


14મી ઓગસ્ટ, 1947ની મધરાતે સમગ્ર દુનિયા સૂતી હતી ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરએ બંધારણ સભામાં ઊભા થઈને કાવ્યાત્મક શૈલીમાં ભારતની આઝાદીનો શંખનાદ ફૂંક્યો હતો. ઐતિહાસક ઘોષણા કરતાં તેમણે કહ્યું હતું કે, ''વર્ષો પહેલાં આપણે પ્રારબ્ધને એક વચન આપ્યું હતું, આજે તે વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે...એવી ક્ષણ આવે છે..જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રની આત્માને વાણી મળે છે...''
ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું પણ લોહીલુહાણ અને હ્રદયમાં નફરત સાથે. વિભાજન સાથે લોકોના મન અને હ્રદય પણ જુદાં પડી ગયા. તે ઇતિહાસની સૌથી ભયાનક વિકૃત ઘટના હતી. આ લોહિયાળ વિભાજનમાં 13 લાખ લોકો માર્યા ગયા હતા, દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા હતા, 12.5 લાખ શરણાર્થીઓ ભારતમાં આવ્યા હતા, 90 લાખ શરણાર્થીઓ પંજાબમાંથી પાકિસ્તાન ગયા હતા અને એક લાખ મહિલાઓ પર બળાત્કાર થયો હતો.
આ લોહિયાળ વિભાજન જોઇને પાકિસ્તાનના ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝે પોતાની વેદના આ શબ્દોમાં વ્યક્ત કરી હતીઃ
યે દાગ દાગ ઉજાલા યે શબગુજીદા સહર,
યે વો સહર તો નહીં જિસકી આરઝૂ લેકર,
ચલે થે યાર કિ મિલ જાયેગી કહીં ન કહીં..
No comments:
Post a Comment