
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ દેશના મુસલમાનોને એક અલગ રાજકીય પક્ષ બનાવવવાનું આહ્વાન કર્યું છે। એટલું જ નહીં તેમણે મુસલમાનોને એક થઈ દિલ્હીના લાલ કિલ્લા પર ઇસ્લામિક સલ્તનતની સ્થાપના ફરીથી કરવાની પણ આડકતરી રીતે હાકલ કરી છે।
બુખારીએ હિંદી પખવાડિક સાપ્તાહિક 'તહેલકા'ને આપેલી મુલાકાતમાં ભારતમાં મુસલમાનો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું કહેતાં જણાવ્યું હતું કે, ''દેશમાં મુસલમાનોને જીવતા સળગાવી દેવામાં આવે છે, તેમના કામધંધા બરબાદ કરી દેવામાં આવે છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. હું હંમેશા કહું છું કે ભારતના મુસલમાનોએ રાજકીય તાકાત બનવું પડશે..આ દેશમાં માત્ર તે જ લોકોને માન-સન્માન મળે છે જેમની પાસે રાજકીય તાકાત હોય છે...એક વખત મુસલમાનો પાસે તે રાજકીય તાકાત આવી જશે પછી આપણે અધિકારો છીનવી પણ શકીશું..હવે અમે એક થઇને સત્તા મેળવવાનો નિર્ણય કર્યો છે.''
તેમણે મુસલમાનો માટે અલગ રાજકીય પક્ષની જરૂર શા માટે છે તેનું કારણ સમજાવતા કહ્યું હતું કે, ''દલિતો પાસે બસપા છે, હિંદુઓ પાસે ભાજપ છે. કોંગ્રેસ પણ એક હિંદુ પક્ષ જ છે. તે ધર્મનિરપેક્ષ નથી. છેલ્લાં 60 વર્ષથી અમે હિંદુ નેતાઓ અને તેમના પક્ષોને સમર્થન આપ્યું છે. પણ તેમણે અમારા હિતો માટે કશું જ કર્યુ ન હોવાથી અમારી પાસે અમારી હિતો સાધવા કયો રસ્તો બચ્યો છે?''
No comments:
Post a Comment