Friday, July 9, 2010

હેડલીનો ખુલાસો અને દંભી ધર્મનિરપેક્ષોની ચૂપકીદી.....


લશ્કર-એ-તોઇબાના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ ખુલાસો કર્યા પછી સ્યૂડો સેક્યુલરિસ્ટોની (છહ્મ ધર્મનિરપેક્ષ)ની જમાતના હોંઠ સિવાઈ ગયા છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની સૂચનાના આધારે 15 જૂન, 2004ના રોજ ગુજરાત પોલીસે લશ્કર-એ-તોઇબાના ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં કથિત ધર્મનિરપેક્ષોની લાડકી ઇશરત જહાં પણ સામેલ હતી. આપણે જાણીએ છીએ કે હેડલીએ ખુલાસો કર્યા તે અગાઉ કથિત ધર્મનિરપેક્ષોની મંડળી ઇશરતની નિર્દોષતા સાબિત કરવા આકાશપાતાળ એક કરતી હતી.

આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયેલી ઇશરતને મીડિયાના કથિત માનવતાવાદી જૂથે પણ પ્રામાણિક અને સ્વચ્છ નાગરિક હોવાનું પ્રમાણપત્ર આપી દીધું હતું. પણ હેડલીના ખુલાસા પછી દેશને ધર્મ અને જાતિને નામે વિભાજીત કરવા માગતા કથિત ધર્મનિરપેક્ષ જૂથોએ તેમની ક્ષુદ્ર રાજરમતનો વિચાર કરવો જોઈએ અને વિવિધ પ્રસાર માધ્યમોમાં ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સામે વારંવાર પ્રશ્નો ઉઠાવનારા લોકોએ ઇશરત મામલે હવે તેમનો શું અભિપ્રાય છે તે વ્યક્ત કરવો જોઈએ.

દંભી ધર્મનિરપેક્ષોનો અન્ય એક આતંકવાદી અબ્દુલ નાસેર મદની સાથેનો પ્રેમ પણ જાણવા જેવો છે. સામ્યવાદીઓના બીજા ગઢ સમાન કેરળમાં વર્ષ 1993માં 'ઇસ્લામિક સેવક સંઘ' નામના સંગઠનને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું હતું. તેનો વડો અબ્દુલ નસીર મદની હતો. સરકારે સંગઠન પર પ્રતિબંધ મૂક્યાં પછી મદનીએ નવો પક્ષ 'પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી' (પીડીપી)ની સ્થાપના કરી હતી. દંભી ધર્મનિરપેક્ષોએ તેને ભાવભીનો આવકાર આપ્યો હતો. પછી બન્યું એવું કે 8 એપ્રિલ, 1998ના રોજ કોઇમ્બતૂરમાં થયેલા બોમ્બ વિસ્ફોટના કેસમાં મદનીની ધરપકડ કરવામાં આવી. તેમ છતાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પીડીપીના પ્રભાવને ધ્યાનમાં રાખીને વર્ષ 2001ની ચૂંટણીમાં કોંગ્રેસે તેની સાથે હાથ મિલાવ્યાં હતાં. વર્ષ 2007માં પુરાવાના અભાવે મદની છૂટી ગયો છે. પણ તેના થોડા સમય અગાઉ બાંગ્લાદેશમાંથી પકડાયેલા એક આતંકવાદીની પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે મદનીની પત્ની સૂફિયા મદની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંલગ્ન છે. પોલીસે તેની પણ ધરપકડ કરી છે. એટલું જ નહીં અત્યારે બેંગ્લોર બોંબવિસ્ફોટમાં મદનીની પૂછપરછ ચાલુ જ છે. પણ કર્ણાટક પોલીસ તેની ધરપકડ કરી શકતી નથી, કારણ કે દેશના કથિત ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષોનું સમર્થન છે.

હકીકતમાં દેશમાં માનવાધિકાર અને ધર્મનિરપેક્ષતાના નામે દેશદ્રોહી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેને હિંદુવિરોધી માનસિકતા ધરાવતા સ્વાર્થી અને નઠારા અમીચંદો સાથ-સહકાર આપી રહ્યાં છે. ચર્ચ પર હુમલો થાય કે મુસ્લિમ આતંકવાદીનું એન્કાઉન્ટર થાય તો તરત જ હિંદુઓને ભાંડવામાં તેઓ જરા પણ સમય વેડફશે નહીં. પણ ઇશરત જહાંનું એન્કાઉન્ટર થયા પછી તેમને જીભ સિવાઈ ગઈ છે........

1 comment:

Chirag Panchal said...

Aajkal to Aa dharmnirpeksho to aava encounter ne vyajbi tharavta lekhako ni pachad pan padi jay che.