમાં રામકથાનું આયોજન થયું હતું ત્યારે તેણે આ સંત કે બાપૂ વિશે ઘસાતું બોલવામાં બાકી રાખ્યું નહોતું....તેના કામ જેટલા લોકોએ કર્યા છે તેના પર તેણે અપકાર કર્યા છે....તેનું જે લોકોએ કામ કર્યુ તેનો પાડ માનવાની જગ્યાએ તેણે ગાળો ભાંડી છે.....આવા માણસને માયાળુ કહેવાય કે માયાવી?

છેલ્લે માયાવી એટલેઃ
- મિથ્યા
- પ્રપંચી
- કપટી
- મયદાનવનો પુત્ર....

No comments: